Book Title: Anekantvada pravesh
Author(s): Bhavyasundarvijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 193
________________ १६२ अनेकान्तवादप्रवेशः વિવેચન : બૌદ્ધઃ વાસ્તવમાં પૂર્વાપરકાલીન નહીં, પણ સમાનકાલીન અર્થ-સંવેદનનો જ ગ્રાહ્ય-ગ્રાહકભાવ છે. તે આ પ્રમાણે – (૧) પોતાના હેતુઓથી જ તે વિજ્ઞાન તેવા વિશિષ્ટ સ્વભાવે ઉત્પન્ન થયું કે જેથી તે પોતાના સમાનકાળભાવી અર્થનો “ગ્રાહક બને, અને (૨) અર્થ પણ પોતાના હેતુઓથી જ તેવા વિશિષ્ટ સ્વભાવે ઉત્પન્ન થયું કે જેથી તે પોતાના સમાનકાળભાવી જ્ઞાનથી “ગ્રાહ્ય બને. (આમ સમાનકાલીન અર્થ-સંવેદનની ગ્રાહ્ય-ગ્રાહકતા સંગત જ છે, તો પછી ક્ષણિકમતે ગ્રાહ્યગ્રાહકભાવની અસંગતિ શી રીતે ?) એટલે યથોક્ત દોષ અનુપપન્ન છે. સ્યાદ્વાદીઃ તમારી આ વાત પણ યુક્ત નથી, કારણ કે સમાનકાલીન જ્ઞાન-અર્થ વચ્ચે તાદામ્ય કે તદુત્પત્તિ એકે સંબંધ ઘટતો નથી. તે આ પ્રમાણે – (૧) તેઓ બંને એકકાળે રહેનાર હોવાથી, ગોવિષાણકયની જેમ પરસ્પર તેઓ ઉપકાર્ય-ઉપકારકભાવથી રહિત છે અને તો તે બેનો તદુત્પત્તિ સંબંધ શી રીતે ઘટે ? અને (૨) અર્થ જડરૂપ અને સંવેદન ચેતનરૂપ-એમ બંને વિલક્ષણ હોવાથી, તે બેનું તાદાભ્ય તો સુતરો ન ઘટે અને તો સંબંધ વિના તે બેનો ગ્રાહ્ય-ગ્રાહકભાવ પણ શી રીતે ઘટે ? (વાસ્તવમાં તો તમે ભૂલથી જ આવું બોલી ગયા છો કે, સમાનકાલીન અર્થ-જ્ઞાનનો ગ્રાહ્યગ્રાહકભાવ છે, બાકી હકીકતમાં તમારો આવો મત છે જ નહીં. તમે તો પૂર્વેક્ષણે વિષયની અને ઉત્તરક્ષણે જ્ઞાનની ઉત્પત્તિ માનો છો, એટલે તમે તો ગ્રાહ્ય-ગ્રાહકરૂપ અર્થ-જ્ઞાનને પૂર્વાપરકાલીન માનો છો, સમાનકાલીન નહીં.) હવે આ પ્રસંગથી સર્યું. આ વિશે અમારા સંપ્રદાયગત સિદ્ધસેન દિવાકરસૂરિ આદિ વિદ્વાનોએ વિસ્તાર કર્યો છે જ. स्मरणाद्यसम्भवस्तु प्रतिक्षणनिरन्वयेन नश्वरत्वे सति वस्तुनः सुभाव्य एव । नह्यन्येनान्यस्मिन्ननुभूतेऽन्यस्यान्योपलब्धौ स्मरणप्रत्यभिज्ञादयो युज्यत इति । एवम्, ऐहिकसकललोकसंव्यवहाराभावः, इति स्थितम् ।। – પ્રવેશરશ્મિ – ભાવાર્થઃ વસ્તુને પ્રતિક્ષણ નિરન્વય નશ્વર માનવામાં સ્મરણાદિનો અસંભવ તો સુખેથી સમજી શકાય એમ છે. અન્ય વડે અન્ય અનુભવાય અને અન્યને અન્યની ઉપલબ્ધિ થાય, તો સ્મરણ-પ્રત્યભિજ્ઞા આદિ સંગત થાય નહીં, આમ ઐહિક સકળ લોકવ્યવહારનો અભાવ છે, એમ સ્થિત થયું. વિવેચનઃ જો વસ્તુને પ્રતિક્ષણ નિરન્વય નશ્વર માનો, તો સ્મરણ-પ્રત્યભિજ્ઞાનાદિ ન જ ઘટે, એ વાત તો સુગમ્ય જ છે, તે આ પ્રમાણે – જે પ્રમાતાએ જે વસ્તુ જોઈ હોય, તે પ્રમાતાને તે વસ્તુની ઉપલબ્ધિ થાય ત્યારે “આ તો મેં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240