Book Title: Anekantvada pravesh
Author(s): Bhavyasundarvijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 170
________________ गुर्जरविवेचनसमन्वितः १३९ उत्पन्ने वा ? विनष्टे वा ? इति विकल्पाः । न तावदनुत्पन्ने, असत्त्वात् । नाप्युत्पन्ने, तस्योत्पादसमनन्तरमेव विगमात्ः क्षणस्थितिधर्मणि च सङ्केतस्य कर्तुमशक्यत्वात् । नापि विनष्टे, विनष्टस्यासत्त्वात् । – પ્રવેશરશ્મિ – ભાવાર્થ અને જે કહ્યું હતું કે – “સંકેતવશે શબ્દથી પ્રવૃત્તિ થાય અને સંકેત વિકલ્પ સિવાય અન્યત્ર કરવો શક્ય નથી.” એ પણ અણઘટતું છે, કેમ કે વિકલ્પમાં પણ સંકેત કરવો શક્ય નથી, કેમ કે તે પણ ઉત્પત્તિ પછી નાશ પામે છે. તે આમ - તેમાં પણ સંકેતવિધિ અનુત્પનમાં કરાય? ઉત્પનમાં? કે વિનષ્ટમાં? એ વિકલ્પો છે. અનુત્યન તો અસતું હોવાથી તેમાં ન કરાય, ઉત્પન્ન પણ ન કરાય; કેમ કે તે તો ઉત્પન્ન થયા પછી તરત નાશ પામે છે અને ક્ષણસ્થિતિકમાં સંકેત કરવો શક્ય નથી અને વિનષ્ટમાં પણ ન કરાય, કારણ કે વિનષ્ટ વસ્તુ તો અસત્ છે. ૦ વિકલ્પમાં પણ સંકેતની અશક્યતા છે. વિવેચનઃ પૂર્વપક્ષમાં તમે જે કહ્યું હતું કે – “ઘટ વગેરે શબ્દોનો સંકેત વસ્તુમાં કરવો તો શક્ય નથી, કારણ કે સ્વલક્ષણરૂપ વસ્તુ તો અનંત હોવાથી તેમાં સંકેત સંભવિત જ નથી. એટલે વિકલ્પમાં જ સંકેત માનવો રહ્યો” - તે બધું કથન પણ ઘટતું નથી, કારણ કે સંકેત તો વિકલ્પમાં પણ કરવો શક્ય નથી. તેનું કારણ એ કે, વિકલ્પ પણ સ્વલક્ષણરૂપ – ક્ષણિક હોઈ તે પણ ઉત્પત્તિ પછી વિનાશ પામે છે. હવે વિકલ્પમાં સંકેત કેમ ન થાય ? તે વિકલ્પોથી વિચારીએ – તમે કેવા સ્વલક્ષણરૂપ વિકલ્પમાં સંકેત કરો છો ? (૧) અનુત્પન્ન, (૨) ઉત્પન્ન, કે (૩) વિનષ્ટ ? (૧) અનુત્પન્ન વિકલ્પમાં તો સંકેત થઈ જ ન શકે, કારણ કે તે તો અનુત્પન્ન હોવાથી ખપુષ્પની જેમ અસત્ છે (અને અસમાં સંકેત ન થાય.) (૨) ઉત્પન્ન વિકલ્પમાં પણ સંકેત ન થાય, કારણ કે તેનો તો ઉત્પાદ પછી તરત જ નાશ થાય છે (અર્થાત્ તેનું માત્ર ક્ષણ પૂરતું અસ્તિત્વ છે) અને ક્ષણસ્થિતિધર્મવાળી વસ્તુમાં તો સંકેત કરવો શક્ય નથી. (તેનું કારણ એ કે, સંકેતકાળ જ અનેક સમયનો છે, તે માટે વસ્તુને પણ અનેક ક્ષણસ્થાયી માનવી પડે. આશયઃ “યં પટપદ્રવીષ્ય:' એવું બોલવામાં પણ અસંખ્ય સમય વીતી જાય છે. એટલે ક્ષણસ્થિતિક વસ્તુમાં સંકેત થાય નહીં.) (૩) નષ્ટ વિકલ્પમાં પણ સંકેત ન મનાય, કારણ કે તે પણ વિનષ્ટ હોવાથી ખપુષ્પની જેમ અસત્ છે (અને અસતમાં સંકેત ન થાય.) - આમ ત્રણે વિકલ્પોથી, વિકલ્પમાં પણ સંકેત નથી જ થતો, એવું સ્પષ્ટ જણાઈ આવે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240