Book Title: Anekantvada pravesh
Author(s): Bhavyasundarvijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 196
________________ गुर्जरविवेचनसमन्वितः १६५ (૬) રાગ-દ્વેષાદિ ક્લેશના સમૂહને વિક્ષોભ (=વેરવિખેર) કરવામાં દક્ષ એવા નિર્મળ =નિરતિચાર) એવા સમ્યગ્દર્શનાદિ મોક્ષમાર્ગને સન્મુખ કરીને, ક્રમશઃ વિશુદ્ધ-વિશુદ્ધતર ચિત્તની પરંપરાવાળો... આવો જીવ, નિરતિશય અને મધુર રસવાળા મોક્ષનું આસ્વાદન કરે છે. આ મોક્ષપ્રાપ્તિનો માર્ગ છે. પણ આત્મા આદિ વસ્તુને, જો પ્રતિક્ષણ નિરન્વય નશ્વર માનો, તો તે માર્ગ બિલકુલ ઘટતો નથી. તે આ પ્રમાણે – આત્મા પ્રતિક્ષણ નશ્વર છે. એટલે આત્માની પીડા પામવાની ક્ષણ જુદી અને નિર્વેદ પામવાની ક્ષણ જુદી... વિરાગ પામવાની ક્ષણ જુદી અને મોક્ષ પામવાની ક્ષણ જુદી – આમ દરેક ક્ષણો જુદી જુદી હોવાથી, તે તે ક્ષણગત નિરન્વય નશ્વર આત્મા પણ જુદો જુદો થાય. અને એટલે તો એવું ફલિત થાય કે, શારીરિક-માનસિક સંસારના દોષોથી બીજો જ પીડાય છે અને નિર્વેદ બીજો જ કોઈ પામે છે... વૈરાગ્ય બીજાને થાય છે અને મોક્ષ બીજો જ કોઈ મેળવે છે. પણ આવું માનવું તો જરાય શોભન નથી, નહીંતર તો અતિપ્રસંગ એ આવે કે, ચૈત્રના વૈરાગ્યથી મૈત્રનો મોક્ષ માનવો પડે. (ભાવ એ કે, વિરાગીક્ષણથી ભિન્નક્ષણમાં પણ જો મુક્તિ થતી હોય, તો તેની જેમ ચૈત્રરૂપ વિરાગીક્ષણથી ભિન્ન મૈત્રક્ષણમાં પણ મુક્તિ માનવી પડે ! જે બિલકુલ યોગ્ય નથી.) એટલે ક્ષણિકમતે મોક્ષ પણ સંગત નથી અને તો તેઓ મતે પારલૌકિક વ્યવહાર પણ સંગત ન જ થાય, એવું સ્થિત થયું. (હવે બૌદ્ધ, ક્ષણિકમતે ઐહિક-પારલૌકિક તમામ વ્યવહારને સાબિત કરવા અને પોતાના મતને નિર્દોષ બતાવવા, વિસ્તૃત (૧૬૫થી ૧૭૦ પૃષ્ઠ સુધીનો) પૂર્વપક્ષ રજૂ કરે છે –) स्यादेतद्-विशिष्टहेतुफलभावनिबन्धनः सर्व एवायमैहिकामुष्मिकव्यवहारः; तथाहिविशिष्टां रूपादिसामग्री प्रतीत्य विशिष्टमेव संवेदनमुपजायते, ततश्च तदेव तस्य ग्राहकमभिधीयते, न पुनरन्यद्, अतिप्रसङ्गात्; एवं स्मरणाद्यपि भावनीयम् इति । – પ્રવેશરશ્મિ – ભાવાર્થ: બોદ્ધપૂર્વપક્ષ ઃ વિશિષ્ટ હેતુ-ફળ ભાવના કારણે જ આ બધો ઐહિક-આમુમ્બિક વ્યવહાર થાય. તે આ પ્રમાણે - વિશિષ્ટ રૂપાદિ સામગ્રીને આશ્રયીને વિશિષ્ટ જ સંવેદન ઉત્પન્ન થાય અને તેથી તે જ તેનું ગ્રાહક કહેવાય, બીજુ કોઈ નહીં. કારણ કે અતિપ્રસંગ આવે. એ રીતે સ્મરણાદિ પણ સમજવું. * ક્ષણિકમતે વ્યવહારસમંજસતાસાધક બદ્ધપૂર્વપક્ષ કે વિવેચન : બૌદ્ધપૂર્વપક્ષ: અમે એક વિશિષ્ટ કાર્ય-કારણભાવ માનીશું અને તેના આધારે જ ઐહિક-પારલૌકિક તમામ વ્યવહાર ઘટાડીશું. તે આ પ્રમાણે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240