Book Title: Anekantvada pravesh
Author(s): Bhavyasundarvijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 198
________________ गुर्जरविवेचनसमन्वितः - કૃતનાશ-અકૃતાભ્યાગમ દોષનું નિવારણ # વિવેચન ઃ તમે જે કૃતનાશ અને અકૃત-અભ્યાગમ નામનો દોષ આપ્યો હતો, તે દોષનો પણ વિશિષ્ટ કાર્ય-કારણભાવને માનવામાં અવકાશ રહેતો નથી. તે આ પ્રમાણે १६७ દરેક ક્ષણો જુદી જુદી હોવા છતાં, તે પૂર્વાપર ક્ષણોમાં ઉપાદાન-ઉપાદેયભાવ (=હેતુ-ફળભાવ) રહ્યો છે (અર્થાત્ પૂર્વ-પૂર્વની ક્ષણ કારણ અને ઉત્તરોત્તરની ક્ષણ કાર્ય - એમ કાર્ય-કારણભાવ રહ્યો છે.) અને તેથી એક જ ક્ષણપરંપરામાં જેણે પોતાના સામર્થ્યનું આધાન કર્યું છે, તેણે તે કર્મનું ફળ પ્રાપ્ત થાય જ છે. એટલે સામાન્યથી જે સંતાન કર્મનો કર્તા છે, તે જ સંતાન કર્મનો ભોક્તા છે. તાત્પર્ય એ કે, પૂર્વાપર ક્ષણોમાં કાર્ય-કારણભાવ છે, એટલે કર્મ તે પોતાની ઉત્તરક્ષણ ઉત્પન્ન કરે અને તેમાં પોતાના સામર્થ્યનું આધાન કરે... પછી તે ઉત્તરક્ષણ પણ પોતાની ઉત્તરક્ષણને ઉત્પન્ન કરે અને તેમાં પોતાના સામર્થ્યનું આધાન કરે... એ જ રીતે આગળ-આગળની ક્ષણોમાં પણ સમજવું. આમ એક વ્યક્તિની જ્ઞાનપરંપરામાં, તે કર્મના સામર્થ્યનું આધાન થતું જાય અને ભવિષ્યમાં તે સામર્થ્યને આધારે જ, તે વ્યક્તિને તેનું ફળ પણ પ્રાપ્ત થઈ જાય. આ રીતે કર્મ એક જ જ્ઞાનપરંપરામાં પોતાના સામર્થ્યનું આધાન કરી, ભવિષ્યમાં ફળનું અર્પણ કરે છે જ. એટલે *સામાન્યથી જે સંતાન (=જ્ઞાનપરંપરા) કર્મનો કર્તા છે, તે જ સંતાન કર્મનો ભોક્તા છે. આ જ વાતને જણાવવા ભાવના કહે છે — (તથાદિ-) જે વ્યક્તિ કુશળ કાર્યમાં પ્રવૃત્ત થાય, તે વ્યક્તિ તો પ્રવૃત્તિકાળમાં જ સર્વથા નષ્ટ થઈ જાય છે. પણ જ્યારે તે નાશ પામે, ત્યારે તે પોતાને અનુરૂપ કાર્યને ઉત્પન્ન કરવામાં સમર્થ એવાં સામર્થ્યને વિજ્ઞાનપરંપરામાં આહિત કરીને જ નાશ પામે છે. હવે જ્ઞાનપરંપરામાં આહિત કરેલ એ સામર્થ્યવિશેષથી જ, ઇષ્ટ-અનિષ્ટ ફળ ઉત્પન્ન થાય છે. (આવું કઈ રીતે થાય? તે આપણે જોઈએ.) (૧) કાળાંતરના પરિણામથી (અર્થાત્ અમુક કાળ વીત્યા પછી ) ઉત્પન્ન થયો છે વાસનાનો પરિપાક જેનો, અને (૨) કાર્યરૂપને ઉત્પન્ન કરનારાં એવાં કારણોના સંનિધાનથી જેનો પ્રબોધ થયો છે (અર્થાત્ જેમાં જાગૃતિ ઊભી થઈ છે.) તેવા સામર્થ્યવિશેષથી ઉત્તરોત્તર ક્ષણના પરિણામે પ્રશાંત * અહીં ‘સામાન્યથી’ કહેવાનું તાત્પર્ય એ કે, દરેક જ્ઞાનક્ષણો જુદી જુદી હોવા છતાં ઉપાદાન-ઉપાદેયભાવે તેઓ સંલગ્ન હોવાથી, તેઓનો ક્ષણભેદ નજરમાં ન રાખી, સામાન્યથી તે આખી જ્ઞાનપરંપરા લેવી અને તેથી તે એક જ જ્ઞાનપરંપરામાં કર્દૂ-ભોક્તભાવ પણ સંગત થઈ જાય. * નિરુત્સકભાવે સર્વ કાર્યોમાં પ્રવૃત્તિને પ્રશાંતવાહિતા કહેવાય. આ પ્રશાંતવાહિતા કુશલ-અનુષ્ઠાન કરનાર પુરુષને લઈને સમજવી. અકુશલ-અનુષ્ઠાન કરનાર પુરુષને લઈને અપ્રશાંતવાહિતા હોય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240