Book Title: Anekantvada pravesh
Author(s): Bhavyasundarvijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 199
________________ अनेकान्तवादप्रवेशः -> અપ્રશાંતવાહિતાના આધારે ઇષ્ટ-અનિષ્ટ ફળ ઉત્પન્ન થાય છે. (અર્થાત્ પ્રશાંતવાહિતાના બળે ઇષ્ટ ફળ અને અપ્રશાંતવાહિતાના બળે અનિષ્ટ ફળ પ્રાપ્ત થાય છે.) १६८ સાર એ કે, તે તે કર્મો, નાશ પામતી વખતે પોતાની ઉત્તરક્ષણમાં વિશિષ્ટ સામર્થ્યનું આધાન કરતા જાય અને તે સામર્થ્ય દ્વારા, વાસનાનો પરિપાક થયે અને કારણસંનિધાનથી જાગૃતિ થયે, ઉત્તરોત્તર ક્ષણપરંપરાએ ઇષ્ટ-અનિષ્ટ ફળ પ્રાપ્ત થાય છે. આમ ક્ષણિકમતે કર્મફળસંબંધ વગેરે પારલૌકિક વ્યવહાર પણ સંગત જ છે. એટલે અમારા મતે ઐહિક-પારલૌકિક વ્યવહારનો ઉચ્છેદ થવારૂપ દોષ અંશતઃ પણ રહેતો નથી. * प्रतीतश्चायमर्थः, तथाहि - रसायनादिभिः प्रथमोपनिपातवेलायामाहितो विशेषो देहे तदुत्तरोत्तरावस्थाभेदोपजननेन पश्चाद्देहातिशयस्य बलमेधाऽऽरोग्यादेर्निष्पादकः, तथा लाक्षारसनिषेकोपनीतसामर्थ्यं मातुलिङ्गकुसुममुत्तरोत्तरविशेषोपजननेन फलोदरान्तर्वर्तिनः केसरस्य रक्तताहेतुर्भवत्येव; इति दृष्टत्वान्मुच्यतामभिनिवेशवेशसम् । - પ્રવેશરશ્મિ : ભાવાર્થ : આ અર્થ પ્રતીત પણ છે. તે આમ - રસાયન આદિ દ્વારા પ્રથમ-ઉપનિપાત વખતે જ દેહમાં નંખાયેલો વિશેષ, ઉત્તરોત્તર અવસ્થાભેદને ઉત્પન્ન કરવા દ્વારા પાછળથી દેહના અતિશયરૂપ-બળ-મેઘાઆરોગ્યાદિનો નિષ્પાદક થાય... તથા, લાક્ષારસના સિંચનથી લવાયેલું સામર્થ્ય, માતૃલિંગ કુસુમના ઉત્તરોત્તર વિશેષને ઉત્પન્ન કરવા દ્વારા તેના ફળની અંદર રહેલી કેસરાની લાલાશનું કારણ બને છે. એવું દૃષ્ટ હોવાથી અભિનિવેશનું વ્યસન મૂકો. વિવેચન : અને અમે જે સામર્થ્યના આધાન દ્વારા પરંપરાએ વિશિષ્ટફળની પ્રાપ્તિ કહી, તે અર્થ તો લોકમાં પણ પ્રસિદ્ધ છે જ તે આ પ્રમાણે – (આ વાત બે દષ્ટાંતથી સમજાવે છે –) (૧) સંજીવની વગેરે રસાયનો દ્વારા,પહેલી વખતે તો શરીરમાં, ઘડપણાદિને હણનારું એક વિશિષ્ટ બીજનું આધાન થાય છે... તે પછી ઉત્તરોત્તર વિશિષ્ટ-વિશિષ્ટતર અવસ્થાઓને ઉત્પન્ન કરવા દ્વારા, છેલ્લે તે રસાયન, દેહના અતિશયરૂપ બુદ્ધિ-બળ-આરોગ્યાદિને ઉત્પન્ન કરનાર બને છે. (આમ રસાયન સામર્થ્યના આધાન દ્વારા વિશિષ્ટ ફળને ઉત્પન્ન કરે છે જ, તેમ કર્મ અંગે પણ સમજવું.) (૨) લાક્ષારસના સિંચન દ્વારા, બીજોરાના પુષ્પમાં વિશિષ્ટ સામર્થ્યનું આધાન થાય છે... પછી તે સામર્થ્યવાળું પુષ્પ, બીજોરાની પરંપરામાં જ ઉત્તરોત્તર વિશેષને ઉત્પન્ન કરીને છેલ્લે તે બીજોરાના ફળની અંદર રહેલ કેસરાના લાલરંગને ઉત્પન્ન કરે છે. (આમ લાક્ષારસ, સામર્થ્યના આધાન દ્વારા પરંપરાએ કેસરાને લાલ કરવારૂપ વિશિષ્ટ ફળનું For Personal & Private Use Only www.jainelibrary.org Jain Education International

Loading...

Page Navigation
1 ... 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240