Book Title: Agam 09 Ang 09 Anuttaropapatik Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઉપાદ્યાત
અનુત્તર ઉપપાતિકસૂત્ર જૈન આગમનું નવમું સૂત્ર છે. બીજા સત્રમાં તેને ઉલ્લેખ છે તે ઉપરથી એવું ફલિત થઈ શકે પુરાણું અનુત્તર ઉપપાતિક સૂત્ર વધારે વિસ્તારવાળું હશે, જેનું સંસ્કરણ વર્તમાન સૂત્ર છે. એ સંસ્કરણમાં જે દષ્ટિ રહેલી છે તે હમણાં જ સ્પષ્ટ થઈ જશે.
શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ પિતાના “જેન સાહિત્યના સંક્ષિપ્ત ઈતિહાસ”માં તે એટલે સુધી કહે છે કે પ્રથમ આ સૂત્રમાં દસ અધ્યયને હશે.
જેન આગમનાં કઈ કઈ સૂત્ર, જેમકે દશવૈકાલિક, કેવળ પઘાત્મક છે, જ્યારે કેટલાંક સૂત્ર, જેમકે આચારાંગ, ગદ્ય-પદ્યાત્મક છે, ગદ્યને ભાગ તેમાં બહુલ છે, પઘને ભાગ ઘણે એ છે કે, જ્યારે આ અનુત્તર ઉપપાતિક સૂત્ર, વિપાક સૂત્ર તથા અંતકૃત સૂત્રની માફક કેવળ ગદ્યાત્મક છે. એ ત્રણેય સૂત્રો અતિ ટૂંકાં સૂત્રો છે, અને તેમના પાઠે પણ અતિ ટૂંકા અને સરળ છે, જે કારણે અભયદેવ સૂરીની એ ત્રણેયની સંસ્કૃત ટીકાઓ વિસ્તૃત નહિ, પણ માત્ર ગહન શબ્દનાં અને ગહન રચનાનાં સ્પષ્ટીકરણરૂપે છે. પૂજ્યપાદ ઘાસીલાલજીની ટીકાઓ, ત્રણેય માટે, વિસ્તૃત રૂપમાં અને સ્પષ્ટપણે, આપવામાં આવી છે તે માટે વાચક તેમને અવશ્ય ધન્યવાદ આપશે, વિશેષત, અનુવાદમાં શ્રીમદ્દ મહાવીર પ્રભુની દેશનાને તેમને વિસ્તાર અતિ આલાદક અને ગંભીર છે. આ ત્રણેય સૂત્રે, ધર્મકથાનાં સ્ફોટક સૂત્રો છે. તેમાં નરી ધર્મકથાઓ છે. ભગવતી આદિ સૂત્રમાં તે ફિલસુફી મળે છે, પણ અહીં એકદમ ધર્મકથાનુયેગને આશ્રય લેવામાં આવ્યું છે. અનુત્તર સૂત્રમાં જે મહાત્માઓનાં ચરિતે આપવામાં આવ્યાં છે તે મહાત્માએને મહાવીરના અંતેવાસીઓ કહેવામાં આવ્યા છે, એટલે કે તેઓ મહાવીર પાસે રહેતા હતા, તેમની પાસે તેમણે દષ્ટિવાદ વગેરેને અભ્યાસ કર્યો હતે, અને તેમની દેશનાથી તેઓ તીવ્ર તપ કરવા પ્રેરિત થયા હતા. મહાવીરે ગૌતમસ્વામીના પ્રશ્નના ઉત્તરમાં તેમને એકાવતારી જીવે તરીકે વર્ણવ્યા છે. બધા વૃત્તાંતે મહાવીરના જીવન દરમિયાન અને તેમની હાજરીમાં બન્યા હતા. તે વૃત્તાંતની પ્રજ્ઞપ્તિ પણ તેમણે જ કરી હતી, એ હેતુથી કે એ ચરિતે ચતુર્વિધ સંઘને દષ્ટાંતરૂપ થઈ શકે. આ સૂત્ર પ્રજ્ઞપ્તિ મહાવીરે સ્થાપિત કરેલા ચતુવિધ સંઘના વ્યવહારમાં અંતર્ગત થઈ જાય છે.
શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર