Book Title: Agam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 50
________________ 48 જીવાજીવાભિગમ-૩ર્નિ- 13 હજાર યોજનાનું છે. ઘનોદધિ પૃથ્વીનો જે નીચેનો ચરમાં છે, તે એક લાખ બાવન હજાર યોજનની અંતરે છે તનુવાતવલયના નીચેના ચરમાન્ત સુધી અને અવકાશાન્તરની નીચેના ચરમાંત સુધી અસંખ્યાત લાખ યોજનાનું અંતરાલ છે. આ પ્રમાણે અધસતમી સુધી સમજી લેવું આ સંબંધમાં અંતર ફેરફાર એ છે કે જે પૃથ્વીનું જેટલું બાહલ્ય કહેલ છે, તેમાં ઘનોદધિનું બાહલ્ય પોતપોતાની બુદ્ધીથી મેળવી લેવું જોઈએ. [4] હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વી બીજી શર્કરા પ્રભા પૃથ્વીનો આશ્રય કરીને પહોળાઈમાં શું બરોબર છે? અથવા વિશેષાધિક અથવા સંખ્યાતગણી વધારે છે ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વી બીજી પૃથ્વી કરતાં વિસ્તારમાં પણ બરોબર નથી. પરંતુ તે વિશેષ હીનજ છે. તેથી તે સંખ્યાત ગુણહીન નથી. ત્રીજી વાલુકા પ્રભા પૃથ્વી કરતાં બીજી શકરપ્રભા પૃથ્વી બરોબર નથી. પરંતુ વિશેષાધિક છે. બીજી પૃથ્વીની પહોળાઈ ત્રીજી પૃથ્વી કરતાં સંખ્યાતગણી નથી. એ જ પ્રમાણે ચોથી પૃથ્વી કરતાં ત્રીજી, પાંચમી પથ્વી કરતા ચોથી છઠી પૃથ્વી કરતાં પાંચમી અને સાતમી પૃથ્વી કરતાં છઠી પૃથ્વી વિશેષાધિક જ છે. તુલ્ય અથવા સંખ્યાત ગુણાધિક નથી. પ્રતિપત્તિ ૩-નૈરયિકાઉસો-૧-નીદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ! (પ્રતિપત્તિઃ 3 નૈરથિક-ઉદેસોઃ 2). [૫]હે ભગવનું પૃથ્વીયો કેટલી કહેવામાં આવી છે? હે ગૌતમ! પૃથ્વીયો સાત જ કહેવામાં આવેલ છે. એક લાખ એંસી હજાર યોજનની પહોળાઈવાળી આ રત્નપ્રભા પૃથ્વીના ઉપરના એક હજાર યોજનને છોડીને અને નીચેમાં પણ એક હજાર યોજનને છોડીને એક લાખ અઠયોતેર હજાર યોજનમાં રત્નપ્રભા પૃથ્વીના નારકોને યોગ્ય ત્રીસ લાખ નરકવાસ છે, આ નરકવાસો મધ્યમાં ગોળ છે. અને બહારના ભાગમાં ચાર ખુણાના આકાર વાળા છે. યાવતું નીચેના ભાગમાં આ નરકાવાસો -છરા આ જેવા તીર્ણ આકારવાળા છે. આ પ્રમાણે બાકીની સઘળી પૃથ્વીયોના સંબંધમાં સમજી લેવું અધસપ્તમી પૃથ્વીના એક લાખ આઠ હજાર યોજનના બાહલ્યમાંથી સાડા બાવન હજાર ઉપરના ભાગને અને એટલા જ નીચેના ભાગને છોડીને વચલા ત્રણ હજાર યોજનના પોલાણમાં પાંચ મહાનરકાવાસો છે. [9] હે ભગવનું આ રત્નપ્રભા પૃથ્વીના નરકો કેવા સંસ્થાનવાળા કહ્યા છે ? પહેલી પૃથ્વીમાં જે નરકો છે, તે બે પ્રકારના કહેવામાં આવેલ છે. આવલિકા પ્રવિષ્ટ આવલિકા બાહ્ય. તેમાં જે આવલિકા પ્રવિણ નરક છે. તે ત્રણ પ્રકારના વૃત-ટ્યઅ અને ચતુરસ્ત્ર છે. તેમાં જે આવલિકા પ્રવિષ્ટથી જુદા એટલે કે બાહ્ય નારકાવાસી છે. તે અનેક પ્રકારના આકારોવાળા છે. કેટલાક લોખંડ ના કોષ્ઠના જેવા આકારવાળા છે કેટલાક મદિરા દારૂ બનાવવા માટે જેમાં લોટ વિગેરે રાંધવામાં આવે છે. તે વાસણના જેવા આકારના હોય છે. કેટલાક કન્દુ જેવા આકાર વાળા હોય છે. કેટલાક લોઢી તવાના જેવા આકારવાળા કેટલાક કવૈયાના જેવા આકારવાળા હોય છે. કેટલાક ભાત બનાવવાના વાસણના આકાર જેવા આકારવાળા હોય છે, કર્ણપટકના જેવા આકાર વાળા હોય છે કેટલાક-ઝુંપડી જેવા આકાર હોય છે. કેટલાકમૃદંગનંદી મૃદંગનાઆલિંજર સુઘોષ દર્દર નામના પણવ પટહ ભેરીનામના વાઘવિશેષના જેવા આકારવાળા જે પ્રમાણે રત્નપ્રભા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187