Book Title: Agam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 181
________________ 179 પ્રતિપત્તિ-૧૦, સવજીવ-૫ વધારે કંઈક વધારે 66 છાસઠ સાગરોપમ પર્યન્ત રહે છે. મનઃ પર્યવજ્ઞાનીનો કાયથિ તિનો કાળ જઘન્યથી એક સમયનો છે. ઉત્કૃષ્ટ કાળ કંઈક ઓછા પૂર્વ કોટિનો છે. કેવળજ્ઞાની સાદિ અપર્યવસિત કહેવામાં આવેલ છે. અજ્ઞાનીયો ત્રણ પ્રકારના કહેવામાં આવેલ છે. એક અનાદિ અપર્યવસિતઅજ્ઞાની અને બીજા અનાદિ સપર્યવ સિત અજ્ઞાની તથા ત્રીજો સાદિ સપર્યવસિત અજ્ઞાની તેમાં જે અજ્ઞાની સમય વસિત છે. તે ઓછામાં ઓછા એક અંતર્મુહૂર્ત પર્યન્ત એ સ્થિતિમાં રહે છે. વધારેમાં વધારે તે અનંતકાળ પર્યન્ત અજ્ઞાનીપણાથી રહે. અભિનિબોધિક જ્ઞાનીનું આભિનિ બોધિક જ્ઞાન છૂટી જવાથી ફરીથી તેને પ્રાપ્ત કરવામાં ઓછામાં ઓછું એક અંતર્મુહૂર્તનું અંતર થાય છે. અને વધારેમાં વધારે અનંતકાળનું અંતર થાય છે. એ જ પ્રમાણે શ્રુતજ્ઞાની જાણવા મનઃ પર્યવજ્ઞાની મન:પર્યવજ્ઞાન છૂટી ગયા પછી ફરીથી તે જો મન:પર્યવજ્ઞાન પ્રાપ્ત કરે તો તેને તેની ફરીથી પ્રાપ્તિ કરવામાં જઘન્યથી એક અંતર્મુહૂર્તનું અંતર થાય છે. અને ઉત્કૃષ્ટથી અનંત કાળનું અંતર થાય છે. વિપુલમતિના માર્યવજ્ઞાનનો પ્રતિપાત થતો નથી. કેવળજ્ઞાન વાળાને અંતર હોતું નથી. અજ્ઞાની જીવ એક અનાદિ અપર્ય વસિત, બીજા અનાદિ સપર્યવસિત અજ્ઞાની અને ત્રીજ સાદિ સપર્યવસિત અજ્ઞાની. તેમાં જે અનાદિ અપર્યવસિત અજ્ઞાની તેને અંતર આવતું જ નથી. બીજા જે અજ્ઞાની જીવ છે. તેનું અજ્ઞાન સપર્યવસિત હોવાથી ફરીથી તેની પ્રાપ્તિ તેને થતી નથી. સાદી સપર્યવસિત જીવને ફરીથી અજ્ઞાની થવામાં ઓછામાં ઓછું એક અંતર્મુહૂર્તનું અંતર હોય. સૌથી ઓછા મન:પર્યવજ્ઞાની તેના કરતાં અવધિજ્ઞાન વાળા જીવો અસંખ્યાત ગણા વધારે છે. અવધિજ્ઞાનીના કરતાં આમિનિબોધિકજ્ઞાની અને શ્રુતજ્ઞાની વિશે યાધિક છે. તેના કરતાં કેવળજ્ઞાની અનંતગણા વધારે છે. અથવા આ રીતે પણ સઘળા જીવો છ પ્રકારના કહેવામાં આવેલા એકેન્દ્રિય, બેઈન્દ્રિ, તે ઈન્દ્રિય ચૌઈન્દ્રિય, પંચેન્દ્રિય અને અનીન્દ્રિય, આ પંચેન્દ્રિયવાળા જે જીવો છે. તે સૌથી અલ્પ છે. તેના કરતાં ચાર ઈન્દ્રિય વાળા જીવો વિશેષાધિક તેના કરતાં ત્રણ ઈદ્રિયવાળા જીવો વિશેષાધિક છે. અને તેના કરતાં બેઈદ્રિયવાળા જીવો વિશેષાધિક છે. તેના કરતાં જે એકેન્દ્રિય જીવ છે તે અનંતગણા વધારે છે. અને તેના કરતાં પણ જેઅનીન્દ્રિય જીવ છે તેઓ અનંતગણા વધારે અથવા આરીતે પણ સઘળા જીવો છ પ્રકારના કહેવામાં આવેલ છે. ઔદારિક શરીરી, વૈક્રિયશરીરી, આહારશરીર, તૈજસશરીરી, કાર્મણ શરીરી અને અશરીરી, ઔદારિક શરીર વાળાની કાયસ્થિતિનો કાળ જઘન્યથી બે સમય કમ ક્ષુલ્લક ભવગ્રહણ રૂપ છે. અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતકાળ પ્રમાણ છે. વૈક્રિયશરીર વાળાઓની કાયસ્થિ તિનો કાળ જઘન્યથી તો એક સમયનો હોય છે. અને ઉત્કૃષ્ટથી એક અંતર્મુહૂર્ત આધિક 33 સાગરોપમની હોય છે. આહારક શરીરવાળાઓની કાયસ્થિતિનો કાળ જઘન્યથી એક અંતર્મુહૂર્તનો છે.અને ઉત્કૃષ્ટથી પણ એકજ અંતર્મુહૂર્તનો છે. તૈજસશરીર વાળા બે પ્રકારના કહેવામાં આવેલ છે. એક અનાદિ અપર્યવસિત તેજસશરીરી અને બીજા અનાદિ સપર્યવસિત તેજસશરીરી. તેમાં જે અનાદિ અપર્યવસિત તૈજસશરીરી છે, તેમની મુક્તિ કોઈ પણ સમયે થતી નથી. એજ પ્રમાણે કાર્પણ શરીર વાળા પણ બે પ્રકારના હોય છે. જે અનાદિ સર્યવસિત કામણ શરીર વાળા હોય છે. તેની મુક્તિ કોઈ પણ સમયે થતી નથી, અશરીરી જીવ સાદિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 179 180 181 182 183 184 185 186 187