Book Title: Anekantvada pravesh
Author(s): Bhavyasundarvijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 194
________________ गुर्जरविवेचनसमन्वितः १६३ પૂર્વે જોઈ હતી' “આ તે જ વસ્તુ છે જે મેં પૂર્વે જોઈ હતી એમ સ્મરણ – પ્રત્યભિજ્ઞાન આદિ થાય છે. પણ દરેક વસ્તુ ક્ષણિક હોય તો બીજા પ્રમાતા વડે બીજા અર્થની અનુભૂતિ થાય અને બીજા પ્રમાતાને બીજા અર્થની ઉપલબ્ધિ થાય; એવું માનવું પડે અને તો સ્મરણાદિ શી રીતે ઘટે ? (આશય એ કે, જે પ્રમાતાએ જે વસ્તુનો અનુભવ કર્યો હતો, તે પ્રમાતા અને તે વસ્તુ તો બીજી જ ક્ષણે નષ્ટ થઈ જાય છે અને હવે જે પ્રમાતાને જે અર્થ ઉપલબ્ધ થાય છે, તે પ્રમાતા અને અર્થ તો પૂર્વેક્ષણ કરતાં જુદા જ છે અને જુદા હોય તો “આ તો મેં પૂર્વે જોઈ હતી“આ તે જ વસ્તુ છે જે મેં પૂર્વે જોઈ હતી’ એવાં સ્મરણ-પ્રત્યભિજ્ઞાન આદિ શી રીતે ઘટે ?) એટલે ક્ષણિકવાદમાં સ્મરણાદિ અસંગત જ છે. નિષ્કર્ષ : આમ વસ્તુને પ્રતિક્ષણ નિરન્વય નશ્વર માનવામાં ગ્રાહ્ય-ગ્રાહકભાવ, સ્મરણ, પ્રત્યભિજ્ઞાનાદિ કંઈ ન ઘટે અને તો ઐહિક સકળ લોકવ્યવહારનો અભાવ થાય, એમ સ્થિત થયું. ___ आमुष्मिकव्यवहारस्तु सुतरामसङ्गतः, कृतनाशाकृताभ्यागमप्रसङ्गात्; तथाहियः कुशले प्रवर्त्तते स तदैव सर्वथा विनश्यति, कुशलमपि च कर्मात्मलाभसमनन्तरमेव निरन्वयमपैति, अतः कृतनाशः, क्षणान्तरस्य चिरविनष्टात्कर्मणः पुनरायत्यां फलोदयाभ्युपगमे सत्यकृताभ्यागमः, इत्येतच्चासमञ्जसम् ।। - પ્રવેશરશ્મિ – ભાવાર્થ : પારલૌકિક વ્યવહાર તો સુતરાં અસંગત છે; કેમ કે કૃતનાશ અને અકૃત-અભ્યાગમનો પ્રસંગ આવે છે. તે આમ - જે કુશળમાં પ્રવર્તે છે. તે ત્યારે જ સર્વથા નાશ પામે છે અને કુશળ કર્મ પણ ઉત્પત્તિ પછી તરત જ નિરન્વય નાશ પામે છે, એટલે કૃતનાશ અને ભવિષ્યમાં અન્ય વ્યક્તિક્ષણને ચિરનષ્ટ એવા કર્મથી ફળોદય માનવામાં અકૃત-અભ્યાગમ થાય. અને આ તો અસમંજસ છે. * ક્ષણિકવાદમાં પારલૌકિકવ્યવહાર સુતરાં અસંગત છે વિવેચનઃ વસ્તુને પ્રતિક્ષણ નિરન્વય નશ્વર માનો, તો તો પારલૌકિક વ્યવહાર સુતરાં અસંગત થાય છે, કારણ કે તેમાં (૧) કૃતનાશ, અને (૨) અકૃત-અભ્યાગમ નામના બે દોષ આવે છે. તે આ પ્રમાણે – (૧) જે વ્યક્તિ કુશળ-અનુષ્ઠાનમાં પ્રવર્તે છે, તે વ્યક્તિ તો નિરન્વય-વિનાશશીલ હોવાથી, ત્યારે જ સર્વથા નષ્ટ થઈ જાય છે અને તેણે જે પુણ્યરૂપ કુશળ કર્મનું ઉપાર્જન કર્યું છે, તે કર્મ પણ બીજી જ ક્ષણે નિરન્વય નષ્ટ થાય છે. (એટલે તે ભવિષ્યમાં કોઈ ફળ આપતું જ નથી.) આમ કરેલું પુણ્યકર્મ, ફળ આપ્યા વિના જ નષ્ટ થઈ ગયું. એટલે તો કૃતનાશ (=કરેલા પુણ્યકર્મનો ફળ આપ્યા વિના જ નાશ) માનવાનો પ્રસંગ આવે. (૨) હવે જો તે ચિરનષ્ટ કર્મનો, કર્તૃક્ષણથી અન્યક્ષણમાં ભવિષ્યકાળે ફળોદય માનો, તો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240