Book Title: Anekantvada pravesh
Author(s): Bhavyasundarvijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 192
________________ गुर्जरविवेचनसमन्वितः १६१ -: પ્રવેશરશ્મિ : ભાવાર્થ : બૌદ્ધ : વિશિષ્ટ જ્ઞાન જ તેની વ્યવસ્થા કરનારું માનીએ તો ? સ્યાદ્વાદી : ના, કારણ કે કારણવિજ્ઞાનરૂપ બોધના અન્વય વિના કાર્યવિજ્ઞાનની વિશિષ્ટતા ન થઈ શકે; કેમ કે તેમાં અતિપ્રસંગ આવે, તેની જેમ બીજાની પણ વિશિષ્ટતા થવાની આપત્તિ આવે. વિવેચન : બૌદ્ધ ઃ વર્તમાનકાલીન વિજ્ઞાન જ તેવું વિશિષ્ટ માની લઈએ, કે જેથી તે જ અનંતરઅતીત વિષયાકારની વ્યવસ્થા કરી દે. (પછી તો તેનો અવગમ થઈ જશે ને ?) સ્યાદ્વાદી : પણ વાસ્તવમાં કારણવિજ્ઞાનરૂપ બોધના અન્વય વિના, કાર્યવિજ્ઞાન વિશિષ્ટ જ ન બને, નહીંતર તો તેનાથી બીજા વિજ્ઞાનો પણ વિશિષ્ટ માનવાનો પ્રસંગ આવે. ન તાત્પર્ય એ કે, કાર્યવિજ્ઞાનની વિશિષ્ટતા માનવા, કારણવિજ્ઞાનનો તેમાં અન્વય-અનુગમ માનવો પડે (નહીંતર તો બીજા જ્ઞાનોની જેમ તેમાં પણ વિશિષ્ટતા ન આવે અથવા તો તેની જેમ બીજા જ્ઞાનોમાં પણ વિશિષ્ટતા આવે.) હવે તમારા મતે તો કારણવિજ્ઞાન સર્વથા ક્ષણિક છે અને તો તે નિરન્વય નષ્ટ થઈ જાય છે અને તેના પછી જ કાર્યવિજ્ઞાન ઉત્પન્ન થાય છે, તો તે કાર્યવિજ્ઞાનમાં વિશિષ્ટતા કોના થકી આવે ? અને વિશિષ્ટતા ન આવે, તો તે વિશિષ્ટ બનીને અતીત વિષયાકારનું અનુમાન પણ શી રીતે કરે ? (એટલે તમારા મતે, અતીત-વિષયાકારનો અવગમ કથપિ સંગત નથી.) સાર ઃ આમ, અતીત-વિષયાકારનો અવગમ સંગત નથી અને તેથી તે અર્થ, પોતાના આકારનું જ્ઞાનમાં અર્પણ કરે છે – એવું પણ નિશ્ચિત ન થાય. એટલે અર્થની આકાર-અર્પણતા અનિશ્ચિત જ રહે. (હવે બૌદ્ધ, ક્ષણિકમતે ગ્રાહ્ય-ગ્રાહકભાવ સંગત કરવા, એક નૂતન વક્તવ્ય રજૂ કરે છે. તેનું પણ ગ્રંથકારશ્રી નિરાકરણ કરશે.) * स्यादेतत्-समानकालयोरेव ग्राह्यग्राहकभावः; तथाहि - स्वहेतुभ्य एव तद्विज्ञानं विशिष्टसमानकालभाविभावग्राहकस्वभावम्, भावोऽपि तद्ग्राह्यस्वभाव एवोत्पद्यते; इति यथोक्तदोषानुपपत्तिः । न, तयोस्तादात्म्यतदुत्पत्त्यनुपपत्तेः प्रतिबन्धाभावात् । इत्यलं प्रसङ्गेन, विजृम्भितमेवाऽत्रास्मत्स्वयूथ्यैः; इति ॥ -- પ્રવેશરશ્મિ : ભાવાર્થ : બૌદ્ધ : સમાનકાળભાવી વસ્તુઓનો જ ગ્રાહ્ય-ગ્રાહકભાવ છે. તે આમ - પોતાના હેતુથી જ તે વિજ્ઞાન, વિશિષ્ટ સમાનકાળભાવી ભાવને ગ્રહણ કરવાના સ્વભાવવાળું છે અને ભાવ પણ તેનાથી ગ્રાહ્યસ્વભાવવાળો જ ઉત્પન્ન થાય છે. એટલે યથોક્ત દોષની અનુપપત્તિ છે. સ્યાદ્વાદી : ના, તે બેનો તાદાત્મ્ય અને તદુત્પત્તિ અનુપપન્ન હોવાથી, તેના પ્રતિબંધનો અભાવ છે. હવે આ પ્રસંગથી સર્યું, આ વિશે અમારા સ્વયૂથ્યોએ (પૂર્વાચાર્યોએ) વિસ્તાર કર્યો છે જ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240