Book Title: Anekantvada pravesh
Author(s): Bhavyasundarvijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 212
________________ गुर्जरविवेचनसमन्वितः ઉત્તર ઃ ના, કારણ કે (પ્રવચિન્તાયામપિ તુત્યાત્...) ક્ષણની જેમ ક્ષણપ્રબંધમાં પણ અતિશયનું આધાન થઈ શકતું નથી... તેનું કારણ એ કે ક્ષણથી જુદું ક્ષણપ્રબંધ જેવું કંઈ જ નથી. (ક્ષણ એ જ પ્રબંધ – એવું તમે માનો છો. ઘટની જુદી જુદી ક્ષણો એ જ ઘટક્ષણનો પ્રબંધ કહેવાય, તેનાથી અતિરિક્ત બધી ક્ષણોમાં અનુગત કોઈ સામાન્ય તત્ત્વ નથી.) હવે ક્ષણ એ જ પ્રબંધ હોય, તો ક્ષણમાં અતિશયનું આધાન ન ઘટવાથી, ક્ષણપ્રબંધમાં પણ અતિશયનું આધાન ન ઘટી શકે. કહ્યું છે કે – જેમ નિત્ય પદાર્થના વિશેષ હેતુઓ (=કાર્યમાં વિશેષ કરનાર એવા હેતુઓ) નથી ઘટતા, તેમ ક્ષણિક પદાર્થના કારણ તરીકે પણ વિશેષ હેતુઓ નથી જ ઘટતા... (શું ક્ષણપ્રબંધને લઈને ન ઘટે? ના,) કારણ કે ક્ષણપ્રબંધનો ક્ષણોની સાથે અભેદ છે.” (એટલે ક્ષણની જેમ ક્ષણપ્રબંધમાં પણ અતિશયનું આધાન થઈ શકે નહીં.) એટલે ક્ષણપ્રબંધને લઈને પણ હેતુને વિશિષ્ટ ન માની શકાય અને તેથી કાર્યનો જન્મ પણ વિશિષ્ટ હેતુથી ન કહી શકાય. એટલે વિશિષ્ટ કારણથી કાર્યનો જન્મ; તે જ વિશિષ્ટ હેતુ ફળભાવ છે – એ છઠ્ઠો વિકલ્પ પણ અનુચિત જણાઈ આવે છે. * १८१ अथ तदनन्तरभावित्वम्, तदप्ययुक्तम्, अतिप्रसङ्गात्, तस्य हि तत्कालोपजातसकलपदार्थेष्वविशिष्टत्वात्, तथा च 'तदनन्तरभावित्वात् तत्फलत्वं प्रसज्यते । विश्वस्य कारणं तद्धि न येत् सर्वस्य सम्मतम् ।।१।। विशिष्टकार्यजननस्वभावं हीष्यते यतः । मुक्त्वोपलम्भं कार्यस्य कारणानन्तरं कथम् ।।२।। गम्यते तत्स्वभावत्वं स च तुल्यः फलान्तरे । तत्रैव तस्य व्यापारः, इति चेत् तन्न युज्यते ।।३।। क्षणभङ्गसमुच्छेदाद् व्यापारो नासतो यतः । उत्पत्तिव्यतिरेकेण व्यापारो नेष्यते इति चेत् ? ।।४।। व्यापारकालभावित्वात् कारणाभिन्नकालता । फलस्यापि च सत्येवं कार्यकारणता कुतः ।।५।।' A પૂર્વમુદ્રિતે ‘ચૈત્’ કૃતિ પા:, અત્ર C-પ્રતપાઠ: | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240