Page #1
--------------------------------------------------------------------------
________________ नमो नमो निम्मल देसणस्स આગમદીપ = 45 આગમ ગુજેર છાયાઃ ज्योतिषाचार्य राज श्री जयप्रभविजयजी 'श्रमण श्री मोहनखेडा तीर्थ પોસ્ટ : રાd*Iઢ (ધર) પિન : 454 116 (મ.પ્ર.) D આગમ:- 1 થી 4 આયારો - સૂયગડો - ઠાણું - સમવાઓ 1 -: ગુર્જર છાયા કર્તા :મુનિ દીપરત્ન-સાગર
Page #2
--------------------------------------------------------------------------
________________ - બાલ લાલાચારી શ્રી નેમિનાથાય નમઃ - नमो नमो निम्मल दंसणस्स શ્રીં પાવતી કે નમઃ શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમઃ છે. આગમ-દીપ LABE વિભાગ પહેલો આગમ-૧ થી 4- ગુર્જરછાયા આયારો-સૂયગડો-ઠાણ-સમવાઓ - ગુર્જર છાયા કર્તામુનિ દીપરત્નસાગર f isit તા. 31/397 સોમવાર ૨૦પ૩ ફા. વ. 7 - - 45 આગમ - ગુર્જર છાયાનું મૂલ્ય રૂ. 2000/ આગમ દીપ પ્રકાશન ક
Page #3
--------------------------------------------------------------------------
________________ ॐ ह्रीं अहं श्री पार्श्वनाथाय नमः __ॐ नमो अभिनव नाणस्स (મુદ્રક) નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ઘીકાંટા રોડ, અમદાવાદ (કમ્પોઝ) શ્રી ગ્રાફિકસ 21, સુભાષનગર, ગિરધરનગર, શાહિબાગ, અમદાવાદ. - આ આગમદીપ-સંપુટના મુખ્ય દ્રવ્ય સહાયક - શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ-પરિવાર વડોદરા | * 45 આગમીપ-ગુર્જર છાયા - પ્રાપ્તિ સ્થાન | શ્રી ડી.કે. ઠક્કર શ્રી જગદીશભાઈ એમ. શાહ 16, અલકાનગર, પ્રિયલક્ષ્મી મિલ્સ પાસે 1, અલકનંદા સોસાયટી, આઝદ સ્વીટ એલેમ્બિક રોડ, વડોદરા. સામે, આશ્રમરોડ, વાડજ, અમદાવાદ. શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ | ડૉ. પિનાકીન એન. શાહ 20, ગૌતમનગર સોસાયટી, 21, સુભાષનગર, ગિરધરનગર, રેસકોર્સ સર્કલ પાસે, વડોદરા શાહીબાગ, અમદાવાદ, નોંધ:- 45 આગમ - “ગુર્જર છાયા” માટે માન રીત પ્રકાશન અમદાવાદનો. રૂ. ૨૦૦૦/-ની કિંમતનો ડ્રાફ્ટ આપીને જ સેટ મેળવી શકાશે.
Page #4
--------------------------------------------------------------------------
________________ કમ (3) ઉત્તરઝરણું - ચોથુ મૂળસૂત્ર - ગુર્જરછાયા ) વિષય અનુકમ | પૃષ્ઠ ક ] વિનય શ્રુત 1-48 | 184-187 પરિષહ વિભક્તિ 49-95 | 187-190 ચાતુરંગીય 26-115 | 190-191 )
Page #5
--------------------------------------------------------------------------
________________ અનુમા પૃષ્ઠક 116-128 ! 191-192 129-10 5 192-194 161-178 5 194-195 179-208 { 195-17 209-228 197-198 229-290. 198-201 291327 201-202 ૩૨૨૩પ૯ 203-204 36-406 204207 407-441 | 42-494 | 209-212 45-510. 212-2013 ને વિષય અસંખ્ય અકામ મરણ ક્ષુલ્લક નિગ્રંથીય ઉરભિજ્જ કાપિલિય નમિપ્રવજ્યા 10| દુમપત્રક બહુશ્રુતપૂજા. હરિકેશી ચિત્ર-સંભૂતિ ઈષકારીય તેભિક્ષુ બ્રહ્મચર્યસમાધિસ્થાન પાપશ્રમણ 18| સંવત [19] મૃગાપુત્ર મહાનિગ્રંથ 21] સુમુદ્રપાલીત 22 | રથનેમિ 23| કેસી–ગૌતમ ૨૪પ્રવચનમાતા 25. યશીય 26 સામાચારી 27. ખલુંકીય 28 મોક્ષમાર્ગગતિ 29 | સમ્યકત્વપરાક્રમ 17 પ૧૧-૫-૩૯ | 213-216 પ૩૯-સ્પપટT. 21-217 50-613 | 217-219 614-712 219-224 ર0 713772 1 224-226 773-796 ] 22-228 797-846 | 228-230 ૮૪૭-૩પ | 23-234 ૯૩૬-૯૬ર | 234-235 963-1006 ] ૨૩પ-૨૩૭ 1007-1058 | 237-240 ૧૦પ૯-૧૦૭પ | 24-241 1076-1111 | 241-243 1112-1188 | 243-250
Page #6
--------------------------------------------------------------------------
________________ અનકમ | પ્રોક | 118981225 | 25-258 | 1226-1246 | ૨પર વિષય 30 તપમાર્ગમતિ 31. ચરણવિધિ 32. પ્રમાદ સ્થાન 33| કર્મપ્રકૃતિ 34] શ્યાઅધ્યયન અણાગારમાર્ગગતિ 3| જીવાજીવવિભક્ત. ૧૨૪૭-૧૩પ૭ : 25-259 ૧૩પ૮-૧૩૮૨ ૨પ૯-૨૬૦ 1383-1443 / 200-23 1444-1464 | 23-244 1465-1471 | 264-273 ૩પI.
Page #7
--------------------------------------------------------------------------
________________ (આર્થિક અનુદાતા) 1 / આગમ-દીપ-સંપુટના મુખ્ય દ્રવ્યસહાયકો ભાગ - 1 સભ્ય શ્રુતાનુરાગ શ્રમણોપાસિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ પરિવાર, વડોદરા ભાગ - 2 રત્નત્રયારાધકો સાધ્વીશ્રી સૌમ્યગુણાશ્રીજીની પ્રેરણાથી પૂ. ગુરુમાતા રત્નત્રયાશ્રીજી મ.સા.ની તૃતીય પુન્યતિથિ નિમિત્તે શાંતાબેન મનસુખલાલ બાબરીયા, અમદાવાદ (2) શાંતાબેન શાંતિલાલ પી. દામાણી, મુંબઈ (3) મંજુલાબેન ગુણવંતલાલ વોરા. હનીતીનભાઈ, અમદાવાદ ભાગ-૩ સ્વનામધન્યા સાધ્વીશ્રી સૌમ્યગુણાશ્રીજીના શિષ્યા! તપસ્વીરત્ના સાધ્વી શ્રી.સમજ્ઞાશ્રીજીના ભદ્રતપનિમિત્તે ? તથા સંવત ૨૦૫રના ચાતુર્માસની સ્મૃતિમાં શ્રીશંખેશ્વરપાર્શ્વનાથ જૈનસંઘ, તુલશીશયામ, નવાવાડજ અમદાવાદ.. - - - -------- - ----- -- ભાગ-૪ (1) શ્રી ખાનપુર જૈન ચે. મૂ, સંઘ, અમદાવાદ (2) શ્રી ગગન વિહાર એ. મૂ.જૈન દે. ટ્રસ્ટ, અમદાવાદ ભાગ-૫ શ્રી ભીડભંજન પાર્શ્વનાથ છે.મૂર્તિ. સંઘ, પારૂલનગર શોલારોડ, અમદાવાદ સમ્યગુ ઋતાનુરાગી શ્રમણોપાસિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ પરિવાર, વડોદરા ભાગ-૭ - - - - - - ભાગ 6 તથા ܬܬܪܬܝܟܕܚܬܫܪܬܚܐܘܠܫܬܕܚܚܫܘܟܬܚܟܠܣܥܢ
Page #8
--------------------------------------------------------------------------
________________ કિોઈ એક આગમના મુખ્ય દ્રવ્ય સહાયક I]]ID]bIIIIIIIIII IIIIIIIIIIIIIIItality (1) આયારો (2) સૂયગડો વ્યાખ્યાન વાચસ્પતિ પ.પૂ.આ. દેવશ્રી મહાયશ સાગરસૂરીશ્વરજી મ.સા.ની પુનિત પ્રેરણાથી શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જૈન જે.મૂર્તિ. સંઘ, ગોદાવરીનગર, વાસણા, અમદાવાદ (1) ઠાણે (2) સમવાઓ ક્રિયાનુરાગી સ્વ.શ્રી રત્નત્રયાશ્રીજી મ.ની તૃતીય પુન્યતિથિ નિમિત્તે તેમના શિષ્યરત્ના તપસ્વીની સા. શ્રી મોરના શ્રીજી ની પ્રેરણાથી શાહ ખીમચંદ છગનલાલ પરિવારખેરવાવાળા, હસ્ત મંજુલાબેન (1) જંબુદ્વિવપન્નતિ (2) સૂરપન્નતિ અ.સૌ. સુમિત્રાબેન હસમુખભાઈ સંઘવી, ઇન્દ્રોડાવાળા. ચંદુબેન કેશવલાલ હરગોવનદાસ વારૈયા પરિવાર(૨) મહાનિસીહ કોરડાવાળા. (1) નાયાધમ્મકહા - મૃદુભાષી સાધ્વી થી સૌમ્યગુણાશ્રીજીની પ્રેરણાથી ડો. પ્રદીપકુમાર રસિકલાલ કામદાર હસ્તે પ્રશાબેન પ્રદીપકુમાર કામદાર, કલકતા (1) પહાવાગરસં:- સ્વ.પૂ.આગમોતારકશ્રી આનંદસાગર સૂરીશ્વરજી મ.સા. ના આજ્ઞાવર્તી સ્વ. પૂ. પાલતાશ્રીજી તથા સ્વ. પૂ. મયાશ્રી ની સ્મૃતિ નિમિત્તે શતાવધાની સા.શ્રી અમિતગુણાશ્રીજીની પ્રેરણાથી શેઠ શ્રી ઘેલાભાઈ કરમચંદ ટ્રસ્ટ, પાલ વેસ્ટ મુંબઈ (1) વિવારસુયં - કાર્યદક્ષા સા. પૂ. મલયાશ્રીજી મ.ના પ્રશિષ્યા, સા. ભવ્યાનંદશ્રીજીના શિ. મીલનસાર. સા.પૂણપ્રાશ્રીજી તથા કોકીલકઠી સાકરધ્ધાશ્રીજીની પ્રેરણાથી- મેહુલજેન ઉપાશ્રય. જ્ઞાનખાનું શેષ રકમ આગમ સુરાણિ ના સેટના બદલામાં મળી છે.
Page #9
--------------------------------------------------------------------------
________________ 522222 [10] [11] [12] [13] - અ-મા-રા - પ્રકાશનો :अभिनव हेम लघुप्रक्रिया - 1 - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 2 - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 3 - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 4 - सप्ताह विवरणम् कृदन्तमाला चैत्यवन्दन पर्वमाला चैत्यवन्दन सङ्ग्रह - तीर्यजिनविशेष चैत्यवन्दन चोविशी शत्रुञ्जय भक्ति आवृत्ति-दो अभिनव जैन पञ्चाङ्ग - 2046 અભિનવ ઉપદેશ પ્રાસાદ - 1. શ્રાવક કર્તવ્ય - 1 થી 11 અભિનવ ઉપદેશ પ્રાસાદ - 2. શ્રાવક કર્તવ્ય - 12 થી 15 અભિનવ ઉપદેશ પ્રાસાદ - 3. શ્રાવક કર્તવ્ય - 16 થી 36 નવપદ - શ્રીપાલ (શાશ્વતી ઓળીના વ્યાખ્યાન રૂપે) સમાધિ મરણ [વિધિ - સૂત્ર - પદ્ય - આરાધના -મરણભેદ સંગ્રહ] ચૈત્યવંદન માળા [779 ચૈત્યવંદનોનો સંગ્રહ તત્ત્વાર્થ સૂત્ર પ્રબોધટીકા [અધ્યાય-૧]. તત્ત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો સિદ્ધાચલનો સાથી [આવૃત્તિ * બે ચિત્ય પરિપાટી અમદાવાદ જિનમંદિર ઉપાશ્રય આદિ ડિરેક્ટરી શત્રુજ્ય ભક્તિ [આવૃત્તિ - બે] શ્રી નવકારમંત્ર નવલાખ જાપ નોંધપોથી શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી શ્રી બાસ્વત પુસ્તિકા તથા અન્ય નિયમો - [આવૃત્તિ - ચાર] અભિનવ જૈન પંચાંગ - 2042 [સર્વપ્રથમ 13 વિભાગોમાં] શ્રી જ્ઞાનપદ પૂજા અંતિમ આરાધના તથા સાધુ સાધ્વી કાળધર્મ વિધિ શ્રાવક અંતિમ આરાધના (આવૃત્તિ ત્રણ વીતરાગ સ્તુતિ સંચય [1151 ભાવવાહી સ્તુતિઓ]. (પૂજ્ય આગમોદ્ધારક શ્રી ના સમુદાયના) કાયમી સંપર્ક સ્થળો તત્ત્વાથિિધગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૧ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૨ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૩ [19] R રિપ [7] [7] [28] [29] [30] [31]. [32] [33] [34]
Page #10
--------------------------------------------------------------------------
________________ [4] તત્ત્વાથધગમ સૂત્ર અભિનવ ટકા - અધ્યાય-૪ તવાથિિધગમ સૂત્ર અભિનવ કા - અધ્યાય-૫ તત્ત્વાથિિધગમ સૂત્ર અભિનવ ચકા - અધ્યાયતવાથધિગમ સૂત્ર અભિનવ ચકા. - અધ્યાય-૭ તવાથધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૮ તત્ત્વાથિિધગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૯ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૧૦ 0 -x - -x -0 आयारो [आगमसुत्ताणि-१ ] सूयगडो [आगमसुत्ताणि-२ ] ठाणं [आगमसुत्ताणि-३ समवाओ [आगमसुत्ताणि-४ विवाहपन्नति [आगमसुत्ताणि-५ नायाधम्मकहाओ [आगमसुत्ताणि-६ उवासगदसाओ [आगमसुत्ताणि-७ 1 अंतगडदसाओ [आगमसुत्ताणि-८ अनुत्तरोषवाइयदसाओ [आगमसुत्ताणि-९ . ] पण्हावागरणं [आगमसुत्ताणि-१० विवागसूर्य [आगमसुत्ताणि-११ उदवाइयं [आगमसुत्ताणि-१२ ] रायप्पसेणियं [आगमसुत्ताणि-१३ ] जीवाजीवाभिगमं [आगमसुत्ताणि-१४ ] पन्नवणासुतं [आगमसुत्ताणि-१५] सूरपन्नति [आगमसुत्ताणि-१६ चंदपन्नत्ति [आगमसुत्ताणि-१७ ] जंबूद्दीवपन्नति [आगमसुत्ताणि-१८] निरयावलियाणं [आगमसुत्ताणि-१९ कप्पवडिंसियाणं [आगमसुत्ताणि-२० पुफियाणं [आगमसुत्ताणि-२१ ] पुष्फचूलियाणं [आगमसुत्ताणि-२२. वण्हिदसाणं [आगमसुत्ताणि-२३ ] चउसरणं [आगमसुत्ताणि-२४ ] आउरपञ्चक्खाणं आगमसुत्ताणि-२५ महापच्चक्खाणं [आगमसुत्ताणि-२६ ] भत्तपरिण्णा [आगमसुत्ताणि-२७ / तंदुलवेयालियं [आगमसुत्ताणि-२८ ] पढमं अंगसुत्तं बीअं अंगसुत्तं तइयं अंगसुत्तं चउत्यं अंगसुत्तं पंचमं अंगसुतं छटुं अंगसुत्तं सत्तमं अंगसुतं अमं अंगसुत्तं नवमं अंगसुतं दसमं अंगसुत्तं एकारसमं अंगसुत्तं पढमं उयंगसुत्तं बीअं उवंगसुत्तं तइयं उवंगसुत्तं चउत्थं उवंगसुत्तं पंचमं उवंगसुत्तं छठें उवंगसुत्तं सातमं उवंगसुतं अमं उवंगसुत्तं नवमं उवंगसुत्तं दसमं उवंगसुत्तं एक्कारसमं उवंगसुत्तं बारसमं उवंगसुत्तं पढमं पईण्णगं बीअं पईण्णगं तीइयं पईण्णगं चउत्यं पईण्णगं पंचमं पईण्णगं [69]
Page #11
--------------------------------------------------------------------------
________________ " تاراتاتا" संथारगं [आगमसुत्ताणि-२९ ] छठं पईण्णगं गच्छायार आगमसुत्ताणि-३० / सत्तमं पईण्णगं-१ चंदावेज्झयं [आगमसुत्ताणि-३० ] सतमं पईण्णगं-२ गणिविजा [आगमसुत्ताणि-३१ अमं पईण्णगं देविंदत्थओ [आगमसुत्ताणि-३२ नवमं पईण्णगं मरणसमाहि [आगमसुत्ताणि-३३ ] दसमं पईण्णगं-१ वीरत्थव [आगमसुत्ताणि-३३ दसमं पईण्णगं-२ निसीह [आगमसुत्ताणि-३४ पढमं छेयसुत्तं बुहत्कप्पो [आगमसुत्ताणि-३५ ] बीअं छेयसुतं ववहार [आगमसुत्ताणि-३६ ) तइयं छेयसुतं दसासुयक्खंध [आगमसुत्ताणि-३७ ] चउत्थं छेयसुतं जीयकप्पो [आगमसुत्ताणि-३८ / पंचमं छेयसुत्तं-१ पंचकप्पभास [आगमसुत्ताणि-३८ ] पंचमं छेयसुत्तं-२ महानिसीहं [आगमसुत्ताणि-३९ / छठं छेयसुत्तं आवसस्सयं [आगमसुत्ताणि-४० पढमं मूलसुतं ओहनिअत्ति [आगमसुत्ताणि-४१ बीअं मूलसुत्तं-१ पिंडनिजत्ति [आगमसुत्ताणि-४१ बीअं मूलसुतं-२ दसवेयालियं [आगमसुत्ताणि-४२ तइयं मुलसुत्तं उतरज्झयणं [आगमसुत्ताणि-४३ चउत्थं मूलसुत्तं नंदीसूर्य [आगमसुत्ताणि-४४ पढमा चूलिया अणुओगदारं आगमसुत्ताणि-४५ ] बितिया चूलिया 0 -x - --x -0 [81] मायारी ગુર્જરછાયા [ આગમદીપ-૧ ] પહેલું અંગસૂત્ર [82] सूयगी - ગુર્જર છાયા [ આગમદીપ-૨ ] બીજું અંગસૂત્ર 61 ગુર્જર છાયા[ આગમદીપ-૩ ] ત્રીજું અંગસૂત્ર [84] समवायो - ગુર્જરછાયા [ આગમદીપ-૪ ] ચોથું અંગસૂત્ર [5] विपन्नति - ગુર્જરછાયા [આગમદીપ-૫ ] પાંચમું અંગસૂત્ર [es] नयाधम्मामी - २७ाया [भाममही५-६ ] संगसूत्र F87] GIRLसमो. - गुर्डरछाया [भागमही५-७ ] सातमु संगसूत्र [e8] संतगामी - गुरछाया [भागमही५-८ ] 18 मंगसूत्र [8] मनुत्तरोपतिसमो. - गु२७।या. [भागमही५-८ ] नव अंगसूत्र [10] પહાવાગરણ - ગુર્જરછાયા [ આગમદીપ-૧૦ ] દશમું અંગસૂત્ર [10] विवानसूयं - ગુર્જરછાયા [ આગમદીપ-૧૧ ] અગિયારમું અંગસૂત્ર [102] 64ऽयं - ગુર્જરછાયા [ આગમદીપ-૧૨ ] પહેલું ઉપાંગસૂત્ર [107] रायपसेशियं - गुरछाया [भागमही५-१३ ] ( 6 सूत्र [104] જીવાજીવાભિગમ - ગુર્જરછાયા [આગમદીપ-૧૪ ] ત્રીજું ઉપાંગસૂત્ર [90]
Page #12
--------------------------------------------------------------------------
________________ [105] પન્નવણા સુd- [106] સૂરપન્નત્તિ - [17] ચંદપનતિ - [108] જંબુદ્િવપન્નતિ[૧૦] નિરયાવલિયાણું - [117] કMવડિસિયા - [111] પુફિયાશે - [112] પુષ્કચૂલિયાણું - [113] વહિદસાણ - [114] ચઉસરણ - [115] આઉરપચ્ચશ્માં - . [11] મહાપચ્ચક્ષ્મણ - [117] ભરપરિણા - [118] તંદુલવેયાલિય - [118] સંથારગે - [12] ગચ્છાચાર - [11] ચંદાવર્ઝાય - [12] ગણિવિજ્જા - [123] દેવિંદFઓ - [124] વીરત્થવ - [125] નિસીહં[૧૨] બહતકપ્યો - [127] વવહાર - [128] દસાસુયાબંધ - [12] જીયકષ્પો - [130] મહાનિસીહં - [131] અવસ્મય - [132] ઓહનિજજુત્તિ[૧૩] પિંડનિસ્તુતિ - [34] દસયાલિય - [135] ઉત્તરજગ્યણ - [13] નંદીસુત્ત - [137] અનુયોગદારાઈ - [1] ગુર્જરછાયા [ આગમદીપ-૧૫ ] ચોથું ઉપાંગસૂત્ર ગુજરછાયા [ ગમદીપ-૧૬ ] પાંચમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ ગમદીપ-૧૭ ] છઠ્ઠ ઉપાંગસૂત્ર ગુર્જરછાયા. [ આગમદીપ-૧૮ ] સાતમું ઉપાંગસૂત્ર ગુજરછાયા. [ આગમદીપ-૧૯ ] આઠમું ઉપાર્ગસૂત્ર ગુર્જરાયા [ આગમદીપ-૨૦ ] નવમું ઉપાગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૧ ] દશમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૨ ] અગિયારમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૩ ] બારમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૪ ] પહેલો પ્રયત્નો ગુર્જરછાયા [ આગમદીપ-૨૫ ] બીજે પયત્નો ગુર્જરછાયા [ આગમદીપ-૨૬ ] ત્રીજો પયનો ગુર્જરછાયા [ આગમદીપ-૨૭ ] ચોથો પયત્નો ગુર્જરછાયા [ આગમદીપ-૨૮ ] પાંચમો પયત્નો ગુર્જરછાયા [ આગમદીપ-૨૯ ] છઠ્ઠો પયત્નો ગુર્જરછાયા. [ આગમદીપ-૩૦ ] સાતમો પયનો-૧ ગુર્જરછાયા [ આગમદીપ-૩૦ ] સાતમો પયત્નો-૨ ગુર્જરછાયા [ આગમદીપ-૩૧ ] આઠમો પયત્નો ગુર્જરછાયા [ આગમદીપ-૩૨ ] નવમો પવનો ગુર્જરછાયા [ આગમદીપ-૩૩ ] દશમો પવનો ગુર્જરછાયા [ આગમદીપ-૩૪ ] પહેલું છેદસૂત્ર ગુર્જરછાયા. [ આગમદીપ-૩૫ ] બીજું છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૩૬ ] ત્રીજું છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૩૭ ] ચોથું છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૩૮ ] પાંચમું છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૩૯ છઠું છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૪૦ ] પહેલું મૂલસુત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૪૧ ] બીજું મૂલસુત્ર-૧ ગુર્જરછાયા [ આગમદીપ-૪૧ ] બીજું મૂલસુત્ર-૨ ગુર્જરછાયા [ આગમદીપ-૪ર ] ત્રીજું મૂલસુત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૪૩ ] ચોથું મૂલસુત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૪૪ ] પહેલી ચૂલિકા ગુર્જરછાયા [ આગમદીપ-૪૫ ] બીજી ચૂલિકા નોંધ:- પ્રકાશન 1 થી 31 અભિનવ શ્રત પ્રકાશને પ્રગટ કરેલ છે. પ્રકાશન 42 થી 90 આગમકૃત પ્રકાશને પ્રગટ કરેલ છે. પ્રકાશન 91 થી 137 આગમદીપ પ્રકાશને પ્રગટ કરે છે.
Page #13
--------------------------------------------------------------------------
________________ [184 नमो नमो निम्मल देसणस्स પંચગણધર શ્રી સુધમ સ્વામિને નમઃ unusuri 43 | ઉત્તરઝયણું ચોથું મૂળસૂત્રગુર્જરછાયા Daa છે (અધ્યયન-નવિનયકૃત) [1] જે સાંસારિક સંયોગો અથાત્ બંધનોથી મુક્ત છે. અસાર ભિક્ષુ છે. તેના વિનયધર્મનું અનુક્રમથી નિરૂપણ કરું છું. તેને ધ્યાનપૂર્વક મારી પાસે સાંભળો. [2-3] જે ગુરુની આજ્ઞાનું પાલન કરે છે. ગુરુના સાનિધ્યમાં રહે છે. ગુરૂના ઈગિતઆકાર અથાત્ સંકેત અને મનોભાવી જાણે છે, તે વિનીત કહેવાય છે. જે ગુરુની આજ્ઞાનું પાલન નથી કરતા, ગુરુના સાનિધ્યમાં નથી રહેતા, ગુરુને પ્રતિકૂળ આચરણ કરે છે, તે અસંબુદ્ધ અણસમજુ અવિનીત કહેવાય છે. [4-6) જેવી રીતે સડેલા કાનવાળી કૂતરીને ધૃણાની સાથે સર્વ સ્થાનોમાંથી કાઢી મૂકવામાં આવે છે. તેવી રીતે દુરશીલ અને અયોગ્ય આચરણ કરવાવાળા, વાચાળ શિષ્યને પણ સર્વ જગ્યાએથી કાઢી મૂકવામાં આવે છે. જેવી રીતે ડુક્કર ભાત આદિ સાર ખોરાક છોડીને વિષ્ઠા ખાય છે તેવી રીતે પશુબુદ્ધિ મૃગની જેમ અજ્ઞાની શિષ્ય, શીલ-સદાચારને છોડીને દુશીલ-દુરાચારમાં રમણ કરે છે. પોતાનું હિત ઈચ્છવાવાળા ભિક્ષને, સડેલા કાનવાળી કૂતરી અને વિષ્ઠા ખાનાર સુવરની સમાન, દુશીલથી મનુષ્યને ન શોભે તેવી હીનસ્થિતિ થાય છે, એમ સમજીને વિનયધર્મને અંગીકાર કરવો. [7] જેનાથી શીલની પ્રાપ્તિ થાય છે એવા વિનયનું આચરણ મનુષ્ય કરવું જોઈએ. એ બુદ્ધપુત્ર છે- મોક્ષાર્થી શિષ્ય છે, તેને ક્યાંથી પણ કાઢી મૂકવામાં નહીં આવે. [8] શિષ્ય પ્રજ્ઞાવંત ગુરજનોની પાસે હંમેશા પ્રશાંત ભાવે રહેવાચાળ ન બને, અર્થપૂર્ણ પદોને શીખે અને નિરર્થક વાતો છોડી દે. [] ગુર દ્વારા અનુશાસિત હોવાથી સમજદાર શિષ્ય ક્રોધ ન કરે, ક્ષમાની. આરાધના કરે, શાંત રહે. ક્ષુદ્ર વ્યક્તિઓના સંપર્કથી દૂર રહે, તેની સાથે હંસી મજાક અને અન્ય કોઈ ક્રીડા પણ ન કરે. [10-11] શિષ્ય આવેશમાં આવી કોઈ ચાંડાલિક આવેશમલક અપકર્મ ન કરે. ખોટી ચર્ચા ન કરે. અધ્યયનકાલમાં અધ્યયન કરે અને ત્યારબાદ એકાન્તમાં રહી ધ્યાન ધરે. આવેશવશ જે શિષ્ય કોઈ ચાંડલિક-ખોટો વ્યવહાર પણ કરી બેસે તો તેને કદી પણ છુપાવે નહીં. કરેલું હોય તો કરેલું કહે અને ન કરેલું હોય તો ન કરેલું કહે.
Page #14
--------------------------------------------------------------------------
________________ 185 અધ્યયન-૧ [12] જેમ દુર્બળ ઘોડાને વારંવાર ચાબુકની જરૂર પડે છે. તેમના શિષ્ય ગુરુના વારંવાર આદેશ વચનોની અપેક્ષા ન કરે. કારણકે ઉત્તમ શિક્ષિત ઘોડી ચાબુકને જોઈને જ ઉન્માર્ગને છોડી દે તેવી રીતે યોગ્ય શિષ્ય ગુરુના સંકેત માત્રથી પાપકર્મ છોડી દે. [13-14] આજ્ઞામાં ન રહેવાવાળા, વગર વિચાર્યું કંઈ ને કંઈ બોલવાવાળા, અવિનીત શિષ્ય મૃદુ સ્વભાવવાળા ગુરુને પણ ક્રોધી બનાવી દે છે અને ગુરુના મનોનુકૂલ ચાલવાવાળા તથા પટુતાથી કાર્ય સંપન્ન કરવાવાળા શિષ્ય જલદી જ કુપિત થવાવાળા ગુરુને પણ પ્રસન્ન કરી દે છે. (વળી વગર પૂછ્યું કંઈ પણ ન બોલે. પૂછવાથી પણ અસત્ય ન કહે, અને ક્યારેય પણ ક્રોધ આવી જાય તો ક્રોધને આગળ ન વધારી ત્યાં જ તેને શાંત કરે છે તથા આચાર્યની પ્રિય અને અપ્રિય બંને શિક્ષાઓને ધારણ કરે છે. [૧પ-૧૬] આત્મા પરની વિજયપ્રાપ્તિ કઠિન છે છતાં આત્મા પર વિજય પ્રાપ્તકરવો જ જોઈએ. આત્મવિજેતાજ આ લોક અને પરલોકમાં સુખી થાય છે. શિષ્ય એમ વિચાર કરે કે બંધન અને વધના દ્વારા બીજાથી દમાતો હોઉં તેના કરતાં હું પોતે જ સંયમ અને તપદ્વારા આત્મા પર વિજય પ્રાપ્ત કર્યું. એ વધારે સારું છે. [17] બધાની સમક્ષ અથવા એકાંતમાં વાણીથી અથવા કર્મથી ક્યારેય પણ આચાર્યને પ્રતિકૂળ આચરણ નહીં કરવું જોઈએ. [18-19] આચાર્યોની બરાબર ન બેસે. આગળ ન બેસે. પીઠની પાછળ ન બેસે, ગુરુની અતિ નજીક ગોઠણથી ગોઠણનો સ્પર્શ થાય એમ ન બેસે. સંથારામાં બેઠાં બેઠાં જ ગુરુના કથિત આદેશોનો સ્વીકૃતિરૂપ ઉત્તર ન આપે ગુરુની સમક્ષ પલાંઠી વાળી બેસવું નહીં, બંને હાથોથી શરીરને બાંધીને કે પગોને ફેલાવીને પણ બેસવું નહીં. [20-21 ગુરુના કૃપાભાવને ઈચ્છાવાળા મોક્ષાર્થી શિષ્ય, કોઈ પણ સ્થિતિમાં આચાર્યને બોલ સાંભળી મૌન રહીને નિરંતર તેની સેવામાં ઉપસ્થિત રહે. ગુરુ એકવાર અથવા અનેકવાર બોલાવે તો બુદ્ધિમાન શિષ્ય ક્યારેય પણ બેસી ન રહે, પરંતુ આસન છોડી તેમના આદેશનો યત્નાપૂર્વક સાવધાનતાથી અમલ કરે. [22-23 આસન અથવા શયામાં બેઠા બેઠા ક્યારે પણ ગુરુને કોઈ વાત ન પૂછે, પરંતુ તેમની સામે આવી ઉત્કટ આસને બેસી અને હાથ જોડીને જે પણ પૂછવું હોય તે પૂછે. વિનીત શિષ્ય આ પ્રકારે વિનીત સ્વભાવે પૂછે તો ગુરુ, સૂત્ર, અર્થ અને તદુભયબંનેનું યથાશ્રુત (કૃત અનુસાર) નિરૂપણ કરે. 24-25] ભિક્ષુ અસત્યનો પરિહાર કરે, નિશ્ચયાત્મક ભાષા ન બોલે, ભાષાના. અન્ય પરિહાસ તથા સંશય આદિ દોષોને પણ છોડે, માયાનો સદા પરિત્યાગ કરે. કોઇના પૂછવાથી પણ પોતાના માટે, બીજાના માટે અથવા બંનેને માટે પાપકારી ભાષા ન બોલે, નિરર્થક ન બોલે, મર્મભેદક વચન પણ ન કહે. [26] લુહારની શાળામાં, ઘરોમાં, ઘરોની વચ્ચેની ગલીમાં અને રાજમાર્ગમાં એકલા મુનિ એકલી સ્ત્રી સાથે ઊભા ન રહે, તથા વાત ન કરે. | [27-29] પ્રિય અથવા કઠોર શબ્દોથી આચાર્ય મારા પર જે અનુશાસન કરે છે, તે મારા લાભ માટે છે' - એવો વિચાર કરી યત્નપૂર્વક તેના અનુશાસનનો સ્વીકાર કરે. આચાર્યનું પ્રસંગોચિત કોમલ અથવા કઠોર અનુશાસન દુષ્કતનો નિવારક થાય છે. આ અનુશાસનને બુદ્ધિમાન શિષ્ય હિતકર માને છે. પરંતુ અયોગ્ય વ્યક્તિ માટે તે જ
Page #15
--------------------------------------------------------------------------
________________ 186 ઉત્તરજઝયા- 30 અનુશાસન દ્વેષનું કારણ બની જાય છે. ભયથી મુક્ત, મેધાવી પ્રબુદ્ધ શિષ્ય ગુરુના કઠોર અનુશાસનને પણ હિતકર માને છે, પરંતુ તે ક્ષમા અને ચિત્ત વિશુદ્ધિ કરવાવાળા. ગુરુની આજ્ઞાઓ મૂખોને માટે ટ્રેષનું નિમિત્ત થઈ જાય છે. [30] શિષ્ય એવા આસન પર બેસે જે ગુરુના આસનથી નીચે હોય, જેનાથી કોઈ અવાજ ન આવે તથા જે સ્થિર હોય. આસન પરથી વારંવાર ન ઊઠે, પ્રયોજન હોવાથી, પણ બહુ ન ઊઠે, સ્થિર અને શાન્ત થઈ બેસે, અહીં તહીં ચપળતા ન કરે. 3i1-33] ભિક્ષુ, સમય થયે ભિક્ષા માટે બહાર નીકળે, અને સમય પર પાછો આવે, અસમયમાં કોઈ કાર્યન કરે, જે કાર્ય જે સમયે કરવાનું હોય તે કાર્ય તે જ સમયે કરે. ભિક્ષા માટે ગયેલા ભિક્ષુ ભોજન માટે ઉપવિષ્ટ લોકોની પંગતમાં ઊભા ન રહે મુનિની મર્યાદાને અનુરૂપ એષણા કરી ગૃહસ્થનો દીધેલો આહાર સ્વીકાર કરે અને શાસ્ત્રોક્ત, કાળમાં આવશ્યકતા પૂર્તિમાત્ર પરિમિત ભોજન કરે. જો પહેલાં જ અન્ય ભિક્ષુ ગૃહસ્થના દ્વાર પર ઊભા હોય તો તેનાથી અતિદૂર અથવા અતિસમીપ ઊભા ન રહે અને દેવાવાળા ગૃહસ્થની દ્રષ્ટિની સામે પણ ઊભા ન રહે. ઉપસ્થિત ભિક્ષને ઓળંગીને ઘરમાં ભોજન લેવા માટે ન જાય. [34-36] સંયમી મુનિ પ્રાસુકઅત અને પરફત-ગૃહસ્થ માટે બનાવેલો આહાર લે. પરંતુ બહુ ઊંચે અથવા બહુ નીચે સ્થાનથી લાવેલો તથા અતિ સમીપ અથવા અતિ દૂરથી દીધેલો આહાર ન લે. સંયમી મુનિ પ્રાણી અને બીજોથી રહિત, ઉપરથી ઢાંકેલ અને દીવાલ આદિથી સંવૃત મકાનમાં પોતાના સહધર્મી સાધુઓની સાથે જમીન પર ન વેરાય એમ વિવેકપૂર્વક આહાર કરે. “સારું કરેલું છે. સારે પકવેલું છે, સારું છેવું છે, સારું થયું છે તેમાં સારો રસ ઉત્પન્ન થયો છે. આ બહુ જ સુંદર છે.આ પ્રકારના પાપયુક્ત વચનોનો પ્રયોગ ન કરે. [37] મેધાવી શિષ્યને શિક્ષણ દેતાં આચાર્ય પ્રસન્ન જ હોય છે. જેવી રીતે કે અશ્વવાહક સારા ઘોડાને હાંકતાં પ્રસન્ન થાય છે. અબોધ શિષ્યને શિખવતા ગુરુ એમ જ દુઃખી થાય છે, જેવી રીતે કે દુષ્ટ ઘોડાને કેળવતાં તેનો વાહક દુઃખી થાય છે. " [38-40] ગુરુના કલ્યાણકારી અનુશાસનને, પાપકૃષ્ટિવાળા શિષ્ય, ઠોકર મારવી, ચાબખા મારવા, ગાળો દેવી કે પ્રહાર કરવા જેવા અનિષ્ટ સમજે છે. ગુરુ મને પુત્ર, ભાઈ અને સ્વજનની જેમ આત્મીય સમજી શિક્ષણ આપે છે. એમ માની વિનીત શિષ્ય તેના અનુશાસનને કલ્યાણકારી માને છે. પરંતુ પાપદ્રષ્ટિવાળા કુશિષ્ય હિતાનુશાસનથી શાસિત થવાથી પોતાને દાસની જેમ હીન સમજે છે. વિનીત શિષ્ય આચાર્યને ક્રોધિત ન કરે અને તેના કઠોર અનુશાસનાદિથી સ્વયં-પોતે ક્રોધિત ન થાય અને ગુરુને સાચી ખોટી સંભળાવીને તેનો દોષદર્શક ન થાય. [41] પોતાના કોઈપણ અભદ્ર વ્યવહારથી આચાર્યને અપ્રસન્ન થયા જાણે તો વિનીત શિષ્ય પ્રીતિવચનોથી તેને પ્રસન્ન કરે અને કહે કે “હું ફરીથી આવું નહીં કરું.” [42] જે વ્યવહાર ધર્મથી અર્જીત છે અને પ્રબુદ્ધ આચાયો દ્વારા આચરિત છે તે વ્યવહારને આચરણમાં લાવવાવાળા મુનિ ક્યારેય પણ નિંદાને પાત્ર થતા નથી. [43-44] શિષ્ય આચાર્યના મનોગત અને વાણીગત ભાવોને જાણીને તેને સર્વપ્રથમ વાણીથી ગ્રહણ કરીને પછી. કાર્યરૂપમાં પરિણત કરે. વિનયી ગણાતો પ્રસિદ્ધ
Page #16
--------------------------------------------------------------------------
________________ અધ્યયન-૧ 187 શિષ્ય ગુરુ દ્વારા પ્રેરિત ન થવા પર પણ કાર્ય કરવા માટે સદા તત્પર રહે છે. પ્રેરણા થવાથી તો તત્કાળ યથોપદિષ્ટ કાર્ય સારી રીતે સંપન્ન કરે છે. 45] વિનયના સ્વરૂપને જાણીને જે મેધાવી શિષ્ય વિનમ્ર બની જાય છે. તેની લોકમાં કીર્તિ થાય છે. જેમ પૃથ્વી પ્રાણીઓ માટે આધારરૂપ હોય છે તેવી રીતે યોગ્ય શિષ્ય સમય પર ધમચરણ કરવાવાળા માટે આધારરૂપ બને છે. [46-47 પહેલાં જ શિષ્યના વિનયભાવથી પરિચિત, સંબુદ્ધ પૂજ્ય આચાર્ય તેના પર પ્રસન્ન થઈ તેને તેના અર્થગંભીર વિપુલ શ્રુતજ્ઞાનને લાભ કરાવે છે. તે શિષ્ય પૂજ્યશાસ્ત્ર હોય છે (અથતું તેનું શાસ્ત્રીય જ્ઞાન જનતામાં સમ્માનિત થાય છે.) તેના બધા સંશય ઓછા થઈ જાય છે. તે ગુરુના મનને પ્રિય થાય છે. તે કર્મસંપદાથી અથવા સાધુ સમાચારોથી યુક્ત હોય છે. તે તપ સમાચારી અને સમાધિથી સંપન્ન હોય છે. એ રીતે પાંચ મહાવ્રતોનું પાલન કરી તે મહાન તેજસ્વી થાય છે. [48] તે દેવ, ગંધર્વ અને મનુષ્યથી પૂજીત વિનયી શિષ્ય મલપંકથી અશુચિ નિર્મિત આ દેહનો ત્યાગ કરી શાશ્વત સિદ્ધ થાય છે અથવા અલ્પ કર્મવાળા મહાન ઋદ્ધિસંપન્ન દેવ થાય છે. એમ હું તમને કહું છું. અધ્યયનઃ ૧ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂરી (અધ્યયન-ર પરીષહપ્રવિભક્તિ) [49] આયુષ્યમાનું ! ભગવાને આ પ્રકારે કહ્યું છે તેમ મેં સાંભળેલ છે. શ્રમણના જીવનમાં બાવીશ પરિષહ હોય છે. જે કાશ્યપ ગોત્રીય શ્રમણ ભગવાન મહાવીર દ્વારા પ્રવેદિત છે. જેને સાંભળીને, જાણીને, અભ્યાસ દ્વારા પરિચિત કરીને પરાજીત કરીને, ભિક્ષાચય માટે વિચરતા થકા મુનિઓએ પરીષહોથી પૃષ્ટ-આક્રાન્ત થઈને વિચલિત. થવાનું નથી. કાશ્યપ ગોત્રીય શ્રમણ ભગવાન મહાવીરે કયા બાવીશ પરિષહ કહ્યા છે જે પરીષહોને સાંભળીને, જાણીને, અભ્યાસ દ્વારા પરિચય કરીને પરાજીત કરીને, ભિક્ષા માટે વિચરતા થકા મુનિ તેનાથી પૃષ્ટ-આક્રાન્ત થવાથી પણ વિચલિત થતા નથી ? શ્રી કાશ્યપ ગોત્રીય શ્રમણ ભગવાન મહાવીરે ફરમાવેલા બાવીસ પરીષહોને સાંભળીને, જાણીને અભ્યાસ દ્વારા પરિચિત કરીને, પરાજીત કરીને, ભિક્ષા માટે વિચરતા થકા મુનિ તેનાથી સૃષ્ટ-આક્રાન્ત થઈને વિચલિત થતા નથી. તે પરીષહ આપ્રકારે. સુધા, પિપાસા, શીત, ઉષ્ણતા, ડાંસ-મચ્છર, અચેલ, અરતિ, સ્ત્રી, ચય નિષદ્યા, શવ્યા, આક્રોશ, વધ, યાચના, અલાભ, રોગ, તૃણ-સ્પર્શ, મેલ, સત્કારપુરસ્કાર, પ્રજ્ઞા, અજ્ઞાન અને દર્શન. [50] કાશ્યપ ગોત્રીય ભગવાન મહાવીરે પરીષહોના જે ભેદો બતાવ્યા છે તે હું તમને અનુક્રમથી કહું છું તે સાંભળો! [પ૧-૫૨] ભૂખથી પીડિત થાય તો પણ મનોબળથી યુક્ત તપસ્વી ભિક્ષુ ફળઆદિનું સ્વયે છેદન ન કરે, બીજા પાસે છેદન ન કરાવે, તે ન પોતે પકાવે અને ન અન્ય દ્વારા પકાવે, લાંબી ભૂખ સહન કરવાને કારણે કાગડાની જાંઘ સમાન શરીર દુબળ થઈ જાય, કૃશ થઈ જાય, ધમણિયો સ્પષ્ટ નજર આવવા લાગે તો પણ અશન અને પાનરૂપ આહારની માત્રાને જાણવાવાળા સાધક અન્યભાવથી વિચરણ કરે.
Page #17
--------------------------------------------------------------------------
________________ 188 ઉત્તરજઝ - 253 [પ૩-૫૪] અસંયમથી અરુચિ રાખવાવાળા લજ્જાવાનું સંયમી ભિક્ષુ પ્યાસથી પીડિત થાય તો પણ શીતોદક-સચિત્ત પાણીનું સેવન ન કરે. પરંતુ અચિત્ત પાણીની શોધ કરે. આવાગમનથી શૂન્ય એકાંત નિર્જન માર્ગોમાં પણ તીવ્ર પ્યાસથી વ્યાકુળ થાય. અત્યંત ગળું સુકાતું હોય તો પણ મુનિ અદિનિભાવથી તરસના કષ્ટને સહન કરે. [પપ-પ૬] વિરક્ત અને અનાસક્ત થઈ વિચરતા થકા મુનિને શીતકાળમાં શીતનું કષ્ટ થાય જ છે. તો પણ આત્મજયી જિન-શાસનને સમજીને પોતાની યથોચિત મર્યાદાઓનું અથવા સ્વાધ્યાયાદિના પ્રાપ્ત કાળનું ઉલ્લંઘન ન કરે. ઠંડી લાગવાથી મુનિ એવું ન વિચારે કે મારી પાસે ટાઢ-નિવારણ માટે યોગ્ય મકાન કે શરીરને ઠંડીથી બચવા કંબલ આદિ વસ્ત્ર પણ નથી. તો હું શા માટે અગ્નિનું સેવન ન કરું? [5758] ગરમભૂમિ, શિલા અને લૂ આદિના પરિતાપથી, તરસની બ્રહથી, ગ્રીષ્મકાલીન સૂર્યના પરિતાપથીઅત્યંત પીડિત થવાથી પણ મુનિ શાતા માટે પરિદેવના-આકુળતા ન કરે. ગરમીથી પરેશાન થાય તો પણ મેધાવી મુનિ જ્ઞાનની ઇચ્છા ન કરે. પાણીથી શરીરને સિંચિત ન કરે. પંખા આદીથી હવા ન કરે. પ૯-૬ મહામુનિ ડાંસ તથા મચ્છરનો ઉપદ્રવ થવાથી પણ સમભાવ રાખે. જેવી રીતે હાથી યુદ્ધના મોરચા પર બાણોની પરવાહ કર્યા વગર શત્રુઓને હણે છે. તેવી રીતે મુનિ પણ પરીષહોની પરવાહ બિલકુલ ન કરતાં રાગદ્વેષરૂપી અંતરંગ શત્રુઓને હણે. ડાંસમચ્છર પરીષહનો વિજેતા સાધક ડાંસમચ્છરોથી ઉદ્વિગ્ન ન થાય, તેને હટાવે નહીં, તેના પ્રતિ મનમાં દ્વેષ પણ ન લાવે. માંસ અને લોહી પીનાર ડાંસ મચ્છરોની ઉપેક્ષા કરે, તેને મારે નહીં. [61-62) “વસ્ત્રો અતિ જીર્ણ થઈ જવાથી હવે હું અચેલક નિગ્ન થઈ જઈશ અથવા નવા વસ્ત્ર ફરી મળશે તો હું પાછો ચેલક થઈ જઈશ” એવું મુનિ ન વિચારે. વિભિન્ન અને વિશિષ્ટ પરિસ્થિતિઓના કારણે મુનિ ક્યારે અચેલક થાય છે અને ક્યારે સલક થાય છે. એ બંને સ્થિતિઓ યથાપ્રસંગ સંયમધર્મ માટે હિતકારી છે”- એમ સમજીને મુનિ ખેદ ન કરે. [63-64 એક ગામથી બીજે ગામ વિચરતાં અકિંચન-લોભરહિત અણગારના મનમાં સંયમના પ્રતિ ક્યારેય અરતિ કે અરચિ ઉત્પન્ન થાય તો તે પરીષહને સહન કરે. વિષયાસક્તિથી વિરક્ત રહેવાવાળા, આત્મભાવની રક્ષા કરવાવાળા, ધર્મમાં રમણ કરવાવાળા, આરંભ-પ્રવૃત્તિથી દૂર રહેવાવાળા નિરારંભી મુનિ અરતિનો પરિત્યાગ કરી ઉપશાંત ભાવથી વિચરે. [-6] લોકમાં જે સ્ત્રીઓ છે, તે પુરુષો માટે આસક્તિ છે.' એમ જે જાણે છે તેનું શ્રમણપણું-સાધુત્વ સુકત અર્થાત્ સફળ થાય છે. બ્રહ્મચારી માટે સ્ત્રીઓ પંકકીચડ સમાન છે.' મેધાવી મુનિ આ વાતને સમજીને કોઈપણ પ્રકારે સંયમી જીવનનો વિનિપાત ન થવા દે. પરંતુ આત્મસ્વરૂપની શોધમાં વિચરે. [7-68] શુદ્ધ ચયથી પ્રશંસિત મુનિ એકાકી જ પરીષહોને પરાજીત કરી ગામ, નગર, નિગમ અથવા રાજધાનીમાં વિચરણ કરે. ભિક્ષુ ગૃહસ્થનો પરિચય રાખ્યા વગર વિચરે અને પરિગ્રહ ન રાખે. ગૃહસ્થોથી અનાસક્તપણે અને ગૃહબબંધનથી રહિત થઈને વિચરે.
Page #18
--------------------------------------------------------------------------
________________ અધ્યયન-૨ 189 [69-70] સ્મશાનમાં, સૂના ઘરમાં અને વૃક્ષના મૂળમાં એકાકી મુનિ અચપળ ભાવથી બેસે. આસપાસના અન્ય કોઈ પ્રાણીને કષ્ટ ન આપો. ઉક્ત સ્થાનોમાં બેસતાં જો ક્યારે પણ કોઈ ઉપસર્ગ આવી જાય તો તેને સમભાવથી ધારણ કરે કે આ મારા અજર-અમર આત્માને કંઈ પણ ક્ષતિ થવાની નથી. અનિષ્ટની શંકાથી ભયભીત થઈ ત્યાંથી ઊઠી અન્યસ્થાન પર ન જાય. [71-72] ઊંચી-નીચી શવ્યાના કારણે તપસ્વી અને સક્ષમ ભિક્ષ, સંયમમર્યાદાનો ભંગ ન કરે પાપ દ્રષ્ટિવાળા સાધુ જ હર્ષ-શોકથી અભિભૂત થઈ મર્યાદાને તોડે છે. પ્રતિરિક્ત બાધાથી રહિત એકાન્ત ઉપાશ્રય મેળવી ભલે સારું હોય કે ખરાબ, તેમાં મુનિએ સમભાવથી વિચાર કરી રહેવું જોઈએ કે આ એક રાત શું કરશે? અથવા એટલેથી મને શું સુખદુઃખ થઈ જવાનું છે? 73-74] જે કોઈ, ભિક્ષુને ગાળ આપે તો તેના પ્રતિ ક્રિોધ ન કરે. ક્રોધ કરવાવાળા અજ્ઞાનીઓ જેવા હોય છે. એટલે ભિક્ષુ આક્રોશ-કાળમાં સંજવલત ન થાય, ક્રોધિત ન થાય. ઘરુણ (અસહ્ય) ગ્રામકંટક-કાંટાની જેમ ભોંકવાવાળી કઠોર ભાષાને સાંભળીને મૌન રહે, ઉપેક્ષા કરે, તેને મનમાં પણ ન લાવે.. [75-76] મારવાથી, પીટવાથી ભિક્ષ ક્રોધ ન કરે અને બીજી દુભાવનાઓથી મનને પણ દૂષિત ન કરે. તિતિક્ષા-ક્ષમાને સાધનાનું શ્રેષ્ઠ અંગ જાણી. મુનિધર્મનું ચિંતન કરે. સંયમ અને દાન્ત-ઈન્દ્રિયજય શ્રમણને જો કોઈ ક્યાંય મારે તો તેણે એમ ચિંતન કરવું જોઈએ કે આત્માનો નાશ થવાનો નથી. [77-78] વાસ્તવમાં અણગાર ભિક્ષુની આ ચય હમેશાં દુષ્કર જ હોય છે. કારણ કે તેને વસ્ત્ર, પાત્ર, આહારાદિ બધું યાચનાથી મળે છે, તેની પાસે કંઈ પણ અયાચિત હોતું નથી. ગોચરી માટે ઘરમાં પ્રવિષ્ટ સાધુને ગૃહસ્થની સામે હાથ લાંબો કરવો તે સરલ નથી માટે ગૃહવાસ જ શ્રેષ્ઠ છે એવું મુનિ ચિંતન ન કરે. [૭૯-૮૦ને ગૃહસ્થોના ઘરોમાં ભોજન તૈયાર થઈ જવાથી આહારની એષણા કરે. આહાર થોડો મળે અથવા ક્યારેક ન પણ મળે પણ સંયમી મુનિ તેના માટે અનુતાપ ન કરે. આજે મને કંઈ મળ્યું નહીં, સંભવ છે કે કાલ મળી જાય' - જે એમ વિચાર કરે તેને અલાભ કષ્ટ દેતો નથી. 681-82] કર્મોના ઉદયથી રોગ ઉત્પન્ન થાય છે એવું જાણી વેદનાથી પીડિત થવાથી પણ દીન ન બને. વ્યાધિથી વિચલિત પ્રજ્ઞાને સ્થિર રાખે અને પ્રાપ્ત પીડાને સમભાવથી સહન કરે. આત્મગવેષક મુનિ ઔષધિનું અભિનંદન ન કરે, સમાધિપૂર્વક રહે એ જ એનું સાધુપણું છે કે તેને રોગ ઉત્પન્ન થવાથી ચિકિત્સા ન કરે, ન કરાવે. [83-84] અચલક અને રૂક્ષશરીરી સંયત તપસ્વી સાધુને ઘાસ પર સૂવાથી. શરીરને કષ્ટ થાય છે. ગરમીમાં, ઘાસ પર સૂવાથી બહુ વેદના થાય છે એમ જાણીને તૃણ-સ્પર્શથી પીડિત મુનિ વસ્ત્ર ધારણ કરતા નથી. [85-86 ગ્રીષ્મ ઋતુમાં મેલથી, રજથી અથવા પરિતાપથી શરીર લિપ્ત થઈ જવાથી મેધાવી મૂનિ શાતા માટે પરિદેવનાવિલાપ ન કરે. નિર્જરાર્થી મુનિ અનુત્તર ધર્મ ને મેળવીને શરીર-વિનાશની અંતિમ ક્ષણો સુધી શરીર પર મેલને રહેવા દે અને તેને સમભાવથી સહન કરે.
Page #19
--------------------------------------------------------------------------
________________ 190 ઉત્તરઝય- 287 [87-88] રાજ આદિ શાસકવર્ગીય લોકો દ્વારા કરેલા અભિવાદન, સત્કાર અને નિમંત્રણને જે કોઈ અન્ય ભિક્ષુ સ્વીકાર કરે છે, તેની મુનિ સ્પૃહા ન રાખે. અનુત્કર્ષનિરહંકારની વૃત્તિવાળા, અલ્યઈચ્છાવાળા, અજ્ઞાતકુળોથી ભિક્ષા લેનારા, અલોલુપ ભિક્ષુ રસોમાં આસક્ત ન બને. પ્રજ્ઞાવાન સાધુ બીજાનું સમ્માન જોઈ અનુતાપ ન કરે. [890 મેં ખરેખર પૂર્વકાળમાં અજ્ઞાનરૂપ ફળ દેવાવાળા અપકર્મ કર્યા છે, જેનાથી હું કોઈ દ્વારા કોઈ પણ વિષયમાં પૂછવથી કંઈ પણ ઉત્તર દેવાને સમર્થ નથી. અજ્ઞાનરૂપ ફળ દેવાવાળા પૂર્વક કર્મ પરિપક્વ થવાથી ઉદયમાં આવે છે. આ પ્રકારે કર્મના વિપાકને જાણી મુનિ પોતાને આશ્વાસન આપે 9i1-92] “હું વ્યર્થમાં જ મૈથુનાદિ સાંસ્પરિક સુખોથી વિરક્ત થયો, ઈન્દ્રિય અને મનના સંવરણ ક્ય, કારણ કે ધર્મ કલ્યાણકારી છે કે પાપકારી છે, આ હું પ્રત્યક્ષ તો કંઈ જોઈ શકતો નથી.”-એવું મુનિ ન વિચારે. “તપ અને ઉપધાનનો સ્વીકાર કરું છું, પ્રતિમાઓનું પણ પાલન કરી રહ્યો છું. આ પ્રકારે વિશિષ્ટ સાધનાપથ પર વિચરવા છતાં મારા જ્ઞાનાવરણાદિ કર્મોના આવરણો દૂર થતાં નથી.” એવું ચિંતન ન કરે. 9i3] નિશ્ચયથી જ પરલોક નથી, તપસ્વીની દ્ધિ પણ નથી અથવા હું તો ધર્મના નામ પર ઠગાઈ ગયો છું.”- એવું ભિક્ષુ ચિંતન ન કરે. 9i4] પૂર્વકાળમાં જીન થયા હતા. વર્તમાનમાં જીન છે અને ભવિષ્યમાં જીન થશે એવું જે કહે છે તે ખોટું બોલે છે"- ભિક્ષુ એવું ચિન્તન ન કરે. [85] કાશ્યપ-ગોત્રીય ભગવાન મહાવીરે આ બધા પરીષહોનું પ્રરૂપણ કર્યું છે. તેને જાણી ક્યાંય કોઈ પણ પરીષહથી આક્રાન્ત થવાથી ભિક્ષુ તેથી પરાજીત ન થાય. એમ હું (તમને) કહું છું. અધ્યયન ર ની મુને દીપરતસાગરે કહેલ ગુર્જરછાયા પૂર્ણ (અધ્યયન-૩) [9] આ સંસારમાં પ્રાણીઓ માટે ચાર પરમ અંગ દુર્લભ છે. મનુષ્યત્વ, સમનું શ્રવણ, શ્રદ્ધા અને સંયમમાં પુરૂષાર્થ. [7-101] નાના પ્રકારના કર્મો કરી, નાનાવિધ જાતિઓમાં ઉત્પન્ન થઈ, પૃથફપૃથક રૂપથી પ્રત્યેક સંસારી જીવ સમસ્ત વિશ્વને સ્પર્શ કરી લે છે અથવા સમગ્ર વિશ્વમાં સર્વત્ર જન્મ લે છે. પોતાના કરેલા કર્મોના અનુસાર જીવ ક્યારેક દેવલોકમાં ક્યારેક નરકમાં અને ક્યારેક અસુર નિકાયમાં જાય છે જન્મ લે છે. આ જીવ ક્યારેક ક્ષત્રિય, ક્યારેક ચાંડાલ, ક્યારેક બોક્કસ-વર્ણસંકર તો કોઈ વખતે કંથવો અને કીડી થાય છે. જેવી રીતે ક્ષત્રિય લોકો ચિરકાળ સુધી સમગ્ર ઐશ્વર્ય અને સુખસાધનો ઉપભોગ કરવા છતાં પણ નિર્વેદ-વિરક્તિને પ્રાપ્ત થતાં નથી, તેવી રીતે કમોથી મલિન જીવ અનાદિ કાળથી આવર્ત સ્વરૂપ યોનિચક્રમાં ભ્રમણ કરવા છતાં પણ સંસાર દશાથી નિર્વેદ પામતા નથી, જન્મ-મરણના ચક્રથી મુક્ત થવાની ઇચ્છા કરતા નથી. કમના સંગથી અતિ મૂઢ, દુઃખિત અને અત્યંત વેદનાથી યુક્ત પ્રાણી મનુષ્યતર યોનિમાં જન્મ લઈ ફરી-ફરી વિનિઘાત-ત્રાસ પામે છે. [102-105 કાલક્રમના અનુસાર કદાચ મનુષ્યગતિનિરોધક કમોંના ક્ષય
Page #20
--------------------------------------------------------------------------
________________ અમ -3 થવાથી જીવોને શુદ્ધિ પ્રાપ્ત થાય છે અને તેના ફળસ્વરૂપ તેને મનુષ્યત્વ પ્રાપ્ત થાય છે. મનુષ્ય શરીર પ્રાપ્ત થવા છતાં પણ ધર્મનું પ્રણવ દુર્લભ છે, જેને સાંભળી જીવ તપ, ક્ષમા અને અહિંસાને પ્રાપ્ત કરે છે. કદાચ ધર્મનું શ્રવણ પણ પ્રાપ્ત થઈ જાય છતાં તેના પર શ્રદ્ધા હોવી પરમ દુર્લભ છે. બહુ લોકો નૈયાયિક માર્ગ - ન્યાયસંગત - મોક્ષમાર્ગને સાંભળીને પણ તેનાથી વિચલિત થઈ જાય છે. શ્રુતિ અને શ્રદ્ધા પ્રાપ્ત કર્યા પછી પણ સંયમમાં પુરુષાર્થ હોવો અત્યંત દુર્લભ છે. બહુ લોકો સંયમમાં અભિરુચિ રાખવા છતાં પણ તેને સમ્યકતયા સ્વીકાર કરી શકતા નથી. 10] મનષ્યત્વ પ્રાપ્ત કરી જે ધર્મને સાંભળીને તેમાં શ્રદ્ધા રાખે છે તે તપસ્વી સંયમમાં પુરુષાર્થ કરી સંવૃત અનાશ્રવ થાય છે, કર્મ રજને દૂર કરે છે. [107-108] જે સરળ હોય છે તેના આત્માની શુદ્ધિ થાય છે અને શુદ્ધ મનુષ્યના અંતઃકરણમાં જ ધર્મ રહી શકે છે. જેનામાં ધર્મ છે તે જીવ ઘીથી સિંચાયેલા અગ્નિની જેમ પરમ નિર્વાણને પ્રાપ્ત થાય છે. કર્મોના હેતુઓને દૂર કરી અને ક્ષમાથી યશસંયમનો સંચય કરી તે સાધક પાર્થિક શરીરને છોડી ઉર્ધ્વ દિશા તરફ જાય છે. 109-111] અનેક પ્રકારના શીલનું પાલન કરવાથી દેવ થાય છે. ઉત્તરોત્તર સમૃદ્ધિ દ્વારા મહાશુકલની જેમ દતિમાન થાય છે અને ત્યારે “સ્વર્ગથી ચ્યવન થતું નથી એમ તેઓ માનતા હોય છે. એક પ્રકારથી દિવ્ય ભોગો માટે પોતાને અર્પિત કરેલા ન દેવ ઇચ્છાનુસાર રૂપ બનાવવામાં સમર્થ થાય છે. તથા ઉર્ધ્વ કલ્પોમાં પૂર્વ વર્ષ સેંકડો અથવા અસંખ્ય કાળ સુધી રહે છે. ત્યાં દેવલોકમાં યથાસ્થાન પોતાની કાળી મર્યાદા સુધી રહી આયુષ્ય ક્ષય થવાથી તે દેવ ત્યાંથી પાછો ફરી મનુષ્યોનિમાં ઉત્પન્ન થાય છે. તે ત્યાં દશાંગ ભોગ-સામગ્રીથી યુક્ત હોય છે. [112-114] ક્ષેત્ર-ખેતરોની ભૂમિ, વાસ્તુ-ઘર, સુવર્ણ, પશુ અને દાસ. આ ચાર કામ સ્કન્ધ જ્યાં હોય છે ત્યાં તે ઉત્પન્ન થાય છે. સન્મિત્રોથી યુક્ત, જ્ઞાતિમાન, ઉચ્ચ ગોત્રવાળા, સુંદર વર્ણવાળા, નીરોગ, મહાપ્રાજ્ઞ, અભિજાતકુલીન, યશસ્વી અને બળવાન થાય છે. જીવન પર્યન્ત અનુપમ માનનીય ભોગોને ભોગવીને પણ પૂર્વકાળમાં વિશુદ્ધ સદ્ધર્મવાળા હોવાના કારણે નિર્મલ બોધિનો અનુભવ કરે છે. . [115] પૂર્વોક્ત ચાર અંગોને દુર્લભ જાણી સાધક સંયમધર્મને સ્વીકાર કરે છે. અનન્તર તપશ્ચર્યાથી સમગ્ર કમોને દૂર કરી શાશ્વત સિદ્ધ થાય છે. એમ હું કહું છું. અધ્યયન -૩ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ (અધ્યયન-૪- અસંખથ) [11] જીવન-દોરી તૂટ્યા પછી સંધાશે નહી, માટે પ્રમાદ કરશો નહિ. વૃદ્ધાવસ્થા આવતાં કોઈ હાથ નહીં ઝાલે. માટે વિચાર કરો કે, પ્રમાદી, હિંસક અને સંયમ વગરના જીવને કોનું શરણ મળશે? | [117-118] જે મનુષ્ય અજ્ઞાનને વશ થઈ પાપી પ્રવૃત્તિઓ કરીને ધન ઉપાર્જન કરે છે. તે જીવ વાસનાની જાળમાં ફ્રાઈને અનેક કર્મો કરતો થકો નરકમાં જાય છે. ઘરફાડુ ચોર જેમ છીંડુ પાડવાની જગ્યાએ જ પોતાના દુષ્કર્મથી પડાઈ જતાં શિક્ષાને પામે છે. તેમ દરેક જીવ પોતાના કરેલા કૃત્યોનું વળતર આ લોકમાં તેમજ પરલોકમાં
Page #21
--------------------------------------------------------------------------
________________ 192 ઉત્તરજઝય-૩ 119 ભોગવે છે. તે ભોગવ્યા વિના છૂટકો જ નથી. [11] સંસારી જીવ અન્યને મદદરૂપ બનવા કર્મ કરે છે પણ તેનું ફળ ભોગવતી વખતે કોઈ ભાઈભાંડુ ભાગ પડાવવા કે સંબંધ જાળવવા આવતા નથી. [120-121] પ્રમાદી જીવ આ લોકમાં કે પરલોકમાં ધન વડે રક્ષણ નથી પામતો. અંધારામાં દીવો બુઝાઈ ગયા પછી અજવાળામાં જોયેલો માર્ગ પણ નજરમાં આવતો નથી તેવીજ રીતે પ્રમાદી વ્યક્તિ અનંત મોહને કારણે મોક્ષમાર્ગને જાણતો થકો પણ દેખતો નથી. પ્રમાદરૂપી ઘોર નિદ્રામાં સૂતેલા લોકોની વચ્ચે રહેતા થકા આ સુપ્રજ્ઞાવાળા જ્ઞાની સાધક, સદા જાગ્રત રહે છે. પ્રમાદનો એક ક્ષણ પણ વિશ્વાસ કરતા. નથી. કારણ કે કાળ ભયંકર છે, શરીર સંપત્તિ ઘણી દૂર્બળ છે તેથી ભારણ્ય પક્ષીને દ્રષ્ટાંતે અપ્રમાદપણે ગતિ કરતાં રહેવું જોઈએ. [122] સાધક ડગલે ડગલે દોષિત થવાની ભીતી રાખીને નાનામાં નાના દોષની જાળમાંથી બચીને, નિશદિન નવા ગુણો પ્રકટાવતો થકો સુરક્ષિત રહીને જ્યારે લાભનો અંતરાય દેખાય ત્યારે ધર્મસાધના કરતો થકો દેહને છોડી દે. [123ii પૂરી રીતે કેળવાયેલ અને કવચધારી ઘોડો જેમ યુદ્ધમાં વિજય પામીને પાર ઊતરી જાય છે તેમ, સ્વછન્દનો આગ્રહ છોડીને સાધક, સંસાર સાગરને પાર કરી જાય છે. જે મુનિએ પહેલાં અપ્રમાદપણે સંયમને સેવ્યો છે તે મોક્ષ પામે છે. [124-125] અનુભવી જનોનો અભિપ્રાય છે કે “સાધક જીવ પોતાના. શરૂઆતના જ સંયમી જીવનમાં જાગૃત ન રહે અને હમણાં કંઈ ચિત્તા નથી, પાછલા જીવનમાં અપ્રમત્ત દશામાં રહીશું એવી મિથ્યા ભ્રમણમાં રહે છે તે મૃત્યુ સમયે અતિ દુઃખી થઈને દેહ છોડે છે. અલ્પકાળમાં વિવેક પ્રાપ્ત થતો નથી. તેથી ક્રમે ક્રમે વાસનાઓનો ત્યાગ કરતાં કરતાં સન્માર્ગમાં સ્થિર થવાય છે માટે આત્મરક્ષક મહર્ષિ લોકને જાણી સમત્વ દૃષ્ટિથી અપ્રમાદપણે વીચરે. * [126-127] સંયમી જીવને રાગદ્વેષની વૃત્તિઓ પર વિજય મેળવવાનો છે. તે વિજય પ્રાપ્ત કરવામાં અનેક પ્રકારના સ્પર્શ અને શબ્દોની પ્રતિકુળતાઓથી પીડિત થવું પડે છે પરન્તુ સંયમી સાધક મનને વિશે લેશમાત્ર ષબુદ્ધિ કરતો નથી. એમ કરતાં, અનુકૂળતા સાંપડે તેવા અતિલોભામણા પ્રસંગોમાં સાધક તેવી લાલચોમાં ન લપટાતાં લોભને ત્યાગે છે, માયાનું સેવન કરતો નથી, માનથી દૂર છે અને ક્રોધથી પોતાને બચાવી લે છે. [128] જે વ્યક્તિ સંસ્કારહીન અને તુચ્છ છે, પવાદી અને રાગ-દ્વેષમાં રચ્યો પચ્યો રહે છે તથા વાસનાઓનો ધસ છે તેને “ધર્મ રહિત” જાણીને સાધક તેનો સંગ ન કરે જીવનની અન્તિમ પળ સુધી સદ્દગુણોની આરાધના કરતો રહે એમ હું કહું છું. | અધ્યનન-૪ની પુનિ દીપરત્નસાગરે હેલ ગુર્જરછાયા પૂર્ણ (અધ્યયન-અકામ મરજિજી) [129-130] સંસાર સાગર રૂપે છે. તેનો પ્રવાહ વિશાળ છે. તેને તરીને બીજે પાર પહોંચવું અતિ કઠિન છે. તે છતાં કોઈ વીરલ પુરુષ પાર પહોંચી ગયા છે. તેમાંના એક મહાજ્ઞાની પ્રભુ મહાવીર) છે. તેમણે કહ્યું છે કે મૃત્યુના બે ભેદ છે. એક અકામ
Page #22
--------------------------------------------------------------------------
________________ અધ્યયન-૫ 193 મરણ અને બીજું સકામ મરણ. [131] બાળજીવોના અકામ મરણ વારંવાર થાય છે, પરંતુ પંડિતોનાં સકામ મરણ એક જ વાર થાય છે. [132-134] શ્રી મહાવીરે પ્રથમ ભેદને વિશે કહ્યું છે, કે કામભોગમાં આસક્ત બાળજીવ અથવા અજ્ઞાની આત્મા ક્રૂર કમ કરે છે. જે કામભોગમાં આસક્ત બને છે તે હિંસક અને અસત્ય બોલનારો બને છે. તે કહે છે: “મેં પરલોક જોયો નથી અને આ કામભોગનું સુખ જે હું પ્રત્યક્ષ ભોગવું છું તે ખરું અને ઇન્દ્રિયગમ્ય છે.” વર્તમાનનું સુખ હું પ્રત્યક્ષ ભોગવી રહ્યો છું અને હસ્તગત છે. કોણ જાણે છે કે પરલોક છે અથવા નથી. [૧૩પ-૧૪૦] હું તો બધાની સાથે રહીશ. તેમનું તે મારું થાશે એમ માનીને રહેનારો કામભોગમાં લપટાઈને કષ્ટ પામે છે. પછી તે ત્રસ તેમજ સ્થાવર જીવો પર હિંસાનો પ્રયોગ કરતો થકો, પ્રયોજનથી કે વગર પ્રયોજને પ્રાણીસમૂહનો હિંસક બની જાય છે. આવા બાળ-અજ્ઞાની જીવો, અસત્ય, માયા-કપટ, નિંદા-કુથલી અને દગાબાજી કરતો કરતો છેવટે માંસ મદિરાનું સેવન કરતો થઈ જાય છે અને પોતે યોગ્ય કરે છે એમ માનતા થઈ જાય છે. પછી તે શરીરે મસ્ત થાય છે. બોલાવવામાં પણ વગર વિચાર્યું બોલે છે, ધન અને સ્ત્રીઓમાં લંપટ બને છે. તથા અળશીયાની જેમ રાગ-દ્વેષ વડે કર્મોનો સંચય કર્યા કરે છે. પછી તે ભોગોમાં આસક્ત થઈને આતંક-રોગથી પીડાતો. પોતાના કર્મોને તથા પરલોકને યાદ કરતો ભયભીત બની વિચારે છે, કે શીલરહિત દૂરકર્મો કરનાર અજ્ઞાની જીવોને તીવ્ર વેદના ભોગવવા માટે નરકમાં જવું પડે છે. [141143o વળી મેં સાંભળ્યું છે કે- દુષ્ટ કમ કર્યો હોય તેનો જન્મ ઉપપાસ્થાને નરક કુંભીઓમાં થાય છે અને ત્યાં જીવને ત્યાં મહા પરિતાપ વેઠવા પડે છે. જેમ કોઈ ગાડી ચલાવનાર સીધો રસ્તો છોડીને વિકટ માર્ગે ગાડી ચલાવે છે. અને પછી ગાડીની ધુંસરી તુટી પડતાં શોક કરે છે. તેમ ધર્મનું ઉલ્લંઘન કરી અધર્મને પંથે જાય છે તે બાળજીવ જ્યારે મૃત્યુના મુખમાં ઝડપાઈ જાય છે ત્યારે દુલ્મી-થાય છે. આ 144-145 જુગારી રમતાં રમતાં એક દાવમાં જેમ બધું હારી જાય છે તેમ અજ્ઞાની જીવ પોતાના દુષ્કર્મના ફળને સાંભળીને પરલોકના ભયથી ત્રાસી જાય છે ને અકામ મરણે મરે છે. આ રીતે અકામ મરણનું વિવેચન કર્યું છે. હવે પછી સકામ મરણનું વર્ણન કરું છું તે સાંભળો. [14-147) ભગવાન પાસેથી મેં સાંભળ્યું છે કે સંયમી અને જિતેન્દ્રિય પુણ્યાત્માઓના મરણ આઘાતરહિત અને અતિપ્રસન્ન અવસ્થામાં થાય છે. આવું કામ મરણ બધા ગૃહસ્થોને કે બધા સાધુઓને પ્રાપ્ત થતું નથી. કારણ કે કેટલીક વખત ગૃહસ્થ સુશીલ અને વિવિધ પ્રકારના ગુણસંપન્ન હોય છે ત્યારે સાધુ વિષમ શીલવાળા હોય છે. [148] કેટલાક સાધુઓની અપેક્ષાએ ગૃહસ્થો સંયમમાં ચડિયાતા હોય છે પણ શુદ્ધાચારી સાધુઓ બધા ગૃહસ્થોથી સંયમમાં શ્રેષ્ઠ હોય છે. [149-150] ભગવાં વસ્ત્ર, મૃગચર્મ, નગ્ન અવસ્થા, જટાધારીપણું, ગોદડી કે શીરકુંડન જેવા બાહ્યાચારોથી દૂરાચારી સાધુ નરકગતિમાં જતાં બચી શકતા નથી. ભિક્ષા વૃત્તિવાળા સાધુ પણ કુશીલાચારી હોય તો નરકગતિથી નથી બચતા. સાધુ 13
Page #23
--------------------------------------------------------------------------
________________ 194 ઉત્તરાયણ-૫૧૫૧ હો ય કે ગૃહસ્થી પણ જો તે સુશીલાચારી હોય તો સ્વર્ગે સીધાવી શકે છે. [૧૫૧-૧પ૨] શ્રદ્ધાવાન ગૃહસ્થ મન, વચન, કાયા વડે સમભાવ રાખે. સામાયિક કરે અને બંને પક્ષમાં એક રાત્રિ પણ પોષધ વ્રતને ન છોડે. આ પ્રમાણે શિક્ષા પામેલ વ્રતધારી શ્રાવક ગૃહવાસમાં રહેતાં છતાં પણ શરીરને છોડીને દેવલોકમાં જાય છે. [૧પ૩] સંયમી-શીલાચારી સાધુની બે અવસ્થા થાય છે. સર્વ દુઃખોથી મુક્તિ, અને દ્વિસિદ્ધિવાળી દેવગતિ. [૧૫૪-૧પપ] દેવલોકના આવાસો ઉત્તમ, મોહરહિત અને દિવ્ય જીવોની વસતિવાળા હોય છે. તેમાં જ યશસ્વી દેવો રહે છે. આ યશસ્વી દેવો દીઘાયુ, તેજસ્વી, અદ્ધિશાળી હોય છે તથા પોતાની ઈચ્છાનુસાર રૂપ ધારણ કરે છે. વળી તરતના જન્મેલાની જેવી ભવ્ય કાન્તિ તેમજ સૂર્ય સમાન તેજસ્વી હોય છે. [15] હિંસાથી નિવૃત્ત અને તપ તેમજ સંયમના અભ્યાસી જીવો સાધુ હોય કે ગૃહસ્થ હોય છતાં ઉત્તમ દેવલોકને વિશે જાય છે. [57] સત્પરુષો જેની પૂજા કરે છે એવા જિતેન્દ્રિય અને સંયમી આત્માઓનું આ વર્ણન સાંભળીને શીલવાન, બહુશ્રુત જીવ, મરણ સમયે દુઃખને અનુભવે . [158] બાલમરણ અને પંડિતમરણની તુલના કરીને બુદ્ધિમાન મનુષ્ય ઉત્તમ પ્રકારના સકામ મરણ ઈચ્છે, તથા મરણ સમયે, દયા તથા ક્ષમા ધર્મ અંગીકાર કરી. પ્રસન્ન રહે. [159-160] જ્યારે મરણ કાળ આવી જાય ત્યારે સાધુ, જે શ્રદ્ધાથી દક્ષા લીધી હતી તે જ પ્રકારે ગુરુની સમીપે પીડાજન્ય લોમ હર્ષને ત્યજીને શાન્તપણે શરીર છૂટી જવાની રાહ જુએ. મૃત્યુ સમય આવી પહોંચતાં મુનિ સમાધિપૂર્વક ભક્ત પરિજ્ઞા, ઈગિની મરણને અને પાદપોમનમાંથી કોઈ એકને સ્વીકારી સકામ મરણથી દેહને છોડે -એમ હું તમને કહું છું. અધ્યનન-૫ ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ | (અધ્યયન-ક-મુલ્લકનિગ્રન્થપણું) [161-162] જેટલા અણસમજુ જીવો છે તે બધા ઉપદ્રવ કરનારા છે. તેઓ વિવેકરહિત છે. અનન્ત સંસારમાં રખડ્યા જ કરે છે. તેથી પંડિત પુરષો અનેક બન્ધનોની સમીક્ષા કરતા સ્વયં સત્ય શોધે છે. તથા પ્રાણી માત્ર સાથે મૈત્રીભાવ રાખે છે. [163-14] પોતાના જ અપકૃત્યોથી પીડિત જનોને તેના માતા-પિતા, બધુ પત્ની, પુત્રવધુ કે સગો પુત્ર પણ મદદગાર થતા નથી. સાધક, સાચી દ્રષ્ટિ વડે તથા સ્વતંત્ર બુદ્ધિથી આ ખરી હકીકત જાણીને આસક્તિ તથા સ્નેહના બંધનનું છેદન કરે. તેમજ પોતાના પૂર્વ પરિચિતોની પણ કશી અભિલાષા ન રાખે. [15] મણી-મોતી, કુંડલ, ગાય, બળદ, અશ્વ, પશુ, નોકર, ચાકર આદિ સહયોગી, એ બધાનો પરિત્યાગી સાધક પરલોકમાં કામરૂપી દેવ થાય છે.. [16] ધનધાન્ય, કે ઘરવખરી આદિ, સ્થાવર-જંગમ સંપત્તિ, દુષ્કર્મોથી પીડાતા જીવને મુક્તિ અપાવવા સમર્થ નથી. [ 17] જીવમાત્રને અધ્યાત્મ-સુખ પ્રિય છે અને પોતાના પ્રાણ તેમજ જીવન - - -
Page #24
--------------------------------------------------------------------------
________________ અધ્યયન- 6 15 પ્રિય છે એવું જાણીને સાધક, ભય તેમજ વેરના કારણે કોઈના પ્રાણની હિંસા ન કરે. [68] અસંયમ પ્રત્યે જેને અભાવો છે એવા મુનિ તેમના પાત્રમાં આપે તેટલું જ ભોજન કરે. પરંતુ ચોરી (અદત્તાદાન) એ નરકમાં લઈ જનાર છે એમ મુનિ સમજી કોઈનું એક તણખલું પણ ગ્રહણ ન કરે. [19] સંસારમાં કેટલાકોનું એવું માનવું છે કે ચારિત્ર ગ્રહણ કર્યા વગર કે હિંસાના ત્યાગ વગર માત્ર તત્ત્વજ્ઞાનને જાણવાથી બધા દુઃખોમાંથી મળે છે. [170 જેઓ બંધ તથા મોક્ષના સિદ્ધાંતોને સ્વીકારે છે અને ઘણું બોલે છે પણ કાંઇ કરતા નથી. એવા અજ્ઞાની કેવળ વાચાબળથી માત્ર પોતાને આશ્વાસન આપે છે. [171) વિવિધ પ્રકારની વિદ્યા કે ભાષાનું બળ, જીવની રક્ષા નથી કરી શકતું. પરંતુ એવી પંડિતાઈથી પોતાને સુરક્ષિત માનતો જીવ અનેક પાપ કર્મ કરતો જ રહે છે. [172 મન, વચન અને કાયાથી જે શરીરના વર્ણ અને રૂપમાં આસક્તિ રાખે છે, તે પોતાને માટે દુઃખ ઉત્પન્ન કરે છે. ૧૭૩-૧૭પ સાધકે પોતે જ આ અનન્ત સંસારનો લાંબો માર્ગ સ્વીકાર્યો છે તેથી તેણે બધી દિશાઓ ઉત્પત્તિસ્થાનો અને અપ્રમાદપણે વિચારવું જોઈએ. ઊંચું લક્ષ રાખનાર સાધકે બાહ્ય વિષયોમાં આસક્તિ રાખવી જોઈએ. આ દેહને માત્ર પૂર્વ કમને ખપાવવાના કામમાં લગાડી દેવો જોઈએ. મળેલા શુભ અવસરને ઓળખી લીધા પછી સાધકે કર્મ-બંધનના હેતુઓને દૂર કરીને જ વિચારવું જોઈએ. ગૃહસ્થને ત્યાં ગોચરી કરતી વખતે આહાર તથા પાણી પ્રમાણ તેમજ આવશ્યકતા પુરતાં જ લેવા જોઈએ. [176-177] સાધકે કોઈ પણ ચીજનો સંગ્રહ ન કરવો. પક્ષીને વ્રત નિરપેક્ષભાવે પાત્ર લઈને ભિક્ષા અર્થે ફરવું. લાવંત મુનિ ગામોમાં વિવેક સહિત. અનિયત વિહાર કરતા થકા, ગૃહસ્થને ઘેરથી યોગ્ય તપાસ કર્યા બાદ ભિક્ષા લે. [178] આ રીતે અનુત્તર-જ્ઞાન, દર્શનના ધારણહાર તત્ત્વજ્ઞાનને સમજાવનાર, તીર્થકર જ્ઞાતપુત્ર શ્રી મહાવીરે ફરમાવ્યું છે. એ પ્રમાણે હું તમને કહું છું. અધ્યયન-૬-ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ (અધ્યયન-૭) [૧૭૯-૧૮ર જેમ કોઈ માંસાહારી પોતાને ત્યાં આવનાર મહેમાનના ભોજન અર્થે ઘેટાને લીલું ઘાસ, ચોખા તથા જવ ખવરાવીને પોતાના આંગણાંમાં બાંધીને સરસ પોષણ કરે છે. તે ઘેટો સારી રીતે ખાઈ - પીને રૂદ્ધ-પૃષ્ઠ બળવાન તથા મોટા પેટવાળો બની જાય છે. પછી તે માંસથી ભરેલા શરીરવાળો પ્રાણી કોઈ મહેમાન આવે તેની જ પ્રતીક્ષા કરતો હોય છે. જ્યાં સુધી અતિથિ નથી આવતો ત્યાં સુધી જ તે પ્રાણીનું જીવન સલામત છે. પણ મહેમાન આવતાં જ તેના સ્વાગત માટે તેને કાપીને ખવરાવી દેવામાં આવે છે. મહેમાન માટે જ જેનું પોષણ થતું હતું અને જેમ ઘેટો તેની જ રાહ પૂરતો જીવતો હતો તેમ અજ્ઞાની દુષ્ટ જીવ પણ વાસ્તવિક રીતે નરકની પ્રતીક્ષા કરે છે. [183-185] હિંસક, અજ્ઞાની, ખોટા બોલો, પથિકોને લૂંટનારે, બીજાને આપવાની વસ્તુ પચાવી પાડનારો, ચોર, ઠગ અને સદાય કયાંથી ચોરી કરું એવું જ ચિંતવનાર ધૂતારો,-સ્ત્રી આદિ વિષયોમાં આસક્ત, મહાઆરંભી, માંસમદીરાનો
Page #25
--------------------------------------------------------------------------
________________ 196 ઉત્તરાયણ- 7186 વ્યસની, બળવાન હોઈને બીજાને દુખ દેનારો- બકરાની જેમ કર કર શબ્દ કરી માંસાદિ અભક્ષ્યનો ખાનારો, ઘણું લોહી તથા મોટા પેટવાળો મનુષ્ય રહે છે તે ઉપરોક્ત ઘેટાની જેમ જ નરક ગતિની આકાંક્ષા સેવતો હોય છે, [18-188] વળી એ મનુષ્ય મેડી-મહેલાતો, ધનસંપત્તિ, ગાડીઘોડા તથા કામભોગનો ભોગવટો કરીને દુઃખનો સંચય કરીને, બધું છોડીને કમરજની ઢગ ભેગો કરે છે. માત્ર વર્તમાનમાં જ મસ્ત બનીને, ભારે કમ બાંધીને જીવ, મૃત્યુ સમયે જેમ મસ્ત થયેલા ઘેટાને મહેમાન આવતાં કાપી નાખવામાં આવે છે તેની જેમ તે શોક કરે છે. અજ્ઞાની જીવ, વિવિધ પ્રકારની હિંસા કરીને, આયુષ્યને અને શરીર છોડીને કરેલા કર્મો પ્રમાણે ઘોર અંધકારમય નરકને વિશે જાય છે. [189-191] એક ક્ષુદ્ર કાકિણી માટે જેમ મુખ મનુષ્ય હજારોનું ધન ખોઈ બેસે છે, જેમ રાજાએ એક અપથ્ય આંબાને ખાઈને વળતરમાં રાજ્ય તથા જીવન ખોયું. એ જ રીતે દેવતાઓના કામભોગોની ગણતરીએ મનુષ્યનો ભોગ વિલાસ તો નહીં જેવો છેકારણ કે દેવતાઓને આયુષ્ય અને કામભોગ મનુષ્ય કરતાં હજાર ગણા વધારે હોય છે. પ્રજ્ઞાવાન સાધક મૃત્યુ બાદ દેવલોકનું અસંખ્યવર્ષનું આયુષ્ય ભોગવે. એમ જાણવા છતાં સો વર્ષથી પણ ઓછા આયુષ્યવાળો મનુષ્ય એવા દિવ્ય સુખોને ખોઈ નાખે છે. [192-194] ત્રણ વણિકપુત્રનું દાંત છે એક ધન લઈને વેપાર કરવા તો ઘણું ધન લઈને આવ્યો, બીજો માત્ર મૂળ મૂડી લઈને આવ્યો અને ત્રીજો પુત્ર તોમૂળ મૂડીને પણ ખોઈને આવ્યો. આ તો વ્યાવાહિરક ઉદાહરણ છે. છતાં ધર્મ કરણીને પણ એ જ દ્રશ્ચંતે સમજવી જોઇએ. ઉપરના દ્રષ્ટાંતમાં મનુષ્યત્વ મૂળ ધન છે. દેવગતિ નફાનો વેપાર છે અને મૂળ પૂજીને ખોઈ નાખવાથી જીવ તીર્થંચ તથા નરક ગતિનો અધિકારી બને છે. [૧૯પ-૧૯૭] લોલુપતા અને વંચતાને કારણે દેવગતિને તથા મનુષ્ય ગતિને ખોઈ નાખી હોય છે પછી તેને માટે તીર્થંચ અને નારકી એ બે ગતિ જ પ્રાપ્ત થવાની બાકી રહે છે. આમ અજ્ઞાન જીવને બે નીચલી ગતિમાં દીર્ઘ કાળ સુધીનું આયુષ્ય મળ્યા પછી, દેવ તથા મનુષ્ય ગતિ તો તે લાંબા કાળ માટે હારી ગયા હોય છે. એ રીતે ઉત્તમ ગતિને હારી બેઠેલા જીવોને જોઈને તેમ જ બાળ તથા પંડિત જીવોની ગતિની તુલના કરીને જે મનુષ્ય યોનિ પ્રાપ્ત કરે છે તે મૂળ ધન કમાઈ આવ્યા બરોબર છે. [198-200] ઊંચા સદ્ગુણો તથા ઉત્તમ વ્રતો ધારણ કરી જે ગૃહસ્થાશ્રમમાં રહે છે તે મનુષ્ય જન્મ મેળવે છે કારણ કે તેના ઉત્તમ કત્યોના ઉમદા ફળ તેને મળે છે. અને વિવિધવ્રતો સહિત જે ઘરમાં રહેતા પણ શીલસંપન્ન હોય છે, તેવા દીનતારહિત પુરુષો મનુષ્ય જન્મરૂપી મૂળ ધનમાં પણ વધારો કરી દેવગતિને મેળવે છે. આમ દીનતારહિત સાધુ કે ગૃહસ્થને લાભ લેતા જોઈને કયો વિવેકી પુરુષ એવો ઉત્તમ લાભ ખોશે? અથવા ખોવાઈ જતો જોઈને પશ્ચાત્તાપ કર્યા વગર રહી શકશે? [201-201ii દેવતાઓના કામભોગના પ્રમાણમાં મનુષ્યના કામભોગ કંઈ તુલનામાં નથી. જેમ સોયની અણિ પરનું જળબિન્દુ સમુદ્ર આગળ કંઈ હિસાબમાં નથી. મનુષ્યોના અલ્પ આયુષ્યના કામભોગ આમ સોયની અણિ પર રહેલા જળબિન્દુ સમાન છે. તેમ છતાં અજ્ઞાની જીવ કયા કારણે પોતાના અમૂલ્ય લાભને નથી સમજી શકતોન? મનુષ્યભવમાં કામભોગથી નિવૃત્ત નથી થતા તેનો આત્માર્થ નષ્ટ થઈ જાય છે
Page #26
--------------------------------------------------------------------------
________________ અધ્યયન-૭ 197 કેમ કે તે સન્માર્ગની વાતો વારંવાર સાંભળતા છતાં તેને છોડી દે છે. પરન્તુ મનુષ્યદેહ ધારણ કરીને જે કામવાસના ત્યજે છે તેનું આત્મપ્રયોજન સરળ થાય છે અને આ શરીરને છોડીને તે દેવલોકમાં જાય છે એવું મેં સાંભળ્યું છે. દેવલોકથી ચ્યવીને રિદ્ધિસિદ્ધિ, યશ, વર્ણ, દીર્ધાયુ તથા સુખ હોય છે એવા મનુષ્ય કુળમાં જન્મે છે. [206-207] બાળજીવોની અજ્ઞાનતા તો જુઓ ! તેઓ ધર્મને છોડીને અધર્મ ગ્રહણ કરે છે તથા અધર્મનિષ્ઠ બનીને નરકને વિશે ઉત્પન્ન થાય છે. ધર્મનું અને વ્રતોનું પાલન કરનારા ધીરપુરુષોનું ધૈર્ય તો જુઓ! તેઓ અધર્મને છોડીને ધર્મષ્ઠ બનીને દેવતાની ગતિ મેળવે છે. 2i08] સાધક મુનિબાળભાવને છોડીને, ગુણદોષનો વિવેક વાપરીને, સમજપૂર્વક બાળભાવ ત્યજીને અબાળ ભાવને સ્વીકારે છે.- એમ હું તમને કહું છું. | અધ્યયન-૭ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ ] (અધ્યયન-૮-કાપિલીય) [29] ચંચળ, અશાશ્વત અને દુઃખગર્ભિત સંસારમાં એવાં ક્યાં કર્યો છે કે જેને આચરીને હું દુર્ગતિમાં ન જાઉં? _210) પૂર્વના સંબંધો છોડ્યા પછી કોઈ સાથે સ્નેહ ન કરે, સ્નેહ કરનારની સાથે પણ નેહથી ન જોડાય એવો સાધક બધા દોષોથી મુક્ત થઈ જાય છે. [211-213] કેવળજ્ઞાન તથા કેવળદર્શનવાળા તથા મોહથી છૂટી ગયા છે એવા કપિલ મુનિએ સર્વ જીવોના હિત તથા કલ્યાણ અર્થે એમ કહ્યું છે કે- કર્મબન્ધનના હેતુરૂપ બધા પ્રકારના પરિગ્રહનો તથા કલેશનો મુનિ ત્યાગ કરે. કામભોગોના બધા પ્રકારોમાં દોષ દેખીને તેમાં ન લેપાતાં મુનિ આત્મરક્ષણ કરે. આસક્તિજનક ભોગોમાં મગ્ન, હિત અને નિશ્રેયસમાં વિપરીત બુદ્ધિવાળો અજ્ઞાની, મૂઢ જીવ કફના બળખામાં માખીની જેમ ફસાઈ પડે છે. | [214o કામભોગનો ત્યાગ કઠિન છે, અધીર જીવો સહેલાઈથી તેને છોડી શિકતા નથી. પરંતુ જે વ્રતધારી સાધકો છે તે. વણિકની જેમ સમુદ્રને તરી જાય છે તથા કામભૌગોનો સહેલાઈથી ત્યાગ કરી શકે છે. [215-218] પોતાને “શ્રમણ છું” એમ કહેવા છતાં પણ પશુની જેમ અજ્ઞાની. જીવ, પ્રાણ-વધને નથી સમજતો તેથી તેની પાપ દ્રષ્ટિને કારણે તે નરકને વિશે જાય છે. જેમણે સાધુ ધર્મનો ઉપદેશ કર્યો છે એવો આર્ય પરષોએ કહ્યું છે કે “પ્રાણી-વધનું અનુમોદન કરનાર કદી પણ મુક્તિને નથી પામતો.” જીવોની હિંસા નહી કરનારા સાધકને “સમ્યક પ્રવૃત્તિવાળો” કહેવામાં આવે છે. ઊંચે સ્થળેથી જળ, જેમ આપોઆપ સરી જાય છે તેમ, તેમના જીવનમાંથી પાપ કર્મ સહેજે સરી જાય છે. આ વિશ્વમાં જેટલા ત્રસ અને સ્થાવર જીવો છે તેમને દુઃખ થાય તેવો આરંભ મન, વચન કાયાથી ન કરે. [219-220] શુદ્ધ એષણાઓને જાણી સાધુ તેને પોતામાં અંગીકાર કરે એટલે પાલન કરે ને સંયમ પાળતા આહાર કરે છતાં તેમાંના રસોમાં મૂર્શિત ન બને. જીવન નિભાવ અર્થે સાધુ, રસહીણા, ટાઢા, કાળ વ્યતિત થયેલા અડદ કે કઠોળ અથવા સુકવેલા બદરચુર્ણ આદિ ભિક્ષા લે.
Page #27
--------------------------------------------------------------------------
________________ 198 ઉત્તરઝયા- ૮/રર૧ [221] જે સાધુ લક્ષણશાસ્ત્ર, સ્વપ્નશાસ્ત્ર, તથા અંગવિદ્યાના પ્રયોગો કરતા હોય તેને સાધુ ન કહેવા. એમ આચાર્યોએ કહ્યું છે. [222-223] જે પોતાના વર્તમાન સંયમી જીવનનું નિયંત્રણ ન કરી શકવાના કારણે સમાધિયોગથી ભ્રષ્ટ થઈ જાય છે તેવા કામભોગ તથા રસોમાં આસકત જીવો અસુરકાયમાં ઉત્પન્ન થાય છે. ત્યાંથી નીકળીને પણ તે સંસારમાં લાંબા કાળ સુધી પરિભ્રમણ કરે છે. કારણ કે તેવા ભારે કર્મી જીવોને બોધ થવો અતિ દુર્લભ છે. રિર૪-રરપી ધન, ધાન્યથી ભરપૂર એવા આ સમગ્ર લોકને પણ કોઈને આપી દેવાય તોયે તેને સંતોષ નહીં થાય એવી તૃષ્ણાની લોલુપતા છે. જેમ જેમ લાભ થતો જાય છે તેમ તેમ લોભ વધતો જાય છે. જેમ કપિલ મુનિ બે માસા સોનું લેવા જતાં કરોડો સુવર્ણ મુદ્રિકાથી પણ સંતોષાયા ન હતા. [226-227] ગુમડાની જેમ સ્તનો, તથા કામવાસનાવાળી અને કપટથી ભરેલી અનેકચિત્તાસ્ત્રીઓ, પુરુષોને દાસની જેમ લલચાવે છે અને નચાવે છે તેવી રાક્ષસી સમાન સ્ત્રીઓમાં આસક્તિ ન રાખવી. સ્ત્રીનો ત્યાગી તેઓમાં આસક્ત ન થતાં ભિક્ષુ ધર્મને એકાન્ત કલ્યાણકારી માનીને તેમાં જ પોતાના આત્માને સ્થિર કરે. [28] વિશુદ્ધ પ્રજ્ઞાવાન કપિલમુનિએ આ પ્રમાણે સાધક ધર્મ વર્ણવ્યો છે. તેની સમ્યફ આરાધના કરનાર ઉભય લોકની આરાધના કરશે. સંસાર તરીને ઉચ્ચ . ગતિને પ્રાપ્ત કરશે. - એમ હું તમને કહું છું. અધ્યયન-૮ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ (અધ્યયન-૯-નમિપ્રવજ્યા) [229-232 દેવલોકમાંથી Aવીને મિરાજના જીવે મનુષ્ય લોકમાં જન્મ લીધો. તેમના મોહની ઉપશાન્તિ થઈ તેથી તેમને પૂર્વ જન્મનું સ્મરણ થયું નમિએ પૂર્વજન્મનું સ્મરણ કરીને, ઉત્તમ એવા ધર્મમાં સ્વયં પ્રજ્ઞાવંત થયા તથા રાજ્યકારભાર પુત્રને સોંપીને તેમણે અભિનિષ્ક્રમણ કર્યું. શ્રેષ્ઠ રાજવાસ ભોગવ્યા. દેવલોક સમાન ભોગો ભોગવીને એકદિવસ તેનો પરિત્યાગ કરીને કેવળી થયા. મિથિલાનગરીનું રાજપાટ, પુર, સેના, તથા સમગ્ર રાજધાનીને છોડીને સંયમ સ્વીકારી એકાન્તવાસી બન્યા. [૨૩૩-૨૩પ જે સમયે નમિ-રાજર્ષિ પ્રવજ્યા-દીક્ષા લઈ રહ્યા હતા તે વખતે મિથિલાની જનતામાં કોલાહલ મચ્યો હતો. સંયમ લેવા તૈયાર થયેલા નમિરાજર્ષિને બ્રાહ્મણના રૂપમાં આવેલા ઈન્દ્રરાજાએ કહ્યું- “હે રાજર્ષિ ! આજે મિથિલા નગરીના રસ્તા પરની હવેલીઓ અને રાજમહેલમાં દયદ્રાવક કકળાટ કેમ મચી રહ્યો છે?” [૨૩૬-ર૩૮] ઈન્દ્રરાજાના આ પ્રશ્નના ઉત્તરમાં એમનો આશય સમજીને નમિરાજ રષિએ આ પ્રમાણે કહ્યું. મિથિલાનગરીમાં એક સુંદર વૃક્ષ હતું. જે અતિરમ્ય, પત્ર, પુષ્પ તથા સુગંધી ફૂલોથી ભરેલું, સહુને શીતળ છાયા આપનારું તથા અનેક પક્ષીઓને આશ્રય દેનારું હતું. પ્રચંડ તોફાનને કારણે એ સુંદર વૃક્ષ તૂટી પડવાને કારણે આશ્રય વિનાના દુઃખી પક્ષીઓ કકળાટ કરે છે. [239-242] નમિરાજર્ષિના આ ભાવવાહી ઉત્તરને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત થયેલા ઇન્દ્રરાજે કહ્યું કે- “અહીં આગના ભડકા છે, વાયુનું તોફાન ચાલી
Page #28
--------------------------------------------------------------------------
________________ અધ્યયન૮ રહ્યું છે, અહીં આપનો રાજમહેલ ભસ્મીભૂત થઈ રહ્યો છે. ભગવંત ! આપ એની તરફ કેમ લક્ષ દેતા નથી?” ઈન્દ્રરાજના આવા સંકેતને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરાયેલા એવા નમિરાજર્ષિ આ પ્રમાણે કહે છે. “જેની પાસે પોતાનું કહેવા જેવું કાંઈ પણ નથી રહ્યું એવો હું અતિ સુખી છું, મિથિલા બળી રહી હોય તો એમાં મારું કશુંય બળતું નથી.” [243-244] “પુત્રી, પત્ની તથા ગૃહસ્થાશ્રમથી મુક્ત થયેલ સાધુને કોઈ વસ્તુ પ્રિય નથી તેમ કોઈ વસ્તુ અપ્રિય નથી.” બધી રીતે હું એકલો છું આમ એકાન્તવૃષ્ટા એકત્વદર્શી, અને ગૃહત્યાગી મુનિને બધી રીતે સુખ જ છે.” 245-246] આવા ઉચ્ચ હેતુસરનો ઉત્તર સાંભળીને વધુ ભાવોદિત થયેલા ઈન્દ્રરાજાએ કહ્યું કે- “હે ક્ષત્રિય ! આ નગરને રક્ષણ માટે ફરતો કિલ્લો, તેનો મજબૂત દરવાજો, અઠ્ઠાલિકાઓ, ખાઈ, અને કોઈ ચઢાઈ કરવા આવે તો તેને પાછા ધકેલી દેવા માટેની પરિખા-તોપો આદિ ગોઠવીને પછી દીક્ષા લે.” -250] આ વાત સાંભળીને હેતુ અને કારણથી પ્રેરાયેલા નમિ રાજર્ષિએ આ પ્રમાણે ઇન્દ્રરાજાને કહ્યું- “શ્રદ્ધાનું નગર, તપ તથા સંયમનો અર્ગલ, ક્ષમાનો મન, વચન કાયારૂપી ત્રણે ગુપ્તિથી સુરક્ષિત તથા મજબૂત પ્રાકાર બનાવેલ છે" “પરાક્રમનું ધનુષ્ય, ઈય સમિતિ રૂપી દોર, ધૃતિ રૂપ મુઠ બનાવી છે તથા સત્ય વડે તેને બાંધેલી છે.” "તપરૂપી બાણો સાથેના ધનુષ્યથી કર્મરૂપી કવચને ભેદીને અંતર યુદ્ધમાં જેણે વિજય પ્રાપ્ત કરેલ છે એવા મુનિ સંસારથી મુક્ત બન્યા હોય છે.” [૨પ૧-૨પ૨] આવા અર્થને સાંભળતો ઇન્દ્ર, હેતુ તથા કારણથી પ્રેરાઈને નમિરાજને આમ કહે છે- “હે રાજર્ષિ ! પહેલાં આપ રાજમહેલ, વર્ધમાન ગૃહ તથા. ચન્દ્રશાળા બનાવીને પછી પ્રવજ્યા ગ્રહણ કરજો.” [૨પ-૨પ૪] આવી સૂચનાઓ શ્રવણ કરીને હેતુ તથા કારણથી પ્રેરાયેલા એવા નમિરાજર્ષિ ઇન્દ્રને આમ કહે છે- “માર્ગે ચાલતાં જે ઘર કે પ્રાસાદ બાંધે છે તે પોતાની સંશયજનક સ્થિતિ ખડી કરે છે. ખરી રીતે તો જ્યાં પોતાને જવું છે ત્યાં જ સ્થાયી ઘર બનાવવું જોઈએ. [૨પપ-૨પ૬] આવો જવાબ મળતાં હેતુ તથા કારણથી ભાવવાહિત થયેલા ઇન્દ્રરાજે નમિરાજર્ષિને આમ કહ્યું- હે રાજન! તમે ચોર, લૂંટારા, ડાકુઓ, ઘર ફાડુઓ, વગેરેથી તમારા નગરને સુરક્ષિત કરીને પછી સંયમ લો. [૨પ૭-૨૫૮] ઉગ્ર વૈરાગી નમિરાજર્ષિએ એમ સાંભળીને ઈન્દ્રને આ પ્રમાણે કહ્યું- આ જગતમાં ગુન્હેગારોને અનેકવાર શિક્ષા દેવામાં આવી હશે, પણ પ્રાયઃ નિર્દોષ પકડાઈ જાય છે અને ગુન્હો કરનાર છૂટી જતા હોય છે. | રિપ૯-૨૬૦] એવું સાંભળીને હેતુ તથા કારણથી પ્રેરિત થયેલ દેવતાઓના રાજા ઇન્દ્ર, નમિરાજર્ષિ પ્રત્યે આમ કહ્યું- હે ક્ષત્રિય ! જે રાજાઓ હમણાં તમને નમતા નથી એટલે તમને ખંડણી નથી ભરતા તેમને વશ કરીને પછી પ્રવ્રજ્યા લો. [261-264] એવું સાંભળીને હેતુ તથા કારણથી પ્રેરિત થયેલા નમિ રાજર્ષિએ ઈન્દ્રરાજાને કહ્યું- ખુંખાર સંગ્રામમાં દસ લાખ યોદ્ધાઓને જીતનારની અપેક્ષાએ પોતા. પર વિજય મેળવનાર મોટા વિજેતા છે. બહારના યુદ્ધથી શું વળે? સ્વયં પોતે પોતાને જીતીને સાચું સુખ મેળવી શકાય છે. પાંચ ઈન્દ્રિયો, ક્રોધ, માન, માયા, લોભ અને મનને
Page #29
--------------------------------------------------------------------------
________________ 200 ઉત્તરઝયણ -925 જીતવાં એ જ દુષ્કર છે- એક પોતાને જીતી લીધા પછી બધાંને જીતી શકાય છે. [265-266 આવા અર્થની વાત સાંભળીને હેતુ તથા કારણને વશ થઈ ઈન્દ્રાજએ નમિાજર્ષિને આમ કહ્યું- ક્ષત્રિય ! તમે મોટા થશો કરો ! સાધુ-બ્રાહ્મણોને ભોજન કરાવો, દાન કરો. એનો ભોગવટો કરીને પછી સંયમ અંગીકાર કરો. [27-268] એવી શીખામણ શ્રવણ કરીને હેતુ કારણ પ્રેરિત નિમિરાજર્ષિએ દેવોના પણ ઈન્દ્રને આ પ્રમાણે કહ્યું. જે મનુષ્ય દર મહિને દસ લાખ ગાયોનું દાન કરે છેએને માટે પણ સંયમ શ્રેયસ્કર છે, કલ્યાણકારક છે. પછી ભલેને કંઈ પણ ધન ન કરે. [269-270] એવો ઉપદેશ સાંભળીને હેતુ તથા કારણથી પ્રેરિત ઇન્દ્ર રાજાએ નમિ રાજર્ષિને આ પ્રમાણે કહ્યું. હે! તમે ઉત્તમ ગૃહસ્થાશ્રમને છોડીને બીજા સંન્યાસ આશ્રમને ધારણ કરવા ઇચ્છો છો તે બરાબર નથી. ગૃહસ્થાશ્રમમાં રહીને પણ પૌષધ આદિ વ્રત કરતા રહો! [૨૭૧-૨૭ર ઈન્દ્રરાજાનું કથન સાંભળીને હેતુ તથા કારણથી પ્રેરિત એવા. નમિસ્જર્ષિએ ઇન્દ્રદેવને આ પ્રમાણે કર્યું. જે બાળ-સાધકો, ઉગ્ર તપસ્વીઓ માસ માસના ઉપવાસ કરે છે અને પારણે સોયની અણિ પર રહે એટલોજ ખોરાક લે છે તેઓ સંયમી પુરુષોના સોળમા ભાગનું ફળ પણ નથી પામી શકતા. [273-274] આવું દ્રષ્ટાંત સાંભળી ને હેતુથી તથા કારણથી પ્રેરાયેલા એવા ઈન્દ્રદેવે મિરાજર્ષિને આમ કહ્યું- હે રાજેન્દ્ર ! સોના, ચાંદી, હીરા અને મોતીનો ભંડાર, વસ્ત્ર, વાહનો, કાંસાનાં પાત્રો તથા ખજાનાને તર કરીને પછી મુનિ બનો ! [૨૭પ-૨૭૭] એવી વાત સાંભળીને હેતુ તથા કારણથી પ્રેરિત એવા નમિરાજર્ષિએ ઇન્દ્ર દેવને આમ કહ્યું- સોના અને ચાંદીના કૈલાસ જેવા અસંખ્ય પર્વતો હોય તો પણ લોભી મનુષ્યને તેથી તૃપ્તિ થતી નથી. કારણ કે ઇચ્છાઓ આકાશની જેમ અનંત છે. “પૃથ્વી પરના તમામ પ્રદેશો, ચોખા, યવ, સોનું તથા પશુઓ પણ એક મનુષ્યની ઈચ્છા પૂર્તિ માટે પુરા નથી પડતા” એમ જાણી સાધક તપનું આચરણ કરે. T રિ૭૯-૨૭૯) એમ સાંભળીને હેત તથા કારણથી પ્રેરિત થયેલ એવા દેવેન્દ્ર નમિરાજર્ષિને આમ કહ્યું- હે પાર્થિવ ! તમે પ્રત્યક્ષ રહેલા ભોગોને ત્યાગવા તૈયાર થયા. છો અને નથી મળ્યા એવા ભોગોની ઈચ્છા કરી રહ્યા છો. માટે તમે તમારા સંકલ્પોથી છેતરાઈ રહ્યા છો. એટલે તમે વ્યર્થ તરંગોથી ઠગાઈ રહ્યા છે. 280-282] આ ઉપદેશ સાંભળીને હેતુ તથા. કારણથી પ્રેરિત એવા નમિરાજર્ષિએ ઈન્દ્ર દેવને આ પ્રમાણે કહ્યું. “સંસારના કામભોગ કાંટા રૂપ છે, ઝેર રૂપ છે, આસીવિષ સર્પ જેવા છે. એવા કામભોગોની ઈચ્છા રાખવા છતાં જે પરિસ્થિતિને આધિન તેનું સેવન નથી કરી શકતા તેઓ પણ દુર્ગતિને પામે છે. ક્રોધથી અધોગતિ થાય છે, માનથી અધમગતિ થાય છે, માયા સદ્ગતિમાં બાધારૂપ બને છે અને લોભ વડે આ લોક અને પરલોક ભયરૂપ બને છે. [283-288ii દેવેન્દ્ર આ લાંબા વાર્તાલાપ પછી બ્રાહ્મણ રૂપ છોડીને અસલ ઇન્દ્ર રૂપ ધારણ કરીને મધુરવાણીથી સ્તુતિ કરતા હાથ જોડીને (નમિરાજર્ષિ) સમક્ષ ઊભા રહ્યા. “અહો આશ્ચર્ય છે ! આપે ક્રોધને જીત્યો, માનનો પરાજ્ય કર્યો, માયા રહિત થયા તથા લોભને વશ કર્યો !" “અહો ઉત્તમ છે તમારી સરળતા, ઉત્તમ છે તમારી મૃદુતા,
Page #30
--------------------------------------------------------------------------
________________ અધ્યયન-૯ 201 ઉત્તમ છે તમારી ક્ષમા, અને ઉત્તમ છે તમારી નિલભતા !" ભગવાન ! આપ આ લોકમાં તો ઉત્તમ છો, પણ પરલોકમાં પણ ઉત્તમ થશો, કર્મફળથી રહિત થઈને આપ સર્વોત્તમ એવા સિદ્ધિના સ્થાનને પ્રાપ્ત કરશો. આ પ્રમાણે હર્ષથી સ્તુતિ કરતા ઈન્દ્ર દવે શ્રદ્ધાથી રાજર્ષિને પ્રદક્ષિણા કરતાં અનેક વાર વંદન કર્યા. આમ મુનિવરના ચક્ર તથા. અંકુશના લક્ષણો યુક્ત એવા ચરણોને વંદન કરીને રમ્ય તથા ચપળ કુંડલ તથા. મુકુટધારી, ઈન્દ્ર રાજા આકાશ માર્ગે ચાલ્યો ગયો. રિ૮૯] નમિરાજર્ષિએ આત્મભાવના વડે પોતાને સુસજ્જ કય, સાક્ષાત્ ઈન્દ્રના ઉપદેશને સાંભળવા છતાં પણ ગૃહ-લક્ષ્મીને તજીને શ્રમણ ધર્મમાં સ્થિર થયા. [290) પ્રજ્ઞાવંત, પંડિત તથા વિચક્ષણ પુરૂષ આ રીતે ભોગોથી નિવૃત્ત થઈને નમિ રાજાષની જેમ સિદ્ધિને વરે છે. -એમ હું તમને કહું છું. અધ્યયન-૯ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ (અધ્યયન-૧૦મપત્રક [291] કાળ વ્યતીત થતાં ઝાડનાં સૂકા પાંદડા સફેદ થઇને ખરી પડે છે. તેવું જ મનુષ્યનું જીવન છે તેથી હે ગૌતમ! સમય માત્રનો પણ પ્રમાદ ન કર. [29] ડાળની અણી પર રગેલા પાણીના બિન્દુની જેમ મનુષ્યજીવન ક્ષણિક છે. તેથી કરીને હે ગૌતમ! એક ક્ષણનો પણ પ્રમાદ કરીશ નહીં. [23] આયુષ્ય અલ્પ છે, વિદ્ગો ઘણાં છે. તેમાં પૂર્વે બાંધેલાં અસંખ્ય કર્મોને ખપાવવાં છે તેથી હે ગૌતમ! એક ક્ષણ પણ પ્રમાદ કરીશ નહીં. [24] વિશ્વના તમામ પ્રાણીઓને સદાને માટે મનુષ્યભવની પ્રાપ્તિ અતિ દુષ્કર છે. તેથી હે ગૌતમ! એક સમયનો પણ પ્રમાદ ન કરીશ. [૨૯૫-૨૯૯]પૃથ્વીકાયમાં, અપ્લાયમાં, તેઉકાયમાં...વાયુકાયાં....અને વનસ્પતિકાયમાં જન્મ લીધા પછી જીવ-ફરીફરીને તેમાં જન્મ લેતાં અસંખ્ય કાળ સુધી તેમાં જ રહે છે. માટે હે ગૌતમ! સમય માત્રનો પ્રમાદ ન કર, [300-302] બેઈન્દ્રિય તેઈન્દ્રિય... ચઉરિન્દ્રિયમાં જન્મ લઈને જીવ વારંવાર ત્યાં ઉત્પન્ન થઈને સંખ્યાત કાળ વ્યક્તિત કરે છે તેથી હે ગૌતમ ! ક્ષણવારનો પણ પ્રમાદ કરીશ નહી. [33] પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થઈને જીવ સાત આઠ ભવ સુધી ત્યાં સમય ગાળે છે, માટે હે ગૌતમ! એક સમયનો પણ પ્રમાદ ન કર. [304] દેવ અને નરક યોનિમાં ગયેલો જીવ એક એક ભવ સુધી ત્યાં રહે છે તેથી હે ગૌતમ! સમય માત્રનો પણ પ્રમાદ ન કર. [305] પ્રમાદ સેવતો થકો જીવ શુભાશુભ કમોને કારણે સંસારનું પરિભ્રમણ. કરે છે તેથી હે ગૌતમ! ક્ષણભરનો પણ પ્રમાદ ન કર, [30-310] દુર્લભ એવો મનુષ્યજન્મ મળવા છતાં પણ આયત્વ પ્રાપ્ત થવું કઠિન છે. કારણ કે કેટલાક મનુષ્ય હોવા છતાં દસ્યુ તથા મ્લેચ્છ હોય છે, આર્યત્વ મળવા છતાં અવિકલ પંચેન્દિયત્વની પ્રાપ્તિ કઠિન છે. કારણ કે ઘણા જીવો વિકલેન્દ્રિય જોવામાં આવે છે, અવિકલ એટલે પૂર્ણ પંચેન્દ્રિયત્વની પ્રાપ્તિ થવા છતાં પણ શ્રેષ્ઠ
Page #31
--------------------------------------------------------------------------
________________ 202 ઉત્તરજઝયણ - 10/310 ધર્મનું શ્રવણ પણ દુર્લભ છે. કારણ કે કુતીર્થિઓને સેવવાવાળા ઘણા છે, ઉત્તમધર્મને સાંભળવાનો યોગ થવા છતાં તેના પ્રત્યે શ્રદ્ધા ઉત્પન્ન થવી દુર્લભ છે. કારણ કે ઘણા જીવો મિથ્યાત્વનું સેવન કરે છે, અને ધર્મની શ્રદ્ધા થયા પછી પણ તે પ્રમાણેનું આચરણ. કરવું કઠિન છે. ઘણા ધર્મશ્રદ્ધાળુ કામભોગમાં આસક્ત છે માટે હૈ ગૌતમ ! ક્ષણભરનો પ્રમાદ કરીશ નહીં. [311-316 તમારું શરીર જીર્ણ થઈ રહ્યું છે. વાળ પાકી ગયા છે અથતિ ધોળા થયા છે. શ્રવણ શક્તિ ઘટતી જાય છે. આંખોની દ્રષ્ટિ ઓછી થતી જાય છે..... ધાણ શક્તિ ઘટી જવા માંડી છે,... જીભની રસશક્તિનો નાશ થઈ રહ્યો છે.... તમારી સ્પર્શેન્દ્રિય પણ ક્ષીણ થઈ રહી છે, અને તમામ શક્તિઓ-બળ ક્ષીણ થઈ રહી છે માટે હે ગૌતમ! એક પળનો પળ પ્રમાદન કર.. 317] અરતિ, ગંડ-ગુમડાં, વિસૂચિકા, ઓડકાર, વમન તથા વિવિધ રોગો શરીરને વિકૃત અને વિનાશ કરે છે. માટે હે ગૌતમ! એક પળનો પણ પ્રમાદ ન કર. [318] જેમ શરદઋતુમાં કમળ પાણીમાં લિપ્ત નથી થઈ જતું, તેમ તું પણ, બધા પ્રકારની લોલુપતાનો ત્યાગ કર. હે ગૌતમ ! એક સમયનો પણ પ્રમાદ ન કર. [31] ધન અને સ્ત્રીનો ત્યાગ કરીને તું અણગાર થયો છે, એકવાર વમન કરેલા ભોગોને ફરીથી સ્વીકાર ન કર. અને તે ગૌતમ ! એક પળ માત્રનો પ્રમાદ ન કર, 320] મિત્ર, બધુ તથા વિપુલ ખજાનાને છોડીને ફરી તેની તપાસ ન કર. હે ગૌતમ ! એક સમયનો પ્રમાદ ન કર. [૩ર૧] ભવિષ્યમાં લોકો કહેશે કે, જિનેશ્વર આજે તો હસ્તીમાં નથી. વળી માર્ગદર્શક છે તેઓનો એક મત નથી. પરન્તુ તારે માટે ચયાપૂર્ણ માર્ગ તો તૈયાર જ છે. માટે હે ગૌતમ! સમય માત્રનો પ્રમાદ ન કર. [322] કાંટા, કાંકરાવાળો માર્ગ છોડીને તું રાજમાર્ગ પર આવી ગયો છે. માટે દ્રઢ શ્રદ્ધાથી એ માર્ગે ચાલ. હે ગૌતમ ! એક પળ પણ પ્રમાદ કર નહીં. 323] કમર ભારવાહક, અવળે માર્ગે ચાલીને પશ્ચાત્તાપ કરે છે. માટે ગૌતમ ! તું એની માફક વિષમ માર્ગ પર ન જઈશ. નહીં તો પસ્તાવું પડશે. તેથી હે ગૌતમ ! એક સમયનો પણ પ્રમાદ ન કર, ૩િર૪] હે ગૌતમ ! તું મહાસાગરને તો પાર કરી ગયો છે, હવે કાંઠાની નજીક આવી જઈને કેમ ઊભો છે? તેને પાર કરવામાં વિલંબ ન કર. હે ગૌતમ! એક પળનો પણ પ્રમાદન કર. [325] તું દેહમુક્ત થઇ સિદ્ધત્વને પ્રાપ્ત કરાવનારી ક્ષપક શ્રેણીને મેળવીને ક્ષેમકુશળ અનુત્તર એવા સિદ્ધલોકને પામીશ. હે ગૌતમ! એક ક્ષણનો પણ પ્રમાદ ન કર, ૩િ૨તત્ત્વનો જાણકાર, પરિનિવૃત્ત પૂર્ણ સંયમી થઈને ગામ તથા નગરમાં વિચર. શાન્તિ માર્ગની વૃદ્ધિ કર. હે ગૌતમ! એક સમય માત્રનો પણ પ્રમાદ ન કર . [37] અર્થ તથા પદથી સુશોભિત થયેલ તથા સુકથિત એવી પ્રભુની વાણીને સાંભળીને રાગ-દ્વેષને છેદીને શ્રી ગૌતમે સિદ્ધ ગતિ પ્રાપ્ત કરી. એમ હું કહું છું. | અધ્યયન-૧૦ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ
Page #32
--------------------------------------------------------------------------
________________ 203 અધ્યયન - 11 (અધ્યયન-૧૧ બહુશ્રુતપૂજા). [328] સંજોગ બન્ધનોથી રહિત, અનાસક્ત તથા ગૃહત્યાગી સાધુના આચારનું હું ક્રમવાર વર્ણન કરું છું તે સાંભળ! [32] જે વિદ્યાહીન છે અને વિદ્યાવાન થઈને પણ અહંકારી થઈ જાય છે, જે અજિતેન્દ્રિય છે, જે અવિનીત છે, જે વારંવાર અસંબદ્ધ બોલે છે, તે અબહુશ્રુત છે. [33] અભિમાન, ક્રોધ, પ્રમાદ, રોગ તથા આળસ પાંચ કારણોથી શિક્ષાજ્ઞાન પ્રાપ્ત થતું નથી. 331-332] આ આઠ સ્થાનવાળા શિક્ષાશીલ-બને છે. જે હાંસી-મશ્કરી નથી કરતો, સદા દાત્ત- રહે છે. કોઈના મર્મ ઉઘાડા નથી પાડતો, કુશીલ ન હોય. શીલરહિત ન હોય. રસલોલુપ ન હોય. ક્રોધી ન હોય. તથા સત્યને જ માનનારો હોય. [333-33] ચૌદ પ્રકારે વ્યવહાર કરનાર સંયમી-મુનિ અવિનીત ગણાય છે તથા તે નિવણિસ્થિતિને પ્રાપ્ત કરી શકતા નથી. જે વારંવાર ક્રોધ કરે, લાંબા વખત સુધી ક્રોધી અવસ્થામાં રહે મિત્રતાને છોડી દે, શ્રુત પ્રાપ્ત કરીને અહંકાર કરે, ભૂલ કરનારનો તિરસ્કાર કરે, મિત્રો ઉપર રોષ કરે, નિકટના મિત્રોની પણ બુરાઈ કરે. કારણ વગરનો જે પ્રલાપ કરે, દ્રોહી હોય, અભિમાની હોય, અનિગ્રહી-અજિતેન્દ્રિય હોય, અસંવિભાગી-રસલોલુપ હોય અને અપ્રીતિકર હોય તે અવિનિત કહેવાય. 3i37-340] પંદર કારણે સુવિનીત કહેવાય છે :- નમ્ર હોય, અસ્થિર ન હોય, માયાવી ન હોય, કુતૂહલી ન હોય. કોઈની નિન્દા ન કરતો હોય, ક્રોધને લાંબા સમય સુધી પકડી ન રાખતો હોય, મિત્રો પ્રત્યે કૃતજ્ઞ હોય, શ્રત પ્રાપ્ત કર્યા પછી ગર્વ ન કરતો. હોય. અલના થયા પછી બીજાનો તિરસ્કાર ન કરતો હોય મિત્રો પ્રત્યે ક્રોધ ન કરતો હોય. અપ્રિય એવા મિત્રની પણ એકાન્તમાં ભલાઈ કરતો હોય, કલહ અને હાથચાલાકી ન કરતો હોય, કુલીન હોય. લજજાવાન હોય અને સદા આત્મલીન હોય. [341 જે સદા ગુરુકુળમાં રહેતા હોય, જે યોગ તથા શાસ્ત્ર-અધ્યયનમાં રત રહેતા હોય, જે પ્રિય કાર્ય કરનાર હોય, જે પ્રિયભાષી હોય તે જ શિક્ષા-જ્ઞાન મેળવી શકે છે. [342] જેમ શંખમાં સાચવેલું દૂધ, તેના આધાર વડે તથા ગુણો વડે જેવું ને તેવું નિર્મળ રહે છે. તેવી રીતે બહુશ્રુત સાધક-ભિક્ષુ ધર્મ અને કીર્તિ બન્ને વડે સુશોભિત તથા નિર્મળ રહે છે. [343] કુંભોજ દેશમાં કન્જક જાતિના ઘોડા જેમ જાતવાન તથા ગતિમાં શ્રેષ્ઠ હોય છે તેમ બહુશ્રુત પણ શ્રેષ્ઠ મનાય છે. [34] જાતવાન ઘોડા ઉપર સવારી કરનાર શૂરવીર અને પરાક્રમી યોદ્ધો જેમ પોતાની અગલબગલના નદિઘોષો-વિજય વાઘોથી ખૂબ સુશોભિત લાગે છે તેમ બહુશ્રુત પણ સુશોભિત બને છે. 1 [345 જેમ હાથણીઓથી ઘેરાયેલો સાઠ વર્ષનો બળવાન હાથી કોઈથી જીવાતો નથી તેમ બહુશ્રુત સાધક અપરાજિત બને છે. [34] જેમ અણિદાર શીંગડાં તથા બળવાન કાંધાવાળો બળદ, સાંઢોના જુથમાં અધિપતિ રૂપે શોભે છે તેમ બહુકૃત મુનિ પણ અધિપતિ રૂપે શોભી ઊઠે છે. [347 જેમ તીક્ષ્ણ દાઢીવાળો તથા કોઈને પણ વશ ન થાય એવો યુવાન સિંહ
Page #33
--------------------------------------------------------------------------
________________ 204 ઉત્તરઝયણ-૧૧ 348 બધા પશુઓમાં શ્રેષ્ઠ છે. તેવી રીતે બહુશ્રુત સાધુ અન્ય તીર્થિઓમાં શ્રેષ્ઠ ગણાય છે. 3i48) શંખ, ચક્ર અને ગદાધારી વાસુદેવ જેમ અપરાજિત બળવાન યોદ્ધો હોય છે. તેવો જ બહુશ્રુત પણ અપરાજિત હોય છે. [34] જેમ મહા વૈભવશાળી ચાતુરન્ત અને ચક્રવર્તી ચૌદ રત્નોનો ધણી હોય છે તેવી જ રીતે બહઋત પણ ચૌદ પૂર્વેની વિદ્યાનો સ્વામી હોય છે. [35] જેમ સહસ્ત્ર ચક્ષ, વજપાણિ, પુરજૂર, ઈન્દ્ર, દેવોના અધિપતિ હોય છે તેવીજ રીતે બહુશ્રુત પણ હોય છે. [૩પ૧] જેમ અંધકાર નાશ કરનાર ઊગતો સૂર્ય તેજથી પ્રજ્વલિત લાગે છે તેવી જ રીતે બહુશ્રુત પણ તેજસ્વી હોય છે. [352] જેમ નક્ષત્ર પરિવારથી ઘેરાયેલો નક્ષત્રાધિપતિ ચન્દ્ર પૂર્ણિમાએ પરિપૂર્ણ હોય છે તેવીજ રીતે બહુશ્રુત પણ જ્ઞાનાદિ કળાઓથી પરિપૂર્ણ હોય છે. [354] જેમ સામાનિક વેપારીનાભંડાર સુરક્ષિત અને અનેક જાતના અનાજથી પરિપૂર્ણ હોય છે તેવી જ રીતે બહુશ્રુત પણ અનેક પ્રકારના મૃતથી પરિપૂર્ણ હોય છે. ૩િપ૪] “અનાદત' દેવનું “સુદર્શન' નામનું જંબુ વૃક્ષ જેવી રીતે બધાં વૃક્ષોમાં શ્રેષ્ઠ હોય છે તેવી જ રીતે બહુશ્રુત બધા સાધુઓમાં શ્રેષ્ઠ હોય છે. ૩પપ જેમ નીલવંત પર્વતમાંથી નીકળેલી, જળથી ભરેલી, સમુદ્ર તરફ જતી સીતા નદી બધી નદીઓમાં શ્રેષ્ઠ છે તેવી જ રીતે બહુશ્રુત પણ સર્વશ્રેષ્ઠ હોય છે. [35] જેમ અનેક પ્રકારની ઔષધીથી દીપ્ત મહાન મેરુ પર્વત બધા પર્વતોમાં શ્રેષ્ઠ છે તેવી જ રીતે બહુશ્રુત પણ બધા સાધુઓમાં શ્રેષ્ઠ છે. [૩પ૭] જેમ સદા અક્ષય જલપૂર્ણ સ્વયંભૂરમણસમુદ્ર અનેક રત્નોથી પરિપૂર્ણ છે તેમ જ બહુશ્રુત પણ અક્ષય જ્ઞાનથી પરિપૂર્ણ હોય છે. [358] સમુદ્ર જેવો ગંભીર, કષ્ટરહિત, અવિચલિત, અપરાજેય, વિપુલ શ્રુતજ્ઞાન પૂર્ણ ત્રાતા એવા બહુશ્રુત મુનિ કર્મોનો ક્ષય કરીને ઉત્તમ ગતિ પામ્યા છે. [35] મોક્ષનો શોધક મુનિ શ્રતનો આશ્રય લે થી તે પોતાને અને બીજાને પણ સિદ્ધિ પ્રાપ્ત કરાવી શકે. - એમ હું તમને કહું છું. | અધ્યયન-૧૧-ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ (અધ્યયન 12 હરિકેશીય) [360-361] હરિકેશબલ ચંડાલ કુલમાં જન્મ્યા હતા. છતાં જ્ઞાનાદિ ઉત્તમ ગુણોવાળા જિતેન્દ્રિય ભિક્ષ હતા. ઇય, એષણા, ભાષા, ઉચ્ચાર, આદાનનિક્ષેપ આ. પાંચ સમિતિઓ માટે યત્નશીલ સમાધિસ્થ સંયમી હતા. [362-363] મન, વાણી, કાયાથી ગુપ્ત, જિતેન્દ્રિય મુનિ ભિક્ષા માટે યજ્ઞમંડપમાં ગયા ત્યાં બ્રાહ્મણો યજ્ઞ કરતા હતા. તપથી તેમનું શરીર કૃશ થયું હતું. તેમના સાધનો પણ જીર્ણ શીર્ણ- મલિન હતાં. આ સ્થિતિમાં મુનિને આવતા જોઈ અનાર્યોએ તેમની હાંસી કરી. | [364-369] જાતિના મદવાળા, હિંસક, અજિતેન્દ્રિય, અબ્રહ્મચારી અને અજ્ઞાની લોકોએ આમ કહ્યું. ભયંકર રૂપવાળો, કાળો, વિકરાળ, બેડોળ ચપટી
Page #34
--------------------------------------------------------------------------
________________ અધ્યયન- 11 205 નાકવાળો, ગંદા કપડાવાળો, ભભૂતધારી ભૂત, કવસ્ત્રો આ કોણ આવે છે ? અદર્શનીય, તું કોણ છે? અહીં શા માટે આવ્યો છે? ગંદા અને ધૂળવાળાં કપડાંવાળો અર્ધવસ્ત્રધારી પિશાચ જેવો દેખાય છે. જા ભાગ અહીંથી, અહીં શા માટે ઊભો છે? ત્યારે મહામુનિ પ્રત્યે અનુકમ્મા રાખનાર તિન્દુક વૃક્ષવાસી યક્ષે પોતાનું શરીર છુપાવી આમ કહ્યું. હું શ્રમણ છું. હું સંયત છું. હું બ્રહ્મચારી છું. હું ધન, પચન, (ભોજન બનાવવું) અને પરિગ્રહનો ત્યાગી છુંભિક્ષાને વખતે બીજા માટે બનાવેલા ભોજન માટે અહીં આવ્યો છું. અહીં ઘણું અન્ન અપાઈ રહ્યું છે. ખવાઈ રહ્યું છે, તમને ખબર હશે કે હું ભિક્ષા જેવી છું. તેથી વધેલામાંથી આ તપસ્વીને પણ કાંઇ મળે. [370] આ ભોજન બહ્મણો માટે જ તૈયાર થયું છે, એ એક પક્ષીય છે તેથી બીજાને આપવા જેવું નથી. આ યજ્ઞ માટે તૈયાર કરાયેલું અન્નજળ તને નહીં આપીએ છતાં તું અહીં શા માટે ઊભો છે! 371] સારા પાકની આશાએ ખેડૂત ઊંચી ભૂમિમાં જેમ બીજ વાવે છે તેવી જ રીતે નીચી જમીનમાં પણ વાવે છે. આ ખેડૂતની દ્રષ્ટિએ તમે મને દાન આપો. હું પણ પુણ્યક્ષેત્ર છે. માટે મારી પણ આરાધના કરો. [37] સંસારમાં એવાં ખેતરોની અમને ખબર છે જ્યાં વાળેલાં બધાં બી ઊગે. છે. જે બ્રાહ્મણ જાતિ અને વિદ્યાયુક્ત છે તે જ પુણ્યક્ષેત્ર છે. ૩િ૭૩-૩૭૪]જેમનામાં ક્રોધ, માન, હિંસા જૂઠ, ચોરી અને પરિગ્રહ છે તે બ્રાહ્મણો જાતિ, અને વિદ્યાહીન પાપક્ષેત્ર છે. તે બ્રાહ્મણો ! આ સંસારમાં તમે કેવળ વાણીનો ભાર જ ઉપાડી રહ્યા છો. વેદ ભણવા છતાં તેનો સાચો અર્થ જાણતા નથી. જે મુનિઓ સમભાવપૂર્વક નાના મોટા ઘરોમાં જાય છે તેઓ જ પુન્યક્ષેત્ર છે. [37] અમારી આગળ અધ્યાપકોની વિરુદ્ધ બોલનાર તું કોણ છે? શું બકે છે ! આ અન્નજળ ભલે સડી જાય પણ અમે તને નહીં આપીએ. [૩૭]હું ઇય, એષણા વગેરે સમિતિઓ પાળનાર, ગુપ્તિઓથી રક્ષિત અને જિતેન્દ્રિય છું. આ એષણીય આહાર તમે મને નહીં આપો તો આ યજ્ઞોનો તમને શું લાભ? [377-379] અરે કોઈ છે અહીં ક્ષત્રિય, અધ્યાપક, છાત્ર, રસોઈયા જે આવાને ગળે પકડી દડ ફળ વગેરેથી મારી બહાર કાઢે. અધ્યાપકોની વાણી સાંભળી ઘણાં વિદ્યાર્થીઓ દોડી આવ્યા. દેડા-ચાબૂક વેત્રથી ઋષિને મારવા લાગ્યા. રાજા કૌશલિકની અનિન્દસુન્દરી પુત્રી ભદ્રાએ મુનિને મારતાં જોઈને ક્રોધિત વિદ્યાર્થીઓને રોક્યા. [380383 દેવની બળવાન પ્રેરણાથી રાજાએ મને આ મુનિએ સોંપી હતી, પણ મુનિએ મનથી પણ મારી ઈચ્છા કરી નહીં. મારો ત્યાગ કરનાર આ ઋષિ, નરેન્દ્રો અને દેવેન્દ્રો માટે પણ પૂજ્ય છે. આ તે જ ઉગ્ર તપસ્વી, મહાત્મા, જિતેન્દ્રિય સંયમી, બ્રહ્મચારી છે જેમણે મારા પિતાએ મને એમને આપી છતાં મારો સ્વીકાર ન કર્યો. આ ષિ મહાનયશસ્વી છે. મહાનુભાગ છે. અત્યન્ત વતનિષ્ઠ છે, પરાક્રમી છે, એમની. અવહેલના યોગ્ય નથી. એમનું અપમાન ન કરો. એ પોતાના તેજથી તમને બધાને ભસ્મ કરી નાંખે એવું ન બને. પુરોહિતની પત્ની ભદ્રાની આ વાત સાંભળી ઋષિની સેવા માટે યક્ષોએ કુમારોને રોક્યા. [384-388] આકાશમાં રહેલા ભયંકર રૂપવાળા અસુરાવવાળા કુદ્ધ યક્ષોએ
Page #35
--------------------------------------------------------------------------
________________ 20 ઉત્તર ઝયાં-૧૫૩૯૮ તેમને દુઃખી કર્યા, કુમારોને લોહીની ઊલટી કરતા-ઘાયલ જોઈને ભદ્રાએ ફરી કહ્યું. જે તમે ભિક્ષનું અપમાન કરો છો તે નખથી પર્વત ખોદવા જેવું છે, દાંતથી લોઢું ચાવવા જેવું છે, અને પગથી અગ્નિ કચડવા જેવું છે. મહર્ષિ આશીવિષ છે. ઉગ્ર તપસ્વી છે. ઘોર વ્રતધારી છે. અને પરાક્રમી છે. જે લોકો ભિક્ષા વખતે મુનિને સતાવે છે તેઓ પતંગિયાની જેમ અગ્નિમાં ભસ્મ થાય છે. જો તમે જીવતા રહેવા ઇચ્છો તો બધા મળી માથું નમાવી એમના શરણે જાઓ, આ ઋષિ ગુસ્સે થતાં સમસ્ત વિશ્વને ભસ્મ કરવા જેટલી શક્તિ ધરાવે છે તેની તમને જાણ થાઓ. મુનિને મારનાર છાત્રોનાં માથાં પીઠ તરફ નમી ગયા હતા. હાથ પહોળા થઈ ગયા હતા. તેઓ બેભાન થઈ ગયા હતા. તેમની આંખો ઉઘાડી જ રહી ગઈ હતી. લોહીની ઊલટી થતી હતી. મોઢા ઉપર થઈ ગયાં હતાં. જીભ અને આંખો બહાર આવી ગયાં હતાં. 3i8970) આ રીતે મૂર્ણિત છાત્રોને જોઈને તે બ્રાહ્મણ પોતાની પત્નીને લઈને મુનિને પ્રસન્ન કરવા લાગ્યો. ભન્ત ! અમે તમારી અવગણના કરી છે, નિન્દા કરી છે તે માફ કરો. ભન્ત ! મૂર્ખ અજ્ઞાની બાળકોએ આપની અવહેલના કરી છે. આપ તેમને ક્ષમા કરો. ઋષિઓ અત્યંત પ્રસન્નચિત્ત હોય છે. તેઓ કોઈ પર ગુસ્સો કરતા નથી. [31] મુનિ-મારા મનમાં કોઈ પણ દ્વેષ ન હતો. ન છે અને ભવિષ્યમાં થશે નહિ. યક્ષ સેવા કરે છે, તેમણે કુમારોને શિક્ષા કરી છે. | [૩૯ર-૩૯૪] ધર્મ-અર્થને સારી રીતે જાણનાર ભૂતિપ્રજ્ઞ આપ ક્રોધ નથી. કરતા. અમે બધાં મળી આપના શરણે આવ્યા છીએ. મહાભાગ! અમે આપની પૂજા કરીએ છીએ. આપની સમગ્રતયા પૂજા કરીએ છીએ. હવે આપ દહીં વગેરે અનેક પ્રકારની વાનગીવાળા શાલી ચોખાવાળું ભોજન કરો. આ અમારું પુષ્કળ અન છે. અમારા પર અનુગ્રહ કરી તેનો અંગીકાર કરો. પુરોહિતનો આ આગ્રહ મહાન આત્મા મુનિએ સ્વીકાર કર્યો અને એક માસની તપશ્ચર્યાના પારણા માટે આહાર પાણી લીધા. [395-396] દેવોએ ત્યાં સુગંધિત જલ, પુષ્પ, તેમ જ દિવ્ય ધનનો વરસાદ કર્યો અને દુન્દુભિ વગાડી, આકાશમાં “અહોદનમુ નો નાદ થયો. પ્રત્યક્ષ રીતે તપનું જ માહાભ્ય જણાય છે. જાતિની કોઈ વિશેષતા નથી દેખાતી. જેમની આવી મહાન ચમત્કારી ઋદ્ધિ છે તે હરિકેશ મુનિ ચાંડાલ પુત્ર છે. | [397-398 બ્રાહ્મણો! યજ્ઞ આરંભ કરતી વખતે તમે બહારથી પાણીથી શુદ્ધિ કરવા ઈચ્છો છો? જેઓ બહારથી શુદ્ધિ શોધે છે તેમને કુશળ માણસ સમ્યગુ aa નથી. કહેતા. કુશ (ડાભ), યૂપ (યશસ્તંભ), તૃણ, કાષ્ઠ અને અગ્નીનો પ્રયોગ તેમ જ સવારસાંજ પાણીનો સ્પર્શ કરવો. આવા મંદ બુદ્ધિ તમે લોકો પ્રાણીઓ અને વૃક્ષાદિ જીવોનો નાશ કરનારા પાપાચરણ કરો છો. [39] હે ભિક્ષુ ! અમે કેવી પ્રવૃત્તિઓ કરીએ? યજ્ઞ કેવી રીતે કરીએ? પાપકર્મ કેવી રીતે દૂર કરીએ? હે યક્ષપૂજિત સંયત ! શ્રેષ્ઠ યજ્ઞ કોને કહે છે તે કહો. 4i00-401] મન અને ઇન્દ્રિયોને સંયમમાં રાખનાર મુનિ પૃથ્વી વગેરે છ જવા નિકાયની હિંસા નથી કરતાં. અસત્ય ન બોલે, ચોરી ન કરે, પરિગ્રહ, સ્ત્રી, માન, માયાનું સ્વરૂપ જાણી તેમને છોડીને વિચરે છે. જેઓ પાંચ સંવરોથી પૂર્ણ સંવૃત હોય છે. જેઓ જીવનની આકાંક્ષા નથી રાખતા. જેઓ શરીરનો અથતુિ શરીરની આસક્તિનો
Page #36
--------------------------------------------------------------------------
________________ 207 અધ્યયન-૧૨ ત્યાગ કરે છે. જેઓ પવિત્ર છે, વિદેહ છે, દેહભાવ નથી રાખતા તેઓ વાસના પર વિજય મેળવનાર મહાવિજયી, શ્રેષ્ઠ યજ્ઞ કરે છે. 402] હે ભિક્ષુ ! તમારો અગ્નિ કયો? જ્યોતિનું સ્થાન કયું? ઘી હોમવાનું સાધન કડછી કઈ? અગ્નિ પ્રદીપ્ત કરનાર કાષ્ઠ કર્યું? તમારો શાન્તિપાઠ કયો? અને કયા હવનથી તમે જ્યોતિ પ્રગટાવો છો? [403 તપ જ્યોતિ છે. જીવાત્મા જ્યોતિનું સ્થાન છે. મન-વચન અને કાયાનો. યોગ કડછી છે. શરીર છાણા છે. કર્મ લાકડાં છે. સંયમની પ્રવૃત્તિ શાન્તિ-પાઠ છે. હું પ્રશસ્ત યજ્ઞ કરું છું. 4i04] હે યક્ષ પૂજિત સંયત ! તમારો પ્રહ કયો અને શાન્તિતીર્થ કયો છે જ્યાં તમે મલિનતા દૂર કરો છો? એ અમને કહો, અમે જાણવા ઇચ્છીએ છીએ. 4i05-406] આત્મભાવની પ્રસન્નતારૂપ અકલુષ વેશ્યાવાળો ધર્મ મારું તળાવ છે. અને બ્રહ્મચર્ય શાન્તિતીર્થ છે જ્યાં સ્નાન કરીને હું નિર્મળ, વિશુદ્ધ તેમજ શાંત થઈને કર્મ રજ ને દૂર કરું છું. કુશળ માણસોએ એને જ સ્નાન કહ્યું છે. ઋષિઓ માટે આ મહાન જ્ઞાન જ શ્રેષ્ઠ છે. આ ધર્મ-દૂહમાં સ્નાન કરીને મહર્ષિ વિમળ, વિશુદ્ધ થઈને ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત કરે છે. - એમ હું કહું છું. | અધ્યયન-૧ર-ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન 13 ચિત્રસંભૂતીય) [400-409] જાતિથી પરાજિત સંભૂત મુનિએ હસ્તિનાપુરમાં ચક્રવર્તી થવા નિદાન કર્યું. ત્યાંથી મરીને તે પદ્મગુલ્મ વિમાનમાં દેવ બન્યો અને પછી બ્રહ્મદત્ત ચક્રવર્તી રૂપે ચુલનીની કૂખે જન્મ્યો. સંભૂત કામ્પિલ્ય નગરમાં અને ચિત્ર પરિમતાલ નગરમાં મોટા શેઠિયાને ઘરે જમ્યા અને ધર્મ સાંભળીને પ્રવ્રજિત થયા. કોમ્પિલ્ય નગરમાં ચિત્ર અને સંભૂત મળ્યા. તેઓએ પરસ્પર સુખદુઃખ અને કર્મફળની વાત કરી. 4i10-413] મહાન ઋદ્ધિસંપન્ન તેમ જ મહા યશસ્વી ચક્રવર્તી બ્રહ્મદને ખૂબ સત્કારપૂર્વક પોતાના ભાઈને આમ કહ્યું - આ પહેલા આપણે બંને પરસ્પર વશવર્તી એક બીજા પર અનુરક્ત અને હિતૈષી ભાઈ ભાઈ હતા. આપણે બંને દશાણે દેશમાં દાસ, કાંલિજર પર્વત પર હરણ, મૃતગંગાને કિનારે હંસ અને કાશીમાં ચાંડાલ હતા. આપણે બંને દેવલોકમાં મહાદ્ધિસંપન દેવ હતા. આ આપણો છઠો ભવ છે. જેમાં આપણે એકબીજાથી દૂર અલગ અલગ જન્મ્યા છીએ. 414 રાજન! તેં ભોગવિલાસના કર્મોનું વિશેષ ચિંતન કર્યું. તે જ કમફળના પરિણામે આપણે અલગ અલગ જગ્યા. [415] ચિત્ર! પૂર્વ જન્મમાં કરેલાં સત્ય અને શુદ્ધ કર્મોનું ફળ હું ભોગવું છું, શું તમે પણ તેમ જ ભોગવો છો? [41-418] મનુષ્યોએ આચરેલાં બધાં સત્કર્મો સફળ થાય છે. કરેલાં કર્મોનાં ફળ ભોગવ્યા વિના મુક્તિ નથી. મારો આત્મા પણ ઉત્તમ અર્થ કામો દ્વારા પુણ્ય ફળવાળો રહેલ છે. સંભૂત! જેમ તું પોતાની જાતને ભાગ્યશાળી, મહાઋદ્ધિયુક્ત, પુણ્ય ફળવાળો માને છે તેમ જ ચિત્રને પણ જાણ. રાજ! તેની પાસે પણ ખૂબ ધન અને યુતિ
Page #37
--------------------------------------------------------------------------
________________ 208 ઉત્તરજઝય- 13419 રહેલ છે. સ્થવિરોએ જનસમુદાયમાં અલ્પાક્ષર, પણ મહાઈ-ગાથા કહી હતી જેને શીલ, ગુણયુક્ત, ભિક્ષુ યત્નપૂર્વક મેળવે છે તેને સાંભળીને હું શ્રમણ બન્યો છું. [419-420] ઉંચ્યોદય, મધુ, કર્ક, અને બ્રહ્મા. આ મુખ્ય પ્રાસાદ તથા બીજા પણ અનેક રમણીય પ્રાસાદ છે. પાંચાલ દેશના વિશિષ્ટ પદાથવાળા અનેક ધનવાળા આ ઘર સ્વીકાર કરો. ભિક્ષુ ! તમે નાટ્ય, ગીત અને વાદ્યો સાથે સ્ત્રીઓથી ઘેરાયેલા આ ભોગ ભોગવો. મને એ જ પ્રિય છે. પ્રવ્રયા ખરેખર દુઃખદ છે. [421-423] તે રાજાના હિતૈષી ધર્મરત ચિત્ર મુનિએ પૂર્વભવના સ્નેહથી અનુરક્ત તેમજ કામભોગમાં આસક્ત રાજાને આમ કહ્યું- બધાં ગીત-ગાન કેવળ વિલાપ છે. નાટ્ય વગેરે વિડમ્બના છે. આભૂષણ ભાર છે અને સમગ્ર કામભોગ દુઃખપ્રદ છે. જે સુખ શીલગુણી, તપસ્વી-કામનાઓથી નિવૃત્ત ભિક્ષને છે તે અજ્ઞાનીઓને, કામવાસના અને સુંદર વસ્તુઓમાં ક્યાંથી હોય? 4i24-42] હે નરેન્દ્ર ! ચાંડાલ જાતિ નીચ ગણાય છે, તેમાં આપણે બંને ઉત્પન્ન થઈ ચૂક્યા છીએ, ચાંડાલોની વસતિમાં આપણે બંને રહેતા હતા. જ્યાં બધા લોકો આપણો દ્વેષ કરતા હતા. નિન્દનીય ચાંડાલ જાતિમાં જન્મી, તેમની સાથે રહ્યા છીએ. ત્યારે બધા આપણી ધૃણા કરતા હતા. તેથી અહીં જે શ્રેષ્ઠતા મળી છે, તે પૂર્વ જન્મના શુભ કર્મોનું ફળ છે. પૂર્વ જન્મનો નિદિત ચાંડાલ તું પૂર્વજન્મના શુભ કર્મોના ફળરૂપે આ જન્મ રાજા બન્યો છે. તેથી તું ક્ષણિક ભોગોને છોડી આદાન અથતું ચારિત્ર ધર્મની આરાધના માટે અભિનિષ્ક્રમણ કર. [૪ર૭-૪૩૨] રાજનું ! આ અશાશ્વત માનવ જીવનમાં જે વિપુલ પુણ્ય કાર્ય નથી કરતો તે ધર્મ ન કરવાને કારણે મૃત્યુ આવતો પશ્ચાત્તાપ કરે છે અને પરલોકમાં પણ પશ્ચાત્તાપ કરે છે. જેમ સિંહ હરણને પકડી જાય તેવી જ રીતે અત્ત સમયે મૃત્યુ મનુષ્યને લઈ જાય છે. મૃત્યુને વખતે તેના માતા-પિતા અને ભાઈ-બન્ધ કોઈપણ મૃત્યુદુઃખમાં ભાગીદાર થતા નથી. તેનું દુઃખ, જાતિ ભાઈઓ વહેંચી લેતા નથી. ન કોઈ મિત્ર, પુત્ર કે બન્ધ વહેંચે છે. તે પોતે એકલો જ આવેલા દુઃખો ભોગવે છે. કારણ, કર્મ કતની પાછળ જ જાય છે. દ્વિપદ સેવક આદિ, ચતુષ્પદ-પશુ, ખેતર, ઘર, ધાન્ય આદિ બધું છોડીને એ પરાધીન જીવ પોતાના કરેલા કમોં સાથે લઈને સુન્દર અથવા ખરાબ પરભર મેળવે છે. જીવરહિત તે એકાકી તુચ્છ શરીરને ચિતામાં અગ્નિથી બાળી સ્ત્રી, પુત્ર, જ્ઞાતિ-જન કોઈ બીજા આશ્રયદાતાને અનુસરે છે. આજનું! કર્મ જરા પણ પ્રમાદ વિના જીવનને મૃત્યુ તરફ ઘસડે છે. અને આ વૃદ્ધાવસ્થા મનુષ્યની કાન્તિ હરે છે. પાંચાલરાજ ! મારી વાત સાંભળો. મોટય અપકર્મ ન કરો. [433-436] હે સાધો ! તમે મને જે કહી રહ્યા છો તે હું પણ જાણું છું કે આ કામભોગ બન્ધનરૂપ છે. પણ આર્ય! અમારા જેવા માણસો માટે એ અત્યન્ત દુર્જય છે. ચિત્ર ! હસ્તિનાપુરમાં ઋદ્ધિશાળી રાજાને જોઇને ભોગોમાં આસક્ત થઈને મેં અશુભ નિદાન કર્યું હતું. મેં તે નિદાનનું પ્રતિક્રમણ ન કર્યું, તે જ કર્મનું આ ફળ છે કે ધર્મ જાણવા. છતાં હું ભોગાસક્ત છે, તેમને છોડી શકતો નથી. જેમ દળદળમાં ફસાયેલો હાથી, સ્થળ જુએ છતાં કિનારે પહોંચી ન શકે તેવી જ રીતે કામભોગમાં આસક્ત અમે જાણવા છતાં ભિક્ષુ માર્ગને અનુસરી શકતા નથી.
Page #38
--------------------------------------------------------------------------
________________ અધ્યયન-૧૩. 209 4i33-439 રાજનું! સમય વીતતો જાય છે. રાત દોડતી આવે છે. મનુષ્યના ભોગ શાશવત નથી. કામ-ભોગ ક્ષીણ પુછયવાળા માણસને, ક્ષીણ ફળવાળા વૃક્ષને પક્ષી છોડી દે છે તેમ છોડી દે છે. રાજનું! તું કામભોગ છોડવા અસમર્થ હોય તો આર્ય કર્મ જ કર. ધર્મમાં રત રહીને બધા જીવ તરફ દયા રાખ. જેથી તું ભવિષ્યમાં વૈક્રિય શરીરધારી દેવ બની શકે. ભોગ છોડવાની તારી ઈચ્છા નથી. તું આરંભ અને પરિગ્રહમાં આંસક્ત છે. મેં વ્યર્થ તારી સાથે આટલી વાત કરી રાજ! હું જાઉં છું. [40] પાંચાલ દેશનો રાજા બ્રહ્મદત્ત મુનિના વચન પાળી ન શક્યો, તેથી અનુત્તર ભોગ ભોગવી અનુત્તર સપ્તમ નરકમાં ગયો. [441] કામભોગોથી નિવૃત્ત, ઉગ્ર ચારિત્રવાળો, તપસ્વી મહર્ષિ ચિત્ર અનુત્તર સંયમ પાળીને અનુત્તર સિદ્ધગતિ પામ્યો. - એમ હું કહું છું અધ્યયન-૧૩-ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ ! (અધ્યયન 14 ઈષકારીય) [442-445] દેવપુરી જેવું સુરમ્ય, પ્રાચીન, પ્રસિદ્ધ અને સમૃદ્ધ ઇષકાર નામનું નગર હતું. તેમાં પૂર્વ જન્મમાં એક જ વિમાનવાસી કેટલાક જીવો દેવતાનું આયુષ્ય પૂરું કરીને અવતર્યા. પૂર્વભવમાં કરેલા પોતાના બાકી કર્મોને કારણે તે દેવ ઊંચા કુળોમાં ઉત્પન્ન થયા અને ઉદ્વિગ્ન થઈને કામભોગનો ત્યાગ કરી જિનેન્દ્રના માર્ગે વળ્યા. પુરુષત્વ પામેલા બંને પુરોહિત કુમાર, પુરોહિત, તેની પત્ની યશા, વિશાળ કીર્તિવાળો ઈષકુમાર રાજા અને તેની રાણી કમળાવતી આ છએ વ્યક્તિ હતી. જન્મ, જરા અને મરણના ભયથી અભિભૂત કુમારોનું મન મુનિદર્શનથી બહિર્વિહાર અથતુ મોક્ષ તરફ વળ્યું, પરિણામે સંસારચક્રથી મુક્તિ મેળવવા તેઓ કામગુણોથી વિરક્ત થયા. " [46-48] યજ્ઞ- કર્મમાં સંલગ્ન બ્રાહ્મણના આ બંને પ્રિય પુત્ર પૂર્વજન્મ તેમજ તત્કાલીન સુચીર્ણતપ સંયમને યાદ કરી વિરક્ત થયા. મનુષ્ય તેમજ દેવ સંબંધી કામભોગમાં અનાસક્ત, મોક્ષાભિલાષી શ્રદ્ધાળુ તે બંને પુત્રોએ પિતાને કહ્યું. જીવનની ક્ષણિકતા અમે ઓળખી છે. જીવન વિઘ્નોથી પૂર્ણ છે. આયુષ્ય અલ્પ છે. તેથી ઘરમાં અમને આનંદ આવતો નથી. માટે મુનિધર્મના આચરણની આપ અમને રજા આપો. 4i49-452] આ સાંભળી તે મુનિઓ-કુમારોની તપસ્યામાં વિઘ્ન ઉત્પન્ન કરનારી આ વાત તેમણે કરી હે પુત્રો ! વેદજ્ઞો આમ કહે છે કે જેમને પુત્ર નથી હોતા. તેમની ગતિ થતી નથી. તેથી, પુત્રો ! તમે પહેલાં વેદ ભણો. બ્રાહ્મણોને ભોજન આપો. અને લગ્ન કરી સ્ત્રીઓ સાથે ભોગ ભોગવો. ત્યાર પછી પુત્રોને ઘરનો ભાર સોંપી અરણ્યવાસી શ્રેષ્ઠ મુનિ બનજો. પોતાના રાગાદિ ગુણ રૂપ ઈધનથી પ્રદીપ્ત તેમજ મોહરૂપ પવનથી પ્રજ્વલિત શોકાગ્નિને લીધે જેમનું અન્તઃકરણ દુઃખી થયું છે અને જેઓ મોહગ્રસ્ત બની અનેક પ્રકારના દીનહીન વચન બોલે છે. જે એક પછી એક, વારંવાર અનુનય કરે છે, ધન અને ક્રમે મળતા કામભોગ માટે આમંત્રી રહ્યો છે એવા પોતાના પિતા. પુરોહિતને કુમારોએ વિચારપૂર્વક આમ કહ્યું. [53-45] વેદોથી રક્ષણ થતું નથી. યજ્ઞ-યાગાદિમાં પશુહિંસાનો ઉપદેશ દેનારા બ્રાહ્મણો પણ ભોજન કરાવવા છતાં પણ અન્ધકારમાં ઘસડી જાય છે. ઔરસ
Page #39
--------------------------------------------------------------------------
________________ 210 ઉત્તરઝયશં-૧૪૪૫૭ પુત્ર પણ રક્ષણ કરી શકતા નથી. તેથી તમારા કથનનું અનુમોદન કોણ કરશે ? આ કામભોગ ક્ષણિક સુખ આપે છે અને લાંબા ગાળા સુધી દુઃખ આપે છે. વધુ દુઃખ અને થોડું સુખ આપે છે અને સંસારમાંથી મુક્ત થવામાં વિધ્વરૂપ છે. અનર્થોની ખાણ છે. જે કામનાથી મુક્ત નથી તે અતૃપ્તિનું કષ્ટ ભોગવતો માણસ રાતદિન ભટકતો રહે છે. અને બીજા માટે પ્રમાદાચરણ કરનાર તે ધનની શોધમાં રત એક દિવસે વૃદ્ધ બની મૃત્યુ પામે છે. આ મારી પાસે છે. આ મારી પાસે નથી. આ મારે કરવું છે. આ નથી કરવું. આમ વ્યર્થ બકનાર વ્યક્તિને મૃત્યુ ઉપાડે છે, આમ બને છે, છતાં પ્રમાદ કેવો? 4i57] જેની પ્રાપ્તિ માટે લોક તપ કરે છે, તે વિપુલ ધન, સ્ત્રીઓ, સ્વજન અને ઈન્દ્રિયોને ગમતા વિષયભોગ-તમને અહીં જ મળે છે. તો પરલોકના આ સુખો માટે ભિક્ષુ શા માટે બનો છો ? [58] જેમને ધર્મધુરાનો ભાર ઉપાડવાનો અધિકાર છે તેને ધન, સ્વજન તથા ઇન્દ્રિયસુખનું શું કામ ? અમે તો ગુણસમૂહ ધારણ કરનાર, અપ્રતિબદ્ધવિહારી, શુદ્ધ ભિક્ષા લેનારા શ્રમણ બનશું. 459 પુત્રો! જેમ અરણિમાં અગ્નિ, દૂધમાં ઘી, તલમાં તેલ, અવિદ્યમાન હોય છે તેવી જ રીતે શરીરમાં જીવ પણ અવિદ્યમાન છે. જન્મે છે. અને નષ્ટ થાય છે. શરીરનો નાશ થતાં જીવનું કાંઇ અસ્તિત્વ રહેતું નથી. ઈ૪૬૦-૪૬૨] આત્મા અમૂર્ત છે. તેથી ઈન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય નથી જે અમૂર્ત હોય છે તે નિત્ય હોય છે. આત્માના આરિક રાગાદિ ભાવ જ નિશ્ચિતપણે બધા કારણ છે. અને બન્ધ એ જ સંસારનું કારણ છે. જ્યાં સુધી અમે ધર્મને જાણતા ન હતા ત્યાં સુધી મોહવશ પાપકર્મ ક્યાં, આપે અમને રોક્યા અને અમારું રક્ષણ થયું. પણ હવે અમે પાપાચરણ નહીં કરીએ. લોકો દુઃખી છે. ચારે બાજુ ઘેરાયેલ છે. અમોધા પડી રહી છે. આ સ્થિતિમાં અમને ઘરમાં સુખ થતું નથી. [43] પુત્રો ! લોક કોનાથી આહત છે? કોનાથી ઘેરાયેલો છે? અમોધા કોને કહે છે? આ જાણવા માટે હું ચિત્તિત છું. [464-466] પિતા ! આ લોક મૃત્યુથી આહત છે. જરાથી ઘેરાયેલ છે અને રાત્રિને અમોધા કહી છે. જે જે રાત્રિ જાય છે તે પાછી આવતી નથી. અધર્મ કરનારની રાત્રિ નિષ્ફળ જાય છે. ધર્મ કરનારની રાત્રિ સફળ થાય છે. [47] પુત્રો ! પહેલાં આપણે બધાં થોડો વખત સાથે રહીને સમ્યકત્વ અને વ્રતવાળા થઈએપછી પાછલી ઉંમરે ઘેર ઘેરથી ભિક્ષા માગી. વિહાર કરશું. 468469] જેની મૃત્યુ સાથે મિત્રતા હોય, જે મૃત્યુ આવતાં દૂર ભાગીને બચી શકે અથવા જેને જાણ છે કે હું કદી મરીશ નહીં, તે જ આવતી કાલની આકાંક્ષા રાખી શકે. અમે આજે જ રાગમુક્ત થઈ, શ્રદ્ધાપૂર્વક મુનિધી સ્વીકારીશું. જેથી ફરી આ સંસારમાં જન્મ ન લેવો પડે. અમારે માટે કોઈ પણ ભોગ અભૂક્ત નથી. | [470-471] વાશિષ્ઠી ! પુત્રો વિના હું આ ઘરમાં રહી શકું નહીં. ભિક્ષાચયનો વખત આવી ગયો છે. વૃક્ષ ડાળીઓથી જ શોભે છે. ડાળીઓ કપાઈ જતાં તે કેવળ ઠુંઠું કહેવાય છે. પાંખરહિત પક્ષી, યુદ્ધમાં તેના વિનાનો રાજા, વહાણ ઉપર ધનહીન વેપારી જેમ અસહાય હોય છે તેમજ પુત્રો વિના હું પણ અસહાય છું.
Page #40
--------------------------------------------------------------------------
________________ અધ્યયન- 14 211 4i72] સુસંસ્કૃત તેમજ સારી રીતે સંઘરેલા કામભોગ રૂપ પુષ્કળ વિષય રસ જે આપણી પાસે છે, તેમને પહેલાં ભોગવો. ત્યાર પછી આપણે મુનિધર્મના માર્ગે જશું. [47] ભગવતિ ! આપણે વિષયો ભોગવી ચૂક્યા છીએ. યુવાવસ્થા આપણો સાથ છોડી રહી છે. હું કોઈ સ્વર્ગીય જીવનના લોભથી ભોગોનો ત્યાગ નથી કરી રહ્યો. લાભાલાભ, સુખ-દુઃખને સમભાવે તો હું મુનિધર્મનું પાલન કરીશ. 474] પ્રવાહ સામે તરનાર ઘરડા હંસની જેમ તમારે તમારા બધુઓને યાદ ન કરવા પડે ! મારી સાથે ભોગ ભોગવો. આ ભિક્ષાચય અને ગામે-ગામનો વિહાર અત્યન્ત દુઃખદ છે. 4i75-476] ભગવતિ ! જેમ સાપ પોતાની કાંચળી ઉતારી મુક્ત થઈ ફરે છે તેમજ બંને પુત્રો ભોગ છોડીને જાય છે તો હું એકલો રહીને શું કરું? તેમની પાછળ કેમ ન જાઉં? રોહિત. માછલી જેમ કમજોર જાળ કાપીને બહાર નીકળી જાય છે તેમજ ગુરૂતર સંયમ ભાર ઉપાડનાર પ્રધાન તપસ્વી ધીર સાધક કામગુણોને છોડી ભિક્ષાચર્યા સ્વીકાર કરે છે. [477 જેમ કૌંચ પક્ષી અને હંસ શિકારીએ પાથરેલી જાળ કાપીને આકાશમાં ઊડી જાય છે તેમજ મારા પુત્ર અને પતિ પણ મને છોડીને જાય છે તો એકલી રહીને હું શું કરીશ? હું પણ તેમનું અનુકરણ શા માટે ન કરે? [78-480 પુત્ર-પત્ની સાથે પુરોહિતે ભોગોનો ત્યાગ કરી અભિનિષ્ક્રમણ કર્યું. આ સાંભળી તે કુટુંબની ઘણી ધનસંપત્તિની ચાહ રાખનાર રાજાને રાણી. કમળાવતીએ કહ્યું. તમે બ્રાહ્મણે ત્યજેલા ધનને મેળવવાની ઈચ્છા રાખો છો, રાજનું ! ઊલટી ખાનાર માણસ પ્રશંસનીય નથી હોતો. આખું જગત અને તેનું બધું ધન તમારું થાય તો પણ તમારા માટે તે પૂરતું નહીં થાય. અને તે ધન તમારું રક્ષણ નહીં કરી શકે. [481-484] રાજનું ! એક દિવસ આ મનોજ્ઞ કામગુણોને છોડીને જ્યારે મરશો ત્યારે એક ધર્મજ રક્ષક થશે, હે નરદેવ ! અહીં ધમ સિવાય બીજું કોઈ રક્ષક નથી. પક્ષિણી પીંરામાં સુખી થતી નથી તેમજ મને પણ અહીં આનંદ નથી. હું સ્નેહના બંધન તોડીને અકિંચન, સરળ, નિરાસક્ત પરિગ્રહ અને હિંસાથી નિવૃત્ત બની મુનિધર્મનું આચરણ કરીશ. જેમ વનમાં લાગેલ ધવાનળમાં જન્તુઓ ભડથું થઈ જાય ત્યારે રાગદ્વેષને કારણે બીજા જીવ ખુશ થાય છે. તેવી જ રીતે કામભોગમાં મૂર્શિત આપણે પણ રાગદ્વેષની અગ્નિમાં બળતા જગતને સમજતા નથી. ૪િ૮પ-૪૮ આત્મવાન સાધક ભોગ ભોગવીને અને યથાવસર તેનો ત્યાગ કરી વાયુની જેમ અપ્રતિબદ્ધ લઘુભૂત થઈ વિચરે છે. પોતાની ઈચ્છા પ્રમાણે વિચરનાર પક્ષીની જેમ પ્રસન્નતાપૂર્વક સ્વતંત્ર વિહાર કરે છે. આર્ય ! આપણા આ કામભોગો જેઓ આપણે નિયંત્રિત સમજીએ છીએ, તે ખરી રીતે ક્ષણિક છે. હજુ આપણે કામનાઓમાં આસક્ત છીએ. પણ જેમ પુરોહિત પરિવાર બંધનમુક્ત થયો, તેવી જ રીતે આપણે પણ થઈશું. જે ગીધ પાસે માંસ હોય છે, તેના પર બીજાં પક્ષી ઝપટે છે. જેની પાસે માંસ નથી તેના પણ આમિષ અર્થાતુ માંસ જેવા બધા કામ ભોગો છોડીને નિરામિષ ભાવે વિચરણ કરીશ. સંસાર વધારનાર કામભોગને ગીધ જેવા માની તેમનાથી શકિત થઈ ચાલવું, જેમ ગરૂડ પાસે સાપ શકિત થઈ ચાલે છે. બંધન તોડીને
Page #41
--------------------------------------------------------------------------
________________ 212 ઉત્તરાયણ-૧૪૪૯૦ હાથી પોતાને સ્થળે ચાલ્યો જાય તેમજ આપણે પણ પોતાના વાસ્તવિક સ્થાને જવું જોઈએ. હે મહારાજ ઈષકાર! એ જ એક માત્ર શ્રેયસ્કર છે. એવું મેં જ્ઞાનીઓ પાસેથી સાંભળ્યું છે. [49492] વિશાળ રાજ્ય છોડી દુર્જેય કામભોગ ત્યાગી તે રાજા, રાણી પણ નિર્વિષય નિરામિષ, નિઃસ્નેહ અને નિષ્પરિગ્રહ થયાં. ધર્મને સારી રીતે જાણી, પરિણામે મેળવેલા શ્રેષ્ઠ કામગુણ છોડીને બંને ઉપદિષ્ટ ઘોર તપ સ્વીકારી સંયમમાં. પરાક્રમી બન્યાં. આમ તેઓ બધા ક્રમશઃ બુદ્ધ બન્યા. ધર્મપરાયણ થયા. જન્મ તેમજ મૃત્યુના ભયથી ઉદ્વિગ્ન થયા ને દુઃખનો અંત કેમ થાય તેની શોધમાં લીન થયા. [493-494] જેમણે પૂર્વજન્મમાં અનિત્ય અને અશરણ આદિ ભાવનાઓથી પોતાના આત્માને ભાવિત કર્યો હતો તે બધા રાજા, રાણી, બ્રાહ્મણ પુરોહિત, તેની પત્ની, તેમ બને પુત્રો વિતરાગ અહ-શાસનમાં મોહ દૂર કરી થોડા વખતમાં જ દુઃખનો અંત કરી મુક્ત થયા. -એમ હું કહું છું. અધ્યયન-૧૪-ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ (અધ્યયન-૧પ-સભિક્ષુક) [495] “ધર્મ સ્વીકારીને મુનિભાવનું આચરણ કરીશ” આ સંકલ્પ સાથે જે જ્ઞાન-દર્શનાદિ ગુણો યુક્ત રહે છે, આચરણ સરળ રાખે છે, જેણે નિદાન કાપી નાંખ્યો છે, જે પૂર્વ પરિચયનો ત્યાગ કરે છે, કામનાથી મુક્ત છે, પોતાની જાતિ વગેરેનો પરિચય આપ્યા વિના જે ભિક્ષાની શોધ કરે છે, અને અપ્રતિબદ્ધભાવે વિચારે છે. તે ભિક્ષુ છે. [49] જે રાગથી મુક્ત છે, સંયમમાં લીન છે, આશ્રવથી વિરત છે, શાસ્ત્રજ્ઞ છે, આત્મરક્ષક તેમજ પ્રાજ્ઞ છે, જે રાગદ્વેષને પરાજિત કરીને બધાને પોતાના જેવા ગણે છે, જે કોઈ પણ વસ્તુમાં આસક્ત નથી થતો તે ભિક્ષુ છે. [497] કઠોર વચન તેમજ હિંસા-મારપીટ ને પોતાના પૂર્વ કર્મનું ફળ માની જે શાન્ત રહે છે, જે સંયમથી. શ્રેષ્ઠ છે, જેણે આશ્રવથી. પોતાનું રક્ષણ કર્યું છે, વ્યાકુળતા તેમજ હષતિરેકથી રહિત છે, જે સમભાવથી બધું સહન કરે છે તે ભિક્ષુક છે. [498] જે સાધારણમાં સાધારણ શયન-આસનને સમભાવે સ્વીકારે છે, જે ઠંડી-ગરમી-માખ-મચ્છરાદિ અનુકૂળ-પ્રતિકૂળ પરિસ્થિતિમાં હર્ષિત કે વ્યથિત નથી થતો અને સર્વ સહન કરે છે તે ભિક્ષક છે. [49] જે ભિક્ષુ સત્કાર, પૂજ, વંદનાની પણ અપેક્ષા નથી રાખતો, જે સંયત છે, સુવ્રતી છે, તપસ્વી છે, નિર્મળ આચરણવાળો છે, આત્મખોજમાં લીન છે તે ભિક્ષુ છે. [5oo] સ્ત્રી હોય કે પુરુષ, જેની સંગતિથી સંયમી જીવનમાં વિક્ષેપ આવે અને બધી રીતે મોહ ઉત્પન્ન થાય, તપસ્વી તેવા સંગથી દૂર રહે, જે કુતૂહલ ન કરે તે ભિક્ષુ છે. [પ૦૧] જે છિદ્રવિદ્યા, સ્વરવિદ્યા, ભૌમ, આન્તરિક્ષ, સ્વપ્ન, લક્ષણ, દંડ, વાસ્તુવિદ્યા, અંગવિકાર, અને સ્વરવિજ્ઞાન, એમના પર જેનું જીવન નિર્ભર નથી, તે ભિક્ષુ છે. fપ૦૨] જે રોગાદિથી પીડાવા છતાં મંત્ર-મૂળ-જડી-બૂટી વગેરે આયુર્વેદ સંબંધી વિચારણા, ઊલટી, વિરેચન, ધૂમ્રપાનની નળી, સ્નાન, સ્વજનોની શરણ અને
Page #42
--------------------------------------------------------------------------
________________ અધ્યયન- 15 213 ચિકિત્સાનો ત્યાગ કરીને અપ્રતિબદ્ધ ભાવે વિચારે છે તે ભિક્ષુ છે. [પ૦૩ ક્ષત્રિય, ગણ, ઉગ્ર, રાજપુત, બ્રાહ્મણ, સામત્તાદિ, બધી જાતના કારીગરોની પૂજા તેમજ પ્રશંસા નથી કરતો પણ એને ત્યાજ્ય સમજી વિચરે, તે ભિક્ષુ છે. [50] જે વ્યક્તિ પ્રવ્રજિત થયા પછી કે પહેલાં પરિચિત હોય તેમની સાથે આ લોક સંબંધી કલની પ્રાપ્તિ માટે જે મેળ ન રાખે તે ભિક્ષુ છે. [પ૦૫-૫૦૭] શયન, આસન પાન, ભોજન અને વિવિધ પ્રકારના ખાદ્ય અને સ્વાદ્ય, કોઈ પોતે ન આપે અથવા માગવા છતાં ના પાડે તો જે નિર્ચન્થ તેમના પ્રત્યે દ્વેષ નથી રાખતો તે ભિક્ષુ છે. ગૃહસ્થો પાસેથી જાતજાતના અશનપાન તેમજ ખાદ્ય-સ્વાદ્ય મેળવીને જે મન-વચન-કાયાથી ત્રિવિધ અનુકંપા નથી કરતો, આશીર્વાદ વગેરે નથી. આપતો પણ મન, વચન અને કાયાથી પૂર્ણ સંવૃત રહે છે તે ભિક્ષુ છે. ઓસામણ, જવનું બનેલું ભોજન, ઠડું ભોજન, કાંજીનું પાણી, જવના પાણી જેવી નીરસ ભિક્ષાની જે નિંદા નથી કરતો પણ ભિક્ષા માટે સાધારણ ઘરોમાં જાય છે તે ભિક્ષુ છે. [50] સંસારમાં દેવ, મનુષ્ય અને પક્ષીઓની જે અનેક પ્રકારના રોદ્ર, અતિ ભયંકર અદ્ભુત અવાજ થાય છે તેમને સાંભળીને ભયભીત નથી થતો. તે ભિક્ષુ છે. [પ૦ લોકપ્રચલિત વિવિધ ધર્મવિષયક વાદોને જાણીને પણ જે જ્ઞાન દર્શનાદિ સ્વ-ધર્મમાં સ્થિર રહે છે, જે કમને ક્ષીણ કરવામાં લીન છે, જેમણે શાસ્ત્રોનો પરમ અર્થ જાયો છે, જે પ્રાજ્ઞ છે, પરીષહને જીતે છે, બધા જીવો તરફ સમભાવ રાખે છે, ઉપશાન્ત છે, જે કોઈને પણ અપમાનિત કરતો નથી. તે ભિક્ષ છે. [10] જે શિલ્પજીવી નથી, જેનું ઘર નથી, જેના અંગત મિત્રો નથી, જે જિતેન્દ્રિય છે, જે બધી રીતે પરિગ્રહ રહિત છે, જે અણુકષાયી છે, જે નીરસ અને પરિમિત આહાર લે છે, જે ઘરવાસ છોડીને એકાકી વિચરે છે, તે ભિક્ષુ છે. - એમ હું કહું છું. | અધ્યયન-અપની બુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ | (અધ્યયન-૧૬-બહાચર્ય-સમાધિસ્થાન) [511] આયુષ્યમાનું ! તે ભગવાને એમ કહ્યું મેં સાંભળેલ છે કે સ્થવિર ભગવન્તોએ નિર્ગસ્થ પ્રવચનમાં દસ બ્રહ્મચર્ય-સમાધિ સ્થાન કહ્યાં છે, જે સાંભળીને, જેના અર્થનો નિર્ણય કરીને ભિક્ષ, સંયમ. સંવર તથા સમાધિ ચિત્તશુદ્ધિ) થી અધિક સંપન થઈ મન, વચન, કાયાનું રક્ષણ કરે ઈન્દ્રિયોને વશમાં રાખે. બ્રહ્મચર્યને સુરક્ષિત રાખે અને હંમેશાં અપ્રમત્ત બની વિહાર કર. [12] સ્થવિર ભગવાને બ્રહ્મચર્ય સમાધિના કયાં સ્થાન કહ્યાં છે? જે સાંભળી જેના અર્થનો નિર્ણય કરી યાવતુ સદા અપ્રમત્ત બની વિહાર કરે સ્થવિર ભગવાનોએ બ્રહ્મચર્યસમાધિના આ દસ સ્થાન કહ્યાં છે. જેને અર્થનો નિર્ણય કરી, યાવતુ સદા અપ્રમત્ત રહી વિહાર કરે. તે આ પ્રમાણે છે. જે એકાન્તમાં શયન આસન સેવે છે તે નિર્ગળ્યુ છે. જે સ્ત્રી, પશુ અને નપુંસકથી યુક્ત શયન, આસનનું સેવન ન કરે તે નિગ્રંથ છે. એમ શા માટે? આચાર્ય કહે છે - જે સ્ત્રી, પશુ અને નપુંસક યુક્ત શયન, આસનનું સેવન કરે છે તે બ્રહ્મચારી નિર્ચન્થને બ્રહ્મચર્ય વિશે શંકા, કાંક્ષા (ભોગેચ્છા) યા વિચિકિત્સા ઉત્પન્ન થાય છે. અથવા બ્રહ્મચર્યનો નાશ થાય છે. અથવા લાંબાગાળાનો
Page #43
--------------------------------------------------------------------------
________________ 214 ઉત્તરજઝયણ-૧૬૧૭ રોગ અને આતંક થાય છે. અથવા તે કેવલી પ્રરલિત ધર્મથી ભ્રષ્ટ થાય છે. તેથી સ્ત્રી, પશુ અને નપુંસકથી આકીર્ણ શયન-આસનનું જે સેવન નથી કરતો તે નિર્ચન્થ છે. [513] જે સ્ત્રીઓની વાતો નથી કરતો તે નિર્ઝન્ય છે. એમ શા માટે ? આચાર્ય કહે છે-જે સ્ત્રીઓની વાતો કરે છે તે બ્રહ્મચારી નિન્થને બહ્મચર્યમાં શંકા. કાંક્ષા અથવા વિચિકિત્સા ઉત્પન્ન થાય છે અથવા બ્રહ્મચર્યનો નાશ થાય છે અથવા ઉન્માદ થાય છે અથવા દિર્ઘકાલિક રોગ અથવા આતંક થાય છે અથવા તે કેવલી પ્રલિત ધર્મથી ભ્રષ્ટ થાય છે. તેથી નિર્ચન્ટે સ્ત્રીઓની વાત ન કરવી. પિ૧૪ો જે સ્ત્રીઓ સાથે એક આસન પર નથી બેસતો તે નિર્ગળ્યું છે. એમ શા. માટે ? આચાર્ય કહે છે જે સ્ત્રીઓ સાથે એક આસન પર બેસે છે તે બ્રહ્મચારીને બ્રહ્મચર્ય વિશે શંકા, કાંક્ષા, વિચિકિત્સા થાય છે. યા બ્રહ્મચર્યને નાશ થાય છે. અથવા ઉન્માદ થાય છે. દીર્ઘકાલિક રોગ અને આતંક થાય છે. અથવા તે કેવલી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થાય છે, તેથી નિર્ચન્થ સ્ત્રીઓ સાથે એક આસને ન બેસવું. પિ૧પ જે સ્ત્રીઓના સૌન્દર્યને તેમની સુંદર ઇન્દ્રિયોને નથી જોતો અને તેમના વિશે વિચાર નથી કરતો તે નિર્ગસ્થ છે. એમ શા માટે? આચાર્ય કહે છે-જે સ્ત્રીઓની મનોહર ઇન્દ્રિયો જુએ છે અને તેનો વિચારેકરે છે, તે બ્રહ્મચારી નિર્ઝન્ય ને બ્રહ્મચર્ય વિશે શંકા, કાંક્ષા યા વિચિકિત્સા થાય છે. બ્રહ્મચર્યનો નાશ થાય અથવા ઉન્માદ થાય અથવા દીર્ઘકાલિક રોગ અને આતંક થાય અથવા કેવલી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થાય, તેથી નિર્ગળે સ્ત્રીઓના સૌન્દર્યને જેવું કે વિચારવું નહીં. [51] જે માટીની ભીંતમાંથી-પર્દ પાછળથી અથવા પાકી દીવાલ પાછળથી રીઓનો અવાજ, રડવું, ગીત, હાસ્ય, ગર્જના, આક્રન્દ, યા વિલાપના શબ્દ સાંભળતો નથી તે નિર્ગળ્યું છે. એમ શા માટે? આચાર્ય કહે છે-માટીની ભીંતમાંથી, પરદામાંથી, કે પાકી દીવાલમાંથી સ્ત્રીઓના અવાજ, રડવું, ગીત, હાસ્ય, ગર્જન, આક્રન્દ કે વિલાપના શબ્દ સાંભળે છે તે બ્રહ્મચારી નિગ્રન્થને બહાચર્ય વિશે શંકા, કાંક્ષા કે વિચિકિત્સા થાય છે અથવા બ્રહ્મચર્ય નષ્ટ થાય છે અથવા ઉન્માદ થાય છે અથવા દીર્ઘકાલિક રોગ અને આતંક થાય છે. તે કેવલીકથિત ધર્મથી ભ્રષ્ટ થાય છે તેથી નિર્ગથે માટીની ભીંતરમાંથી, પરઘમાંથી, પાકી દીવાલમાંથી સ્ત્રીઓના અવાજ, ગીત, રડવું, હાસ્ય, ગર્જન, આક૬, વિલાપ સાંભળવા નહીં. પ૧૭] જે સંયમી બનતા પહેલાંની રતિ-ક્રીડાને યાદ નથી કરતો તે નિર્ઝન્ય છે. એમ શા માટે? આચાર્ય કહે છે-જે સંયમ ગ્રહણ કરતાં પહેલાંની રતિ-ક્રીડા યાદ કરે છે તે બ્રહ્મચારી નિર્ગસ્થને બ્રહ્મચર્ય વિશે શંકા, કાંક્ષા યા વિચિકિત્સા ઉત્પન્ન થાય છે અથવા બ્રહ્મચર્ય નષ્ટ થાય છે, ઉન્માદ થાય છે, દીર્ઘકાલિક રોગાતંક થાય છે. કેવલીકથિત ધર્મથી ભ્રષ્ટ થાય છે તેથી નિર્ચન્થ સંયમ ગ્રહણ પૂર્વના રતિક્રીડાનું સ્મરણ ન કરે. [પ૧૮] જે પ્રણીત અતિ રસયુક્ત પૌષ્ટિક આહાર નથી કરતો તે નિર્ચન્થ છે. એમ શા માટે? આચાર્ય કહે છે-જે રસયુક્ત ભોજન પાન કરે છે, તે બ્રહ્મચારી નિગ્રન્થને બ્રહ્મચર્ય વિશે શંકા, કાંક્ષા કે વિચિકિત્સા થાય છે અથવા બ્રહ્મચર્ય નષ્ટ થાય છે, ઉન્માદ થાય છે, અથવા દીર્ઘકાલિક રોગતંક થાય છે. તે કેવલપ્રતિપાદિત ધર્મથી ભ્રષ્ટ થાય છે તેથી નિગ્રન્થ પ્રણીત આહાર ન કરે.
Page #44
--------------------------------------------------------------------------
________________ અધ્યયન-૧૬ 215 પિ૧૯] જે પ્રમાણથી વધારે નથી ખાતો તે નિર્ગળ્યું છે. એમ શા માટે ? આચાર્ય કહે છે-જે પ્રમાણથી વધારે ખાય છે તે બ્રહ્મચારી નિન્થને બ્રહ્મચર્ય વિશે શંકા-કાંક્ષા કે વિચિકિત્સા થાય છે. બ્રહ્મચર્ય નષ્ટ થાય છે, ઉન્માદ થાય છે, દીર્ઘકાલિક રોગાતક થાય છે. કેવલીકથિત ધર્મથી ભ્રષ્ટ થાય છે. તેથી નિર્ચન્જ પ્રમાણથી વધારે ન ખાય-પીએ. | Fપર૦] જે શરીર શણગારતો નથી તે નિગ્રન્થ છે. એમ શા માટે? આચાર્ય કહે છે જેની મનોવૃત્તિ શણગાર કરવાની હોય છે તે શરીર શણગારે છે. પરિણામે તેને સ્ત્રીઓ ઇચ્છે છે. તેથી સ્ત્રીઓ જેને ચાહે તેને બ્રહ્મચર્ય વિશે શંકા, કાંક્ષા, વિચિકિત્સા થાય છે, અથવા બ્રહ્મચર્ય નષ્ટ થાય છે, ઉન્માદ થાય છે, અથવા દીર્ઘકાલિક રોગાતંક થાય છે. તે કેવલિકથિત ધર્મથી ભ્રષ્ટ થાય છે. તેથી નિર્ગસ્થ શણગારી ન બને. [પર૧] જે શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શમાં આસક્ત નથી થતો તે નિગ્રન્થ છે. એમ શા માટે? આચાર્ય કહે છે જે શબ્દ, રૂપ, રસ, ગન્ધ અને સ્પર્શમાં આસક્ત રહે છે તે બ્રહ્મચારીને બ્રહ્મચર્યમાં શંકા, કાંક્ષા, કે વિચિકિત્સા થાય છે. અથવા બ્રહ્મચર્ય નષ્ટ થાય છે, ઉન્માદ થાય છે, અથવા દીર્ઘકાલિક રોગાતંક થાય છે. તે કેવલિકથિત ધર્મથી ભ્રષ્ટ થાય છે. તેથી નિર્ગળે શબ્દ, રૂપ, રસ, ગંધ, અને સ્પર્શમાં આસક્તિ રાખવી નહીં. આ બ્રહ્મચર્યસમાધિનું દસમું સ્થાન છે. અહીં કેટલીક ગાથાઓ છે, જેમ કેપિરર-૧ર૭] બ્રહ્મચર્યની રક્ષા માટે સંયમી એકાન્ત, અનાકર્ણ અને સ્ત્રીઓ રહિત સ્થાનમાં રહે, ભિક્ષુ, મનમાં આહ્માદ ઉત્પન્ન કરનારી તેમજ કામવાસના ઉત્પન્ન થાય તેવી કથા-વાતથી દૂર રહે,-સ્ત્રીઓ સાથેનો પરિચય કે વાતચીતનો ત્યાગ કરે. સ્ત્રીઓના અંગ-પ્રત્યંગ-આકાર બોલવાની છટા તેમજ કટાક્ષ વગેરે ન જુએ. ત્યાગ કરે., -સ્ત્રીઓનું કૂજન, રૂદન, ગીત, હાસ્ય, ગર્જન, કન્દન ન સાંભળે. અને દીક્ષા પહેલાના જીવનમાં સ્ત્રીઓ સાથે. અનુભવેલાં હાસ્ય, કીડા, રતિ, અભિમાન અને આકસ્મિક ત્રાસનો કદીય વિચાર ન કરે. [પ૨૮-૫૨૯] જલદી જ કામવાસના વધારનાર પ્રણીત આહાર કદી ન કરે. - અને ચિત્તની સ્થિરતા માટે, જીવનયાત્રા માટે, ઉચિત સમયે ધર્મ-મર્યાદાનુસાર મળેલું પરિમિત ભોજન કરે. માત્રાથી વધારે ન લે. પ૩૦-પ૩૧ બ્રહ્મચારી ભિક્ષુ શણગાર ન કરે. શણગારથી શરીર ને શણગારે. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ, આ પાંચ પ્રકારની કામગુણોનો હંમેશા ત્યાગ કરે. પિ૩ર-પ૩પ સ્ત્રીઓ હોય તેવું સ્થાન, મનોરમ સ્ત્રી-કથા, સ્ત્રીઓનો પરિચય, તેમની ઇન્દ્રિયો જોવી, તેમના કૂજન, રદન, ગીત અને હાસ્યયુક્ત શબ્દ સાંભળવા, ભોગવેલા ભોગોને યાદ કરવા, પૌષ્ટિક ભોજન-પાન, માત્રાથી વધુ ભોજન-પાન શરીર શણગારવાની ઈચ્છ, દુર્જય કામભોગ - આ દસ આત્મશોધક માણસ માટે તાલપુટ વિષ જેવા છે. એકાગ્ર ચિત્ત મુનિ દુર્જય કામભોગોનો સદા ત્યાગ કરે. અને બધા શંકાસ્થાનોથી દૂર રહે. [36] જે ધીરજવાળો છે, ધર્મ રથનો સારથિ છે, જે ધર્મના બાગમાં રત છે, જે દાની છે, જે બ્રહ્મચર્યમાં સુસમાહિત છે તે ભિક્ષુ ધર્મના બાગમાં વિચરે છે. [પ૩૭-૫૩૮] જે દુષ્કર બ્રહ્મચર્ય પાળે છે તેને દેવ, દાનવ, ગન્ધર્વ, યક્ષ, રાક્ષસ, કિન્નર બધા નમસ્કાર કરે છે. આ બ્રહ્મચર્ય-ધર્મ ધ્રુવ છે, નિત્ય છે, શાશ્વત છે, અને
Page #45
--------------------------------------------------------------------------
________________ 216 ઉત્તરઝયણ-૧પ૩૯ જિનોપદિર છે, આ ધર્મનું પાલન કરીને અનેક સાધક સિદ્ધ થયા છે, થાય છે. અને થશે. -એમ હું કહું છું. અધ્યયન-દ-ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ (અધ્યયન-૧૭પાપ શ્રમણીય) પ૩૯] પહેલાં જે કોઈ ધર્મ સાંભળી અત્યન્ત દુર્લભ બોધિલાભ મેળવી વિનય અથતિ આચાર સંપન્ન થાય છે, નિર્ચન્વરૂપે પ્રવ્રજિત થાય છે, પણ પાછળથી સુખસ્પૃહાને લીધે સ્વચ્છુન્દ વિહારી બને છે. [540541] રહેવા સારું સ્થળ છે. કપડાં મારી પાસે છે. ખાવા પીવા મળી રહે છે અને જે બને છે તે હું જાણું છું. ભત્તે ! શાસ્ત્રોનું અધ્યયન કરીને હું શું કરીશ? (આ રીતે) જે કોઈ પ્રવ્રુજિત થઇને નિદ્રાશીલ રહે છે, ખાઈપીને આરામ કરે છે તે પાપભ્રમણ કહેવાય છે. 542-543] જૈ) આચાર્ય-ઉપાધ્યાય પાસેથી શ્રત અને વિનય ગ્રહણ કર્યા હોય તેમની નિા કરે છે, તે વિવેકભ્રષ્ટ પાપશ્રમણ છે. જે આચાર્ય-ઉપાધ્યાયની સેવાનું ધ્યાન નથી રાખતો પણ અનાદર કરે છે, જે ધૃષ્ટ છે તે પાપશ્રમણ કહેવાય છે. [54] જે પ્રાણી-બીજ અને વનસ્પતિનો નાશ કરે છે, જે અસંયત હોવા છતાં પોતાને સંયત માને છે તે પાપશ્રમણ છે. [55] જે પથારી-પાટિયું, પાટ, આસન, સ્વાધ્યાયસ્થળ, કમ્બલ અને પાદપાદપૂંછનનું માર્જન કર્યા વિના જ તેના પર બેસે છે તે પાપશ્રમણ છે. [54] જે જલદી જલદી ચાલે છે, જે વારે વારે પ્રમાદથી પગલાં ભરે છે, જે મર્યાદાઓનું ઉલ્લંઘન કરે છે, જે ક્રોધી છે તે પાપશ્રમણ છે, પિ૪૭-૫૪૮] જે અસાવધાની પ્રતિલેખન કરે છે, જે પાત્રકમ્બલ જ્યાં ત્યાં મૂકે છે, જે પ્રતિલેખનમાં અસાવધાન રહે છે, તે પાપશ્રમણ છે. જે આમ તેમ આડી અવળી વાતો સાંભળતાં પ્રતિલેખન કરે છે, જે ગુરુની અવહેલના કરે છે તે પાપશ્રમણ છે. [54] જે બહુ જ માયાવી છે, જે વાચાળ છે, સ્તબ્ધ અને હઠાગ્રહી છે, લોભી છે, અસંયમી છે, જે મળેલી વસ્તુઓનો પરસ્પર સંવિભાગ નથી કરતો, જેને ગુરુ પ્રતિ પ્રેમ નથી તે પાપશ્રમણ છે. પિપી જે શાન્ત પડેલા વિવાદને ફરી શરૂ કરે છે, જે અધર્મમાં પોતાની બુદ્ધિને હણે છે, જે ખોટા આગ્રહમાં, કજિયામાં વ્યસ્ત રહે છે, તે પાપશ્રમણ કહેવાય છે. પપ૧] જે સ્થિર બેસતો નથી, જે હાથ-પગથી ચંચળવિકત ચેષ્ટા કરે છે, જે જ્યાં ત્યાં બેસી જાય છે, જેને આસન પર બેસવાનો ઉચિત વિવેક નથી. તે પાપશ્રમણ છે. [પપર] જે ધૂળવાળાં પગે સૂઈ જાય છે, જે શય્યાને જોતો નથી, પથારી વિશે અસાવધાન રહે છે તે પાપશ્રમણ છે. [પપ૩] જે દૂધ-દહીં વગેરે વિકૃતિઓ વારંવાર ખાય છે, જે તપમાં રુચિ નથી રાખતો તે પાપભ્રમણ કહેવાય છે. [પપ૪] જે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી આખો દિવસ ખાયા કરે છે, જે સમજાવતાં ઉપદેશ આપવા માંડે તે પાપશ્રમણ છે.
Page #46
--------------------------------------------------------------------------
________________ કરે છે. અધ્યયન- 17 217 પિપપ] જે પોતાના આચાર્યનો ત્યાગ કરીને, અન્ય મત પરંપરાને સ્વીકારે છે, જે ગાણંગણિક-અર્થાત એક ગણમાંથી. બીજા ગણમાં જાય છે તે પાપશ્રમણ છે. [55] જે પોતાનું ઘર છોડીને બીજાના ઘર ગૃહસ્થીના ધંધામાં જોડાય છે, જે શુભાશુભ દેખાડીને ધન મેળવે છે તે પાપશ્રમણ છે. ( પિપ૭ જે પોતાની જાતભાઈઓ-પૂર્વ-પરિચિતો પાસેથી આહાર લે છે, બધાં ઘરોમાંથી સામુંધયિક નથી લેતો, ગૃહસ્થની પથારી પર બેસે છે તે પાપશ્રમણ છે. [58] જે આવું આચરણ કરે છે, તે પાર્શ્વસ્થ આદિ પાંચ કુશીલ ભિક્ષુઓ જેવો અસંવૃત છે. કેવળ નિવેશ ધારણ કરેલ નિકટ મુનિ છે. તે આ લોકમાં વિષની જેમ નિન્દનીય છે. તેથી તે ન તો આ લોકનો રહે છે, ન તો પરલોકનો. પિપ૯] જે સાધુ આ દોષોથી સદા દૂર રહે છે તે મુનિઓમાં સુવતી છે. તે આ લોકમાં અમૃતની જેમ પૂજાય છે. તેથી તે આ લોક તથા પરલોક બંને લોકોની આરાધના - એમ હું કહું છું. અધ્યયન-૧૭ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ (અધ્યયન-૧૮-સંજયીય) પ૬૦૫૬] કામ્પિલ્ય નગરમાં દ્ધિસિદ્ધિ, સૈન્ય-સંપન્ન. સંજય નામનો રાજા હતો. એક દિવસ તે મૃગયા માટે નીકળ્યો. તે રાજા વિશાળ અશ્વસેના, ગજસેના. રથસેના તેમજ પાયદળસેનાથી ઘેરાયેલો હતો. ઘોડેસવાર રાજા. રસમાં મશગૂલ બની કોમ્પિલ્ય ગરના કેશરબાગ તરફ દોડતાં થાકેલાં ભયભીત હરણોને મારતો હતો. [53-565] કેશરબાગમાં એક અનગાર તપોધન સ્વાધ્યાય તેમજ ધ્યાનમાં લીન હતા. ધર્મધ્યાનની એકાગ્રતા સાધતા હતા. કર્મબંધના રાગાદિ કારણોને ક્ષય કરનાર અનગાર લતામંડપમાં ધ્યાન કરતા હતા. તેમની નજદિક આવેલાં હરણો રાજાએ માય, ઘોડેસવાર રાજા જલદી જ ધ્યાનસ્થ મુનિ પાસે પહોંચ્યો, ત્યારે મરેલાં હરણનો જોયાં. બીજી બાજુ અનગાર તપસ્વીને જોયા. [પ૬૬-૫૭ રાજા મુનિને જોઈ એકાએક ભયભીત થયો. તેણે વિચાર્યું-હું કેટલો ભાગ્યહીન છું. રસલોલૂપ તેમજ હિંસક વૃત્તિનો છું. મેં વ્યર્થ મુનિને દુઃખી કર્યા. ઘોડા પરથી ઊતરી તે રાજાએ અનગારને વિનયપૂર્વક ચરણોમાં વંદન કર્યો અને કહ્યું ભગવન્! આ અપરાધ માટે મને માફ કરો. [568-59] તે અનગાર ભગવાન મૌનપૂર્વક ધ્યાનમાં લીન હતા. તેમણે રાજાને કાંઇ જવાબ ન આપ્યો. તેથી રાજા વધુ ભયભીત થયો. રાજાએ કહ્યું: "ભગવન હું સંજય છું. આપ મારી સાથે કાંઈક તો બોલો. હું જાણું છું કે કુદ્ધ અનગાર પોતાના તેજથી કરોડો માણસોને બાળી નાંખે છે.” [પ૭૦-પ૭૧] અનગારે કહ્યું. “રાજન ! તું અભય છે. અને વિશેષમાં તું અભયદાતા બન ! આ. અનિત્ય જીવલોકમાં તું શા માટે હિંસા કરે છે? બધું મૂકીને તારે લાચાર બની અહીંથી જરૂર જવાનું જ છે તો આ અનિત્ય જીવલોકમાં-તું રાજ્યમાં શા માટે આસક્ત થયો છે! [પ૭૨-૫૭૬] રાજન! તું જેમાં મોહ મુગ્ધ છે તે જીવન વીજળીની જેમ ચંચળ
Page #47
--------------------------------------------------------------------------
________________ 218 ઉત્તરજઝયણ - ૧૮પ૭૬ નજર છે. તું પરલોકનું હિત જાણતો નથી. સ્ત્રીઓ પુત્ર, મિત્ર તેમજ બધુજન જીવિત વ્યક્તિ સાથે જ જીવે છે. કોઈ પણ મૃત વ્યક્તિ પાછળ જતું નથી. અત્યન્ત દુઃખથી પુત્ર પોતાના મા બાપને ઘરમાંથી કાઢી સ્મશાન તરફ લઈ જાય છે. તેવી જ રીતે પિતા પુત્રને બધું બધુને પણ કરે છે. તેથી હે રાજનું! તું તપ કર ! મૃત્યુ પછી તે મૃત વ્યક્તિ દ્વારા મેળવેલ ધન તથા સુરક્ષિત સ્ત્રીઓનો ઉપભોગ હૃષ્ટપૃષ્ટ અને અલંકત બીજા લોકો કરે છે. જે સુખ-દુઃખનાં કર્મ. જેણે કયાં છે, તે વ્યક્તિ પોતાના કર્મો સાથે જ પરભવમાં જાય છે. [પ૭૭-૫૭૮] અનાર પાસેથી મહાનું ધર્મ સાંભળીને મોક્ષનો અભિલાષી રાજા સંસારથી વિમુખ બન્યો. રાજ્ય છોડીને તે સંજય રાજા ભગવાન ગર્દભાલિ અનગારની પાસે જિન શાસનમાં દીક્ષિત થયો. [પ૭૯] રાજ્ય છોડી પ્રવ્રુજિત થયેલા ક્ષત્રિય મુનિએ એક દિવસ સંજય મુનિને કહ્યું તમારું આ રૂપ જેવું પ્રસન્ન છે તેવું જ તમારું અત્તર્મન પણ પ્રસન્ન છે. એમ લાગે છે. [૫૮૦-પ૮૧ તમારું નામ શું ? તમારું ગોત્ર કયું? તમે શા માટે મહામુનિ બન્યા?આચાર્યોની સેવા કેવી રીતે કરો છો? વિનીત કેવી રીતે છો ? મારું નામ સંજય છે. હું ગૌતમ ગોત્રનો છું. વિદ્યા અને ચરણના પારગામી ગદભાલિ મારા આચાર્ય છે. [582-58] ક્રિયા, અક્રિયા, વિનય અને અજ્ઞાન, આ ચાર સ્થાન દ્વારા કેટલાક એકાન્તવાદી તત્ત્વવેત્તા અસત્ય તત્ત્વની પ્રરૂપણા કરે છે. બુદ્ધતત્વવેત્તા, સત્યવાદી, સત્ય પરાક્રમી જ્ઞાતવંશીય ભગવાન મહાવીરે સાક્ષાત્ આમ કહ્યું છે. જે માણસો પાપ કરે છે તેઓ ઘોર નરકમાં જાય છે અને જે આર્ય ધર્મનું આચરણ કરે છે તેઓ દિવ્ય ગતિ પામે છે. આ ક્રિયાવાદી આદિ એકાન્તવાદીના કથન માયાયુક્ત છે. તેથી મિથ્યા છે. નિરર્થક છે. હું આ માયાપૂર્ણ વચનથી બચીને રહું છું, બચીને ચાલું છું. જેઓ મિથ્યાવૃષ્ટિ અને અનાય છે તેમને હું ઓળખું છું, હું પરલોકમાં રહેનાર પોતાને સારી રીતે જાણું છું. [પ૮૭-૫૮૮] પહેલાં હું મહાપ્રાણ નામના વિમાનમાં વર્ષશતોપમ આયુવાળો દેવ હતો. જેમ આંહી સો વર્ષનું આયુષ્ય પુરું માનવામાં આવે છે, તેમ ત્યાં પાલીપલ્યોપમ તથા મહાપાલી-સાગરોપમનું દિવ્ય આયુપૂર્ણ. છે. બ્રહ્મલોકનું આયુપૂર્ણ કરીને મનુષ્ય ભવમાં આવ્યો છું. હું જેમ મારા આયુષ્યને જાણું છું તેમજ બીજાના આયુને પણ જાણું છું. [589-591 નાના પ્રકારની રુચિ વિકલ્પો તથા સર્વ પ્રકારના અનર્થક વિકલ્પો તથા વ્યાપારોનો સંયમી આત્માએ સર્વથા ત્યાગ કરવો જોઈએ. આ તત્વજ્ઞાન રૂપી વિદ્યાનું લક્ષ રાખીને સંયમ પંથ પર સંચરવું જોઈએ. હું શુભાશુભ સૂચક પ્રશ્નો તથા ગૃહસ્થોની મંત્રણાઓથી દૂર રહું છું તથા રાત્રિ-દિવસ ધમચિરણમાં પ્રયત્નશીલ રહું છું. તેથી તમે પણ તપનું આચરણ કરો. કાળના વિષયમાં, સમ્યફ તથા શુદ્ધ ચિત્તથી તમે મને પૂછો છો. તે સર્વજ્ઞ ભગવાને કહ્યું છે. વળી તે જિનશાસનમાં વિદ્યમાન છે. [પ૯૨-૬૦૨] ધીર પુરુષ ક્રિયામાં રુચિ રાખે છે તથા અક્રિયાનો ત્યાગ કરે છે. સમ્યક દ્રષ્ટિ વડે વિવેક પ્રાપ્ત કરીને એવા ધર્મનું આચરણ કરો. અર્થ અને ધર્મથી ગર્ભિત એવાં શિક્ષા વચનોને સાંભળીને ભરત-ચક્રવર્તી રાજા, સમસ્ત ભારત તથા તેના કામભોગોનો ત્યાગ કરીને સંયમી બન્યા હતા. નરાધિપ સગર ચક્રવર્તી સાગરની હદ સુધી આખા ભારતનું રાજ્ય તથા તેનો ઉપભોગ છોડીને સંયમની સાધના વડે નિવણ,
Page #48
--------------------------------------------------------------------------
________________ અધ્યયન-૧૮ 219 પામ્યા હતા. મહાન દ્વિવાળા અને અપાર કીર્તિવાળા એવા મધવા ચક્રવર્તીએ ભારત દેશનો ત્યાગ કરીને દીક્ષા લીધી હતી. રિદ્ધિ-સિદ્ધિથી સમ્પન્ન મનુષ્યોમાં ઉત્તમ એવા સનકુમાર ચક્રવતી પોતાના પુત્રને રાજ્યાસને બેસાડીને તપ કરવા ઉદ્યમવંત થયા હતા. અનેક પ્રકારની રિદ્ધિ-સિદ્ધિથી સંપન્ન તથા જગતમાં શાન્તિના સ્થાપક એવા પતિનાથ ચક્રવર્તીએ ભારતનું રાજ્ય છોડીને અનુત્તર ગતિ પ્રાપ્ત કરી હતી. ઇક્વાકુ વંશના રાજાઓમાં શ્રેષ્ઠ રાજા, ઉજ્જવળ કતિ તથા સંપત્તિવાળા. એવા કુન્યુનાથ ભગવાને પણ અનુત્તર ગતિ પ્રાપ્ત કરી હતી. સાગરના અંત પર્વત, ભારતવર્ષને ત્યાગી, કમરજને દૂર કરીને અરનાથ ભગવાને અનુત્તર ગતિ પ્રાપ્ત કરી હતી. ભારત દેશ તથા તેના ઉત્તમ પ્રકારના ભોગોનો ત્યાગ કરીને મહાપા ચક્રવર્તીએ પણ તપનું આચરણ કર્યું હતું. શત્રુઓના ગર્વને ઉતારનાર એવા હરિફેણ ચક્રવર્તી આખા રાજ્યની સત્તા એક છત્ર નીચે લાવીને, રાજ્ય કરીને પછી અનુત્તર ગતિ પ્રાપ્ત કરી હતી. હજાર રાજાઓની સાથે શ્રેષ્ઠ એવા જય ચક્રવર્તીએ રાજપાટ છોડીને જિનેશ્વરે ફરમાવેલા સંયમ અનુસાર આચરણ કરીને અનુત્તર ગતિ પ્રાપ્ત કરી હતી. [03-605 સાક્ષાત્ દેવેન્દ્રની પ્રેરણા મળતાં દશાર્ણભદ્ર રાજાએ પોતાનું રાજ્ય ત્યાગી દીક્ષા લીધી હતી અને મુનિધર્મનું આચરણ કર્યું હતું. સાક્ષાત્ દેવેન્દ્રની પ્રેરણા થતાં વિદેહના રાજા નમિએ શ્રમણ ધર્મ અંગીકાર કરીને પોતે અતિ વિનયશીલ બન્યા હતા. કલિંગમાં કરકડુ, પાંચાલમાં દ્વિમુખ તથા વિદેહમાં નમિ રાજા તથા ગન્ધારમાં નગ્ગતિએ પણ એમજ કર્યું હતું. [606-12] રાજાઓમાં વૃષભ સમાન જે મહાન હતા, એવાઓએ પોતપોતાના પુત્રનેગાદીએ બેસાડીને શ્રમણ ધર્મને સ્વીકાર્યો છે. બધા શૂરવીર રાજાઓમાં વૃષભ સમાન મહાન એવા ઉદાયણ રાજાએ, રાજપાટ છોડી સંયમ સ્વીકાર્યો, તથા મુનિધર્મનું આચરણ કરીને અનુત્તર ગતિને પ્રાપ્ત કરી હતી. આ રીતે શ્રેય તથા સત્યમાં પરાક્રમશીલ એવા કાશીરાજે કામ ભોગોનો ત્યાગ કરીને કર્મ રૂપી મહાવનનો નાશ કર્યો હતો. એ જ રીતે, અમરકીર્તિ મેળવનાર, મહાન યશસ્વી એવા વિજય રાજાએ. ગુણ-સમૃદ્ધ એવા રાજ્યનો ત્યાગ કરીને દીક્ષા લીધી હતી. એજ પ્રકારે રાજર્ષિ મહાબળે અનાકુલ ચિત્તથી ઉગ્ર તપશ્ચય વડે અહંકારનું વિસર્જન કરીને સિદ્ધિપદને પ્રાપ્ત કર્યું હતું. ભરતેશ્વર આદિ શૂર તથા વૃઢ પરાક્રમી રાજાઓએ જિનશાસનની વિશેષતા જોઈને તેનો સ્વીકાર કર્યો હતો. તેથી અહેતુવાદોથી પ્રેરાઈને હવે ઉન્મત્તભાવે કેમ કોઈ વિચારી શકે ? મેં આ અત્યંત યુક્તિસંગત સત્યવાણી કીધી છે. એનો સ્વીકાર કરીને અનેક જીવ-ભૂતકાળમાં સંસાર-સાગર તરી ગયા છે. વર્તમાનમાં તરી રહ્યા છે અને ભવિષ્યમાં તરશે. [13] ધીર સાધક, એકાન્તવાદી-અહેતુવાદોમાં કેવી રીતે ભળી શકે ? જેઓ બધા સંગથી મુક્ત છે તેઓ જ કર્મજ રહિત થઈને સિદ્ધ થઈ શકે છે. - એમ હું કહું છું. અધ્યયન-૧૮ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ (અધ્યયન-૧૯મૃગાપુત્રીય) [614-616] બાગ-બગીચાથી સુશોભિત સુગ્રીવનામક નગરમાં બલભદ્ર
Page #49
--------------------------------------------------------------------------
________________ 220 ઉત્તરઝયણ-૧૯૧૭ રાજા હતો. મૃગા નામે તેને પટરાણી હતી. તેમને બલશ્રી’ નામે એક પુત્ર હતો. જે મૃગાપુત્ર' નામે પ્રસિદ્ધ હતો. તે માતા પિતાને અત્યન્ત પ્રિય હતો, તે યુવરાજ હતો. શત્રુઓનું દમન કરનાર હતો. તે હમેશાં પ્રસન્ન ચિત્તે દોગુન્દગ દેવોની જેમ નન્દન મહેલમાં સ્ત્રીઓ સાથે આનંદ-કીડા કરતો હતો. [17-623] એક દિવસ મૃગાપુત્ર મણિ-રત્ન જડિત ફર્શવાળા રાજમહલના ઝરખામાં ઊભો હતો. નગરના ચૌક, ત્રિક, ચત્વર-ચાર બાજુના રસ્તાઓ જોઈ રહ્યો હતો. મૃગાપુત્રે રાજમાર્ગે થઈને જતા, તપ, નિયમ અને સંયમધારી શીલવાન તથા ગુણોના આકર જેવા એક સંયત શ્રમણને જોયા. મૃગાપુત્ર તે મુનિને અનિમેષ દ્રષ્ટિએ જોઈ રહ્યો અને વિચારવા લાગ્યોઃ “હું માનું છું કે આવું રૂપ મેં પહેલાં પણ ક્યાંક જોયું છે.” સાધુનું દર્શન અને ત્યાર પછી પવિત્ર અધ્યવસાય થવા પર “મેં આવું ક્યાંક જોયું છે." આ પ્રકારના ઉહાપોહવાલા મૃગાપુત્રને જાતિસ્મરણ થયું. સંજ્ઞિજ્ઞાન અથવું સમનસ્ક જ્ઞાન થતાં તે પૂર્વ જન્મનું સ્મરણ કરે છે - “દેવલોકથી યુત થઈ હું માનવભવમાં આવ્યો છું.” જાતિ સ્મરણજ્ઞાન થતાં સમૃદ્ધિ મૃગાપુત્ર પોતાના પૂર્વ જન્મ અને પૂર્વાચરિત શ્રમણ્યનું સ્મરણ કરે છે. વિષયોથી વિરક્ત અને સંયમાસક્ત મૃગાપુત્રે માતાપિતા પાસે જઈને આમ કહ્યું - [624-637] “મેં પાંચ મહાવ્રત સાંભળ્યાં છે. તિર્યંચ યોનિ અને નરકમાં દુઃખ છે એમ સાંભળ્યું છે, હું સંસારરૂપ સાગરથી વિરક્ત થયો છું. હું પ્રવ્રજ્યા લઈશ. મને સંમતિ આપો.” માતાપિતા ! હું ભોગ ભોગવી ચૂક્યો છું. તેઓ વિષફળની જેમ અને કટ પરિણામવાળા છે. અને નિરન્તર દુઃખદ્યયી છે. આ શરીર અનિત્ય છે. અપવિત્ર છે. અપવિત્રતામાંથી જખ્યું છે. અહીંનો વાસ અશાશ્વત છે. એને પહેલાં કે પછી ક્યારેય ય છોડવું જ છે. એ પાણીના પરપોટા જેવું અનિત્ય છે તેથી શરીરનો મને મોહ નથી-એમાં આનંદ નથી. વ્યાધિ અને રોગનું ઘર તેમજ જરા મરણથી ગ્રસ્ત આ અસાર માનવશરીરમાં મને એક ક્ષણ પણ સુખ મળતું નથી. જન્મ દુઃખ છે. જરા દુઃખ છે. રોહ દુખ છે. મરણ દુખ છે. અરે ! આખો સંસાર જ દુખ રૂપ છે. જ્યાં જીવ કષ્ટ પામે છે. ક્ષેત્ર- વાસ્તુ-ઘર, હિરણ્ય-સોનું, પુત્ર, સ્ત્રી, બધુ, અને આ શરીર છોડીને એક દિવસ વિવશ થઈ મારે જવાનું જ છે. જેમ વિષયરૂપ કિમ્પાક ફળનું અન્તિમ પરિણામ સુન્દર નથી હોતું તેમજ ભોગવેલા ભોગોનું પરિણામ પણ સુન્દર નથી હોતું. જે વ્યક્તિ પાથેય લીધા વિના લાંબા માર્ગે જાય છે તે ચાલતાં ભૂખ અને તરસે પીડાય છે. તેવીજ રીતે જે માણસ ધર્મ કર્યા વિના પરભવમાં જાય છે તે જતાં વ્યાધિ અને રોગથી પીડાય છે, દુઃખી થાય છે. જેવો પૂરતા ભાથા સાથે લાંબા પ્રવાસે જાય છે, તે રસ્તે જતાં ભૂખ તરસથી પીડાતો નથી. સુખી થાય છે. આવી જ રીતે જે વ્યક્તિ ધર્મ કરીને પરભવમાં જાય છે તે લઘુકર્મી જતાં વેદના રહિત બની સુખી થાય છે. જેમ ઘરને આગ લાગતાં ઘરધણી. કીમતી વસ્તુઓ કાઢી લે છે અને નકામી અસાર વસ્તુઓ છોડી દે છે. તેવી જ રીતે આપની સમ્મતિ મળતાં જરા અને મરણથી બળતા આ લોકમાંથી સારભૂત પોતાના આત્માને હું કાઢી લઈશ. [38-647] માતાપિતાએ તેને કહ્યું-પુત્ર ! શ્રમણ-મુનિચય અત્યન્ત કપરી છે. ભિક્ષુને હજારો ગુણ ધારણ કરવાના હોય છે. જગતમાં શત્રુ-મિત્ર પ્રત્યે જ નહીં,
Page #50
--------------------------------------------------------------------------
________________ અધ્યયન-૧૯ 221 બધાં જીવો તરફ સમભાવ રાખવાનો હોય છે. આજીવન પ્રાણાતિપાતથી નિવૃત્ત થવું પણ ઘણું દુષ્કર છે સદ્ધ અપ્રમત્તભાવે અસત્યનો ત્યાગ કરવો. પ્રતિક્ષણ સાવધાન રહિને હિતકારી સત્ય બોલવું બહુ અઘરું છે. દાંત સાફ કરવાનું સાધન વગેર પણ આપ્યા વિના ન લેવું. આપેલી વસ્તુ પણ નિર્દોષ અને એષણીય જ લેવી અત્યન્ત દુષ્કર છે. કામભોગના રસથી પરિચિત વ્યક્તિ માટે અબ્રહ્મચર્યથી વિરક્તિ અને ઉગ્ર મહાવ્રત પાળવું ઘણું અઘરું છે. ધન-ધાન્ય, પ્રેષ્ય વર્ગ-દાસ-દાસી વગેરે પરિગ્રહનો ત્યાગ તથા. બધી જાતના આરંભ અને મમત્વનો ત્યાગ અત્યન્ત દુષ્કર છે. ભોજન-પાનાદિ આહાર શત્રે ન કરવો અને કાલ મયદાથી બહાર, ઘી વગેરે સંનિધિનો સંચય ન કરવોઅત્યન્ત દુષ્કર છે. ભૂખતરસ, ઠંડી, ગરમી, ડાંસ, મચ્છરનું કષ્ટ, ક્રોધના વચન, દુઃખ શવ્યાકષ્ટપ્રદ સ્થળ, તૃણસ્પર્શ તેમ શરીરમેલ- તાડન, તર્જન, વધ અને બન્ધન, ભિક્ષાચય, યાચના અને અલાભ-આ પરીષહો સહન કરવા દુષ્કર છે. આ કાપીતી વૃત્તિ-અથર દોષ માટે સતત શંકાશીલ રહેલું, દારુણ કેશ-લોચ, અને ઘોર બ્રહ્મચર્ય વ્રત ધારણ કરવું મહાત્માઓ માટે પણ દુષ્કર છે. [૬૪૮-૬પ૭] પુત્ર! તું સુખ ભોગવવાલાયક સુકુમાર છે. સુન્દર-સ્વચ્છ રહે છે. તેથી શ્રમણ્યનું પાલન કરવા નું સમર્થ નથી. પુત્ર ! સાધુચર્યમાં આજીવન ક્યાં વિશ્રામ નથી. લોઢાના ભાર જેવો સાધુના ગુણોનો તે એવો ગુરુતર ભાર છે કે જેને જીવન સુધી નભાવવો અત્યન્ત કઠણ છે. જેમ આકાશગંગાનો પ્રવાહ તેમજ પ્રતિસ્રોત દુસ્તર છે. જેમ સાગરને હાથોથી તરવો અઘરો છે. તેવી જ રીતે ગુણોદધિ-સંયમના સાગરને તરવો દુષ્કર છે. સંયમ રેતીના કોળિયાની જેમ નીરસ છે. તપનું આચરણ તલવારની ધાર પર ચાલવા જેવું દુષ્કર છે. સાપની જેમ એકાગ્ર દ્રષ્ટિથી ચારિત્ર ધર્મ પર ચાલવું મુશ્કેલ છે. લોઢાના ચણા ચાવવા જેમ દુષ્કર છે, તેમ ચારિત્ર પાળવું દુષ્કર છે. જેમ પ્રજ્વલિત અગ્નિ શિખા-જ્વાળા પીવી દુષ્કર છે. તેવી જ રીતે યુવાવસ્થામાં શ્રમણ ધર્મ પાળવો કઠણ છે. જેમ કપડાંની થેલીને હવાથી ભરવી કઠણ છે. તેવી જ રીતે કાયર માણસ માટે શ્રમણ ધર્મનું પાલન પણ કઠણ છે, જેમ મેરુપર્વતને ત્રાજવે તોળવો અઘરો છે તે જ રીતે નિશ્ચલ અને નિશંક ભાવે શ્રમણ ધર્મનું પાલન કરવું પણ દુષ્કર છે, જેમાં હાથથી સમુદ્ર તરવો અઘરો છે તેવી જ રીતે અનુપશાન્ત વ્યક્તિ માટે સંયમનો સાગર પાર કરવો દુષ્કર છે. પુત્રી પહેલાં તું મનુષ્ય સંબંધી શબ્દ, રૂપ આદિ પાંચ પ્રકારના ભોગ ભોગવ પછી ભક્તભાગી થઈને ધમચરણ કરજે. [58-67 મૃગાપુત્રે માતાપિતાને કહ્યું H તમે જે કહ્યું તે ઠીક છે. પણ આ સંસારમાં જેની તૃષ્ણા મટી ગઈ તેને માટે કાંઈ પણ દુષ્કર નથી. મેં શારીરિક અને માનસિક ભયંકર વેદના અનેકવાર સહન કરી છે. અનેકવાર ભયંકર દુઃખ અને ભય પણ અનુભવ્યા છે. મેં નરક વગેરે ચાર ગતિરૂપ પરિણામવાળા, જરા મરણ રૂપ ભયન સાગર સંસારમાં ભયંકર જન્મ મરણ સહ્યાં છે. જેમ અહીં અગ્નિ ઉષણ છે. તેથી અનન્ત ગણી ઉષ્ણતા ત્યાં છે. એવી દુઃખરૂપ ઉષણ વેદના મેં નરકમાં અનુભવી છે. જેમ અહીં ઠંડક છે. તેથી અનન્ત ગણી ઠંડક ત્યાં છે. એવી દુઃખરૂપ ઠંડીની વેદના મેં નરકમાં અનુભવી છે. હું નરકની કંદુ કુંભિયોમાં રાંધવાના લોઢાના વાસણોમાં નીચે માથું ને ઉપર પગ કરીને પ્રખર અગ્નિમાં આક્રન્દ કરતો અનેક વાર પીડાયો છું. મહાભયંકર
Page #51
--------------------------------------------------------------------------
________________ 222 ઉત્તરઝવણ - 19676 દાવાગ્નિ જેવા મર પ્રદેશમાં તેમજ વરેતી-પત્થરાળમાં અને કદમ્બ વાલુકામાં હું અનન્તવાર બળાયો છું. બંધુ-બાંધવ વિનાનો રડતો, અસહાય હું કંદુકુંભમાં ઉપરથી બાંધી કરવત અને આરા જેવા શસ્ત્રોથી અનેક વાર કપાયો છું. અત્યન્ત તેજ કાંટાળા ઊંચા શાલ્મલી વૃક્ષ પર દોરડાથી બાંધીને આમ તેમ ખેંચીને મને અસહ્ય કષ્ટ અપાયું છે. અત્યન્ત ભયાનક આક્રન્દ કરતો હું મારા પોતાના કમોનેલીધે શેરડીની જેમ મોટા મોટા યંત્રોમાં કેટલીય વાર પીલાયો છું. આમ તેમ દોડતો આક્રન્દ કરતો હું કાળાચિતકબરા સૂઅર અને કૂતરાઓથી અનેક વાર ચીરાયો છું. ફાડી ફેંકાયો છું તથા ખવાયો છું. પાપ કમને કારણે હું નરકમાં જન્મ લઈને અળસી ફૂલની જેમ વાદળી રંગની તલવારોથી, ભાલાઓથી છાયો છું અને લોઢાના સળિયાથી કટકે કટકા કરાયો છું. ખીલીયાળજુસરીવાળા લોઢાના રથમાં પરવશ જોડાયો છું. ચાબુક અને લાઠીનો માર ખાધો છે, તેમજ રોઝની જેમ મારીને જમીન-દસ્ત થયો છું. પાપકર્મોથી ઘેરાયેલો હું પરાધીન અગ્નિની ચિતાઓમાં ભેંસાની જેમ બળ્યો છું. રંધાયો છું. લોઢા જેવી તીક્ષ્ણ ચાંચવાળા ગીધ પક્ષીઓએ, રડતા કકળતા મને અનન્તવાર ટોચ્યો છે તથા પીડ્યો છે. તરસથી વ્યાકુળ હું દોડતો વૈતરણી નદીએ પહોંચ્યો કે પાણી પીઉ. આમ વિચારતો જ હતો કે છરાંની ધાર જેવી તેજ પાણીની ધારાથી હું ચિરાઇ ગયો છું. ગરમીથી સંતપ્ત થઈ હું છાયા માટે અસિ-પત્ર મહાવનમાં ગયો પણ ત્યાં ઉપરથી પડતા અસિપત્રોથીતલવારની જેમ તેજપાનથી અનેક વાર કપાયો છું. બધી બાજુથી નિરાશ થઈ મારા શરીરને મગદળ, કાંટા અને સાંબેલાથી ચૂર ચૂર કર્યું. આમ મેં અનન્ત વાર દુઃખ વેક્યું છે. તેજ ધારવાળા છરા છરીઓથી-કાતરોથી મને અનેક વાર કાપ્યો છે. કટકેકટકા થયો છું. મારી ચામડી ઉતારી છે. [677-688ii જાળમાં ફસાયેલા વિવશ મૃગની જેમ હું પણ અનેકવાર કપટથી પકડાયો છું. બંધાયો છું, રોકાયો છું, નાશ પામ્યો છું. માછલી પકડવાના કાંટાથી તેમજ મગર પકડવાની જાળથી માછલાની જેમ વિવશ થઈને હું અનન્ત વાર ખેંચાયો છું, ફડાયો છું પકડાયો છું અને મરાયો છું. બાજ પક્ષી, જાળ, તેમજ વજલેપ વડે પક્ષીની જેમ હું અનન્તવાર પકડાયો, ચોટાડાયો, બંધાયો છું, મરાયો છું. સુથાર જેમ ઝાડ કાપે તેમ કુહાડીથી, ફરસીથી હું અનન્ત વાર ડાયો છું, છેદાયો છું, છોલાયો છું. લુહાર જેમ લોઢાને ટીપે તેમ હું પરમ અધર્મી અસુર કુમારો વડે અનન્ત વાર પીટાયો, કુટાયો, ટુકડે ટુકડા તથા ચૂરે ચૂરા થયો છું. ભયંકર આક્રન્દ કરવા છતાં મને લાલચોળ ગરમ તોળું, રાંગું, લોઢું અને સીસું પીવડાવ્યું. “તને ખંડ-ખંડ કરેલું અને સળિયામં પરોવેલું માંસ પ્રિય હતું” એમ યાદ કરાવીને મને મારા જ શરીરનું માંસ કાપીને તેને આગ જેવું લાલ કરીને અનેક વાર ખવડાવ્યું. “તને શરાબ, સીધુ, મેરેય અને મધું વગેરે શરાબો પ્રિય હતા"- એમ કરાવીને મને બળતી ચરબી અને લોહી પીવડાવ્યું. મેં પૂર્વ જન્મમમાં આ હમેશા ભયભીત, સંત્રસ્ત, દુઃખિત અને વ્યથિત રહીને અત્યન્ત દુખપૂર્ણ વેદના અનુભવી છે. તીવ્ર, પ્રચંડ, પ્રગાઢ, ઘોર, અત્યન્ત દુસહ, મહાભંયકર અને ભીષ્મ વેદનાઓ મેં નરકમાં અનુભવી છે. હે પિતા! મનુષ્ય લોકમાં જેમ વેદનાઓ દેખાય છે, તેથી અનન્ત ગણી વધારે દુઃખ તથા વેદનાઓ નરકમાં છે. મેં બધા જન્મોમાં દુઃખરૂપ વેદના અનુભવી છે. એક ક્ષણના અન્તર જેટલી પણ સુખરૂપ અનુભૂતિ ત્યાં નથી.
Page #52
--------------------------------------------------------------------------
________________ - - - - - - - - - - - - - અધ્યયન - 19 223 [689 માતા પિતાએ કહ્યું-પુત્ર ! તું પોતાની ઈચ્છા પ્રમાણે ભલે સંયમનો સ્વીકાર કર. પણ વિશેષ વાત એ છે કે શ્રમણ્ય-જીવનમાં નિષ્પતિકર્મતા અથતિ રોગ થતાં ચિકિત્સા ન કરવી એ વિકટ કષ્ટ છે. [690-97ii માતા પિતા! તમે જે કહ્યું તે સત્ય છે પણ જંગલમાં રહેનાર નિરીહ પશુ-પક્ષીઓની ચિકિત્સા કોણ કરે છે? જેમ જંગલમાં મૃગ એકલું ફરે છે તેમજ હું પણ સંયમ અને તપ કરતો થકો એકાકી ધર્મનું આચરણ કરીશ. જ્યારે મહાવનમાં મૃગના શરીરમાં રોગ ઉત્પન્ન થાય છે ત્યાર વૃક્ષ નીચે બેઠેલા મૃગની કોણ ચિકિત્સા કરે છે? તેને કોણ ઔષધ આપે છે? તેની કોણ ખબર પૂછે છે? તેને કોણ ખાવા-પીવા આપે છે? જ્યારે તે સ્વસ્થ થાય છે ત્યારે વનમાં જાય છે અને ખાન-પાન માટે લત્તાઓ, વેલાઓ. તથા તળાવો શોધે છે. લત્તાઓ, નિકુંજે, જળાશયોમાં ખાઈ-પીને કુદકા મારતું મૃગ પોતાની મૃગચર્યા કરે છે. (તમ) રૂપ આદિમાં અપ્રતિબદ્ધ, સંયમ માટે તૈયાર ભિક્ષ, સ્વતંત્ર વિહાર કરતો થકો, મૃગચયની જેમ આચરણ કરીને મોક્ષગામી બને છે. જેમાં મૃગલું એકલું અનેક સ્થાનોમાં હરે છે, ફરે છે અને ગોચયથી જીવન વીતાવે છે તેમ ગોચરી માટે ગયેલ મુનિ પણ કોઈની અવજ્ઞા કેનિંદા કરતો નથી. [98-99] "હું મૃગચયનું આચરણ કરીશ.” “પુત્ર! જેમ તને સુખ ઊપજે તેમ કર !" આમ માતાપિતાની અનુમતિ મેળવી, તે ઉપાધિ રૂપ પરિગ્રહને છોડે છે. હે માતા ! હું તમારી સમ્મતિથી બધાં દુઃખોનો નાશ કરનાર મૃગચયનું આચરણ કરીશ. 7i0-701 આમ, માતા-પિતાની સમ્મતિ માટે અનેક રીતે તેમને મહાનાગ કાંચળીને છોડીને ભાગે છે તેમ મમત્વને છોડે છે. કપડાં પરની ધૂળની જેમ, તે ઋદ્ધિ, ધન, સ્ત્રી, પુત્ર, તથા જ્ઞાતિજનોનો છોડીને સંયમયાત્રા માટે નીકળ્યો. [702-707 પાંચ મહાવ્રતોથી યુક્ત, પાંચ સમિતિઓથી સમિત તથા ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત, આધ્યેતર અને બાહ્ય તપમાં રક્ત- મમત્વ રહિત, અહંકાર રહિત, સંગ રહિત, ગૌરવનો ત્યાગી તથા ત્ર-સ્થાવર જીવો તરફ સમદ્રષ્ટિ- લાભાલાભમાં, સુખ-દુઃખમાં, જીવન-મરણમાં, નિંદસ્તુતિમાં તથા માન-અપમાનમાં સમત્વનો સાધક ગૌરવ, કષાય, દંડ, શલ્ય, ભય, હાસ્ય તથા શોકથી નિવૃત્ત, વળી નિદાનથી અને બંધનથી મુક્ત- આ લોક અને પરલોકમાં અનાસક્ત, સૂળો ભોંકતાં કે ચન્દન લગાડતાં તથા આહાર મળે યા ન મળે, તોય સમ, અપ્રશસ્ત હેતુઓથી આવનાર કર્મ પુદ્ગલનો સર્વભાવથી નિરોધક મૃગાપુત્ર અધ્યાત્મસંબંધી ધ્યાન-યોગથી પ્રશસ્ત સંયમમાં લીન થયા. [708-709] આમ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને શુદ્ધ ભાવનાઓ વડે આત્માને સારી રીતે ભાવિત કરીને-તથા ઘણા વર્ષો સુધી શ્રમણધર્મ પાળીને અંતે એક માસનું અનશન કરીને અનુત્તર સિદ્ધિને પામ્યા. ' [71] સંબુદ્ધ પંડિત અને અતિ વિચક્ષણ વ્યક્તિ આમજ કરે. અર્થાત્ મૃગાપુત્રની જેમ કામ ભોગોથી નિવૃત્ત થાય છે. [711-712 મહાપ્રભાવશાળી, મહાયશસ્વી મૃગાપુત્રના તાપ્રધાન ત્રિલોકવિશ્રત તથા મોક્ષ-ગતિને પ્રાપ્ત કરનાર ઉત્તમ ચારિત્રની કથાને સાંભળીને- પરિગ્રહને દુઃખ દેનાર તથા મમત્વ બન્ધનને મહાભયંકર જાણીને નિર્વાણ ગુણોને પ્રાપ્ત કરાવનાર,
Page #53
--------------------------------------------------------------------------
________________ 224 ઉત્તરાઝયાનું-૧૯૭૧૩ સુખાવહ અનન્ત સુખ આપનાર અનુત્તર ધર્મ ધુરાને ધારણ કરો. - એમ હું કહું છું. અધ્યયન-૧૯-ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ ] (અધ્યયન- ૨બહાનિર્ઝન્થીય) F713] સિદ્ધ તેમજ સંયમીજનોને ભાવપૂર્વક નમસ્કાર કરીને હું અર્થ-મોક્ષ અને ધર્મના સ્વરૂપનું જ્ઞાન કરાવનારા તથ્યપૂર્ણ શિક્ષણનું કથન કરું છું. તે સાંભળોઃ [714-718) હાથી-ઘોડા તેમજ હીરા-માણેક વગેરે અઢળક વૈભવથી સમૃદ્ધ મગધનો રાજા શ્રેણિક મંડીકુક્ષી ચેત્ય-બાગમાં વિહાર માટે ગયો. તે બાગમાં જાત જાતના વૃક્ષો-લત્તાઓ અને અનેક પ્રકારના પક્ષીઓ હતાં. વિવિધ પ્રકારના ફૂલોથી સુગન્ધિત જાણે નન્દન વન જ જોઈ લો. રાજાએ ત્યાં વૃક્ષ નીચે સમાધિસ્થ-સુકમારયુવાન સાધુને બેઠેલા જોયા. તેમની કાયા સુખોપભોગને યોગ્ય હતી. સાધુનું અનુપમ રૂપ જોઈ રાજાને અત્યન્ત આશ્ચર્ય થયું. અહો ! શું રૂપ છે! શું આકૃતિ છે! અહો! આર્યની કેવી સૌમ્યપ્રભા છે! શાન્તિ છે. કેટલી નિલભતા છે! કેવી અનાસક્તિ છે ! [719-720] મુનિના ચરણોમાં વંદના કરી, પ્રદક્ષિણા કરી યોગ્ય સ્થળે, બહુ પાસે નહિ તેમ બહુ દૂર નહિ એમ ઊભા રહી હાથ જોડી રાજાએ મુનિને પૂછ્યું. હે આવે! તમે હજી યુવાન છો. છતાં હે સંયત ! તમે ભોગકાળે રક્ષિત થયા છો, શ્રામયમાં ઉપસ્થિત થયા છો, તેનું કારણ કૃપા કરી કહો, હું જાણવા માગું છું. 7i21] મહારાજ, હું અનાથ છું. મારું કોઈ નથી, અભિભાવક કે સંરક્ષક નથી. મારા તરફ અનુકમ્મા દેખાડનાર કોઈ મિત્ર નથી. 722-023 આ સાંભળી મગધાધિપ શ્રેણિક હસી પડ્યો અને કહ્યું, દેખાવે તો તમે સમૃદ્ધ અને ભાગ્યશાળી લાગો છો છતાં તમારું કોઈ નાથ કેમ નથી? ભદન્ત! હું તમાર નાથ થાઉં છું. હે સંયત ! મિત્ર અને સ્વજનો સાથે ભોગ ભોગવો. આ માનવજીવન ઘણું દુર્લભ છે. [724] શ્રેણિક! તું પોતે અનાથ છે. મગધાધિપ, તું પોતે જ અનાથ છે તો કોઈનો નાથ શી રીતે બનશે? ૭૨પ-૭ર૭ રાજા પહેલેથી જ વિસ્મત હતો, પણ મુનિમુખે અશ્રુત પૂર્વ અનાથ શબ્દ સાંભળીને તો અત્યંત ભ્રમિત થયો. સંશયમાં પડ્યો, આશ્ચર્ય પામ્યો. મારી પાસે ઘોડા છે, હાથી છે, નગર છે, અંતઃપુર છે. હું માનવજીવનમાં બધાં સુખ ભોગવી રહ્યો છું. મારી પાસે સત્તા, ઐશ્વર્ય તથા પ્રભુત્વ પણ છે. આમ બધી જ શ્રેષ્ઠ સમ્પત્તિ, કામનાઓ પૂર્ણ કરી શકે તે મારી પાસે છે. આ સ્થિતિમાં હું અનાથ કેવી રીતે? ભદન્ત! તમે ખોટું ન બોલો. 7i28-729] પૃથ્વપતિ નરેશ ! તમે અનાથનો અર્થ-પરમ અર્થ નથી જાણતા કે માણસ અનાથ અને સનાથ ક્યારે કહેવાય છે. મહારાજ ! નાની ઉમ્મરમાં મારી આંખમાં અત્યંત દર્દ થઈ આવ્યું. રાજનું! તેથી મારા આખા શરીરે બળતરા થતી હતી. કોઈ ગુસ્સે થયેલ શત્રુ મર્મસ્થળે તેજ છરીનો ઘા કરે તેવી ભયંકર વેદના મારી આંખોમાં થતી હતી. ઈન્દ્રના વજપ્રહારથી જેવી ભયંકર વેદના થાય છે તેવી જ મારી કમ્મરમાં, બ્દયમાં અને માથામાં પણ અત્યંત દારુણ વેદના થતી હતી. અનેક મંત્ર જાણનારા,
Page #54
--------------------------------------------------------------------------
________________ અધ્યયન- 20 225 વિદ્યા જાણનારા, ઔષધિનો ઉપચાર કરનારા, અજોડ કુશળ આયુર્વેદાચાર્યો મારી ચિકિત્સા માટે આવ્યા. તેમણે મારી વૈદ્ય, રોગી, ઔષધ, સેવક એમ ચતુષ્પાદ ચિકિત્સા-કરી પણ તેઓ મને દુઃખમુક્ત ન કરી શક્યા. આ મારી અનાથતા હતી. 7i3-742] મારા પિતાએ ચિકિત્સકોને મારા માટે સર્વોત્તમ વસ્તુઓ આપી પણ તેઓ મને દુખ મુક્ત ન કરી શક્યા. આ મારી અનાથતા હતી. મહારાજ ! મારી માતા પુત્રશોકના દુઃખે ઘણી દુઃખી રહેતી. પણ તે મને દુષ્ણમુક્ત કરી શકી નહિ એ. મારી અનાથતા હતી. મહારાજ ! મારા નાના-મોટા બધા જ સગા ભાઈઓ મને દુઃખ મુક્ત ન કરી શક્યા, એ જ મારી અનાથતા હતી. મહારાજ ! મારી નાની-મોટી સગી બહેનો પણ મને દુઃખ-મુક્ત ન કરી શકી, એ જ મારી અનાથતી હતી. મહારાજ ! મને ચાહનાર મારામાં અનુર અને અનુવ્રતા મારી પત્ની છાતી પર માથું મૂકી નિરન્તર આંસુ સારતી. તે બાળા મારી સમક્ષ કે પરોક્ષમાં કોઈ પ્રકારનો શણગાર, અન-પાન, સ્નાન, ગન્ધ-માળા, કે સુગન્ધી પદાર્થનો ઉપભોગ કરતી નહીં. તે એક ક્ષણ પણ મારાથી દૂર થતી નહીં. છતાં તે મને દુઃખમુક્ત ન કરી શકી. મહારાજ ! એ જ મારી અનાથતા. હતી. 7i43-747ii ત્યારે મેં આમ કહ્યું- વિચાર કર્યો કે પ્રાણીને આ અનન્ત સંસારમાં વારે વારે અસહ્ય વેદના અનુભવવી પડે છે. આ વિપુલ વેદનામાંથી એક વાર પણ જે છુટકારો થાય તો હું ક્ષાન્ત, દાત્ત અને નિરારમ્ભ અનગારવૃત્તિમાં ઘક્ષિત થઈશ. નિરાધિપ ! આમ વિચારીને હું સૂઈ ગયો. રાત્રિની સાથે મારું દર્દ પણ ક્ષીણ થઈ ગયું. ત્યાર પછી સવારે નિરોગ થતાં જ હું સ્વજનોને પૂછીને ક્ષાન્ત-દાન્ત-અને નિર-આરંભ થઈ અનગાર વૃત્તિમાં પ્રવ્રજિત થયો. ત્યારે હું પોતાનો અને બીજા-સ્થાવર-જંગમ બધા જીવોનો નાથ થયો. ૭૪૮-૭પ૧] મારી પોતાનો આત્મા જ વૈતરણી નદી છે. કૂટ શાલ્મલી વૃક્ષ છે અને મારો આત્મા જ કામદૂધા ધેનું છે અને નંદનવન છે. આત્મા જ પોતાના સુખદુઃખનો કર્યા છે. વિકત-ભોક્તા છે. સતુ પ્રવૃત્તિમાં સ્થિત આત્મા જ પોતાનો મિત્ર છે. અને દુષ્યવૃત્તિમાં સ્થિત આત્મા જ પોતાનો શત્રુ છે. રાજન ! આ એક બીજી પણ અનાથતા છે, તે શાન્ત ચિત્તે એકાગ્ર થઈ સાંભળો. ઘણા એવા કાયર માણસો હોય છે, જે નિર્ગન્જ ધર્મ જાણીને-પણ દુઃખી થાય છે. સ્વીકૃત અનાગારધર્મનું પાલન ઉત્સાહથી કરી શકતા નથી. જેઓ મહાવ્રતોને સ્વીકારી પ્રમાદવશ તેને પાળે , આત્માને નિગ્રહમાં ન રાખે. રસોમાં આસક્ત રહે, તેઓ રાગ-દ્વેષ રૂપ બંધનોનો મૂળથી નાશ ન કરી શકે. ૭પર-૭૫૮] જેનાં ગમનાગમન, ભાષા, એષણા, અને આદાન નિક્ષેપણમાં. તેમજ મલ-મૂત્રના પરિષ્ઠાપનમાં સજાગતા નથી; તે વીરપુરુષોને માર્ગે જઈ શકતો. નથી. તેમને અનુસરી શકતો નથી. જે અહિંસાદિ વ્રતોમાં અસ્થિર છે. તપ અને નિયમમાં શિથિલ છે. તે લાંબા વખત સુધી માત્ર મુંડાયેલો સાધુ રહે છે. આત્માને કષ્ટ આપીને પણ તે સંસારથી પાર થઈ શકતો નથી. તે ખાલી મુઢીની જેમ નિરર્થક છે. ખોટા સિક્કાની જેમ અપ્રમાણિત છે. વૈડૂર્યની જેમ ચમકનાર ખોટો કાચનો મણિ છે. તે જાણકાર પરીક્ષકોની નજરે મૂલ્યહીન છે. જે કુશીલ-આચારહીન અને માત્ર ષિધ્વજ (રજોહરણ વગેરે મુનિ ચિલ) ધારણ કરીને આજીવિકા ચલાવે છે. અસંયત હોવા છતાં 15
Page #55
--------------------------------------------------------------------------
________________ 226 ઉત્તરજઝયા-૨૦૭૫૮ પોતાને સંયત માને છે. તેનો લાંબા વખત સુધી વિનાશ થાય છે. પીધેલું હળાહળ ઝેર, ઊધું પકડેલું શસ્ત્ર જેમ વિનાશકારી હોય છે. તેવીજ રીતે વિષયવિકારોવાળો ધર્મ પણ વિનાશકારી બને છે. જે લક્ષણ અથવા સ્વપ્નવિદ્યાનો પ્રયોગ કરે છે, નિમિત્ત શાસ્ત્ર કે કૌતુક કાર્યમાં આસક્ત રહે છે, ખોટું આશ્ચર્ય ઉત્પન્ન કરનાર વિદ્યા વડે જાદુથી જીવનનિર્વાહ કરે છે, તે કર્મ ફળ ભોગવતી વખતે કોઈનો આશ્રય મેળવી શકતો નથી. તે શીલહીન સાધુ પોતાના અત્યન્ત અજ્ઞાનને લીધે ઊલટી દ્રષ્ટિવાળો બને છે પરિણામે અસાધુ પ્રકૃતિવાળો તે સાધુ મૌન-મુનિધર્મની વિરાધના કરીને સતત દુઃખ ભોગવતો નરક અને તિર્યંચ ગતિમાં આવાગમન કર્યા કરે છે. ૭પ૯-૭૨] જે ઔદેશિક ક્રિત નિયાગ કે નિત્યપિંડ વગેરે રૂપે થોડું પણ દૂષિત આહાર તજતો નથી તે સર્વભક્ષી અગ્નિની જેમ સર્વભક્ષી સાધુ પાપ-કર્મ કરીને મય પછી દુર્ગતિ પામે છે. દુઃશીલ- આત્મા પોતાનું જ જેવું અનિષ્ટ કરે છે તેવું ગળું કાપનાર દુશમન પણ કરતો નથી. ઉક્ત તથ્યને નિર્દય સંયમહીન મનુષ્ય મૃત્યુની પળે પશ્ચાત્તાપ કરતો જાણશે. જે ઉત્તમાર્થમાં-અન્ત સમયની સાધનામાં વિપરીત વૃષ્ટિ રાખે છે તેની શ્રામણ્યમાં અભિચિ વ્યર્થ છે. તેને આલોક અને પરલોક વ્યર્થ છે. તે ઉભયભ્રષ્ટ ભિક્ષુ નિરન્તર ચિત્તિત રહે છે. તેવી જ રીતે સ્વચ્છન્દ અને દુરાચારી સાધુ પણ જિનોત્તમભગવાનના માર્ગની વિરાધના કરીને ભોગરસોમાં આસક્ત થઈ વ્યર્થ શોક કરનારી ગીધડી ની જેમ દુઃખી થાય છે. 7i63-764] બુદ્ધિશાળી સાધક આ સુભાષિત તેમજ જ્ઞાન-ગુણ યુક્ત અનુશાસનને સાંભળી કુશલ વ્યક્તિઓનો માર્ગ છોડી, મહાન નિગ્રન્થોના માર્ગે વળે છે. ચારિત્રાચાર અને જ્ઞાનાદિ ગુણયુક્ત નિર્ચન્થ નિરાશ્રવ હોય છે. શુદ્ધ સંયમ પાળીને તે નિરાશ્રવ સાધક કર્મોનો ક્ષય કરીને વિપુલ. ઉત્તમ તેમજ શાશ્વત મોક્ષ મેળવે છે. [765] આમ ઉગ્ન-દાન્ત, મહાન તપોધન, મહા-પ્રતિજ્ઞ, મહાન-યશસ્વી તે. મહામુનિએ આ મહાનિર્ચન્થીય મહામૃતને ખૂબ વિસ્તારપૂર્વક કહ્યો. [766-769] રાજા શ્રેણિક સંતુષ્ટ થઈ હાથ જોડીને કહ્યું : ભગવન, અનાથનું યથાર્થ સ્વરૂપ આપે મને સારી રીતે સમજાવ્યું. હે મહર્ષિ ! આપનો મનુષ્ય જન્મ સફળ છે, આપની ઉપલબ્ધિઓ સફળ છો. આપ સાચા સનાથ અને સબાન્ધવ છો. કારણ આપ જિનેશ્વરના માર્ગો છો. હે સંયત ! આપ અનાથોના નાથ છો. હે મહાભાગ ! હું આપની ક્ષમા માગુ છું. હું આપની પાસે અનુશાસિત થવા ઇચ્છું છું. આપને પ્રશ્ન પૂછીને આપનું ધ્યાનભંગ કર્યું અને ભોગો ભોગવવા આમંત્રણ આપ્યું તે બધા માટે મને ક્ષમા કરો. [770772] આ રીતે રાજસિંહ શ્રેણિક રાજા અનગાર-સિંહ મુનિની પરમ ભક્તિપૂર્વક સ્તુતિ કરીને અન્તપુર તેમજ બીજા પરિજનો સાથે ધર્મમાં અનુરક્ત થયો. રાજા આનંદથી રોમાંચ અનુભવી રહ્યો હતો. તે મુનિની પ્રદક્ષિણા કરીને શિરોવંદના કરી પાછો ફર્યો. અને તે ગુણો વડે સમૃદ્ધ (મુનિ ત્રણે ગુપ્તિઓથી ગુપ્ત, ત્રણે દડોથી વિરત, વિમુક્ત, અપ્રતિબદ્ધ પક્ષીની જેમ ભૂતલ પર. - એમ હું કહું છું. અધ્યયન-૨૦-ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ
Page #56
--------------------------------------------------------------------------
________________ પ્રશ્ચયન - 21 227 (અધ્યયન-૨૧) [773-776] ચંપા નગરીમાં પાલિત નામે એક શ્રાવક રહેતો હતો. તે વિરાટ પુરુષ-મહાત્મા ભગવાન મહાવીરનો શિષ્ય હતો. તે શ્રાવક નિર્ચન્જ પ્રવચનમાં કુશળ હતો. એક વાર તે વહાણમાં વેપાર કરતો પિહુડ નગરમાં પહોંચ્યો. ત્યાં વેપાર કરતાં એક વેપારીએ પોતાની દીકરી તેને પરણાવી. થોડા દિવસ પછી ગર્ભવતી પત્નીને લઈને તે પોતાને દેશ તરફ પાછો ફર્યો. પાલિતની પત્નીને સમુદ્રમાં જ પુત્ર અવતર્યો. સમુદ્રયાત્રામાં ઉત્પન્ન થવાથી તેનું નામ “સમુદ્રપાલ પાડ્યું, 777-779] તે શ્રાવક સકુશળ પોતાને ઘેર ચંપાનગર પહોંચ્યો. તે નાનું બાળક આનંદપૂર્વક તેના ઘરમાં ઊછર્યું. તે 72 કળાઓ શીખ્યો. નીતિમાં નિપુણ થયો. તે જુવાન થતાં સુરૂપવાન અને બધાંને પ્રિય થઈ પડ્યો. રૂપિણી (રુકમણિ) નામની સ્ત્રી સાથે પિતાએ તેને પરણાવ્યો. તે પોતાની રૂપવતી પત્ની સાથે ઘેગુન્દક દેવની જેમ સુન્દર મહેલમાં ક્રીડા કરવા લાગ્યો. [780-782) એક વાર તે મહેલના ઝરૂખામાં બેઠો હતો. ત્યાં વધ્ય જનને યોગ્ય શણગારથી શણગારેલા કોઈ એક અપરાધીને વધ-સ્તંભ તરફ લઈ જવાતો તેણે જોયો. તેને જોઈને સંવેગ ઉત્પન્ન થતાં મનમાં વિચારવા લાગ્યો-ખેદ છે ! આ અશુભ કર્મોનુંપાપ ગમનનું દુઃખદ પરિણામ છે. આમ વિચારતાં તે ભાગ્યવાન-મહાન આત્મા સંવેગ પામ્યો અને સબુદ્ધ થયો. માતાપિતાને પૂછીને તેણે અનગારિતા-મુનિદીક્ષા લીધા. [783-784] દીક્ષિત થઈને મુનિ અત્યન્ત કચ્છકારી મહામોહ અને પૂર્ણ ભયકારી સંગ (આસક્તિ) નો ત્યાગ કરીને પર્યાયધર્મ, સાધુતામાં, વ્રતમાં શીલમાં અને પરિષહમાં-પરિષહને સમભાવથી સહન કરવામાં અભિરુચિ રાખતા થયા. વિદ્વાન મુનિ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ - આ પાંચ મહાવ્રતોને સ્વીકારી જિનોપદિષ્ટ ધર્મનું આચરણ કરે. [૭૮પ-૭૯૫] ઇન્દ્રિયોને સમ્યક સંવરણ કરનાર ભિક્ષુ બધા પ્રાણીઓ તરફ કરૂણાશીલ રહે. ક્ષમાશીલ હોય, દુર્વચન સહન કરે. સંયત રહે, બ્રહ્મચારી રહે, તે સદા પાપાચારનો ત્યાગ કરીને વિહાર કરે. સાધુ સમયાનુસાર પોતાની શક્તિને જાણીને રાષ્ટ્રોમાં વિચરણ કરે. સિંહની જેમ ભયોત્પાદક શબ્દ સાંભળીને પણ ભયભીત ન બને. અસભ્ય વચન સાંભળીને પણ સામો અપશબ્દ ન બોલે. સંયમી પ્રતિકૂળતાની ઉપેક્ષા કરતો આગળ વધે. પ્રિયાપ્રિય અને અનુકૂળ-પ્રતિકૂળ બધા પરિષહોને સહન કરે. જ્યાં જે જુએ તે બધાંની ઇચ્છા ન કરે. પૂજા કે ગહ ન ઇચ્છે. સંસારમાં માણસોના અનેક પ્રકારના છન્દ અભિપ્રાય હોય છે. ભિક્ષુ તે બધા પોતે જાણે છે. તેથી તે દેવકૃત, તેમ જ તિર્યચકૃત ભયોત્પાદક ભીષણ ઉપસર્ગોને સહન કરે. અનેક દુર્વિષહ-અસહ્ય પરિષહ આવી પડતાં ઘણા કાયર માણસો દુઃખી થાય છે. પણ ભિક્ષુ આવા પરિષહ આવતાં સંગ્રામમાં હાથીની જેમ વીરતાપૂર્વક દુઃખી થયા વિના સહન કરે. શીત-ગર્મી, મચ્છરમાંકડ-તૃણસ્પર્શ વગેરે તેમજ બીજા અનેક પ્રકારના આતંક ભિક્ષને સ્પર્શે ત્યારે તે કુત્સિત શબ્દ ન કહે, સમભાવે સહન કરે તથા પૂર્વકૃત કમને ક્ષીણ કરે. વિચક્ષણ ભિક્ષ. હમેશાં રાગ-દ્વેષ અને મોહનો ત્યાગ કરીને વાયુથી અકમ્પિત મેરુની જેમ આત્મ-ગુપ્ત પરિષદોને સહન કરે. પૂજા-પ્રતિષ્ઠામાં ઉન્નત અને નિન્દામાં અવનત નહિ થનાર ભિક્ષુ
Page #57
--------------------------------------------------------------------------
________________ 228 ઉત્તરાઝપd 21796 મહર્ષિ પૂજા અને નિર્દામાં લિપ્ત ન થાય. તે સમભાવી વિરત સંયમી સરળ બની નિવણિ માર્ગને પામે છે. જે અરતિ-રીતિને સહન કરે છે. સંસારી માણસોથી દૂર રહે છે. વિરક્ત છે. આત્મહિત-સાધક છે. સંયમશીલ છે. શોક રહિત છે. મમત્વહીન છે. અકિંચન છે. તે પરમાર્થ પદમાં સમ્યગુ દર્શનાદિ મોક્ષસાધનોમાં સ્થિત હોય છે. પ્રાણી-રક્ષા કરનાર, મહાન યશસ્વી ઋષિઓએ સ્વીકારેલ લેપાદિ કર્મ રહિત, અસંસ્કૃત-બી વગરનો, વિવિક્ત લયન-એકાત્ત સ્થાનનું સેવન કરે અને પરિષહ સહન કરે. અનુત્તર ધર્મસંચયનું આચરણ કરી-સજ્ઞાનથી જ્ઞાન મેળવી, અનુત્તર જ્ઞાનધારી. યશસ્વી, મહર્ષિ અન્તરિક્ષમાં સૂર્યની જેમ પ્રકાશિત થાય છે. [70] સમુદ્રપાલ મુનિએ પુય-પાપ (શુભાશુભ) બંને કર્મનો ક્ષય કરીને સંયમમાં નિરંગનનિશ્ચલ અને બધી રીતે મુક્ત રહી સમુદ્રની જેમ વિશાળ સંસારપ્રવાહને તરીને મોક્ષ મેળવ્યો. -એમ હું કહું છું. | અધ્યયન-૨૧-ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ (અધ્યયન-૨૨-રથનેમીય) [797-798] શૌર્યપુર નગરમાં રાજલક્ષણોવાળો મહા સમૃદ્ધ વસુદેવ નામનો રાજા હતો. તેને રોહિણી અને દેવકી નામે બે રાણીઓ હતી. બંનેના બલદેવ અને કૃષ્ણ બે પ્રિય પુત્ર હતા. 7i99-80 શૌર્યપુરમાં રાજલક્ષણોવાળો અત્યન્ત સમૃદ્ધ સમુદ્રવિજય નામે બીજો રાજા પણ હતો. તેને શિવા નામે પત્ની હતી અને મહાયશસ્વી, જિતેન્દ્રિયોમાં શ્રેષ્ઠ લોકનાથ, ભગવાન અરિષ્ટનેમિ નામે પુત્ર હતો. [801-804] તે અરિષ્ટનેમિ 1008 શુભ લક્ષણોવાળા તથા વ્યંજનો વાળા હતા. તેનું ગોત્ર ગૌતમ હતું અને તે રંગે શ્યામ હતા. તે વજહૃષભ નારા સંહનન અને સમચતુરસ સંસ્થાનવાળો હતો. તેનું ઉદર માછલીના ઉદર જેવું કોમળ હતું. રાજિમતી કન્યા તેની પત્ની બને એવી યાચના શ્રી કૃષ્ણ રાજા ઉગ્રસેનને કરી. તે મહાન રાજાની કન્યા સુશીલ, સુદર્શના, સર્વ લક્ષણોવાળી હતી. વિજળી જેવી તેની શરીરની ક્રાંતિ હતી. ઉગ્રસેને સમૃદ્ધિશાળી વાસુદેવને કહ્યું-કુમાર અહીં આવે તો હું મારી દીકરી તેને આપીશ. [805-809 અરિષ્ટનેમિને સર્વ પ્રકારની ઔષધીઓના પાણીથી સ્નાન કરાવ્યું. લગ્નની તૈયારી થઈ. દિવ્ય વસ્ત્ર પહેરાવ્યા અને આભૂષણોથી શણગાર્યો. વાસુદેવના સૌથી શ્રેષ્ઠ મન ગન્ધહાથી પર અસ્ટિનેમિ બિરાજ્યા ત્યારે તેમની શોભા માથે ચૂડામણિ હોય તેવી લાગતી હતી. અરિષ્ટનેમિ પર ચામર ઢોળાવામાં આવ્યાંછત્ર ધર્યા, દશાર્ણ ચક્રથી-યાદવ કુલના પ્રસિદ્ધ ક્ષત્રિયોના સમૂહથી તે પરિવૃત હતા. ચતુરંગ સેના અનુક્રમથી તૈયાર થઈ. વાદ્યોનો દિવ્ય ગગનસ્પર્શી નાદ થયો. આવી ઉત્તમ દ્ધિ અને ધૃતિ સાથે તે વૃષિણશ્રેષ્ઠ પોતાના મહેલમાંથી નીકળ્યો. [810-813 ત્યારપછી તેણે પાંજરામાં તેમજ વાડામાં બંધ, ભય-ત્રસ્ત પશુપક્ષીઓ જોયાં. તેઓ મૃત્યુ સમીપ હતાં. તેમનો માંસ-આહાર થવાનો હતો, તેમને જોઈ મહાબુદ્ધિશાળી અરિષ્ટનેમિએ સારથિને આમ કહ્યું. આ બધાં સુખાર્થી પ્રાણી વાડા
Page #58
--------------------------------------------------------------------------
________________ અધ્યયન- 22 229 અને પિંજરામાં શા માટે છે? સારથિએ કહ્યું : આ ભદ્ર પ્રાણીઓ આપના લગ્નમાં ઘણાં લોકોને ભોજન માટે છે. [814-816] અનેક પ્રાણીઓના વિનાશવાળું વચન સાંભળી, જીવો પ્રતિ કરૂણાશીલ. મહાપ્રાજ્ઞ અરિષ્ટનેમિ આમ વિચારે છે કે જે મારા લીધે આટલા બધા પ્રાણીઓની હત્યા થતી હશે તો એ પરલોકમાં મારા માટે શ્રેયસ્કર નહિ થાય. તે મહાન પશિસ્વી બંને કુંડળ, હાર અને આભૂષણો ઉતારીને સારથિને આપી દીધાં. [817-820] મનમાં આ પરિણામ થતાં જ તેમના અભિનિષ્ક્રમણ માટે દેવતા પોતાની દ્ધિ અને પરિષદ્ સાથે આવ્યા. દેવ અને માનવોથી ઘેરાયેલા અરિષ્ટનેમિ શિબિકારત્નમાં બિરાજ્યા. દ્વારકાથી નીકળી રેવતક પર સ્થિત થયા. ઉદ્યાનમાં પહોંચી, શ્રેષ્ઠ પાલખીમાંથી ઊતરી એકહજાર વ્યક્તિઓ સાથે ચિત્રા નક્ષત્રમાં નિષ્ક્રમણ કર્યું. ત્યાર પછી સમાહિત-અરિષ્ટનેમિએ તરત પોતાના સુગંધિત કોમળ વાળોનો પોતાના જ હાથે પંચમુષ્ટિ લોન્ચ કર્યો. [821-822] વાસુદેવે જિતેન્દ્રિય તેમ જ લોચ કરેલા ભગવાનને કહ્યું- હે દમીશ્વર ! તમે તમારો અભીષ્ટ મનોરથ જલદી મેળવો. તમે જ્ઞાન, દર્શન, ચારિત્ર, ક્ષત્તિ-ક્ષમા અને મુક્તિનિલભતા દ્વારા આગળ વધો. [823] આમ બલરામ, કેશવ, દશાર્પ યાદવ અને બીજા ઘણા લોકો અરિષ્ટનેમિને વંદના કરી દ્વારકાપુરી પાછા ફર્યા. | [824-828] ભગવાન અરિષ્ટનેમિની પ્રવજ્યા (નો વૃત્તાન્ત) સાંભળીને રાજકન્યા રાજિમતીનો આનંદ, હાસ્ય નષ્ટ થયા, તે લોકથી મૂર્શિત થઈ ગઈ. રાજિમતીએ વિચાર્યું, ધિક્કાર છે મારા જીવનને ! મને અરિષ્ટનેમિએ તજી છે. એટલે મારે પણ પ્રવ્રજ્યા લેવી જ શ્રેયસ્કર છે. ધીર તેમજ સંકલ્પવાળી રાજિમતીએ તેલ સુગંધીથી-કાસકાથી ઓળેલા કાળા ભમરા જેવા વાળોનો પોતાના હાથે લોન્ચ કર્યો. વાસુદેવે લુપ્તમેશા તેમજ જિતેન્દ્રિય રાજિમતીને કહ્યું, કન્ય ! તું આ ઘોર સંસાર સાગરને જલદી તરી જા. શીલવતી તેમજ બહુશ્રુત રાજિમતીએ પ્રવ્રુજિત થઈને પોતાની સાથે ઘણા સ્વજન-પરિજનોને પણ દીક્ષા લેવડાવી. [829-832] તે વિતક પર જતી હતી ત્યાં વચ્ચે જ વરસાદ પડ્યો અને તે પલળી ગઈ. વરસાદને લીધે અન્ધકાર પથરાયો હતો. આવી સ્થિતિમાં તે એક ગુફામાં પહોંચી. કપડાં ઉતારીને સુકવતાં નગ્નાવસ્થામાં રાજમતીને રથનેમિએ જોઇ. તેનું મન વિચલિત થયું. પાછળથી રાજિમતીએ પણ તેને જોયો. ત્યાં એકાન્તમાં તે સંતને જોઈ તે ડરી ગઈ. ભયથી ધ્રુજતી તે પોતાના બંને હાથે શરીર ઢાંકીને બેસી ગઈ. ત્યારે સમદ્રવિજયના તે રાજપુત્રે રાજિમતીને ભયથી ધ્રુજતી જોઈને આમ કહ્યું.. [833-836] ભદ્ર! હું રથનેમિ છું. હે સુન્દરી ! હે મધુભાષિણી! તું મને સ્વીકાર કર. હે સુતનું! તને કોઈ દુઃખ નહીં થાય. મનુષ્યજન્મ અત્યન્ત દુર્લભ છે. આવો! આપણે ભોગ ભોગવીએ. પાછળથી આપણે જિનમાર્ગે દીક્ષા લેશું. સંયમ પ્રતિ ભગ્નોદ્યોગતેમજ ભોગ વાસનાથી પરાજિત રથનેમિને જોઈને તે સંબ્રાન્ત ન થઈ. તેણે ફરી કપડાં પહેરી લીધાં. નિયમ અને વ્રતમાં અવિચળ રહેનાર શ્રેષ્ઠ રાજકન્યા રાજિમતીએ જાતિ, કુલ અને શીલની રક્ષા કરતાં રથનેમિને કહ્યું.
Page #59
--------------------------------------------------------------------------
________________ 230 ઉત્તરાયણ-૨૨૮૩૭ - [837-840] જો તું રૂપે વૈશ્રમણ જેવો હોય, લલિતકલાઓમાં નળકુબેર જેવો હોય અને બીજું તો શું, તું સાક્ષાતુ, ઇન્દ્ર પણ હોય તો પણ હું તને ચાહતી નથી. હે યશની એષણાવાળા ! ધિક્કાર છે તને, કે જે તું ભોગી જીવન માટે ત્યક્ત ભોગોને ફરી ભોગવવાની ઈચ્છા કરે છે. આના કરતાં તો તારું મરી જવું શ્રેયસ્કર છે. હું ભોજરાજાની પૌત્રી છું અને તું અધૂકવૃષ્ણિનો પૌત્ર આપણે કુલમાં ગન્ધન સર્પ જેવા ન બનીએ. તું સ્વસ્થ-સ્થિર-નિભૂત થઈને સંયમ પાળ. જો તું જે તે સ્ત્રીને જોઈને રાગ કરશે આસક્ત થશે તો તું વાયુમંપિત હડ (નામક વનસ્પતિ)ની જેમ અચિતાત્મા બનશે. [841-842] જેમ ગોવાળ ને ભંડારી-ગાયો તેમજ ભંડારના માલિક નથી, હોતા, તેમ તું શ્રામસ્થનો સ્વામી નહીં બને. તું ક્રોધ, માન, માયા, લોભને પૂર્ણપણે નિગ્રહમાં લઈ ઈન્દ્રિયોને વશમાં રાખી, જાતને અનાચારથી દૂર રાખ. ઉપસંહાર કર, [843-84] અંકુશથી હાથી સંયત થાય તેમ રથનેમિ તે સંયતા રાજિમતીના સુભાષિત વચન સાંભળી ધર્મમાં સમ્યક પ્રકારે સ્થિર થયો. મન, વચન અને કાયાથી ગુપ્ત, જિતેન્દ્રિય અને વતી બન્યો. જીવન સુધી નિલભાવે શ્રમણ્ય પાળ્યું. [85] ઉગ્ર તપનું આચરણ કરી બંને કેવલી બન્યાં. બધાં કર્મોનો ક્ષય કરીને તેમણે અનુત્તર સિદ્ધિ મેળવી. [84] સંબુદ્ધ, પણ્ડિત અને પ્રવિચક્ષણ પુરુષ આમ જ કરે. પુરુષોત્તમ રથનેમિની જેમ તેઓ ભોગોથી નિવૃત્ત થાય છે. - એમ હું કહું છું. અધ્યયન-૨૨-ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ (અધ્યયન-૨૩ કેશી-ગૌતમ) [847-854] પાર્શ્વ નામના જિન, અહંનું, લોકપૂજિત, સબુદ્ધાત્મા, સર્વજ્ઞ, ધર્મતીર્થના પ્રવર્તક અને વીતરાગ હતા. લોક-પ્રદીપ ભગવાન પાર્શ્વના, મહા યશસ્વી, વિદ્યા-ચારિત્રમાં પારંગત કેશ કુમાર-શ્રમણ શિષ્ય હતા. તેઓ અવધિ-જ્ઞાન અને શ્રુતજ્ઞાનથી પ્રબુદ્ધ હતા. તેઓ પોતાના શિષ્યો સાથે ગામે ગામ વિહાર કરતા શ્રાવસ્તી નગરીમાં આવ્યા. નગરની પાસે જ તિન્દુક નામના બાગમાં ઊતર્યા. જ્યાં જીવજંતુ રહિત નિર્દોષ રહેઠાણ અને પાથરવા પીઠ ફલક આસન વગેરે મળી રહે તેમ હતું. 8i51-854] તે દિવસોમાં જ ધર્મતીર્થપ્રવર્તક જિન ભગવાન વર્ધમાન હતા. જે સમગ્ર લોકમાં પ્રસિદ્ધ હતા. તે લોક પ્રદીપ ભગવાન વર્ધમાનના, વિદ્યા ચારિત્રમાં પારંગત મા યશસ્વી શિષ્ય ભગવાન ગૌતમ હતા. બાર અંગોના જ્ઞાતા, પ્રબુદ્ધ ગૌતમ પણ શિષ્ય સંઘ સાથે ગામે ગામ વિહાર કરતા શ્રાવસ્તી પહોંચ્યા. જ્યાં પ્રાસુક શધ્યા તેમજ સંસ્તારક સુલભ હતાં એવા કોષ્ઠ બાગમાં તેઓ ઊતર્યા. [855-859] શ્રમણ કુમાર કેશી અને મહા યશસ્વી ગૌતમ બને ત્યાં હતા. બંને આત્મલીન અને સુસમાહિત હતા. સમાધિસ્થ હતા. સંત, તપસ્વી, ગુણવાન અને ષકાયના સંરક્ષક બંને શિષ્ય-સંઘોમાં આ ચિન્તન ઊભું થયું. આ કેવો ધર્મ છે? અને આ કેવો ધર્મ છે ? આચાર ધર્મની આ વ્યવસ્થા કેવી છે? અને આ કેવી છે? આ ચતુર્યામ ધર્મ છે. આનું પ્રતિપાદન મહામુનિ પાર્શ્વનાથે કર્યું છે અને આ પંચ શિક્ષાત્મક ધર્મ છે. આનું પ્રતિપાદન મહામુનિ વર્ધમાને કર્યું છે. આ અચેલક (અવસ્ત્રો ધર્મ
Page #60
--------------------------------------------------------------------------
________________ અધ્યયન - 23 231 વર્ધમાને કહ્યો છે. અને આ સાન્તરોત્તર-સુન્દર રંગવાળા કીમતી વસ્ત્રવાળો-ધર્મ પાર્શ્વનાથે ચલાવ્યો છે. એક જ કાર્ય-લક્ષ્યમાં પ્રવૃત્ત બંનેમાં આ ભેદનું કારણ? [860-863 કેશી અને ગૌતમ બંનેએ શિષ્યોમાં ચાલતી આ શંકાને જાણીને પરસ્પર મળવાનો વિચાર કર્યો. કેશી શ્રમણના કુળને શ્રેષ્ઠ માની યથોચિત વ્યવહારના જ્ઞાતા ગૌતમ શિષ્યસંઘ સાથે તિક વનમાં ગયા. ગૌતમને આવતા જોઈ કેશી કુમાર શ્રમણે તેમનો સારી રીતે આદર સત્કાર કર્યો. ગૌતમને બેસવા માટે તેમણે જલદી જ પ્રાસુક પવાલ અને કુશ તૃણ અર્પણ કર્યા. [864-8) શ્રમણ કેશકુમાર અને મહા યશસ્વી ગૌતમ બંને બેઠા હતા. તે સૂર્ય અને ચન્દ્રની જેમ શોભતા હતા. કૌતુહલ વશ ત્યાં ઘણાં બીજા સમ્પ્રદાયોના પાખંડ પરિવ્રાજકો આવ્યા અને હજારો ગૃહસ્થ પણ આવ્યા. દેવ, દાનવ, ગન્ધર્વ, યક્ષ, રાક્ષસ, કિન્નર અને અદ્રશ્ય ભૂતોનો ત્યાં મેળો જામ્યો હતો. [867-870] કેશીએ ગૌતમને કહ્યું H મહાભાગ ! હું તમને કાંઈક પૂછવા માગું છું. આ સાંભળી ગૌતમે કહ્યું : ભન્ત ! જે ઇચ્છા હોય તે પૂછો. રજા મેળવીને કેશીએ ગૌતમને કહ્યું. આ ચતુયમિધર્મનું પ્રતિપાદન મહામુનિ પાર્શ્વનાથે કર્યું છે અને પંચ શિક્ષાત્મક ધર્મનું મહામુનિ વધમાને કર્યું છે. મેધાવિન્! બંને એક જ ઉદ્દેશ્યવાળા છે તો આ ભિન્નતા શા માટે? આ બે પ્રકારના ધર્મોમાં તમને સંદેહ કેમ થતો નથી? [871-873) કેશીએ આમ કહેતા ગૌતમે જણાવ્યું કેઃ તત્ત્વનો નિર્ણય જેનાથી થાય એવા ધર્મતત્ત્વની સમીક્ષા પ્રજ્ઞા કરે છે. પહેલા તીર્થકના સાધુઓ સરળ અને જડ હતા. પાછળના તીર્થકરોના સાધુઓ સ્વભાવે વક્ર અને જડ છે. વચલા બાવીસ તીર્થકરોના સાધુ સરળ અને બુદ્ધિશાળી હતા. તેથી ધર્મ બે પ્રકારનો છે. પ્રથમ તીર્થકરના સાધુઓ કલ્પ-આચારને યથાવતું ગ્રહણ કરી શકતા નહીં. અંતિમ તીર્થકરના સાધુઓ માટે કલ્પને યથાવતું ગ્રહણ કરી તેને પાળવું મુશ્કેલ બન્યું છે. વચલા તીર્થકરોના સાધુઓ કલ્પને યથાવતું ગ્રહણ કરે અને તેને સરળતાથી પાળે છે. [874-876] ગૌતમ! તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારી શંકા દૂર કરી છે. મારી હજી એક શંકા છે. ગૌતમ! તે વિશે પણ તમે મને કહો. આ અચેલક ધર્મ વર્ધમાને કહ્યો છે અને આ સાન્તરોત્તર (વિશિષ્ટ વર્ણ અને કીમતી વસ્ત્રોવાળો) ધર્મ મહાયશસ્વી પા ચેં કહ્યો છે. એક જ કામ-ઉદ્દેશ્યથી બંને પ્રવૃત્ત થયા છે, છતાં બંનેમાં આ ભિન્નતા શા માટે? મેધાવી ! ચિહ્ન (લિંગ)નો આ બે પ્રકાર માટે તમને શંકા નથી થતી? [877-879) કેશીએ આમ કહેતા ગૌતમે કહ્યું કે વિજ્ઞાન- ધર્મના સાધનોને સારી રીતે જાણીને જ તેની સમ્મતિ અપાઈછે, અનેક પ્રકારના ઉપકરણોની પરિકલ્પના લોકોના વિશ્વાસ માટે છે. સંયમયાત્રાના નિવહ માટે અને હું સાધુ છું પ્રસંગોપાત્ત એનું જ્ઞાન રહે એટલા માટે લોકોમાં ચિહ્ન રખાયાં છે. વસ્તુતઃ બંને તીર્થકરોનો એક જ સિદ્ધાંત છે કે મોક્ષના સાચા સાધન જ્ઞાન, દર્શન અને ચારિત્ર જ છે. [880-881] ગૌતમ ! તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારો સંદેહ દૂર કર્યો. મારી હજી એક શંકા છે. ગૌતમ ! તે વિશે તમે મને કહો. ગૌતમ ! હજારો શત્રુઓ વચ્ચે તમે ઉભા છો. તેઓ તમને જીતવા ઈચ્છે છે. તમે તેને કેવી રીતે જીત્યા? [882] એકને જીતતાં પાંચને જીત્યા. પાંચને જીત્યા પછી દશને જીતીને મેં બધા
Page #61
--------------------------------------------------------------------------
________________ 232 ઉત્તરજઝયણ-૨૩૮૮૩ શત્રુ જીતી લીધા. [883-884] કેશીએ ગૌતમને પૂછ્યું તે શત્રુ કયા? ગૌતમે આ જવામ આપ્યો. હે મુનિ ! અણજીતાયેલો આપણો આત્મા જ મોટો શત્રુ છે. કષાય અને ઇન્દ્રિયો પણ શત્ર છે. તેમને જીતીને નીતિપૂર્વક હું વિહાર કરું છું. [885-88] ગૌતમ ! તમે શ્રેષ્ઠ પ્રજ્ઞાવાળા છો. તમે મારી શંકા દૂર કરી છે. મારી એક બીજી શંકા છે. તે વિશે તમે મને કહો. આ સંસારમાં અનેક જીવ પાશ બદ્ધ છે, હે મુનિ ! તમે બંધનમુક્ત અને લઘુભૂત-પ્રતિબંધહીન થઈને કેવી રીતે વિહરો છો ! [887 મુનિ ! તે બધાં બંધનોને સર્વ રીતે કાપીને, ઉપાયો વડે નષ્ટ કરી હું બંધનમુક્ત-હળવી થઇ વિચરું છું. [888-889] તે બન્ધન ક્યાં? કેશીએ પૂછ્યું, ગૌતમે કહ્યું. તીવ્ર રાગદ્વેષ અને સ્નેહ ભયંકર બંધન છે. તેમને છેદ્યને ધર્મ-નીતિ તેમજ આચાર પ્રમાણે હું વિચરું છું. [890-891] ગૌતમ ! તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારી શંકા દૂર કરી છે. મારી હજી એક શંકા છે. તે વિશે તમે મને કહો. ગૌતમ! દયમાં એક લત્તા ઉત્પન્ન થયેલ છે. તેને વિષ જેવા ફળ લાગે છે. તેને કેવી રીતે ઉખાડી છે? [892] તે લત્તા તદ્દન જડથી ઉખાડીને, કાપીને હું નીતિપૂર્વક વિચરું છું. તેથી હું વિષનું ફળ ખાતો નથી. [893-894o તે લત્તા કયી? કેશીએ પૂછતાં ગૌતમે આમ કહ્યું. ભવતૃષ્ણા જ ભયંકર લત્તા છે. તેને ભંયકર પરિપાકવાળા ફળ લાગે છે. હે મહામુનિ ! તેને જડથી, ઉખાડીને હું નીતિ અનુસાર વિહાર કરું છું. [895-896] ગૌતમ! તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારો સંદેહ દૂર કર્યો છે. હજી મારી એક શંકા છે. તે વિશે તમે મને કહો. ધોર-પ્રચંડ અગ્નિ બળે છે. તે શરીરસ્યોજીવોને બાળે છે. તે તમે કેવી રીતે શાન્ત કર્યો? [897 મહામેઘમાંથી ઉત્પન્ન થયેલ પાણીને લઈને મેં તે અગ્નિ નિરન્તર સિંઓ અને આવા પાણીથી ભીંજાયેલ અગ્નિ મને બાળતો નથી. [898-899] તે અગ્નિ કયો? કેશીએ પૂછ્યું. ગૌતમ આમ જવાબ આપ્યો. કષાય (ક્રોધ, માન, માયા, લોભ) અગ્નિ છે, શ્રત, શીલ, તપ એ પાણી છે. શ્રુત-શીલતપ રૂપી જળધારાથી બુઝાયેલ અગ્નિ મને બાળતો નથી. [900-901] ગૌતમ ! તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારી શંકા દૂર કરી, મારી એક બીજી શંકા છે. તે વિશે તમે મને કહો. આ સાહસિક, ભયંકર, દુષ્ટ ઘોડો દોડી રહ્યો છે. ગૌતમ! તમે તેના પર સવાર છો. તે તમને ખોટો રસ્તે કેમ દોરતો નથી? [902] દોડતા ઘોડાને હું શ્રુત-રશ્મિ-શ્રુત જ્ઞાનની લગામથી વશમાં કરું છું. મારે વશ રહેલો ઘોડો ઉન્માર્ગે જતો નથી અને સન્માર્ગે જ જાય છે. [03-04] ઘોડો કોને કહ્યો છે? કેશીએ ગૌતમને પૂછ્યું. ગૌતમે તેમને આ રીતે કહ્યું. મન જ સાહસિક, ભયંકર, દુષ્ટ ઘોડો છે. જે ચારે બાજુ ઘેડે છે, તેને હું સારી રીતે વશમાં રાખું છું. ધર્મશિક્ષાથી તે કંથક-ઉત્તમ જાતિનો ઘોડો બન્યો છે. [૯૦પ-૯૦૬] ગૌતમતમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારી શંકા દૂર કરી છે. મારો હજી એક સંદેહ છે. ગૌતમ ! તે વિશે તમે મને કહો. ગૌતમ! લોકમાં કુમાર્ગ ઘણા છે.
Page #62
--------------------------------------------------------------------------
________________ અધ્યયન- 23 233 લોકો તેમાં ફસાઈ જાય છે. રસ્તે ચાલતાં તમે કેમ ભટકતા નથી? [09] સન્માર્ગે અને ઉન્માર્ગે ચાલનારા બધાને હું ઓળખું છું. તેથી હે મુનિ! હું ભટકતો નથી. [908-909 માર્ગ કોને કહેવાય ? કેશીએ પૂછયું. ગૌતમે આમ જવાબ આપ્યો. મિથ્યા પ્રવચનને માનનારા બધા પાખંડીવ્રતી લોકો ઉન્માર્ગે જાય છે. સન્માર્ગ જિનોપદિષ્ટ છે. અને તે જ ઉત્તમ છે. 9i10-911] ગૌતમ ! તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારી શંકા દૂર કરી. મારી એક બીજી શંકા છે. તે વિશે તમે મને કહો. મુને ! મહાન જળપ્રવાહમાં વેગથી ડૂબતા પ્રાણીઓને માટે શરણ, ગતિ, પ્રતિષ્ઠા અને દ્વીપ તમે કોને માનો છો? [12] જળની વચ્ચે એક વિશાળ મહાદ્વીપ છે. ત્યાં વિશાળ જળપ્રવાહના વેગની ગતિ નથી. [913914] તે મહાદ્વીપ કયો? કેશીકુમારે પૂછ્યું. ગૌતમે આમ કહ્યું. જરામરણના વેગમાં વહેતાડૂબતા પ્રાણીઓ માટે ધર્મ જ દ્વીપ, પ્રતિષ્ઠા, ગતિ અને ઉત્તમ શરણ છે. [915-916] ગૌતમ! તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારો સંદેહ દૂર કર્યો. મારો એક બીજો સંદેહ છે. તે વિશે પણ તમે મને કહો. ગૌતમ ! મહા પ્રવાહવાળા સમુદ્રમાં નૌકા ડગમગે છે. તમે તેમાં બેસીને કેવી રીતે પાર જશો? [917 જે તૂટેલી નૌકા છે તે પાર ન પહોંચે. જે સારી છે, તે જ પાર જાય છે. [918-919) તે કયી નૌકા છે? કેશીએ પૂછ્યું. ગૌતમે આમ કહ્યું. શરીર નૌકા છે. જીવ નાવિક છે. અને સંસાર સમુદ્ર છે. જેને મહર્ષિ તરી જાય છે. 20-921] ગૌતમ તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારી શંકા દૂર કરી. મારો હજી એક સંદેહ છે. ગૌતમ! તે વિશે તમે મને કહો. ભયંકર ગાઢ અંધકારમાં ઘણાં જીવો રહે છે. આખા લોકમાં તેમને માટે પ્રકાશ કોણ કરશે? [922] સપૂર્ણ જગતમાં પ્રકાશ કરનાર નિર્મળ સૂર્ય ઊગી ચૂક્યો છે. તે બધા જીવો માટે પ્રકાશ કરશે. [૯ર૩-૯૨૪] તે સૂર્ય કોણ છે ? કેશીએ પૂછતાં ગૌતમે આમ જવાબ આપ્યો. જેને સંસાર ક્ષીણ થઈ ગયો છે, જે સર્વજ્ઞ છે, એવા જિન ભાસ્કર ઊગી ચૂક્યા છે. તે બધા. જીવો માટે પ્રકાશ કરશે. [925-926] ગૌતમ ! તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારો આ સંદેહ દૂર કર્યો છે, મારી એક બીજી શંકા છે. તે તમે મને કહો. મુને ! શારીરિક અને માનસિક દુઃખોથી પીડિત જીવો માટે તમે ક્ષેમ, શિવ અને અનાબા-બાધારહિત કયું સ્થાન માનો છો ? [૯ર૭] લોકના અગ્રભાગમાં એક એવું સ્થાન છે, જ્યાં જરા, મૃત્યુ, વ્યાધિ અને વેદના નથી. પણ ત્યાં પહોંચવું ઘણું અઘરું છે. [928-40] તે સ્થાન કયું? કેશી કુમારે પૂછતાં, ગૌતમે તેને આમ કહ્યું. જે સ્થાન મહર્ષિ મેળવે છે તેનું નામ નિવણ છે. અબાધ છે. સિદ્ધિ છે. લોકાગ્ર છે. ક્ષેમ, શિવ અને અનાબાધ છે. ભવપ્રવાહનો અંત લાવનાર મુનિ જેને પ્રાપ્ત કરીને શોકમુક્ત બને છે તે લોકના અગ્રભાગમાં શાશ્વતરૂપે છે. ત્યાં પહોંચવું અઘરું છે.
Page #63
--------------------------------------------------------------------------
________________ - - - - - 234 ઉત્તરઝય-૨૩૯૩૧ [31] ગૌતમ તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારી શંકા દૂર કરી છે. હે સંશયાતી ! સર્વ શ્રતના મહોદધિ! તમને મારા નમસ્કાર! [932-43] આમ સંશય દૂર થતાં ઘોર પરાક્રમી કેશીકુમાર મહાન યશસ્વી ગૌતમને શિરસા વંદના કરીને પ્રથમ અને અન્તિમ જિનો દ્વારા ઉપદિષ્ટ તેમજ સુખાવહ પંચ મહાવ્રતરૂપ ધર્મમાર્ગમાં ભાવથી પ્રવેશ્યા. [934 ત્યાં તિન્દુક ઉદ્યાનમાં કેશી-ગોતમ બંને સતત મળ્યા, તેમાં મૃત તેમજ શીલનો ઉત્કર્ષ અને મહાન તત્ત્વોના અર્થોનો વિનિશ્ચય થયો. [935] સમગ્ર સભા ધર્મચર્ચાથી સંતુષ્ટ થઈ. તેથી સન્માર્ગે ઉપસ્થિત તેણે ભગવાન કેશી અને ગૌતમની સ્તુતિ કરી કે બંને પ્રસન્ન રહે. - એમ હું કહું છું. | અધ્યયન-ર૩-ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુજરછાયા પૂર્ણ (અધ્યયન-૨૪-પ્રવચન-માતા) [936-938] સમિતિ અને ગુપ્તિ-રૂપ આઠ પ્રવચન માતા છે. પાંચ સમિતિ છે. ત્રણ ગુપ્તિ છે. ઈય સમિતિ, ભાષા સમિતિ, એષણા, સમિતિ, આદાન સમિતિ અને ઉચ્ચાર સમિતિ. મનોગુપ્તિ, વચન-ગુતિ અને કાય-ગુપ્તિ. એમ આઠ પ્રવચન માતા છે. સંક્ષેપમાં આ આઠ સમિતિ કહી છે. એમાં જિનેન્દ્રકથિત દ્વાદશાંગ-રૂપ સમગ્ર પ્રવચન અન્તભૂત છે. [939-943] સંયતી, (મુનિ) આલંબન, કાળ, માર્ગ અને યતના-આ ચાર કારણ પરિશુદ્ધ ઈય સમિતિથી વિચરણ કરે. ઈય સમિતિનું આલંબન-જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે, કાળ દિવસ છે અને ઉન્માર્ગનો ત્યાગ એ માર્ગ છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાથી યતનાના ચાર પ્રકાર છે. તે હું કહું છું. સાંભળો. દ્રવ્યથી-આંખે જુએ, ક્ષેત્રથી-યુગમાત્ર ભૂમિને જુએ. કાળથી ચાલતો રહે ત્યાં સુધી જુએ. ભાવથીઉપયોગપૂર્વક ગમન કરે. ઈન્દ્રિયોના વિષય અને પાંચ પ્રકારના સ્વાધ્યાયને છોડીને માત્ર ગમનક્રિયામાં જ તન્મય થઈ તેને જ મુખ્ય મહત્ત્વ આપી ઉપયોગપૂર્વક ચાલવું. [944-95 ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, ભય, વાચાળતા અને વિકથા પ્રત્યે સતત ઉપયોગયુક્ત રહેવું. પ્રજ્ઞાવાન સંયત (મુનિ)એ આ ઉપર્યુક્ત આઠ સ્થાન છોડીને યથાસમય નિરવદ્ય-દોષરહિત અને પરિમિત ભાષા બોલવી. 9i46-947 ગવેષણા, પ્રહરૈષણા અને પરિભોૌષણાથી આહાર, ઉપાધિ અને શય્યાનું પરિશોધન કરવું. યતનાપૂર્વક પ્રવૃત્તિ કરનાર યતિ પ્રથમ એષણામાં ઉદ્દગમ અને ઉત્પાદન દોષોનું શોધન કરે. બીજી એષણામાં આહારાદિ ગ્રહણ કરવામાં આવતા દોષોનું શોધન કરે. પરિભોગેષણામાં દોષ-ચતુષ્કનું શોધન કરે. [948-949 મુનિ ઓધ-ઉપાધિ અને ઔપગ્રહિક ઉપધિ બંને ઉપકરણોને લેવા-મૂકવામાં આ વિધિનો પ્રયોગ કરે. યતનાપૂર્વક પ્રવૃત્તિ કરનાર યતિ બંને પ્રકારના ઉપકરણોને આંખો વડે પ્રતિલેખન તેમજ પ્રમાર્જન કરીને લે અને મૂકે. [950-953] ઉચ્ચાર-મળ, પ્રશ્રવણ-મૂત્ર, શ્લેષ્મ-કફ, સિંધાનક-નાકનો મેલ, જલ્લશરીરનો મેલ, આહાર, ઉપધિ-ઉપકરણ, શરીર તેમજ બીજી કોઈ ત્યાજ્ય વસ્તુનો વિવેકપૂર્વક ઉજ્જડ ભૂમિમાં ત્યાગ કરે. અનાપાત અંસલોક-જ્યાં લોકોની
Page #64
--------------------------------------------------------------------------
________________ અધ્યયન - 24 235 અવરજવર ન હોય અને દૂરથી કોઈ પણ દેખતા ન હોય. અનાપાત સલો–લોકોની અવરજવર ન હોય, પણ દૂરથી જોતા હોય. આપાત અસંલોક-લોકોની અવરજવર હોય પણ તે દેખતા ન હોય. આપાત સંલોક-લોકોની અવરજવર હોય અને તે દેખતા પણ હોય. આમ સ્થપ્ટેિલ ભૂમિ ચાર પ્રકારની હોય છે. જે ભૂમિ અનાપાત અસંલોક હોય. પરોપઘાત રહિત હોય, સમ હોય, અશુષિર હોય-પોલી ન હોય તેમ જ થોડા વખત પહેલાં નિર્જીવ બની. હોય. વિસ્તૃત હોય, ગામથી દૂર હોય, ઘણે નીચે સુધી અચિત્ત હોય. દર વિનાની હોય, ત્રસ પ્રાણી તથા બી વિનાની હોય, એવી ભૂમિમાં ઉચ્ચારમાળ આદીનો ઉત્સર્ગ કરવો જોઈએ. [54] આ પાંચ સમિતિ ટૂંકમાં કહી છે. આગળ ત્રણ ગુપ્તીઓ કહું છું. [955-95 મનોગુપ્તિ એના ચાર પ્રકાર છે. સત્ય, મૃષા, સત્યામૃષા, અસત્યમૃષા- યતનાસંપન્ન યતિ સંરંભ, સમારંભ અને આરંભમાં પ્રવૃત્ત મનનું નિવર્તન કરે. [957-958] વચનગુપ્તિ એના ચાર પ્રકારઃ સત્યા, મૃષા, સત્યામૃષા, ચોથી અસત્યામૃષા. યતનાસંપન્નયતિ સંરંભ, સમારંભ અને આરંભમાં પ્રવૃત્ત વચનનું નિવર્તન કરે. [959-9] ઊભા રહેવામાં, બેસવામાં, ત્વશ્વર્તનમાં-સૂવામાં, ઉલ્લંઘનમાંખાડા ઓળંગવામાં, પ્રલંઘનમાં સાધારણ હરવાફરવામાં, શબ્દાદિ વિષયોમાં ઇન્દ્રિથોના પ્રયોગમાં- સરભંમાં, સમારંભમાં અને આરંભમાં પ્રવૃત્ત કાયાનું નિવર્તન કરે. [961] આ પાંચ સમિતિઓ ચારિત્રની પ્રવૃત્તિ માટે છે અને ત્રણ ગુપ્તિઓ બધા અશુભ વિષયોમાંથી નિવૃત્તિ માટે છે. [962] જે પંડિત મુનિ આ પ્રવચન માતાઓનું સમ્યફ આચરણ કરે છે, તે જ જલદી સર્વ સંસારથી મુક્ત બને છે. - એમ હું કહું છું. | અધ્યયન -24- ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ (અધ્યયન-ર૫-યશીય) 9i63-965] બ્રાહ્મણ કુળમાં જન્મેલા મહાયશસ્વી જયઘોષ નામે બ્રાહ્મણ હતો, તે હિંસક યમ રૂપ યજ્ઞમાં રત હતો. તે ઈન્દ્રિયોનો નિગ્રહ કરનાર માર્ગગામી મહા મુનિ બન્યો હતો. એક દિવસ ગામોગામ વિહાર કરતાં બનારસ પહોંચ્યો. બનારસ બહાર સુંદરબાગમાં પ્રાસુક શય્યાવસતિ, સંસ્મારક પીઠ, ફલક, આસન વગેરે લઈને રહ્યો. [966-967] તે જ વખતે તે શહેરમાં વેદને જાણનાર વિજયઘોષ નામનો બ્રાહ્મણ યજ્ઞ કરતો હતો. એક માસની તપસ્યા પછી પારણાને વખતે ભિક્ષા માટે તે જયઘોષ મુનિ વિજયઘોષના યજ્ઞમાં હાજર થયો. [968-72] યજ્ઞકર્તા બ્રાહ્મણ ભિક્ષાર્થી મુનિને ઇનકાર કરે છે. હું તને ભિક્ષા નહિ આપું. ભિક્ષ,! બીજે ભિક્ષા માગવા જાઓ ! જે વેદોનો જાણકાર બ્રાહ્મણ છે, યજ્ઞ કરનાર દ્વિજ છે અને જ્યોતિષના અંગો જાણે છે તેમજ ધર્મશાસ્ત્રોમાં પારંગત છે. જે પોતાનો અને બીજાનો ઉદ્ધાર કરી શકે છે. ભિક્ષ ! આ સર્વકામિક- તેમ જ બધાને અભીષ્ટ અન્ન તેમને જ આપવાનું છે. ત્યાં આ રીતે યજ્ઞ કરનાર તરફથી નકાર
Page #65
--------------------------------------------------------------------------
________________ 236 ઉત્તરઝયાણ- 255973 સાંભળીને, ઉત્તમ અર્થની શોધ કરનાર તે મહામુનિ ગુસ્સે ન થયા તેમજ પ્રસન્ન પણ ન થયા, અન્ન, જલ કે જીવન નિર્વાહ માટે નહીં પણ તેની વિમુક્તિ માટે મુનિએ આમ કહ્યું [973-74] તું વેદનું મુખ જાણતો નથી અને ધર્મનું, યજ્ઞનું, કે નક્ષત્રોનું મુખ પણ જાણતો નથી. જે પોતાનો અને બીજાનો ઉદ્ધાર કરવા સમર્થ છે તેને પણ તું જાણતો નથી. જાણતો હોય તો કહે. [975-77] તેમના આક્ષેપોનો-પ્રશ્નોનો ઉત્તર આપવામાં અસમર્થ બ્રાહ્મણે પોતાની સમગ્ર પરિષદ સાથે હાથ જોડીને મુનિને પૂછ્યું. તમે કહો-વેદોનું મુખ શું છે? યજ્ઞોનું મુખ કહો, નક્ષત્રો અને ધર્મનું મુખ પણ કહો. પોતાનો અને બીજાનો ઉદ્ધાર કરવા સમર્થ કોણ છે તે પણ કહો. મને આ બધી શંકાઓ છે. સાધુ! હું પૂછું છું. તમે કહો. [978-980] વેદોનું મુખ અગ્નિહોત્ર છે. યજ્ઞોનું મુખ યજ્ઞાર્થી છે. નક્ષત્રોનું મુખ ચન્દ્ર છે. અને ધમનું મુખ કાશ્યપ (2ષભદેવ) છે. જેમાં ઉત્તમ અને મનોહારી ગ્રહ વગેરે હાથ જોડીને ચન્દ્રની વંદના તેમ જ નમસ્કાર કરે છે. તેવી જ રીતે ભગવાન ઋષભ દેવ છે. તેમની આગળ પણ જનતા વિનયાવનત છે. વિદ્યા બાહ્મણની સંપત્તિ છે. યજ્ઞવાદી એ જાણતા નથી. તેઓ બહારથી સ્વાધ્યાય અને તપથી, અગ્નિ રાખથી ઢંકાયેલી હોય તેમ ઢંકાયેલા છે. - 9i81-984 જેમને લોકમાં સારા માણસોએ બ્રાહ્મણ કહ્યા છે, જેઓ અગ્નિની જેમ સદા પૂજ્ય છે તેને હું બ્રાહ્મણ કહું છું. જે પ્રિય સ્વજનોને મળીને આસક્ત નથી થતો અને વિરહમાં દુઃખી નથી થતો. જે આર્યવચનમાં રત રહે છે તેને હું બ્રાહ્મણ કહું છું. કસોટી પર કરેલું અને અગ્નિમાં શુદ્ધ કરેલું વિશુદ્ધ સોનાની જેમ જે રાગ-દ્વેષ અને ભયથી મુક્ત છે, તેને હું બ્રાહ્મણ કહું છું. જે તપસ્વી છે, કશ છે, દાત્ત છે, જેનું માંસ અને રક્ત કમ થઈ ગયાં છે, જે સુવ્રત છે, શાન્ત છે, તેને હું બ્રાહ્મણ કહું છું. [985-990 જે ચરાચર જીવોને સમ્યક્તયા જાણીને તેની મન-વચન-કાયાથી હિંસા નથી કરતો, તેને હું બ્રાહ્મણ કહું છું. જે ક્રોધ, હાસ્ય, લોભ અથવા ભયથી જુઠું નથી બોલતો, તેને હું બ્રાહ્મણ કહું છું. જે ચિત્ત કે અચિત્ત, થોડું કે વધારે આપ્યા વિના લેતો. નથી તેને હું બ્રાહ્મણ કહું છું. જે દેવ, મનુષ્ય કે પક્ષી સંબંધી મૈથુનનું મન-વચન અને શરીરથી સેવન નથી કરતો તેને હું બ્રાહ્મણ કહું છું. જેમ પાણીમાં જન્મેલું કમળ પાણીમાં લિપ્ત થતું નથી, તેવી જ રીતે જે કામ ભોગોથી અલિપ્ત રહે છે, તેને હું બ્રાહ્મણ કહું છું. જે રસાદિમાં લોલુપ નથી, જે નિદોંષ ભિક્ષાથી જીવન નિર્વાહ કરે છે, જે ગૃહત્યાગી છે, જે અકિંચન છે, જે ગૃહસ્થીમાં અનાસક્ત છે, તેને હું બ્રાહ્મણ કહું છું. [991-994] તે દુશીલને પશુબંધ ના કારણે બધા વેદો અને પાપ કર્મથી કરાયેલ યજ્ઞ છોડાવી શકે નહીં, કારણ કર્મ બળવાન છે. કેવળ માથું મુંડાવવાથી કોઈ શ્રમણ નથી થઈ જતો. ઓમ્ નો જાપ કરવાથી કોઈ બ્રાહ્મણ નથી થતો. જંગલમાં રહેવાથી કોઇ મુનિ બનતો નથી. કુશના કપડાં પહેરવાથી જ કોઈ તપસ્વી બનતો નથી. સમભાવથી શ્રમણ બને છે. બ્રહ્મચર્યથી બ્રાહ્મણ બને છે. જ્ઞાનથી મુનિ થાય છે. તપથી તપસ્વી બને છે. કર્મથી બ્રાહ્મણ બને છે. કર્મથી ક્ષત્રિય થાય છે. કર્મથી જ વૈશ્ય અને કમેથી જ શૂદ્ર બને છે. 9i95-99] અહીં તે આ તત્ત્વોનું નિરૂપણ કર્યું છે. આનાથી જે સાધક સ્નાતક
Page #66
--------------------------------------------------------------------------
________________ અધ્યયન - 25 237 પૂર્ણ બને છે તે સર્વ કર્મોથી મુક્ત બને છે, તેને હું બ્રાહ્મણ કહું છું. આમ જેઓ ગુણસંપન્ન દ્વિજોત્તમ હોય છે, તેઓ જ પોતાનો અને બીજાનો ઉદ્ધાર કરી શકે છે. આમ શંકાહીન બનેલા વિજયઘોષ બ્રાહ્મણે મુનિ જયઘોષની વાણીને સમ્યકરૂપે સ્વીકારી. 998] સંતુષ્ટ વિજયઘોષે હાથ જોડીને આમ કહ્યું તમે મને યથાર્થ બ્રાહ્મણત્વનો સરસ ઉપદેશ આપ્યો. [999-2000) તમે યજ્ઞોના યષ્ટા-છો, વેદ જાણનાર છો, વિદ્વાન છો, જ્યોતિષ અંગોના જાણકાર અને ધર્મમાં પારંગત છો. તમે તમારો તેમજ બીજાનો ઉદ્ધાર કરવા સમર્થ છો તેથી ભિક્ષુ શ્રેષ્ઠ ! ભિક્ષા સ્વીકારી અમારા પર અનુગ્રહ કરો. [1000-1004] મારે ભિક્ષાની કાંઈ દરકાર નથી. હે દ્વિજ 1 જલદી જ અભિનિષ્ક્રમણ કર, જેથી ભયના આવર્તવાળા સંસારસાગરમાં તારે ભટકવું ન પડે. ભોગોમાં કમનો ઉપલેપ થાય છે. અભોગી કર્મોથી નિર્લેપ બને છે. ભોગી સંસારમાં ભ્રમણ કરે છે. અભોગી તેમાંથી મુક્ત થાય છે. જેમ એક ભીનો અને એક સૂકો એમ બે માટીના ગોળા ફેક્યો, તે બંને ભીંત પર અથડાયા. જે ભીનો હતો તે ત્યાં જ ચોંટી ગયો. એ દ્રષ્ટાંતે જે મનુષ્ય દુબુદ્ધિ અને કામભોગોમાં આસક્ત છે તે વિષયોમાં ચોંટી જાય છે. વિરક્ત સાધક સૂકા ગોળાની જેમ ચોંટતો નથી. [1005-1006] આ રીતે વિજયઘોષ, જયઘોષ અનગાર પાસે અનુત્તર ધમી સાંભળી દીક્ષિત થયો. જયઘોષ અને વિજ્યઘોષ સંયમ અને તપ દ્વારા પૂર્વસંચિત કર્મોને ક્ષીણ કરી અનુત્તર સિદ્ધિ પ્રાપ્ત કરી. -એમ હું કહું છું. અધ્યયન-૨પ-ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ | (અધ્યયન-૨૬-સમાચારી) [1007] સમાચારી બધાં દુઃખોથી મુક્ત કરે છે જેનું આચરણ કરીને નિર્ઝન્ય સંસારસાગરને તરી જાય છે, તે સમાચારીનું હું વર્ણન કરું છું. [1008-1010] પહેલી આવશ્યકી, બીજી નૈધિકી, ત્રીજ આપૃચ્છના, ચોથી પ્રતિપૃચ્છના છે. પાંચમી છન્દના, છઠ્ઠી ઇચ્છાકાર, સાતમી મિથ્યાકાર, આઠમી તથાકાર. નવમી અભ્યત્થાન અને દસમી ઉપસંપદા છે. આમ આ દસ અંગોવાળી. સાધુઓની સમાચારી વર્ણવી છે. 1011-1013] પોતાના રહેઠાણથી બહાર જતાં “આવસિય”નું ઉચ્ચારણ કરવું. આવશ્યકી સમાચારી છે, પોતાના સ્થળે પ્રવેશ કરતો “નિિિહય” નું ઉચ્ચારણ કરવું, નૈધિક સમાચારી છે. પોતાના કામ માટે ગુરુની રજા લેવી “અમૃચ્છના સમાચારી છે. બીજાના કામ માટે ગુરુ પાસે રજા લેવી પ્રતિકૃચ્છાના સમાચારી છે. પૂર્વગૃહીત દ્રવ્યો માટે ગુરુ વગેરેનું આમંત્રિત કરવા “છન્દના સમાચારી છે. બીજાનું કામ પોતાની સહજ અભિરુચિથી કરવું અને પોતાનું કામ કરાવવા બીજાને તેમની ઈચ્છા પ્રમાણે નમ્ર નિવેદન કરવું “ઈચ્છાકાર’ સમાચારી છે. દોષની નિવૃત્તિ માટે આત્મનિન્દા કરવી " મિથ્યાકાર’ સમાચારી છે. ગુરૂજનોનો ઉપદેશ-સ્વીકારવો. ‘તથાકાર' સમાચારી છે. ગુરુજનોના પૂજા-સત્કાર માટે આસનથી ઊઠી ઊભા થવું ‘અભ્યત્થાન સમાચારી છે. કોઈ વિશિષ્ટ પ્રયોજનથી બીજા આચાર્ય પાસે રહેતું -
Page #67
--------------------------------------------------------------------------
________________ 238 ઉત્તરજઝયણ- 251014 ઉપસંપદા સમાચારી છે. આ રીતે દશાંગ સમાચારીનું વર્ણન છે. [1014-1016] સૂર્યોદય થતાં દિવસના પ્રથમ પહોરના પહેલા ચતુર્થ ભાગમાં ભાડ-ઉપકરણોનું પ્રતિલેખન કરી ગુરુને વંદના કરીને હાથ જોડીને પૂછવું કે હવે મારે શું કરવું? હે પૂજ્ય! હું ઇચ્છું છું કે આપ મને સ્વાધ્યાયની રજા આપી અથવા વૈયાવૃત્યસેવામાં નિયુક્ત કરો. વૈયાવૃત્યમાં નિયુક્ત કરે તો ગ્લાનિ વિના સેવા કરવી અથવા બધાં દુઃખોથી મુક્ત કરનાર સ્વાધ્યાયમાં નિયુક્ત કરે તો ગ્લાનિરહિત સ્વાધ્યાય કરે. | [1017-1018] વિચક્ષણ ભિક્ષુએ દિવસના ચાર ભાગ કરવા. તે ચારે ભાગમાં સ્વાધ્યાય વગેરે ઉત્તર ગુણોની આરાધના કરવી. પ્રથમ પહોરમાં સ્વાધ્યાય કરવો, બીજામાં ધ્યાન કરવું, ત્રીજામાં ભિક્ષાચરી અને ચોથામાં ફરી સ્વાધ્યાય કરવો. [1019-1022] આષાઢ મહિનામાં દ્વિપદા (બે પગની) પૌરૂષી હોય છે. પોષ મહિનામાં ચતુષ્પદા અને ચૈત્ર તેમજ આસો માસમાં ત્રિપદા, પૌરવી હોય છે. સાત રાતમાં એક આંગળ, પક્ષમાં બે આંગળ અને એક મહિનામાં ચાર આંગળની વૃદ્ધિ અને હાનિ થાય છે. શ્રાવણથી પોષ સુધી વૃદ્ધિ થાય છે અને મહા થી આષાઢ સુધી હાનિ થાય છે. આષાઢ, ભાદરવો, કાર્તિક, પોષ, ફાગણ અને વૈશાખના કૃષ્ણ પક્ષમાં એક એક અહોરાત્રી (તિથિ)નો ક્ષય થાય છે. જેઠ આષાઢ અને શ્રાવણ આ પહેલાં ત્રણમાં છ આંગળ, ભાદરવો, આસો અને કારતક આ ત્રણમાં આઠ આંગળ, તેમજ માગસર, પોષ અને મહા આ ત્રણમાં દસ આગળ અને ફાગણ, ચૈત્ર, વૈશાખ આ ચોથા ત્રિકમાં આઠ આંગળની વૃદ્ધિ કરવાથી પ્રતિલેખનનો પૌરૂષી સમય થાય છે. [1023-1024] વિદ્વાન ભિક્ષુએ રાત્રિના ચાર ભાગ કરવા. તે ચારે ભાગમાં ઉત્તર ગુણોની આરાધના કરવી. પ્રથમ પહોરમાં સ્વાધ્યાય. બીજામાં ધ્યાન, ત્રીજામાં ઊંઘ અને ચોથામાં ફરી સ્વાધ્યાય કરે. 1025-1026] જે નક્ષત્ર જે રાતની પૂર્તિ કરતા હોય તે જ્યારે આકાશના પ્રથમ ચતુર્થ ભાગમાં આવે અથતું રાત્રિનો પ્રથમ પહોર પૂરો થાય ત્યારે તે પ્રદોષ કાળ કહેવાય છે. તે વખતે સ્વાધ્યાયમાંથી નિવૃત્ત થવું જોઈએ. તે જ નક્ષત્ર જ્યારે આકાશના અંતિમ ચતુર્થ ભાગમાં આવે ત્યારે રાત્રિનો અંતિમ ચોથો પહોર હોય છે. તેને વૈરત્રિક કાળ જાણીને મુનિએ સ્વાધ્યાયમાં પ્રવૃત્ત થવું. 1027-1028] દિવસના પહેલા પહોરમાં પહેલા ચોથા ભાગમાં પાત્રાદિ ઉપકરણોનું પ્રતિલેખન કરી ગુરુને વંદના કરી દુઃખમુક્ત કરનાર સ્વાધ્યાય કરવો. પૌરુષીના ચતુર્થભાગમાં અથતુ પોણી પૌરુષી વીતી જાય ત્યારે ગુરુને વંદના કરીને કાળનું પ્રતિક્રમણ (કાયોત્સર્ગ) કર્યા વિના જ ભાજનનું પ્રતિલેખન કરે. [1029-103] મુખવસ્ત્રિકાનું પ્રતિલેખન કરીને ગોચ્છગનું પ્રતિલેખન કરે. આંગળીઓ વડે ગોચ્છગને પકડીને વસ્ત્રનું પ્રતિલેખન કરે. સર્વ પ્રથમ ઊકડૂ આસને બેસે. પછી વસ્ત્ર ઊંચુ કરે, સ્થિર રાખે અને ઉતાવળ કર્યા વિના તેનું પ્રતિલેખન કરે. આંખથી જુએ, બીજે, વસ્ત્રને ધીરેથી ઝાટકે અને ત્રીજે, વસ્ત્રને પ્રમાર્જન કરે. [1031] પ્રતિલેખન કરતી વખતે શરીરને કે વસ્ત્રને નચાવે નહીં, વાળે નહીં, વસ્ત્રને નજરની બહાર ન જવા દે, વસ્ત્ર ભીંત વગેરેને સ્પર્શ ન થવા દે. વસ્ત્રના છ પૂર્વ અને નવ ખોટક કરે. કોઈ જીવ હોય તો તેને દૂર કરે-વિશોધન કરે.
Page #68
--------------------------------------------------------------------------
________________ અધ્યયન - 26 239 [૧૦૩ર-૧૦૩૩] આ પ્રતિલેખનમાં નીચેના દોષ જાણવા આરભટા-નિર્દિષ્ટ વિધિથી વિપરીત પ્રતિલેખન કરવું અથવા એક વસ્ત્રનું પૂરી રીતે પ્રતિલેખન કર્યા વિના. વચ્ચે જ બીજા વસ્ત્રના પ્રતિલેખનમાં વળગવું. સમ્મર્દો- પ્રતિલેખન કરતી વખતે કપડાં એવી રીતે પકડવાં કે તેનાં ખૂણા હવામાં ઊડ્યા કરે તેમાં કળચલી પડે અથવા તેનાં પર બેસીને પ્રતિલેખન કરવું. મોસલી-પ્રતિલેખન કરતાં વસ્ત્ર ઉપર-નીચે, આમ તેમ કોઈ બીજા કપડાં કે વસ્તુ સાથે સાંકળતાં રહેવું. પ્રસ્ફોટના-ધૂળ ભરેલા વસ્ત્રને જોરથી ઝાટકવું. વિક્ષિપ્તાપ્રતિલેખિત વસ્ત્રને અપ્રતિલેખિત વસ્ત્રોમાં મૂકવું. અથવા વસ્ત્રને એટલું ઉચું ઉપાડવું કે બરાબર પ્રતિલેખના ન થઈ શકે. વેદિકા-પ્રતિલેખના કરતી વખતે ઘૂંટણની ઉપર નીચે કે વચ્ચે બંને હાથ મૂકવા અથવા બંને હાથની વચ્ચે ઘૂંટણ મૂકવા અથવા એક ઘૂંટણ હાથોમાં અને બીજું ઘૂંટણ બહાર મૂકવું. પ્રશિથિલ-વસ્ત્ર ઢીલું પકડવું. પ્રલંબ-વસ્ત્ર એવી રીતે પકડવું કે તેના ખૂણા નીચે લટક્યા કરે, લોલ-પ્રતિલેખ્યમાન વસ્ત્રને હાથ કે જમીન સાથે ઘસવું. એકામર્શા-વસ્ત્રને વચ્ચેથી પકડીને એક નજરે જ આખું જોઈ જવું. અનેકરૂપધૂનના-વસ્ત્રને ત્રણથી વધારે વાર ઝાટકવું અથવા અનેક વસ્ત્રોને એક સાથે એક જ વાર ઝાટકવું. પ્રમાણપ્રમાદ-ઝાટકવું કે પ્રમાર્જન કરવું. તેનું પ્રમાણ નવવાર કહ્યું છે. તેમાં પ્રમાદ કરવો. પુણનોપગણના-પ્રસ્ફોટન અને પ્રમાર્જિનના નિર્દિષ્ટ પ્રમાણમાં શંકાને કારણે હાથને આંગળીના પોટા ગણવા. [1034) પ્રસ્ફોટન અને પ્રમાર્જનના પ્રમાણથી જૂનાધિકતારહિત તેમજ અવિપરીત પ્રતિલેખના જ શુદ્ધ છે. ઉક્ત ત્રણ વિકલ્પોના આઠ વિકલ્પ થાય છે. તેમાં પહેલો વિકલ્પ-ભેદ જ શુદ્ધ છે. બાકીના બીજા અશુદ્ધ છે. પ્રતિલેખન કરતી વખતે જે પરસ્પર વાતો કરે છે. જનપદની કથા કરે છે. પ્રત્યાખ્યાન કરાવે છે. બીજાને ભણાવે છે કે પોતે ભણે છે. તે પ્રતિલેખનામાં પ્રમત્ત મુનિ પૃથ્વીકાય, અપકાય, તેઉકાય. વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય, આ છે કાયોનો વિરાધક-હિંસક છે. [૧૦૩૭-૧૩૮]છ કારણોમાંથી એક પણ કારણ ઊભું થતાં ત્રીજા પહોરમાં ભક્તપાનની ગવેષણા કરે. સુધાવેદનાની શાન્તિમાટે, વૈયાવૃત્યમાટે, ઈસમિતિ પાળવા માટે સંયમમાટે પ્રાણોની રક્ષા માટે અને ધર્મચિંતનમાટે ભક્તપાનની ગવેષણા કરે. [1039-1040] ધીરજવાળો સાધુ અને સાધ્વી આ છે કારણોએ ભક્ત પાનની ગવેષણા ન કરે, જેથી સંયમનું અતિક્રમણ ન થાય. રોગી હોય, ઉપસર્ગ આવે તો બ્રહ્મચર્ય ગુપ્તિની રક્ષા માટે, પ્રાણિઓની દયા માટે, તપ માટે, અને શરીરવિચ્છેદ માટે મુનિ ભક્તપાનની ગવેષણા ન કરે. [1041] બધાં ઉપકરણોનું આંખોથી પ્રતિલેખન કરે અને તેમને લઈ જરૂર લાગે તો બીજા ગામમાં મુનિ અધ યોજન સુધી ભિક્ષા માટે જાય. [1042-1043 ચોથા પહોરે પ્રતિલેખના કરી બધાં પાત્રો બાંધીને મૂકી દે. ત્યાર પછી જીવાદિ બધા ભાવોનો પ્રકાશક સ્વાધ્યાય કરે. પૌરુષીના ચોથા ભાગમાં ગુરુને વંદના કરી કાળનું પ્રતિક્રમણ (કાયોત્સર્ગ કરી શય્યાનું પ્રતિલેખન કરે. [1044-1048] યતનામાં પ્રયત્નશીલ મુનિ ફરી પ્રસવણ અને ઉચ્ચારભૂમિનો પ્રતિલેખન કરે. ત્યાર પછી સર્વ દુઃખોથી મુક્ત કરનાર કાયોત્સર્ગ કરે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર સાથે સંબંધ રાખનાર દિવસને લગતા અતિચારોનું અનુક્રમે
Page #69
--------------------------------------------------------------------------
________________ 240 ઉત્તરજઝયર - 21048 ચિન્તન કરે. કાયોત્સર્ગ પૂર્ણ કરીને ગુરુને વંદના કરી અનુક્રમે દિવસના અતિચારોની આલોચના કરે. પ્રતિક્રમણ કરીને, નિઃશલ્ય થઈને ગુરુને વંદના કરે. ત્યાર પછી બધાં દુઃખોથી મુક્ત કરનાર કાયોત્સર્ગ કરે. કાયોત્સર્ગ પૂરું કરી ગુરુને વંદના કરે પછી સ્તુતિમંગળ કરીને કાળનું પ્રતિલેખન કરે. 1 [1049-1054] રાત્રિના કૃત્ય તેમજ પ્રતિક્રમણ - પ્રથમ પહોરમાં સ્વાધ્યાય, બીજામાં ધ્યાન, ત્રીજામાં ઊંઘ અને ચોથામાં ફરી સ્વાધ્યાય કરે. ચોથા પહોરમાં કાળનું પ્રતિલેખન કરીને અસંત વ્યક્તિઓને ન જગાડતા સ્વાધ્યાય કરે. ચોથા પહોરના ચોથા ભાગમાં ગુરુને વંદના કરી કાળનું પ્રતિક્રમણ કરીને કાળનું પ્રતિલેખન કરે. કાયોત્સર્ગનો સમય થતાં સર્વ દુઃખોથી મુક્ત કરનાર કાયોત્સર્ગ કરે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ સંબંધી, રાત્રિ સંબંધી અતિચારોનું અનુક્રમે ચિન્તન કરે. કાયોત્સર્ગ પૂરું કરી ગુરુને વંદના કરી, ફરી અનુક્રમે રાત્રિ સંબંધી અતિચારોની આલોચના કરે. ૧૦પપ-૧૦૫] પ્રતિક્રમણ કરી, નિશલ્ય થઈને ગુરુને વંદના કરે. ત્યાર પછી બધાં દુઃખથી મુક્ત કરનાર કાયોત્સર્ગ કરે. કાયોત્સર્ગમાં ચિન્તન કરે કે “હું આજે કર્યું તપ સ્વીકારું ?" કાયોત્સર્ગ પૂરું કરી ગુરુને વંદના કરે. ત્યાર પછી યથોચિત તપનો સ્વીકાર કરી સિદ્ધોની સ્તુતિ કરે. [1058] સંક્ષેપમાં આ સમાચારી કહી છે. એનું આચરણ કરીને ઘણા જીવ સંસાર-સાગર તરી ગયા છે. - એમ હું કહું છું. અધ્યયન-૨૬-ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ | (અધ્યયન-૨૭ખલુંકીય [1059] ગર્ગ કુલમાં જન્મેલા ગાગ્ય મુનિ વૃદ્ધ, ગણધર અને વિશારદ હતા. ગુણવાન, ગણિભાવમાં સ્થિત અને સમાધિમાં ચિત્તને જોડનાર હતા. [1060 ગાડું ખેંચનાર સારો બળદ જેમ સારી રીતે જંગલને પાર કરે છે. તેવી જ રીતે યોગસંયમમાં સંલગ્ન મુનિ સંસાર પાર કરે છે. [૧૦૬૧-૧૦૬પ જે ખલુંક (દુષ્ટ) બળદ જોડે છે તે તેમને મારે છે અને દુઃખ ભોગવે છે. અસમાધિનો અનુભવ કરે છે. છેવટે તેની ચાબુક પણ તૂટી જાય છે. તે ગુસ્સે થયેલો વાહક કોઈની પૂંછડી કાપી નાંખે તો કોઈને વારેવારે પરોણી ઘોંચે, તે બળદોમાંથી કોઈ સૂઈ જાય છે. કોઈ કુદે છે, કોઈ ઊછળે છે. તો કોઈ દુષ્ટ ગાયની પાછળ દોડે છે. કોઈ માયાવી બળદ માથું ઊંધું ઘાલીને-જમીન પર બેસી જાય છે. કોઈ ગુસ્સે થઈને ખોટે રસ્તે ચાલ્યો જાય છે. કોઈ મરેલા જેવો પડી રહે છે. તો કોઈ જોરથી દોડવા માંડે છે. કોઈ દુષ્ટ દોર તોડી નાંખે છે. દુદન્ત બની ધુંસરી તોડી નાંખે છે. અને સુંસું અવાજ કરતો ગાડુ છોડી ભાગી જાય છે. 1066-1069 અયોગ્ય બળદ જેમ વાહન તોડી નાંખે છે, તેમ જ ધીરજ વિનાના શિષ્યોને ધર્મસાધનામાં જોડતાં, તેઓ પણ તેને ફગાવી દે છે. કોઈ ઐશ્વર્યનું અભિમાન કરે છે, કોઈ રસનું અભિમાન કરે છે, કોઈ સુખનું અભિમાન કરે છે, તો કોઈ લાંબો વખત ગુસ્સો કરે છે. કોઈ ભિક્ષાચરીમાં આળસ કરે છે, કોઈ અપમાનથી ડરે છે, તો કોઈ હઠીલા છે, કારણસર ગુરુ કોઈ વાર કોઈને અનુશાસિત કરે છે તો તે વચ્ચે બોલે
Page #70
--------------------------------------------------------------------------
________________ અધ્યયન - 27. 241 છે. આચાર્યના વચનોમાં દોષ કાઢે છે, વારે વારે તેમના કહ્યાથી ઊંધું વર્તન કરે છે. 1070-1071] ગૃહિણી મને નથી ઓળખતી, મને નહીં આપશે. મને લાગે છે તે બહાર ગઈ હશે. માટે કોઈ બીજા સાધુ જાય. કોઈ કામે મોકલે તો કામ કર્યા વિના પાછો ફરે બબડે, આમતેમ ભટકે, ગુરુની આજ્ઞાને વેઠ માની મોઢું બગાડે. [1072] જેમ પાંખ આવતાં હંસ જુદી જુદી દિશામાં ઊડી જાય છે તેવી જ રીતે શિક્ષિત-દીક્ષિત, આહાર-પાણીથી પોષાયેલા કુશિષ્ય બીજે ચાલ્યા જાય છે. [1073-1074] અવિનીત શિષ્યથી દુઃખી થઈને ધર્મધ્યાનના સારથી આચાર્ય વિચારે છે “મને આ દુષ્ટ શિષ્યોથી શો લાભ? એમનાથી મારો આત્મા દુઃખી થાય છે. વ્યાકુળ થાય છે. આળસુ-નકામાં ગધેડા જેવા મારા શિષ્યો છે. આમ વિચારી ગણાચાર્ય ગગચાય એવા શિષ્યોને છોડી દ્રઢતાથી તપોમગ્ન થયા. [1075] મૃદુ, ગંભીર, સુસમાહિત અને શીલસંપન્ન મહાન આત્મા ગર્ગ પૃથ્વી પર વિચારવા લાગ્યા. -એમ હું કહું છું. અધ્યયન-૨૭-ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ ! | (અધ્યયન-૨૮-મોક્ષમાર્ગગતિ). [1076-1078] જ્ઞાનાદિ ચાર કારણોવાળા જ્ઞાનદર્શન લક્ષણસ્વરૂપ, જિનભાષિત સત્ય-સમ્યક મોક્ષ માર્ગની ગતિ સાંભળો. વરદર્શી-સત્યના સમ્યક દૃષ્ટા. જિનવરોએ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપને મોક્ષનો માર્ગ કહ્યો છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપના માર્ગે ચાલનાર જીવ સદ્ગતિ-પવિત્ર સ્થિતિ પામે છે. 1079-1080 આ ચારેમાં જ્ઞાન પાંચ પ્રકારનું છે. શ્રુતજ્ઞાન, આભિનિબોધિક (મતિ) જ્ઞાન, અવધિજ્ઞાન, મનોજ્ઞાન મનઃ પર્યવજ્ઞાન) અને કેવળ જ્ઞાન. આ પાંચ પ્રકારનું જ્ઞાન બધા દ્રવ્ય, ગુણ અને પાયિોનું જ્ઞાન (અવબોધક) છેજાણનાર છે, એમ જ્ઞાનીઓએ કહ્યું છે. [1081] દ્રવ્ય ગુણોનો આશ્રય છે, આધાર છે. જે માત્ર દ્રવ્યને આશ્રિત રહે છે તે ગુણ છે. પર્યવ-પર્યાયોનું લક્ષણ બંનેને અથતુ દ્રવ્ય અને ગુણને આશ્રિત રહેવું છે. [1082 વરદ જિનવરોએ ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુગલ અને જીવ આ છ ને દ્રવ્યાત્મકલોક કહ્યો છે. [1083] ધર્મ, અધર્મ અને આકાશ આ ત્રણે દ્રવ્ય સંખ્યામાં એક એક છે. કાળ, પુદ્ગલ અને જીવ આ ત્રણ દ્રવ્ય અનન્તાનન્ત છે. [1084-1085 ગતિ થવું ધર્મનું લક્ષણ છે. સ્થિતિ અધર્મનું લક્ષણ છે. બધા દ્રવ્યોનું ભાજન (આધાર) અવગાહ લક્ષણ આકાશ છે. વર્તના કાળનું લક્ષણ. ઉપયોગ જીવનું લક્ષણ છે. જે જ્ઞાન દર્શન સુખ તથા દુઃખથી ઓળખાય છે. 1086-1088) જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયોગ આ જીવના લક્ષણ છે. શબ્દ, અન્ધકાર, ઉદ્યોત, પ્રભા, છાયા, આતપ, વર્ણ, રસ, ગન્ધ, અને સ્પર્શ એ પુદ્ગલના લક્ષણ છે. એકત્વ, પૃથકત્વ-ભિન્નત્વ, સંખ્યા, સંસ્થાન આકાર, સંયોગ અને વિભાગ એ પયયિોના લક્ષણ છે. [1089-1090] જીવ, અજીવ, બંધ પુણ્ય પાપ આશ્રવ સંવર નિર્જરા અને
Page #71
--------------------------------------------------------------------------
________________ 242 ઉત્તરઝાય - 28/1090 મોક્ષ આ નવ તત્ત્વ છે. આ તત્ત્વરૂપ ભાવોના સદ્દભાવના નિરૂપણમાં જે ભાવપૂર્વક શ્રદ્ધા છે તેને સમ્યકત્વ કહે છે. [1091] સમ્યકત્વ દસપ્રકારે નિસર્ગરુચિ, ઉપદેશરુચિ, આજ્ઞારુચિ, સૂત્રરુચિ, બીજરૂચિ, અભિગમરચિ, વિસ્તારરુચિ, ક્રિયારૂચિ, સંક્ષેપરુચિ અને ધર્મરુચિ. [1092-10a] પરોપદેશ વિના સહસંમતિથી અથતુ પોતાના જ્ઞાનથી અવગત જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ અને સંવર આદિ તત્વોની રુચિ તે નિસર્ગશ્ચિ” છે. જિન ભગવાન દ્વારા દૃષ્ટ અને ઉપદિષ્ટ ભાવોમાં તથા દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી વિશિષ્ટ પદાથો વિશે આ આમ જ છે. જુદું નહીં, એવી જે સ્વતસ્કૂર્ત શ્રદ્ધા છે તે નિસર્ગ રુચિ છે. 1i094 જે બીજા છવથ અથવા અહંન્તના ઉપદેશથી જીવાદિ ભાવોમાં શ્રદ્ધાકરે છે તે ઉપદેશ રચિ છે. જે અંગપ્રવિષ્ટ અથવા અંગબાહ્ય શ્રુતમાં અવગાહન કરી શ્રુતથી સમ્યકત્વ પ્રાપ્ત કરે છે તે મૂત્રરુચિ છે. જેમ જલમાં તેલનું ટીપુ પ્રસરી જાય છે, તેમજ જે સમ્યકત્વ એક પદથી અનેક પદોમાં ફેલાય છે તે બીજ રૂચિ છે. જેણે અગિયાર અંગ, પ્રકીર્ણક, દ્રષ્ટિવાદ આદિ શ્રુતજ્ઞાન અર્થ સાથે મેળવ્યું હોય તે અભિગમરુચિ છે. બધા પ્રમાણો અને નયોથી જે દ્રવ્યોના બધા ભાવ જાણે છે તે વિસ્તારરુચિ છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, વિનય, સત્ય, સમિતિ, અને ગુપ્તિ આદિ ક્રિયાઓમાં જે ભાવથી રૂચિ છે તે ક્રિયારૂચિ છે. જે નિર્ચન્થપ્રવચનમાં અકુશળ છે અને મિથ્યપ્રવચનો પણ જાણતો નથી, પણ કુદષ્ટિનો આગ્રહ ન હોવાથી અલ્પબોધથી જ તત્ત્વશ્રદ્ધાવાળો છે તે સંક્ષેપરુચિ છે. જિન કથિત અસ્તિકાય ધર્મમાં, મૃતધર્મમાં અને ચારિત્રધર્મમાં શ્રદ્ધા રાખે છે તે ધર્મચિ છે. [1103 પરમાર્થ જાણવો, તત્ત્વદ્રષ્ટાઓની સેવા કરવી, વ્યાપન દર્શન (સમ્યકત્વભ્રષ્ટ) અને કુદર્શનથી દૂર રહેવું તે સમ્યકત્વ શ્રદ્ધા છે. [1104-1105] ચારિત્ર સમ્યકત્વ વિના થતું નથી. પણ સમ્યકત્વ ચારિત્ર વિના પણ થાય છે. સમ્યકત્વ અને ચારિત્ર એક સાથે પણ થાય છે. ચારિત્ર પહેલાં સમ્યકત્વ હોવું જરૂરી છે. સમ્યકત્વ વિના જ્ઞાન નથી થતું. જ્ઞાન વિના ચારિત્ર નથી થતું. ચારિત્ર ગુણ વિના મોક્ષ નથી થતો, અને મોક્ષ વિના નિવણ નહિ પ્રાપ્ત થાય. [1106] નિશંકતા, નિષ્કાંક્ષા, નિવિચિકિત્સા અમૂઢ દ્રષ્ટિ ઉપભ્રંહણ, સ્થિરીકરણ, વાત્સલ્ય અને પ્રભાવના આ આઠ સમ્યકત્વના અંગ છે. [1100-1108] ચારિત્રના પાંચ પ્રકાર છે. પહેલો સામાયિક, બીજો છેદોપસ્થાપનીય, ત્રીજો પરિહારવિશુદ્ધિ, અને ચોથો સૂક્ષ્મસમ્પરાય. પાંચમો. યથાખ્યાત ચારિત્ર છે. જે સર્વથા કયાય રહિત હોય છે. તે છઘી અને કેવલી-બંનેને હોય છે. આ ચારિત્ર કર્મના (સંચય)ને રિક્ત કરે છે. તેથી તેને ચારિત્ર કહે છે. [1109 તપના બે પ્રકાર છે: બાહ્ય અને આભ્યન્તર. બાહ્ય તપ છ પ્રકારનું છે. તેમજ આભ્યન્તર તપ પણ છ પ્રકારનું છે. 1110 આત્મા જ્ઞાનથી જીવાદિ ભાવોને જાણે છે. દર્શનથી તેઓ પર શ્રદ્ધા કરે છે. ચારિત્રથી કર્મઆશ્રવનો નિરોધ કરે છે અને તપથી વિશુદ્ધ થાય છે, [1111] સર્વ દુઃખોથી મુક્ત થવા માટે મહર્ષિ સંયમ અને તપ દ્વારા પૂર્વ કર્મોનો
Page #72
--------------------------------------------------------------------------
________________ અધ્યયન- 28 243 ક્ષય કરીને મોક્ષ પ્રાપ્ત કરે છે. - એમ હું કહું છું. | અધ્યયન-૨૮-ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ (અધ્યયન-૨૯ સમ્યકત્વપરામ) [1112-1113 આયુષ્યમનું ! ભગવાને જે કહ્યું તે મેં સાંભળ્યું છે. આ સમ્યકત્વ-પરાક્રમ અધ્યનમાં કાશ્યપ ગોત્રીય શ્રમણ ભગવાન મહાવીરે જે પ્રતિપાદન કર્યું છે તેની સમ્યક શ્રદ્ધાથી, ઉંડાણથી જાણવાથી, કીર્તનથી, શુદ્ધ કરવાથી, આરાધના કરવાથી, આજ્ઞાનુસાર અનુપાલન કરવાથી, ઘણા જીવો સિદ્ધ થયા છે. બુદ્ધ થયા છે. મુક્ત થયા છે, પરિનિર્વાણ પામ્યા છે. બધાં દુઃખોનો અન્ત લાવ્યા છે. તેનો અર્થ આમ કહ્યો છે, જેમકે સંવેગ, નિર્વેદ, ધર્મશ્રદ્ધા, ગુરુ અને સાધમિકની શુશ્રષા, આલોચના, નિન્દા, ગહણા, સામાયિક, ચતુર્વિશતિ-સ્તવ, વંદના, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ, પ્રત્યા ખ્યાન, સ્તવ-સ્તુતિ-મંગળ, કાળપ્રતિલેખના, પ્રાયશ્ચિત્ત, ક્ષમાપના, સ્વાધ્યાય, વારાનાં, પ્રતિપ્રચ્છના, પુનરાવૃત્તિ, અનુચિત્તન, ધર્મકથા, શ્રતની આરાધના, મનની એકાગ્રતા, સંયમ, તપ, વ્યવદાનવિશુદ્ધિ, સુખશાતા. પ્રતિબદ્ધતા, વિવિક્ત શયનાસનસેવન, વિનિવર્તના, સંભોગપ્રત્યાખ્યાન, ઉપધિપ્રત્યાખ્યાન, આહાપ્રત્યાખ્યાન, કષાયપ્રત્યા ખ્યાન, યોગપ્રત્યાખ્યાન, શરીરપ્રત્યાખ્યાન, સહાયપ્રત્યાખ્યાન, ભક્તપ્રત્યાખ્યાન, સદ્ભાવપ્રત્યાખ્યાન, પ્રતિરૂપતા, વૈયાવૃત્ય, સર્વગુણસંપન્નતા, વીતરાગતા, શાન્તિ, નિલભતા, આર્જવ-માદવ-ભાવ-સત્ય, કરણસત્ય, યોગસત્ય, મનોગુપ્તિ, વચનગુતિ, કાયગતિ, મનસમાધારણા, વાક્સમાધારણા, કાયસમાધારણા, જ્ઞાન સંપન્નતા, દર્શનસંપન્નતા, ચારિત્રસંપન્નતા, શ્રોત્ર ઇન્દ્રિયનિગ્રહ, ચક્ષુ ઈન્દ્રિયનિગ્રહ, ધાણઇન્દ્રિયનિગ્રહ જિવાઈદ્રિયનિગ્રહ, સ્પર્શઇન્દ્રિયનિગ્રહ ક્રોધવિજય, માનવિજય, માયાવિજય, લોભવિય, પ્રેમ-દ્વેષ- મિથ્યાદર્શનવિજય, શલેશી અને અકર્મતા [1114] ભન્ત ! સંવેગથી જીવને શું મળે છે ? સંવેગથી જીવ અનુત્તર-પરમ ધર્મશ્રદ્ધા પામે છે. પરમ શ્રદ્ધાથી શીઘ-જલથી સંવેગ આવે છે. અનન્તાનુબંધી ક્રોધ, માન, માયા, લોભનો ક્ષય થાય છે. નવા કમનો બંધ થતો નથી. અનન્તાનુંબંધીરૂપ તીવ્ર કષાય ક્ષીણ થવાથી મિથ્યાત્વવિશુદ્ધિ કરીને દર્શનનો આરાધક થાય છે. દર્શન વિશુદ્ધિ દ્વારા વિશુદ્ધ થઈને કેટલાય જીવ તેજ જન્મમાં સિદ્ધ બને છે. અને કેટલાક દર્શનવિશ૧ધિથી વિશુદ્ધ થઈ ત્રીજા ભવનું અતિક્રમણ નથી કરતા. [1115] ભત્તે નિર્વેદ (વિષયવિરક્તિ)થી જીવને શું મળે? નિર્વેદથી જીવ, દેવ, મનુષ્ય અને તિર્યંચ વિષયક કામભોગમાંથી જલદી નિર્વેદ પામે છે. બધા વિષયોમાં વિરક્ત બને છે. બધા વિષયોમાં વિરક્ત થઈને આરંભનો પરિત્યાગ કરે છે. આરંભનો પરિત્યાગ કરીને સંસારમાર્ગન વિચ્છેદ કરે છે તથા સિદ્ધિમાર્ગ પામે છે. f1116] ભન્ત ! ધર્મશ્રદ્ધાથી જીવને શું મળે છે ? ધર્મશ્રદ્ધાથી જીવ સાત-સુખ અર્થાત્ સાતવેદનીય કમજન્ય વૈષયિક સુખોની આસક્તિથી વિરક્ત થાય છે. આગારધર્મ છોડીને તે અનગાર બની છેદન, ભેદન આદિ શારીરિક તેમજ સંયોગાદિ માનસિક દુઃખોનો વિચ્છેદ કરે છે અને અવ્યાબાધ સુખ પ્રાપ્ત કરે છે. | [1117] ભત્તે ! ગુરુ અને સાધમિકની શુશ્રુષાથી જીવને શું મળે છે? ગુરુ અને
Page #73
--------------------------------------------------------------------------
________________ 244 ઉત્તરઝયશં- 201617 સાધર્મિકની સેવાથી જીવ વિનય પ્રતિપત્તિ પ્રાપ્ત કરે છે. વિનયપ્રતિપન વ્યક્તિ ગુરુની પરિવાદાદિ આશાતના નથી કરતો. તેથી તે નૈરયિક, તિર્યંચ, મનુષ્ય અને દેવવિષયક દુર્ગતિનો વિરોધ કરે છે. વર્ણ સંજ્વલન, ભક્તિ અને બહુમાનથી માણસ અને દેવ સંબધી સગતિનો બંધ કરે છે અને શ્રેષ્ઠ ગતિ સ્વરૂપ સિદ્ધિને વિશુદ્ધ કરે છે. વિનયમૂલક બધાં પ્રશસ્ત કાર્યો સાધે છે. ઘણાં બીજા જીવોને પણ વિનયી બનાવે છે. [1118] ભત્તે ! આલોચનાથી જીવને શું મળે? આલોચનાથી મોક્ષમાર્ગમાં વિધ્વરૂપ અને અનન્તસંસાર વધારનાર માયા, નિદાન અને મિથ્યાદર્શનરૂપ શલ્યો કાઢી નાંખે છે. ઋજુભાવ પામે છે. ઋજુભાવ પ્રાપ્ત કરેલ જીવ માયા રહિત બને છે. તેથી સ્ત્રીવેદ, નપુંસકવેદનો બંધ નથી કરતો. અને પૂર્વબદ્ધની નિર્જરા કરે છે. [1119] હે ભંતે! નિન્દા (પોતે જ પોતાના દોષોનો તિરસ્કાર)થી જીવને શું મળે છે? નિંદાથી પશ્ચાત્તાપ થાય છે. પશ્ચાત્તાપથી થનાર વૈરાગ્યથી કરણ ગુણ-શ્રેણી મળે છે. કરણગુણશ્રેણીથી અનગાર મોહનીય કર્મ નષ્ટ કરે છે. [1120] પ્રભુ ! ગહ થી જીવને શું મળે છે? ગહથી જીવને અપુરસ્કાર-અવજ્ઞા થાય. અવજ્ઞાથી તે અપ્રશસ્ત કામો ન કરે. એવો અનુગાર જ્ઞાન દર્શનાદિ અનન્ત ગુણોનો ઘાત કરનાર જ્ઞાનાવરણાદિ કર્મોના અનન્ત પર્યાયનો ક્ષય કરે છે. [1121] ભત્તે ! સામાયિકથી જીવને શું મળે છે? સામાયિકથી જીવ સાવધ યોગથી અસ–વૃત્તિથી વિરક્ત થાય છે. [1122] ભગવન્ત! ચોવીશી-સ્તવનથી જીવને શું મળે છે? ચોવીસ તીર્થંકરોની સ્તુતિથી જીવ દર્શનવિશુદ્ધિ પામે છે. [1123 ભન્ત ! વંદનાથી જીવને શું મળે છે? વંદનાથી જીવ નીચે ગોત્ર કર્મનો ક્ષય કરે છે. ઉચ્ચ ગોત્રનો બંધ કરે છે. તે અપ્રતિહત સૌભાગ્ય પામે છે. સર્વજનનો પ્રિય બને છે. તેની આજ્ઞા બધા બધે માને છે. તે જનતાથી દાક્ષિણ્ય-અનુકૂળતા પામે છે. [1124] ભત્તે ! પ્રતિક્રમણથી થી જીવને શું મળે ?પ્રતિક્રમણથી જીવ સ્વીકૃત વ્રતોના છિદ્રો રોકે છે. આવાં વ્રતોના છિદ્રો બંધ કરનાર જીવ આશ્રવનો નિરોધ કરે છે. શુદ્ધ ચારિત્રનું પાલન કરે છે. સમિતિ ગુપ્તિરૂપ આઠ પ્રવચન માતાઓની આરાધનામાં સતત લાગ્યો રહે છે. સંયમયોગમાં અપૃથકત્વ હોય છે અને સન્માર્ગે સમ્યફ સમાધિસ્થ થઇ વિચરે છે. [1125] ભન્ત! કાયોત્સર્ગ થી જીવને શું મળે? કાયોત્સર્ગથી જીવ અતીત અને વર્તમાનના પ્રાયશ્ચિત્ત યોગ્ય અતિચારોનું વિશોધન કરે છે. પ્રાયશ્ચિત્તથી વિશુદ્ધ બનેલ1 જીવ પોતાનો ભાર દૂર કરનાર ભારવાહકની જેમ નિવૃત્ત&ય (શાન્ત) બને છે. અને પ્રશસ્ત ધ્યાનમાં લીન થઈને સુખપૂર્વક વિચરે છે, [1126] ભત્તે ! પ્રત્યાખ્યાનથી જીવને શું મળે છે ? પ્રત્યાખ્યાનથી જીવ આશ્રવદ્રારોનો-કર્મબંધના રાગાદિ હેતુઓનો નિરોધ કરે છે. [1127] ભન્ત ! સ્તવ સ્તુતિ મંગળથી જીવને શું મળે છે? સ્તવ સ્તુતિ મંગળથી જીવને જ્ઞાન-દર્શન-ચારિત્ર સ્વરૂપ બોધિનો લાભ થાય છે. જ્ઞાન-દર્શન-ચારિત્ર સ્વરૂપ બોધિના લાભથી યુક્ત જીવ અન્તક્રિયા (મોક્ષ) યોગ્ય અથવા વૈમાનિક દેવોમાં ઉત્પન્ન થવા યોગ્ય આરાધના કરે છે.
Page #74
--------------------------------------------------------------------------
________________ 25 અધ્યયન - 29 [1128] પ્રભુ! કાળની પ્રતિલેખનાથી જીવને શું મળે છે? કાળની પ્રતિલેખનાથી જીવ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય કરે છે, | [1129o ભત્તે ! પ્રાયશ્ચિત્તથી જીવને શું મળે? પ્રાયશ્ચિત્તથી જીવ પાપ કર્મ દૂર કરે છે, અને ધર્મસાધનાને નિરતિચાર બનાવે છે. સારી રીતે પ્રાયશ્ચિત્ત કરનાર સાધક માર્ગ (સમ્યકત્વ અને માર્ગ ફળ (જ્ઞાન)ને નિર્મળ કરે છે. આચાર અને આચાર ફળ. (ભક્તિ)ની આરાધના કરે છે. [1130] ભત્તે ! ક્ષમાપના કરવાથી જીવને શું મળે છે? ક્ષમાપના કરવાથી જીવ પ્રહ્નાદભાવ પામે છે. પ્રહલાદભાવયુક્ત સાધક બધા પ્રાણ, ભૂત, જીવ અને સત્વો સાથે મૈત્રીભાવ પામે છે. મૈત્રીભાવ પામેલ જીવ, ભાવવિશુદ્ધિ કરીને નિર્ભય બને છે. | [1131-1 ભન્ત ! સ્વાધ્યાયથી જીવને શું મળે છે ? સ્વાધ્યાયથી જીવ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય કરે છે. [1132] ભગવત્ત ! વાચનાથી જીવને શું મળે છે ? વાચનાથી જીવ કર્મોની નિર્જરા કરે છે. શ્રુતજ્ઞાનની અશાતનાના દોષ દૂર કરે છે. શ્રુતજ્ઞાનની અશાતનાના દોષ દૂર થવાથી તીર્થ ધર્મનું અવલંબન કરે છે. ગણધરોની જેમ જિજ્ઞાસુ શિષ્યોને શ્રત આપે છે. તીર્થ ધર્મનું અવલંબન લઈને કમની મહાનિર્જરા કરે છે. અને મહાપર્યવસાન (સંસારનો અંત) કરે છે. [1133 ભત્તે ! પ્રતિપૂછનાથી જીવને શું મળે છે? પ્રતિપ્રચ્છના થી જીવ સૂત્ર, અર્થ અને તે બંને સંબંધી કાંક્ષામોહનીયનું નિરાકરણ કરે છે. [1134] હે પ્રભુ ! પરાવર્તનાથી જીવને શું મળે છે ? પરાવર્તનાથી વ્યંજન (શબ્દપાઠ) સ્થિર થાય છે અને જીવ પદાનુસારિતા વગેરે વ્યંજન-લબ્ધિ પામે છે. 1135] ભત્તે ! અનુપ્રેક્ષાથી જીવને શું મળે છે? અનુપ્રેક્ષાથી-જીવ આયુષ્યકમ છોડીને શેષ જ્ઞાનાવરણાદિ સાતકની પ્રકૃતિના પ્રગાઢ બંધનને શિથિલ કરે છે. દીર્ધકાલીનને અલ્પકાલીન કરે છે. તીવ્ર રસાનુભાવને મંદ કરે છે. બહુકમ પ્રદેશને અલ્પ કર્મપ્રદેશ કરે છે. આયુષ્ય કર્મનું બંધ કદાચિત કરે છે, કદાચિત નથી કરતો. અસાતાવેદનીય કર્મનો ફરી ફરી ઉપચય નથી કરતો. જે સંસાર અટવી અનાદિ અનંત છે, દીર્વમાર્ગી છે, જેમાં નરકાદિ ગતિરૂપ ચાર અન્ત છે, તેને જલદી પાર કરે છે. [1136] ભગવત્ત ! ધર્મકથાથી જીવને શું મળે છે ? ધર્મકથાથી જીવ કમની નિર્જરા કરે છે અને પ્રવચન (શાસન તેમજ સિદ્ધાન્ત)ની પ્રભાવના કરે છે. પ્રવચનની પ્રભાવના કરનાર જીવ ભવિષ્યમાં શુભ ફળ આપનાર કમનો બંધ કરે છે. [1137] ભત્તે ! શ્રતની આરાધનાથી જીવને શું મળે છે? શ્રતની આરાધનાથી. જીવ અજ્ઞાન દૂર કરે છે. અને કુલેશ પામતો નથી. [1138] ભત્તે ! મનને એકાગ્રતામાં સંનિવેશ કરવાથી જીવને શું મળે? મનને એકાગ્ર કરવાથી ચિત્તનો નિરોધ થાય છે. [1139] ભત્તે! સંયમથી જીવને શું મળે છે? સંયમથી આશ્રવ નિરોધ થાય છે. [1140 ભન્ત ! તપથી જીવને શું મળે છે? તપથી જીવ પૂર્વસંચિત કર્મોનોક્ષય કરીને વ્યવદાનવિશુદ્ધ બને છે. [1141] ભત્તે ! વ્યવદાનથી જીવને શું મળે છે? વ્યવદાનથી જીવને અક્રિયા
Page #75
--------------------------------------------------------------------------
________________ 246 ઉત્તરાયણ- 291141 (મન-વચન-કાયાની ક્રિયાની નિવૃત્તિ) મળે છે. અક્રિય થવાથી તે સિદ્ધ થાય છે. બુદ્ધ થાય છે. મુક્ત થાય છે. પરિનિર્વાણ પામે છે. અને બધાં દુઃખોનો અત્ત કરે છે. [1142] ભત્તે ! સુખશાતાથી અથત વૈષયિક સુખોની ઈચ્છાના નિવારણથી જીવને શું મળે છે? સુખ-શાતાથી વિષયો તરફ અનાસક્તભાવ રહે છે. અનુત્સુકતાથી જીવ અનુકંપાવાળો, પ્રશાન્ત, શોકરહિત બનીને ચારિત્ર-મોહનીય કર્મનો ક્ષય કરે છે. [1143 ભન્ત ! અપ્રતિબદ્ધતાથી જીવને શું મળે છે? અપ્રતિબદ્ધતાથી જીવ નિરસંગ બને છે. નિઃસંગ થવાથી જીવ એકાકી-આત્મનિષ્ઠ બને છે, એકાગ્રચિત્ત હોય છે. દિવસ રાત, સદા સર્વત્ર વિરક્ત અને અપ્રતિત થઈને વિચરે છે. [114 હે ભગવાન! વિવિત શયનાસનથી જીવને શું મળે છે? વિવિક્ત શાયનાસનથી જીવ, ચારિત્રરક્ષા કરે ચારિત્ર-રક્ષાથી વિવિક્તહારી વૃઢચારિત્રી, એકાન્તપ્રિય, મોક્ષ ભાવયુક્ત જીવ આઠ પ્રકારના કમની ગ્રજિનું નિર્જરણ-ક્ષય કરે છે. 1145] ભક્ત ! વિનિવર્ધનાથી જીવને શું મળે છે? વિનિવર્ધનાથી-મન અને ઇન્દ્રિયોને વિષયોથી દૂર રાખવાની સાધનાથી જીવ પાપકર્મ ન કરવા તત્પર રહે છે. પૂર્વબદ્ધ કમની નિર્જરાથી કર્મોને નિવૃત્ત કરે છે. ત્યાર પછી ચાર અંતવાળા સંસારઅટવીને જલ્દી જ પાર કરે છે. [1146] ભન્ત ! સંભોગના પ્રત્યાખ્યાનથી જીવને શું મળે છે? સંભોગ (એકબીજા સાથે ભોજન વગેરેના સંપર્કીના પ્રત્યાખ્યાનથી પરાવલંબનથી નિરાલંબ થાય છે. નિરાલંબ થવાથી તેના બધા પ્રયત્નો આવતાઈ (મોક્ષાથી બને છે. પોતે મેળવેલા લાભથી સંતુષ્ટ થાય છે. બીજાના લાભનો ઉપભોગ નથી કરતો. તેની કલ્પના નથી. અભિલાષા કરતો નથી. બીજાના લાભનું આસ્વાદન, કલ્પના, સ્પૃહા, પ્રાર્થના અને અભિલાષા ન કરનાર બીજા સુખશય્યાને પ્રાપ્ત કરીને વિહાર કરે છે. | [1147 ભજો ! ઉપધિના પ્રત્યાખ્યાનથી જીવને શું મળે છે ? ઉપધિના પ્રત્યાખ્યાનથી જીવ નિર્વિધ્યું સ્વાધ્યાય કરે છે. ઉપધિરહિત જીવ આકાંક્ષા મુક્ત થઈને ઉપધિના અભાવમાં કલેશ પામતો નથી. [1448] ભને ! આહારના પ્રત્યાખ્યાનથી જીવને શું મળે છે ? આહારના પ્રત્યાખ્યાનથી જીવ જીવનની આશંસા કામનાના પ્રયત્નને વિચ્છિન્ન કરે છે. જીવનની કામનાના પ્રયત્ન છોડીને તે આહારના અભાવમાં પણ કલેશ પામતો નથી. _f1449] ભત્તે ! કષાયના પ્રત્યાખ્યાનથી જીવને શું મળે છે? કષાયના પ્રત્યાખ્યાનથી વિતરાગભાવ થાય છે. વીતરાગભાવથી જીવ સુખ-દુઃખમાં સમાન બને છે. [1150] ભગવત્ત ! યોગના પ્રત્યાખ્યાનથી જીવને શું મળે છે ? મન-વચનકાયવિષયક યોગ-વ્યાપારના પ્રત્યાખ્યાનથી અયોગત્વ પામે છે. અયોગી જીવ નવાં કર્મોનો બંધ કરતો નથી અને પૂર્વબદ્ધ કમની નિર્જરા કરે છે. [1151] ભત્તે ! શરીરના પ્રત્યાખ્યાનથી જીવને શું મળે છે ? શરીરના પ્રત્યાખ્યાનથી જીવ સિદ્ધોના વિશિષ્ટ ગુણ પ્રાપ્ત કરે છે. તે ગુણો યુક્ત જીવ લોકાગ્રમાં પહોંચીને પરમ સુખ પામે છે. [1152] ભત્તે ! સહાય પ્રત્યાખ્યાનથી જીવને શું મળે છે ? સહાયતાના પ્રત્યાખ્યાનથી જીવ એકીભાવ પામેછે. એકીભાવ પામેલ સાધક એકાગ્રતાની ભાવના
Page #76
--------------------------------------------------------------------------
________________ 247 અધ્યયન - 29 કરતો વિગ્રહકારી શબ્દ, વાકકલહ-ઝઘડો, ટેટો કોધાદિ કષાય તથા તૂ તૂ હું હું થી મુક્ત રહે છે. સંયમ અને સંવરમાં વ્યાપકતા પ્રાપ્ત કરીને સમાધિસંપન્ન બને છે. [૧૧પ૩] ભત્તેભક્તપ્રત્યાખ્યાનથી જીવને શું મળે? ભક્તપ્રત્યાખ્યાનથી જીવ અનેક પ્રકારના સેંકડો ભવોનો-જન્મ મરણનો નિરોધ કરે છે. [1154] ભત્તે ! સભાપ્રત્યાખ્યાનથી જીવને શું મળે? સદ્ભાવપ્રત્યાખ્યાન (સર્વસંવર સ્વરૂપ શૈલેશીભાવ)થી જીવ અનિવૃત્તિ (શhધ્યાનનો ચોથો ભેદ) પામે છે. અનિવૃત્તિ પામેલ અનગાર કેવલીના શેષ રહેલા વેદનીય, આયુ, નામ અને ગોત્ર આ ચાર ભવોપગ્રાહી કમનો ક્ષય કરે છે. ત્યાર પછી તે સિદ્ધ થાય છે. બુદ્ધ થાય છે. મુક્ત થાય છે. પરિનિર્વાણ પામે છે. બધા દુઃખોનો અંત કરે છે. [1155] હે ભગવન્ત ! પ્રતિરૂપતાથી જીવને શું મળે છે ? પ્રતિરૂપતાથીજિનકલ્પ જેવા આચારને પાળવાથી જીવ ઉપકરણોની લઘુતા પામે છે. લઘુભૂત થઈને જીવ અપ્રમત્ત, પ્રકટલિંગ (વેષ વાળો, પ્રશસ્તલિંગવાળો, વિશુદ્ધ સમ્યકત્વ સંપન્ન, સત્વ અને સમિતિથી પૂર્ણ, સર્વપ્રાણ, ભૂત, જીવ અને સત્યો માટે વિશ્વસનીય અલ્પ પ્રતિલેખનવાળો, જિતેન્દ્રિય, વિપુલ તપ, સમિતિઓનો બધે પ્રયોગ કરનાર હોય છે. [1156] ભત્તે! વૈયાવૃત્યથી જીવને શું મળે છે? વૈયાવૃત્યથી જીવ તીર્થંકર નામ ગોત્ર મેળવે છે. [117] પ્રભુ ! સર્વ ગુણસંપત્તાથી જીવને શું મળે છે? સર્વ ગુણસંપન્નતાથી જીવ અપુનરાવૃત્તિ (મુક્તિ) પામે છે. મુક્તિ પામેલ જીવ શારીરિક અને માનસિક દુખોનો ભાગી બનતો નથી. 1158] ભત્તે! વીતરાગતાથી જીવને શું મળે છે? વીતરાગતાથી જીવ સ્નેહ અને તૃષ્ણાના અનુબંધનનો વિચ્છેદ કરે છે. મનોજ્ઞ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધથી વિરક્ત હોય છે. [1159] ભત્તે ! ક્ષત્તિથી જીવને શું મળે છે? ક્ષાન્તિથી જીવ પરિષહ પર વિજય મેળવે છે. [110] ભન્ત ! મુક્તિ (નિલભતા)થી જીવને શું મળે છે? મુક્તિથી જીવ આકચનતા પામે છે. અકિંચન જીવ અર્થના લોભી માણસો માટે અપ્રાર્થનીય બને છે. . [1161] ભત્તે ! ઋજુતા (સરળતા)થી જીવને શું મળે? ઋજુતાથી જીવ કાયની સરળતા, ભાવની સરળતા, ભાષાની સરળતા અને અવિસંવાદ (અવંચકતા) પ્રાપ્ત કરે છે, અવિસંવાદ-સંપન્ન જીવ ધર્મની આરાધક હોય છે. [112] ભત્તે ! મૃદુતાથી જીવને શું મળે? મૃદુતાથી જીવ અનુદ્ધત ભાવ પામે છે. અનુદ્ધત જીવ મૃદુ-માર્દભાવ યુક્ત હોય છે. આઠ મદસ્થાનોને નષ્ટ કરે છે. [1163] ભક્ત ! ભાવસત્યથી જીવન શું મળે છે ? ભાવસત્યથી જીવ ભાવવિશુદ્ધિ પામે છે. ભાવવિશુદ્ધિ જીવ અઈમ્પ્રજ્ઞપ્ત ધર્મની આરાધનામાં રત રહે છે. અહ~શત ધર્મની આરાધનામાં રત રહીને પરલોકમાં પણ ધમરાધક બને છે. [1164] ભત્તે ! કરણસત્યથી જીવને શું મળે છે ? કરણસત્યથી જીવ કરણશક્તિ મેળવે છે. કરણસત્યવાળો જીવ યથાવાદી તથાકારી - તેવો સાચો બને છે. [115] ભત્તે ! યોગસત્યથી જીવને શું મળે છે ? યોગસત્યથી-મન-વચન અને
Page #77
--------------------------------------------------------------------------
________________ 248 ઉત્તરઝય-૨૯૧૧૬ કાયાના પ્રયત્નોની સચ્ચાઈથી જીવ યોગ વિશુદ્ધ કરે છે. [11] ભન્તઃ મનોગુપ્તિથી જીવને શું મળે છે? મનોતિથી જીવ એકાગ્ર. બને છે. એકાગ્ર ચિત્ત જીવ અશુભ વિકલ્પોથી મનનું રક્ષણ કરે છે. અને સંયમનો આરાધક બને છે. [117] ભત્તે ! વચનગુપ્તિથી જીવને શું મળે છે ? વચનગુપ્તિથી જીવા નિર્વિકાર બને છે. નિર્વિકાર જીવ સર્વથા વાગુપ્ત તથા અધ્યાત્મ યોગના સાધનભૂત ધ્યાનથી યુક્ત હોય છે. [118] ભન્ત! કાયગુપ્તિથી જીવને શું મળે છે? કાયગુપ્તિથી જીવ સંવર, પામે છે. સંવરથી કાયગુપ્ત બનીને ફરી થનાર પાપાશ્રવનો નિરોધ કરે છે. [16] ભત્તે ! મનની સમાધારણા તેથી જીવને શું મળે ? મનની સમાધારણાથી જીવ એકાગ્રતા મેળવે છે. એકાગ્રતાથી જ્ઞાનપર્યવો- પ્રાપ્ત કરે છે. જ્ઞાન. પ્રાપ્ત કરીને સમ્યક દર્શનને વિશુદ્ધ કરે છે, અને મિથ્યાદર્શનની નિર્જરા કરે છે. [117] ભત્તે! વાકસમાધારણા થી જીવને શું મળે? વાક સમાધારણાથી જીવા વાણીના વિષયભૂત દર્શન પયયોને વિશુદ્ધ કરે છે, વાણીના વિષયભૂત દર્શન પયયો વિશુદ્ધ કરીને સહેલાઈથી બોધિ પ્રાપ્ત કરે છે. બોધિની દુર્લભતા ક્ષીણ કરે છે. T [1171] ભન્ત! માય સમાધારણાથી જીવને શું મળે છે ? કાય સમાધારણાથી જીવ ચારિત્રપયો-ને વિશુદ્ધ કરે છે. ચારિત્રપર્યવ વિશુદ્ધ કરીને યથાખ્યાતચરિત્રને શુદ્ધ કરે છે. યથાખ્યાતચારિત્ર વિશુદ્ધ કરીને કેવલી સંબંધી વેદનીય આદિ ચાર કર્મોનો ક્ષય કરે છે. ત્યાર પછી સિદ્ધ થાય છે. બુદ્ધ થાય છે. મુક્ત થાય છે. પરિનિર્વાણ પ્રાપ્ત કરે છે. બધાં દુઃખોનો અન્ત કરે છે. [1172-1173] ભન્ત ! જ્ઞાનસંપન્નતાથી જીવને શું મળે? જ્ઞાનસંપન્નતાથી જીવ બધા ભાવોને જાણે છે. જ્ઞાનસંપન જીવ ચાર ગતિરૂપ અન્તોવાળા સંસાર-વનમાં નાશ પામતો નથી. જેમ દોરાવાળી સોઈ ખોવાતી નથી. તેવી જ રીતે જીવ પણ સંસારમાં ખોવાતો નથી. જ્ઞાન, વિનય, તપ અને ચારિત્રના યોગ પ્રાપ્ત કરે છે. તથા સ્વસમય અને પરસમયમાં સંઘાતની પ્રામાણિક મનાય છે. [117] ભત્તે ! દર્શન-સંપન્નતાથી જીવને શું મળે છે ? દર્શન-સંપન્નતાથી સંસારના હેતુ મિથ્યાત્વનો નાશ થાય છે. ત્યાર પછી સમ્યકત્વનો પ્રકાશ ઓલવાતો નથી. શ્રેષ્ઠ જ્ઞાનદર્શનથી આત્માને સંયોજિત કરીને તેમને સમ્યક પ્રકારે આત્મસાતુ કરતો વિચરે છે. [૧૧૭પ ભન્ત ! ચારિત્રસંપન્નતાથી જીવને શું મળે છે ? ચારિત્રસંપન્નતાથી જીવ શૈલેશીભાવ-ને પામે છે. શૈલેશી ભાવ પ્રાપ્ત અનગાર ચાર કેવલિન્ક કર્મોનો ક્ષય કરે છે. ત્યાર પછી તે સિદ્ધ બને છે. બુદ્ધ બને છે. મુક્ત બને છે. પરિનિર્વાણ પામે છે. અને બધાં દુઃખોનો અંત કરે છે. [117] ભત્તે ! શ્રોત્રેન્દ્રિયના નિગ્રહથી જીવને શું મળે છે? શ્રોત્રેન્દ્રિયના નિગ્રહથી જીવ મનોજ્ઞ અને અમનોજ્ઞ શબ્દોમાં થનાર રાગદ્વેષથી પર રહે છે. પછી તતુપ્રત્યિક અથતુ શબ્દ નિમિત્તક કર્મનો બંધ નથી કરતો. પૂર્વબદ્ધ કમની નિર્જરા કરે છે. | [1177] ભત્તે ! ચક્ષુ ઇન્દ્રિયનિગ્રહથી જીવને શું મળે છે ? ચક્ષુ
Page #78
--------------------------------------------------------------------------
________________ અધ્યયન - 29 249 ઈન્દ્રિયનિગ્રહથી જીવ મનોજ્ઞ-અમનોજ્ઞ રૂપોમાં થનાર રાગદ્વેષનો નિગ્રહ કરે છે. પછી રૂપનિમિત્તક કર્મનો બંધ નથી કરતો ને પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા કરે છે. [1178] ભક્ત ! ધ્રાણેન્દ્રિયના નિગ્રહથી જીવને શું મળે છે ? ધ્રાણેન્દ્રિયના નિગ્રહથી જીવ મનોજ્ઞ-અમનોજ્ઞ ગંધોમાં રાગ-દ્વેષનો નિગ્રહ કરે છે. પછી ગબ્ધ નિમિત્તક કર્મનો બંધ કરતો નથી. અને પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા કરે છે. [117] ભન્ત ! જિહ્વાઈજિયના નિગ્રહથી જીવને શું મળે શું ? જિહવાઈદ્રિયના નિગ્રહથી જીવ મનોજ્ઞ-અમનોજ્ઞ રસોના રાગદ્વેષનો નિગ્રહ કરે છે. પછી રસ નિમિત્તક કર્મનો બંધ કરતો નથી. અને પૂર્વબદ્ધ કર્મોની નિરા કરે છે. [118] પ્રભુ ! સ્પર્શેન્દ્રિયના નિગ્રહથી જીવને શું મળે છે ? સ્પર્શેન્દ્રિયના નિગ્રહથી જીવ મનોજ્ઞઅમનોજ્ઞ સ્પર્શી સંબંધી રાગ-દ્વેષનો નિગ્રહ કરે છે અને સ્પર્શ નિમિત્તક કર્મનો બંધ કરતો નથી, પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા કરે છે. [1181 ભન્ત! ક્રોધવિજયથી જીવને શું મળે છે? ક્રોઘવિજયથી જીવને ક્ષત્તિ પ્રાપ્ત થાય છે. કોંધ વેદનીય કર્મનો બંધ નથી કરતો. પૂર્વબદ્ધ કર્મની નિર્જરા કરે છે. [1182] ભત્તે ! માનવિજયથી જીવને શું મળે છે? માનવિજયથી જીવ મૃદુતા પામે છે. માનવેદનીય કમનો બંધ થતો નથી. પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા થાય છે. [1183) ભન્ત ! માયાવિજયથી જીવને શું મળે ? માયાવિજયથી ઋજુતા આવે છે. માયા વેદનીય કર્મનો બંધ થતો નથી. પૂર્વબદ્ધ કર્મની નિર્જરા કરે છે. [૧૧૮૪]ભત્તે ! લોભવિજયથી જીવને શું મળે છે? લોભવિયથી જીવ સંતોષભાવ અનુભવે છે. લોભ-વેદનીય કર્મનો બંધ કરતો નથી. પૂર્વ બદ્ધની નિરા કરે છે. [1185] ભત્તે ! પ્રેમ-રાગ, દ્વેષ અને મિથ્યાદર્શનના વિજયથી જીવને શું મળે છે? પ્રેમ, દ્રષ અને મિથ્યાદર્શન પર વિજય મેળવવાથી જીવ જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના માટે તૈયાર થાય છે. આઠ પ્રકારના કમોંની ગ્રન્યિ ખોલવા માટે સર્વ પ્રથમ મોહનીય કર્મની 28 પ્રકૃતિનો અનુક્રમે ક્ષય કરે છે. ત્યાર પછી જ્ઞાનાવરણીય કર્મની પાંચ, દર્શનાવરણીય કર્મની નવ અને અન્તરાય કમની પાંચ-આ ત્રણે કમનો એક સાથે ક્ષય કરે છે. ત્યાર પછી તે અનુત્તર, અનન્ત, કૃત્સન-સર્વ વસ્તુ વિષયક, પ્રતિપૂર્ણ, નિરાવરણ અજ્ઞાનતિમિર-રહિત, વિશુદ્ધ અને લોકાલોકના પ્રકાશક કેવલ જ્ઞાન અને કેવલ દર્શનને પામે છે. જ્યાં સુધી તે સયોગી રહે છે ત્યાં સુધી ઐયપથિક કર્મનો બંધ થાય છે. તે બંધ પણ સુખ-સ્પર્શે છે. તેની સ્થિતિ બે સમયની છે. પહેલા સમયમાં બંધ થાય છે, બીજા સમયમાં ઉદય થાય છે, ત્રીજા સમયમાં નિર્જરા થાય છે. તે કર્મ ક્રમશઃ બદ્ધ થાય છે. સ્પષ્ટ થાય છે. ઉદયમાં આવે છે. ભોગવાય છે. નષ્ટ થાય છે. ફલતઃ આગળના કાળમાં અથતુ અન્તમાં તે કર્મ અકર્મ બને છે. [118] કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી શેષ આયુ ભોગવતો તે જ્યારે અન્તર્મુહૂર્ત પરિમાણ આયું બાકી રહે છે ત્યારે તે યોગનિરોધમાં પ્રવૃત્ત થાય છે. ત્યારે સૂક્ષ્મક્રિયાપ્રતિપાતિ' નામનું શુકલ ધ્યાન કરતો થકો પ્રથમ મનોયોગનો વિરોધ કરે છે. પછી વચનયોગનો નિરોધ કરે છે. ત્યાર પછી આનાપાન-શ્વાસોચ્છવાસનો નિરોધ કરે છે. શ્વાસોચ્છુવાસનો નિરોધ કરીને થોડા વખત સુધી પાંચ હસ્તાક્ષરોના ઉચ્ચારણ કાલ સુધી “સમુચ્છિન્ન ક્રિયા-અનિવૃત્તિ” નામક શુક્લ ધ્યાનમાં લીન થયેલો અનગાર
Page #79
--------------------------------------------------------------------------
________________ 250 - ઉત્તરજઝયા- 30/1187 વેદનીય આયુષ્ય, નામ, ગોત્ર આ ચારે કર્મોની એક સાથે નાશ કરે છે. f1187 ત્યાર પછી તે ઔદારિક અને કામણ શરીરને સદાને માટે પૂર્ણતયા છોડે છે. પૂર્ણતયા શરીર છોડીને ઋજુશ્રેણી પામે છે. અને એક સમયમાં અસ્પૃશ ગતિરૂપ ઉર્ધ્વગતિથી વળ્યા વિના સીધો લોકાગ્રમાં જઈને સાકારોપયુક્ત- સિદ્ધ બને છે. બુદ્ધ બને છે. મુક્ત બને છે. મુક્ત બને છે. બધાં દુખોનો અંત કરે છે. 7 [1188] શ્રમણ ભગવાન મહાવીર દ્વારા સમ્યકત્વ-પરાક્રમ અધ્યયનનો આ અર્થ આખ્યાત છે, પ્રજ્ઞપ્તિ છે. પ્રરૂપિત છે. દર્શિત છે, ઉપદર્શિત છે. - એમ હું કહું છું. | અધ્યનન-૨૯-ની મુનિ દીપરતસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ (અધ્યયન-૩૦-તપોમાર્ગમતિ) [1189] જે પદ્ધતિએ ભિક્ષુ રાગ-દ્વેષથી ભેગાં થયેલાં પાપ-કર્મનો તપ દ્વારા ક્ષય કરે છે તે તમે એકાગ્ર મને સાંભળો. [1191191] પ્રાણવધ, મૃષાવાદ, મૈથુન, પરિગ્રહ અને રાત્રિ ભોજનની વિરતિથી તેમજ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ સહિત, કષાયરહિત, જિતેન્દ્રિય નિરભિમાની, નિઃશલ્ય જીવ અનાશ્રવ બને છે. [1192] ઉપર કહેલી ધર્મસાધનાથી વિરુદ્ધ કર્મ આચરનાર જીવ રાગદ્વેષથી અર્જીત કમને કેવી રીતે ક્ષીણ કરે છે, તે એકાગ્ર મને સાંભળો. [1193-1196] કોઈ મોટા તળાવમાં પાણીનો પ્રવાહ બંધ થાય અને જૂનું પાણી. ઉલેચાઈ જાય તેમજ સૂર્યના તાપથી સુકાઈ જાય છે. તેવીજ રીતે સંયમીના કરોડો ભાવોના સંચિત કર્મ પાપકર્મના આવવાનો માર્ગ રોકવાથી તપ દ્વારા નષ્ટ થાય છે. તે તપ બે પ્રકારનું છેઃ બાહ્ય અને આભ્યન્તર. બાહ્ય તપ છ પ્રકારનું છે. તેમજ આભ્યન્તર તપ પણ છ પ્રકારનું છે. અનશન, ઉણોદરી, ભિક્ષાચય, રસ-પરિત્યાગ, કાય-કલેશ. અને સંલીનતા આ બાહ્ય તપ છે.. [117-1199] અશન તપના બે પ્રકાર છે H ઈત્વરિક અને મરણકાળ. ઈત્વરિક સાવકાંક્ષ નિર્ધારિત અનશન પછી ફરી ભોજનની ઈચ્છાવાળો) થાય છે. મરણકાળ નિરવકાંક્ષ (ભોજનની આકાંક્ષાથી સર્વથા રહિત) હોય છે. સંક્ષેપમાં ઈત્વરિક-તપ છ પ્રકારનું છે. શ્રેણિતપ, પ્રતરતપ, ધનતપ, અને વર્ગતપ-પાંચમું વર્ગવર્ગતપ અને છઠું પ્રકીર્ણ તપ. આમ મનોવાંછિત અનેક પ્રકારના ફળ આપનાર ઈતરિક અનશન તપ છે. [1200-1201] કાયચેષ્ટાને આધારે મરણકાળ વિષયક અનશનના બે ભેદ છે. સવિચાર (ચેષ્ટાસાહિત) અને અવિચાર (ચેષ્ટા રહિત). અથવા મરણકાલિક અનશનના સપરિકર્મ અને અપરિકર્મ આમ બે ભેદ છે. અવિચાર અનશનના નિહરી (અતિમ સંસ્કારવાળું) અને અનિહાંરી જેમાં પર્વતાદિ પર મરણ હોવાથી અતિમ સંસ્કારની જરૂર હોતી નથી. આ બે ભેદ પણ છે. બંનેમાં આહારનો ત્યાગ હોય છે. [૧ર૦ર-૧૨૧૨] સંક્ષેપમાં અવમૌદર્ય (ઉણોદરી) દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ. અને પર્યાયોની અપેક્ષાએ પાંચ પ્રકારનું છે. જે જેટલું ખાઈ શકે તેથી ઓછામાં ઓછું એક સિન્થ અથતુ એક કણ તથા એક ગ્રાસ આદિ રૂપે ઓછું ખાવું તે દ્રવ્ય ઉણોદરી તપ છે.
Page #80
--------------------------------------------------------------------------
________________ અધ્યયન - 30 251 ગામ, નગર, રાજધાની, નિગમ, આકર, પલ્લી, ખેડ, કબડ, દ્રોણમુખ, પત્તન, મડંબ, સંબોધ- આશ્રમ-પદ, વિહાર સંનિવેશ, સમાજ, ઘોષ, સ્થલી, સેનાનું શિબિર, સાથે સંવત, કોટ-વાટ, પાડા, રચ્યા-ગલી અને ઘર, આ ક્ષેત્રોમાં તેમ જ આવાં જ બીજાં સ્થળોમાં નિર્ધારિત ક્ષેત્ર-પ્રમાણ પ્રમાણે ભિક્ષા માટે જવું ક્ષેત્રથી ઉણોદરી તપ છે. અથવા પેટા, અર્ધપેટા, ગોમૂત્રિકા, પતંગ-વીથિકા, શબૂકવતાં અને આયત-ગત્વા. પ્રત્યાગતા, આ છ પ્રકારથી ક્ષેત્ર ઉણોદરી તપ છે. દિવસના ચાર પહોર હોય છે. તે ચાર પહોરમાં ભિક્ષાના નિયત સમયે ભિક્ષા માટે જવું એ કાળથી ઉણોદરી તપ છે. અથવા કાંઈક ઓછો ભાગ-ન્યૂન તૃતીય પહોરમાં ભિક્ષાની ઈચ્છા કરવી તે કાળથી ઉણોદરી તપ છે. સ્ત્રી અથવા પુરુષ, અલંકૃત અથવા અનલંકત, વિશિષ્ટ આયુ અને અમુક રંગના વસ્ત્ર- અથવા અમુક વિશિષ્ટ રંગ તેમજ ભાવયુક્ત દાતા પાસે જ ભિક્ષા લેવી, બીજી રીતે નહીં આ પ્રકારની ચયવાળા મુનિને ભાવઊણોદરી તપ હોય છે. દ્રવ્ય ક્ષેત્ર, કાળ અને ભાવમાં જે જે પર્યાયિ કહ્યા છે તે બધાથી ઉણોદરી તપ કરનાર “પર્યવચરક હોય છે. [1213] આઠ પ્રકારના ગોચરાગ્ર, સપ્તવિધ એષણાઓ અને બીજા અનેક પ્રકારના અભિગ્રહભિક્ષાચ તપ છે. [1214] દૂધ, દહીં, ઘી, વગેરે પ્રણીત પાન, ભોજન તથા રસનો ત્યાગ રસપરિત્યાગ તપ છે, [1215] આત્માને સુખાવહ વીરાસનાદિ ઉગ્રઆસનોનો અભ્યાસ, કાયકલેશ તપ છે. [1216] કાન્ત, અનાપાત (જ્યાં કોઇની અવરજવર ન હોય) સ્ત્રી પશુ રહિત, શયન આસન ગ્રહણ કરવું વિવિક્ત શયનાસન તપ છે. [1217-1218] સંક્ષેપમાં બાહ્ય તપની વ્યાખ્યા થઈ. હવે ક્રમશઃ આભ્યન્તર તપનું નિરૂપણ કરીશ. પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ધ્યાન અને વ્યુત્સર્ગ આ આભ્યન્તર તપ છે. [1219-1224] આલોચનાઈ આદિ દસ પ્રકારના પ્રાયશ્ચિત, ભિક્ષુ જેનું સમ્યફ પ્રકારે પાલન કરે છે, તે પ્રાયશ્ચિત્ત તપ છે. ઊભા થવું, હાથ જોડવા, આસન આપવું. ગુરુજનોની ભક્તિ તથા ભાવપૂર્વક શુશ્રુષા કરવી તે વિનય’ તપ છે. આચાર્ય આદિને લગતાં દસ પ્રકારના વૈયાવૃત્યસેવાનું યથાશક્તિ સેવન કરવું તે વૈયાવૃત્ય તપ છે. વાચના, પૃચ્છના, પરિવર્તન, અનુપ્રેક્ષા અને ધર્મકથા આ પાંચ પ્રકારનું “સ્વાધ્યાય' તપ છે. આત્ત અને રૌદ્ર ધ્યાન સિવાય સુસમાહિત મુનિ જે ધર્મ અને શુક્લ ધ્યાન ધ્યાય છે જ્ઞાનીજન તેને ધ્યાન તપ કહે છે. સૂવા, બેસવા તેજ ઊભા રહેવામાં જે ભિક્ષુ, શરીરની વ્યર્થ ચેષ્ટા નથી કરતો, આ શરીરનો વ્યુત્સર્ગ-વ્યુત્સર્ગ' નામનું છઠું તપ છે. [1225] જે પંડિત મુનિ બંને પ્રકારના તપનું સમ્યફ આચરણ કરે છે તે જલદી જ સર્વ સંસારથી વિમુક્ત બને છે. - એમ હું કહું છું. અધ્યનન-૩૦-ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ . .
Page #81
--------------------------------------------------------------------------
________________ 25 ઉત્તરઝયશં-૩૧/૧૨૨૬ (અધ્યયન-૩૧ચરણવિધિ) [122] જીવને સુખ આપનારી ચરણવિધિનું કથન કરીશ. જેનું આચરણ કરીને ઘણા જીવ સંસાર-સાગર તરી ગયા. [1227 સાધકે એક બાજુ નિવૃત્તિ અને બીજી બાજુ પ્રવૃત્તિ કરવી જોઈએ. અસંયમથી નિવૃત્તિ અને સંયમમાં પ્રવૃત્તિ. [1228-1231] પાપ કર્મમાં જોડનાર રાગદ્વેષ છે. જે ભિક્ષ આ બે પાપકર્મોનો સદા નિરોધ કરે છે, ત્રણ દડ, ત્રણ ગૌરવ, અને ત્રણ શલ્યોનો જે ભિક્ષુ ત્યાગ કરે છે, દેવ, તિર્યંચ અને મનુષ્ય સંબંધી ત્રણ પ્રકારના ઉપસર્ગોને સદા સહન કરે છે અને ચાર વિકથાઓ, કષાયો, સંજ્ઞાઓ અને આર્તધ્યાન તથા રૌદ્રધ્યાન-બંને ધ્યાનોને સદા વર્ષે છે, ત્યાગ કરે છે તે સંસારમાં રોકાતો નથી. [૧૨૩ર-૧૨૩૮] જે ભિક્ષ પાંચ વ્રત અને સમિતિઓના પાળવામાં ઈન્દ્રિયોના વિષયો અને ક્રિયાઓના પરિહારમાં. છ વેશ્યાઓ, પૃથ્વીકાય આદિ છ કાયો અને આહારના છકારણોમાં, સાતપિંડવગ્રહોમાં, આહારગ્રહણની સાત પ્રતિમાઓમાં અને સાતભયસ્થાનોમાં, આઠમદસ્થાનોમાં, નવબ્રહ્મચર્યની ગુપ્તિઓમાં અને દસ પ્રકારના ભિધમમાં, અગિયારઉપાસકોની પ્રતિમામાં, બારભિક્ષુઓની પ્રતિમામાં, ચૌદક્રિયાઓમાં અને જીવસમુદાયોમાં, પંદરપરમાધાર્મિકદેવોમાં અને ગાથા-ષોડશકમાં અને સત્તરઅસંયમમાં જે ભિક્ષુ સદા ઉપયોગ રાખે છે તે સંસારમાં રોકાતો નથી. [૧૨૩૯-૧૨૪૫]જે ભિક્ષુ 18 પ્રકારનાબ્રહ્મચર્યમાં, 19 જ્ઞાતાસૂત્રનાં અધ્યનોમાં, 20 અસમાધિસ્થાનોમાં, 21 શબલદોષોમાં અને રર પરિષહોમાં, સુત્ર- કૃતાંગના. 23 અધ્યયનમાં, 24 દેવોમાં, 25 ભાવનાઓમાં, 26 દશા-કપ્પવવાર ના ઉદ્દેશકોમાં, ર૭ અણગારગુણોમાં અને આચારપ્રકલ્પના 28 અધ્યયનોમાં, 29 પાપકૃત-પ્રસંગોમાં અને 30 મોહસ્થાનોમાં સિદ્ધોના 31 અતિશાયી ગુણોમાં, ૩ર યોગસંગ્રહોમાં, 33 આશાતનાઓમાં સદા ઉપયોગ રાખે છે તે સંસારમાં રોકાતો નથી. [1246] આમ જે પંડિત ભિક્ષુ આ સ્થાનોમાં સતત ઉપયોગ રાખે છે તે જલદી જ સર્વ સંસારથી મુક્ત બને છે. - એમ હું કહું છું. અધ્યયન-૩૫-ની મુનિ દીપરત્નસાગરે સહેલ ગુર્જરછાયા પૂર્ણ ] (અધ્યયન-૩ર-અપ્રમાદિસ્થાન) [1247 અનન્ત-અનાદિ કાળથી બધાં દુઃખો અને તેનાં મૂળ કારણોથી મુક્તિ કેમ મળે, તે કહું છું. તેને એકાગ્ર મને સાંભળો. તે અત્યન્ત હિતરૂપ અને કલ્યાણકારી છે. [1248] સંપૂર્ણ જ્ઞાનના પ્રકાશથી, અજ્ઞાન અને મોહના પરિહારથી, રાગદ્વેષના પૂર્ણ ક્ષયથી જીવ એકાન્ત સુખરૂપ મોક્ષ પામે છે. [1249] ગુરુજનોની અને વૃદ્ધોની સેવા કરવી, અજ્ઞાની લોકોના સંપર્કથી દૂર રહેવું, સ્વાધ્યાય કરવો, એકાન્તમાં રહેવું, સૂત્ર અને અર્થનું ચિન્તન કરવું, ધીરજ રાખવી, વગેરે દુખમાંથી છૂટવાનાં ઉપાય છે. [125 શ્રમણ તપસ્વી સમાધિની આકાંક્ષા રાખતો હોય તો તેણે પરિમિત અને એષણીય આહારની ઈચ્છા રાખવી. તત્ત્વાર્થ જાણનાર નિપુણ સાથી શોધે. સ્ત્રી
Page #82
--------------------------------------------------------------------------
________________ 253 અધ્યયન-૩૨ આદિથી વિવેકયોગ્ય-રહિત એકાન્ત ઘરમાં નિવાસ કરે. [1251] જો પોતાથી વિશેષ ગુણવાળો અથવા સમાન ગુણવાળો નિપુણ સાથી ન મળે તો પાપોને છોડતો તથા કામભોગોમાં અનાસક્ત રહેતો એકલો જ વિચરે. [1252] જેમ ઈંડામાંથી બગલી પેદા થાય છે અને બગલીથી ઈડું થાય છે, તેમજ મોહથી તૃષ્ણા અને તૃષ્ણાથી મોહ જન્મે છે. [1253] કર્મના બીજ રાગ-દ્વેષ છે. કર્મ મોહથી પેદા થાય છે. તે કર્મ, જન્મ અને મરણનું મૂળ છે અને જન્મ-મરણ તેજ દુખ છે. [1254] જેને મોહ નથી તેણે દુઃખ દૂર કર્યું છે. જેને તૃષ્ણા નથી તેણે મોહ દૂર કર્યો છે. જેને લોભ નથી તેણે તૃણા દૂર કરી છે, જે અકિંચન છે, તેણે લોભ દૂર કર્યો છે. [1255] જે રાગ-દ્વેષ-મોહનો મૂળથી નાશ ઈચ્છે છે તેણે જે જે ઉપાયો ઉપયોગમાં લેવા જોઈએ તેને હું ક્રમશઃ કહીશ. [1256] રસોનો વધારે ઉપયોગ ન કરવો જોઈએ. રસ પ્રાયઃ ઉન્માદ વધરાનાર છે. વિષયાસક્ત માણસને કામ તેવી જ રીતે પીડે છે જેમ, સ્વાદિષ્ટ ફળવાળા વૃક્ષને પક્ષી હેરાન કરે છે. [1257] અત્યન્ત પવન સાથે પ્રચુરઈધનવાળા વનમાં લાગેલો દાવાનળ શાન્ત થતો નથી તેવી જ રીતે પ્રકામ ભો-યથેચ્છ ભોજન કરનારની ઇન્દ્રિયાનિ (વાસના) શાન્ત નથી થતી. બ્રહ્મચારી માટે પ્રકામ ભોજન કદી હિતકર નથી. [1258] જે વિવિક્ત (સ્ત્રી આદિ રહિત) શય્યાસનથી (યુક્ત) છે, જે અલ્પભોજી છે, જે જીતેન્દ્રિય છે. તેમના ચિત્તને રાગદ્વેષ પરાજીત કરતા નથી. જેમાં ઔષધિથી નાશ પામેલો રોગ ફરી શરીરને ઘેરતો નથી. [૧૨પ૯] જેમ બિલાડી પાસે ઉંદરનું રહેવું હિતકર નથી તેમ સ્ત્રીઓના નિવાસ પાસે બ્રહ્મચારીનું રહેવું પણ હિતકર નથી. [1260-1243 શ્રમણ તપસ્વી સ્ત્રીઓના રૂપ લાવણ્ય, વિલાસ, હાસ્ય, આલાપ, ઈગિત (ચેષ્ટા) અને કટાક્ષને મનમાં રાખીને જોવાનો પ્રયત્ન ન કરે. જે હમેશાં બ્રહ્મચર્યમાં લીન છે, તેમણે સ્ત્રીઓને જોવી નહીં. તેમની ઈચ્છા ન કરવી. ચિન્તન ન કરવું, વર્ણન ન કરવું હિતકર છે તથા સમ્યફ ધ્યાન સાધના માટે ઉપયુક્ત છે. જો કે ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત મુનિને અપ્સરાઓ પણ વિચલિત કરી શકે નહીં, તો પણ એકાન્ત હિતની દ્રષ્ટિએ મુનિનો વિવિક્ત વાસ-સ્ત્રીઓના સંપર્કથી રહિત એકાન્ત નિવાસ જ યોગ્ય છે. મોક્ષાભિકાંક્ષી, સંસારભીર અને ધર્મમાં સ્થિત માણસ માટે લોકમાં એવું કાંઈ દુસ્તર નથી જેવી અજ્ઞાનીઓનું મન હરનારી સ્ત્રીઓ દૂસ્તર છે. 124] સ્ત્રીવિષયક આ ઉપર કહેલા સંસર્ગોનું સમ્યક અતિક્રમણ કરવાથી શેષ સંબંધોનું અતિક્રમણ સહજ બની જાય છે. જેમ મહાસાગરને તય પછી ગંગા જેવી નદી તરવાનું સહજ સરળ હોય છે. [૧ર૬પ-૧૨૬૬] સમસ્ત લોકના-દેવોના પણ શારીરિક, માનસિક દુઃખ કામાસક્તિથી પેદા થાય છે. વીતરાગ આત્મા જ તે દુઃખનો અન્ત લાવી શકે છે. જેમ કિપાળ ફળ રસ અને રૂપ રંગમાં-બાવા, જોવામાં સુન્દર-મધુર હોય છે પણ પરિણામે જીવનનો અંત કરે છે. તે દૃષ્ટાંતે કામ ગુણ પણ. અન્તિમ પરિણામમાં એવો જ છે.
Page #83
--------------------------------------------------------------------------
________________ 254 ઉત્તરઝથણ- 32 1267 [1267 સમાધિની ભાવનાવાળો તપસ્વી શ્રમણ ઈન્દ્રિયોના શબ્દ રૂપાદિ મનોજ્ઞ વિષયોમાં રાગભાવ અને અમનોજ્ઞ વિષયોમાં દ્વેષભાવ ન કરે. [1268-1272] ચક્ષુનો વિષય રૂપ છે. જે રૂપ રાગનું કારણ હોય તેને મનોજ્ઞ કહે છે અને જે દ્વેષનું કારણ હોય તેને અમનોજ્ઞ કહે છે. આ બંનેમાં જે સમ રહે છે તે વિતરાગ કહેવાય છે. ચક્ષુ, રૂપનો ગ્રહણ-ગ્રાહક છે, રૂપ ચક્ષુનો-ગ્રાહ્ય-વિષય છે. જે રાગનું કારણ છે તેને મનોજ્ઞ કહે છે અને જે દ્વેષનું કારણ છે તેને અમનોશ કહે છે. જે મનોજ્ઞ રૂપોમાં અત્યન્ત લીન છે, આસક્તિ રાખે છે તે રાગાતુર અકાળે જ વિનાશ પામે છે. જેમ પ્રકાશલોલુપ પતંગિયું પ્રકાર ના રૂપમાં આસક્ત બની મૃત્યુ પામે છે. જે અમનોજ્ઞરૂપ પ્રતિ દ્વેષ રાખે છે તે તરતજ પોતાના દ્વેષનું ફળ ભોગવે છે. એમાં રૂપનો અપરાધ નથી. જે સુન્દર રૂપમાં અત્યન્ત આસક્ત હોય છે અને કુરૂપમાં દ્વેષ કરે છે તે અજ્ઞાની દુઃખની પીડા પામે છે. વિરક્ત મુનિ તેમાં લિપ્ત (રાગ-દ્વેષી) નથી થતો. [1273] મનોશ રૂપની ઈચ્છા કરનાર વ્યક્તિ અનેકરૂપ ચરાચર અથતિ ત્રસ અને સ્થાવર જીવોની હિંસા કરે છે. પોતાના પ્રયોજનને વધુ મહત્ત્વ આપનાર ક્લિષ્ટ (રાગથી પીડિત) અજ્ઞાની વિવિધ પ્રકારથી તે જીવોને દુઃખ દે છે-પીડિત કરે છે. 1274-1276] રૂપમાં અનુપાત અને પરિગ્રહ માટે રૂપ ઉત્પાદનમાં, સંરક્ષણમાં અને સાનિયોગ માં તથા વ્યય અને વિયોગમાં તેને સુખ ક્યાંયે હોતું નથી. તેને ઉપભોગકાળમાં પણ તૃપ્તિ નથી મળતી. રૂપમાં અતૃપ્ત તથા પરિગ્રહમાં આસક્ત અને અત્યન્ત આસક્ત વ્યક્તિ સંતોષ પામતો નથી. તે અસંતોષના દુઃખથી દુખી અને લોભથી કલુષિત-વ્યાકુળ વ્યક્તિ બીજાની વસ્તુઓ ચોરે છે. રૂપ અને પરિગ્રહમાં અતૃપ્ત તેમજ તૃષ્ણાથી ઘેરાયેલા તે બીજાની વસ્તુઓ ચોરે છે. લોભથી તેનું કપટ અને જૂઠ વધે છે. પણ કપટ અને જૂઠના પ્રયોગથી પણ તે દુઃખથી મુક્ત થતો નથી. [1277] જૂઠ બોલતા પહેલા, પછી અને બોલતાં પણ દુઃખ જ હોય છે. તેનો અત્ત પણ દુઃખદ હોય છે. આમ રૂપથી અતૃપ્ત થઈને તે ચોરી કરનાર દુખી અને આશ્રયહીન બને છે. [1278-1280] આમ રૂપમાં અનુરક્ત માણસને ક્યાં, ક્યારે અને કેટલું સુખ મળશે ? જે મેળવવા માણસ દુખ ભોગવે છે, તેના ઉપભોગમાં પણ કષ્ટ અને દુઃખ જ હોય છે. એવી જ રીતે રૂપ તરફ દ્વેષ રાખનાર પણ ઉત્તરોત્તર અનેક દુઃખ ભોગવે છે, દ્વેષયુક્ત ચિત્તથી જે કર્મો કરે છે, તે પરિણામે દુઃખનું કારણ બને છે. રૂપમાં વિરક્ત. માણસ શોકરહિત અને સંસારમાં રહેવા છતાં જળમાં કમળની જેમ અલિપ્ત હોય છે. [1281-1282] શ્રોત્રનો ગ્રાહ્ય શબ્દ છે. જે શબ્દ રાગ ઉત્પન્ન કરે છે તે મનોજ્ઞ છે. જે દ્વેષ ઉત્પન્ન કરે છે અમનોજ્ઞ કહેવાય. જે શબ્દોમાં સમભાવ ધારણ કરે છે તે વીતરાગ છે. શ્રોત્ર શબ્દનો ગ્રાહક છે અને શબ્દ ગ્રાહ્ય છે. જે રાગ ઉત્પન્ન કરે તે મનો અને દ્વેષનું કારણ બને તે અમનોજ્ઞ કહેવાય. [૧૨૮૩-૧૨૮પી જે મનોજ્ઞ શબ્દમાં તીવ્રરૂપે આસક્ત હોય તે રાગાતુર અકાળે નાશ પામે છે. જેમ શબ્દમાં અતૃપ્ત-મુગ્ધ હરણ મૃત્યુ પામે છે. જે અમનોજ્ઞ શબ્દ તરફ તીવ્ર દ્વેષ રાખે છે તે તે જ વખતે પોતાના દુદન્તિ દ્વેષને કારણે દુઃખી થાય છે. તેમાં શબ્દનો દોષ નથી. જે પ્રિય શબ્દમાં અત્યન્ત આસક્ત હોય છે અને અપ્રિય શબ્દ પ્રત્યે દ્વેષ કરે છે, તે અજ્ઞાની કી થાય છે. વીતરાગ માં લિપ્ત થતો નથી.
Page #84
--------------------------------------------------------------------------
________________ અધ્યયન - Go 255 128] શબ્દની ઇચ્છાનો અનુગામી અનેકરૂપ ચરાચર જીવોની હિંસા કરે છે. પોતાના પ્રયોજનને મુખ્ય માનનાર ક્લિષ્ટ અજ્ઞાની વિવિધ પ્રકારે તેમને દુઃખ આપે છે, [1287-1289] શબ્દમાં અનુરાગ અને મમત્વના કારણ શબ્દના. ઉત્પાદનમાં, સંરક્ષણમાં, સનિયોગમાં તથા વ્યય અને વિયોગમાં તેને સુખ ક્યાં ? તેને. ઉપભોગને વખતે પણ તૃપ્તિ મળતી નથી. શબ્દમાં અતૃપ્ત અને પરિગ્રહમાં આસક્ત વ્યક્તિ સંતુષ્ટ થતો નથી. અસંતોષને લીધે તે દુઃખી થાય છે. લોભગ્રસ્ત વ્યક્તિ બીજાની વસ્તુ ચોર છે. શબ્દ અને પરિગ્રહમાં અતૃપ્ત, તૃણાથી પરાજિત વ્યક્તિ બીજાની વસ્તુઓ ચોરે છે. લોભના દોષથી તેનું કપટ અને જૂઠ વધે છે. કપટ અને જૂઠ વધવા છતાં પણ તે દુઃખથી મુક્ત થતો નથી. [1290] જૂઠ બોલતાં પહેલાં, બોલ્યા પછી અને બોલતી વખતે પણ તે દુઃખી થાય છે. તેનો અન્ત પણ દુઃખમય છે. આમ શબ્દમાં અતૃપ્ત વ્યક્તિ ચોરી કરતો દુઃખી થાય છે. આશ્રયહીન બને છે. [1291] આમ શબ્દમાં અનુરક્ત વ્યક્તિને ક્યાં કેટલું અને ક્યારે સુખ મળશે ? જે ઉપભોગ માટે તે દુઃખ સહે છે, તે ઉપભોગમાં પણ કલેશ અને દુઃખ જ થાય છે. [1292-1293) આમ જે અમનોજ્ઞ શબ્દ પ્રત્યે દ્વેષ રાખે છે તે ઉત્તરોત્તર અનેક દુખપરંપરા ભોગવે છે. દ્વેષયુક્ત ચિત્તથી જે કર્મોનું ઉપાર્જન કરે છે તે જ પરિણામે દુઃખનું કારણ બને છે. શબ્દમાં વિરક્ત માણસ શોકરહિત થાય છે. તે સંસારમાં રહેવા છતાં લિપ્ત થતો નથી. જેમ જલાશયમાં કમળનું પાન પાણીથી અલિપ્ત રહે છે. [1294-1295] ધાણનો વિષય ગંધ છે. જે ગંધથી રાગ ઉપજે તે મનોજ્ઞ છે. અને જે ગંધથી દ્વેષ થાય તે અમનોજ્ઞ છે. જે મનોજ્ઞ-અમનોજ્ઞ ગંધમાં સમભાવ ધારણ કરે છે તે વીતરાગ છે. ધાણ, ગંધ ગ્રાહક છે. ગંધ ગ્રાહ્ય છે. જે રાગનું કારણ હોય તેને મનોજ્ઞ કહેવાય અને જે દ્વેષનું કારણ હોય તે અમનોજ્ઞ છે. [1296-1298] જે મનોજ્ઞ ગન્ધમાં તીવ્ર રીતે આસક્ત હોય તેનો અકાળે નાશ થાય છે. જેમ ઔષધિની ગંધમાં આસક્ત રાગાનુરક્ત સર્ષ દરમાંથી નીકળીને વિનાશ પામે છે. જે અમનોજ્ઞ ગંધ તરફ તીવ્ર રૂપે દ્વેષ કરે છે તે જીવ તે જ ક્ષણે પોતાના દુદન્ત દ્વેષને કારણે દુઃખી થાય છે. એમાં ગંધનો કોઈ દોષ નથી. જે સુગંધમાં થાય છે. આસક્ત દુર્ગન્ધમાં દ્વેષ રાખે છે, તે અજ્ઞાની દુખી થાય છે. વિરક્ત મુનિ તેમાં લિપ્ત થતો નથી. [1299-1302) ગંધની ઈચ્છાનો અનુગામી અનેક રૂપ ત્રસ અને સ્થાવર જીવોની હિંસા કરે છે. પોતાનું કામ સાધવા માટે અજ્ઞાની વિવિધ પ્રકારે તેમને પીડે છે. દુખી કરે છે. ગન્ધમાં અનુરાગ અને પરિગ્રહમાં મમત્વને કારણે ગંધ ઉત્પાદનમાં, સંરક્ષણમાં અને સનિયોગમાં તથા વ્યય અને વિયોગમાં તેને સુખ ક્યાંથી ? તેને ઉપભોગ વખતે પણ તૃપ્તિ થતી નથી. ગન્ધમાં અતૃપ્ત અને પરિગ્રહમાં આસક્ત તેમજ અત્યાસક્ત વ્યક્તિ સંતોષ પામતી નથી. તે અસંતોષના દોષથી દુઃખી થાય છે. લોભગ્રસ્ત વ્યક્તિ બીજાની વસ્તુઓ ચોરે છે. ગંધ અને પરિગ્રહમાં અતૃપ્ત તેમજ તૃષ્ણાથી પરાજિત વ્યક્તિ બીજાની વસ્તુઓ ચોરે છે. લોભથી તેનું કપટ અને જૂઠ વધે છે. કપટ અને જૂઠથી પણ તે દુઃખમુક્ત થતો નથી. [1303] જૂઠ બોલતાં પહેલાં, બોલ્યા પછી અને બોલતી વખતે પણ તે દુઃખી
Page #85
--------------------------------------------------------------------------
________________ 256 ઉત્તરજઝયા- 30/1304 થાય છે. તેનો અંત પણ દુખમય થાય છે. આમ ગંધથી અતૃપ્ત તે ચોરી કરનાર દુઃખી અને આશ્રયહીન બને છે. [1304-1306] આમ ગંધમાં અનુરક્ત વ્યક્તિને ક્યારે, ક્યાં અને કેટલું સુખ મળશે? જેના ઉપભોગ માટે દુઃખ વેઠે છે તેના ઉપભોગમાં પણ તે દુઃખ અને કલેશ જ. પામે છે. એવી જ રીતે ગંધ પ્રત્યે જે દ્વેષ કરે છે. દ્વેષયુક્ત ચિત્તથી જે કમનું ઉપાર્જન કરે છે તે જ વિપાકમાં દુખના કારણ બને છે. ગંધમાં વિરક્ત માણસ શોકરહિત બને છે, તે સંસારમાં રહેવા છતાં જલાશયમાં કમળ ની પેઠે લિપ્ત થતો નથી. [1307-1308] જિહ્વાનો વિષય રસ છે. જે રસમાં રાગ ઉદ્ભવે તે મનોજ્ઞ છે. અને જે રસથી દ્વેષ થાય તે અમનોજ્ઞ છે. જે આ રસોમાં સમભાવે રહે છે તે વીતરાગ છે. જિહુવા રસગ્રાહક છે. રસ ગ્રાહ્ય છે. જે રાગનું કારણ છે તેને મનોજ્ઞ કહેવાય. અને જે દ્વેષનું કારણ બને તે રસ અમનોજ્ઞ કહેવાય છે. [1309-1311] જે મનોજ્ઞ રસોમાં તીવ્ર | આસક્ત છે તેનો અકાળે નાશ થાય છે. જેમ માસમાં આસક્ત રાગાતુર માછલા કાં થી વિંધાય છે. જે અમનોજ્ઞ રસ તરફ તીવ્રપણે દ્વેષ રાખે છે, તે તે જ ક્ષણે પોતાના દુદન્ત દૈષને લીધે દુઃખી થાય છે. એમાં રસનો કોઈ અપરાધ નથી. જે મનોજ્ઞ રસમાં એકાન્ત આસક્ત અને અમનોજ્ઞ રસમાં દ્વેષ કરે છે, તે અજ્ઞાની દુઃખી થાય છે. વિગત મુનિ તેમાં લિપ્ત થતો નથી. [1312] રસની ઇચ્છાનો અનુગામી અનેકરૂપ ત્રસ અને સ્થાવર જીવોની હિંસા કરે છે. પોતાની રસવૃપ્તિને જ મુખ્ય માનનાર તે ક્લિષ્ટ અજ્ઞાની વિવિધ પ્રકારે તેમને સંતાપે છે, પીડે છે. [૧૩૧૩-૧૩૧પ) રસમાં અનુરક્ત અને મમત્વને કારણે રસઉત્પાદનમાં, સંરક્ષણમાં, અને સનિયોગમાં તથા વ્યય અને વિયોગએ સર્વેમાં તેને સુખ ક્યાં ? તેને ઉપભોગને વખતે પણ તૃપ્તિ મળતી નથી. રસમાં અતૃપ્ત અને પરિગ્રહમાં આસા . ઉપાસક્ત વ્યક્તિ સંતોષ પામતી નથી. તે અસંતોષના દોષને લીધે દુઃખી થાય છે. લોભથી વ્યાકુળ બીજાની વસ્તુઓ ચોરે છે, રસ અને પરિગ્રહમાં અતૃપ્ત તથા તૃણાથી પરાજિત વ્યક્તિ બીજાની વસ્તુઓ લઈ લે છે. લોભથી તેનું કપટ અને જૂઠ વધે છે અને તે દુઃખથી મુક્ત થતો નથી. [131] જૂઠ બોલતાં પહેલાં, બોલ્યા પછી અને બોલતી વખતે તે દુઃખી થાય છે. તેનો અન્ત પણ દુખમય હોય છે. આમ રસમાં અતૃપ્ત થઈને ચોરી કરનાર દુઃખી અને આશ્રયહીન બને છે. [1317-131] આમ રસમાં અનુરક્ત પુરુષને ક્યાં, ક્યારે, કેટલું સુખ મળે? જેને મેળવવા માટે વ્યક્તિ આટલું દુઃખ વેઠે છે, તેના ઉપભોગમાં પણ કલેશ અને દુઃખજ હોય છે. એવી જ રીતે જે રસ તરફ દ્વેષ રાખે છે તે ઉત્તરોત્તર દુઃખની પરંપરા પામે છે. દ્વેષયુક્ત ચિત્તથી જે કમનું ઉપાર્જન કરે છે તે જ પરિણામે દુઃખનું કારણ બને છે. રસમાં વિરક્ત શોકરહિત બને. તે સંસારમાં રહેવા છતાં જળમાં કમળની જેમ લિપ્ત થતો નથી. ૧૩૨૦-૧૩ર૧] કાયનો વિષય સ્પર્શ છે. જે સ્પર્શ રાગનું કારણ બને તે મનોજ્ઞ અને જે દ્વેષનું કારણ હોય તે અમનોજ્ઞ છે. જે આ બન્નેનાં સમભાવ ધારણ કરે તે વીતરાગ છે. કાય (સ્પર્શેન્દ્રિય) સ્પર્શનો ગ્રાહક છે. સ્પર્શ ગ્રાહ્ય છે. જે ગગનું કારણ છે
Page #86
--------------------------------------------------------------------------
________________ અધ્યયન - 30. ૨પ૭ તેને મનોજ્ઞ કહે છે અને જે દ્વેષનું કારણ છે તેને અમનોજ્ઞ કહેવાય છે. [1322-1324] જે મનોજ્ઞ સ્પર્શમાં તીવ્રરૂપે આસક્ત છે તેનો અકાળે નાશ થાય છે. જેમ જંગલમાં જલાશયના શીતલ સ્પર્શમાં આસક્ત રાગાતુર પાડો મગરથી પકડાઈ નાશ પામે છે. જે અમનોજ્ઞ સ્પર્શ તરફ તીવ્ર પણે દ્વેષ રાખે છે તે જીવ તે જ ક્ષણે પોતાના દુદન્ત દ્વેષથી દુઃખી થાય છે. એમાં સ્પર્શનો કોઈ દોષ નથી. જે મનોજ્ઞ સ્પર્શમાં આસક્ત હોય છે અને અમનોજ્ઞ સ્પર્શમાં દ્વેષ રાખે છે તે અજ્ઞાની દુઃખી થાય છે. વિરક્ત મુનિ તેમાં લિપ્ત થતો નથી. [1325-1326] સ્પર્શની ઈચ્છાનો અનુગામી અનેક રૂપ ત્રસ અને સ્થાવર જીવોની હિંસા કરે છે. પોતાના પ્રયોજનને મુખ્ય મહત્ત્વ આપનાર તે ક્લિષ્ટ અજ્ઞાની વિવિધ પ્રકારે તેમને પીડે છે, સંતાપે છે. પશમાં અનુરક્તિ અને મમત્વને કારણે સ્પર્શના ઉત્પાદનમાં, સંરક્ષણમાં, સનિયોગમાં તથા વ્યય અને વિયોગમાં તેને સુખ, ક્યાંથી ? ઉપભોગકાળમાં પણ તેને તૃપ્તિ થતી નથી. [૧૩ર૭-૧૩૨૮] સ્પર્શમાં અતૃપ્ત તથા પરિગ્રહમાં આસક્ત અને ઉપસક્ત. વ્યક્તિને સંતોષ થતો નથી. તે અસંતોષના દુઃખે દુઃખી થાય છે અને લોભથી વ્યાકુળ બીજાની વસ્તુઓ ચોરે છે. સ્પર્શ અને પરિગ્રહમાં અતૃપ્ત તથા તૃષ્ણાથી ઘેરાયેલી તે વ્યક્તિ બીજાની વસ્તુઓ ઉપાડે છે. લોભના દોષથી તેનું કપટ અને જૂઠાણું વધે છે. કપટ અને જૂઠથી પણ તે દુઃખથી મુક્ત થતા નથી. [1329] જૂઠું બોલતાં પહેલાં, બોલ્યા પછી અને બોલતી વખતે પણ તે દુઃખી થાય છે. તેનો અંત પણ દુઃખરૂપ છે. આમ સ્પર્શમાં અતૃપ્ત માણસ ચોરી કરે છે, દુઃખી થાય છે, આશ્રયહીન બને છે. [1330-1332] આમ સ્પર્શમાં અનુરક્ત માણસને ક્યાં, ક્યારે, કેટલું સુખ મળે? જેને મેળવવા આટલું દુઃખ વેઠે છે, તેના ઉપભોગમાં પણ કષ્ટ અને દુઃખ જ હોય છે. એવીજ રીતે જે સ્પર્શ પ્રત્યે દ્વેષ રાખે છે તે ઉત્તરોત્તર અનેક દુઃખોની પરંપરા પામે છે. દ્વેષયુક્ત ચિત્તથી જે કમનું ઉપાર્જન કરે છે તે જ વિપાકના સમયે દુઃખનું કારણ બને છે. સ્પર્શમાં વિરક્ત મનુષ્ય શોકરહિત હોય છે. તે સંસારમાં રહેવા છતાં જળમાં રહેલ કમળની માફક લિપ્ત થતો નથી. [1333-1334] મનનો વિષય ભાવ (અભિપ્રાય, વિચાર) છે. જે ભાવ રાગનું કારણ બને તે મનોજ્ઞ અને જે ભાવ ૮ષનું કારણ હોય તે અમનોજ્ઞ કહેવાય. જે એમાં સમભાવ ધારણ કરે છે તે વીતરાગ છે. મન ભાવનું ગ્રાહક છે. ભાવ ગ્રાહ્ય છે. જે રાગનું કારણ હોય તે મનોજ્ઞ અને જે દ્વેષનું કારણ બને તે ભાવ અમનોજ્ઞ છે. [૧૩૩પ-૧૩૩] જે મનોજ્ઞ ભાવોમાં તીવ્ર રૂપે આસક્ત છે તેનો અકાળે નાશ થાય છે. જેમ હાથિણી તરફ આકૃષ્ટ કામી રાગાતુર હાથી નાશ પામે છે. જે અમનોજ્ઞ ભાવ પ્રત્યે તીવ્રપણે દ્વેષ રાખે છે, તે તે જ ક્ષણે પોતાના દુદત્તિ દ્વેષને લીધે દુઃખી થાય છે. એમાં ભાવનો કોઈ દોષ નથી. જે મનોજ્ઞ ભાવમાં એકાન્ત આસક્ત બને છે અને અમનોજ્ઞનો દ્વેષ કરે છે તે અજ્ઞાની દુઃખ પામે છે. વિરક્ત મુનિ તેમાં લિપ્ત થતો નથી. [133-1341] ભાવની ઈચ્છાની અનુગામી વ્યક્તિ અનેકરૂપ ત્રસ અને સ્થાવર જીવોની હિંસા કરે છે. પોતાના પ્રયોજનને મુખ્ય માનનાર ક્લિષ્ટ અજ્ઞાનીજીવ 17].
Page #87
--------------------------------------------------------------------------
________________ 258 ઉતારજઝયણ - 32/342 વિવિધ પ્રકારે તેમને પીડે છે, દુઃખ દે છે. ભાવમાં અનુરક્ત અને મમત્વને કારણે ભાવના ઉત્પાદનમાં, સંરક્ષણમાં, સનિયોગમાં તથા વ્યય અને વિયોગમાં તેને સુખ ક્યાં ? તે ઉપભોગને વખતે પણ તૃપ્ત થતો નથી. ભાવમાં અતૃપ્ત તથા પરિગ્રહમાં આસક્ત અને ઉપાસક્ત સંતોષ પામતા નથી. અસંતોષને લીધે દુઃખી થાય છે. લોભથી બીજાની. વસ્તુઓ ચોરે છે. ભાવ અને પરિગ્રહમાં અતૃપ્ત તેમજ તૃષ્ણાથી વ્યાપ્ત તે બીજાની વસ્તુઓ લઈ લે છે. લોભથી તેનું કપટ અને જુઠાણું વધે છે. તે કપટ અને જૂઠથી પણ દુઃખમુક્ત થતો નથી. [1342] જૂઠ બોલતાં પહેલાં બોલ્યા પછી અને બોલતી વખતે તે દુઃખી થાય છે. તેનો અત્ત પણ દુઃખદ હોય છે. આમ ભાવમાં અતૃપ્ત રહેલો ચોરી કરીને દુઃખી થાય છે. આશ્રયહીન બને છે. [1343-1345) આમ ભાવમાં અનુરક્ત માણસ ક્યાં, ક્યારે, કેટલું સુખ મેળવે? જે મેળવવા તે આટલું દુઃખ વેઠે છે તેના ઉપભોગમાં પણ કલેશ અને દુઃખ જ હોય છે. એવી જ રીતે ભાવ પ્રત્યે જે દ્વેષ કરે છે તે ઉત્તરોત્તર દુખપરંપરા પામે છે. દ્વેષમુક્ત ચિત્તથી જે કર્મો કરે છે તે જ વિપાક વખતે દુખનું કારણ બને છે. ભાવમાં વિરક્ત માણસ શોકરહિત બને છે. સંસારમાં રહેવા છતાં જળમાં કમળની જેમ લિપ્ત થતો નથી. | [1346] એવી રીતે રાગી મનુષ્ય માટે ઇન્દ્રિય અને મનના જે વિષયો દુઃખનું કારણ છે તેજ વીતરાગ માટે કદીય જરાપણ દુઃખનું કારણ બનતા નથી. [1347] કામ-ભોગ ન સમતા-–લાવે છે ને વિકૃતિ લાવે છે, જે તેમના તરફ ટ્રેષ અને મમત્વ રાખે છે તે તેમનામાં મોહને કારણે વિકૃતિ પામે છે. [1348-1349] ક્રોધ, માન, માયા, લોભ, જુગુપ્સા, અરતિ, રતિ, હાસ્ય, ભય, શોક, પુરુષવેદ, સ્ત્રીવેદ, નપુંસક વેદ તથા હર્ષ વિષાદ આદિ ભાવોને- અનેક પ્રકારના વિકારોને તેમનાથી પેદા થતા અનેક પ્રકારના કુપરિણામોને તે પામે છે જે કામગુણોમાં આસક્ત છે. તે કરુણાસ્પદ, દીન લજ્જિત અને અપ્રિય પણ થાય છે. [૧૩પ૦-૧૩પ૧] શરીરની સેવારૂપ સહાયતા વગેરેની ઈચ્છાથી કલ્પયોગ્ય શિષ્યની પણ ઈચ્છા ન કરે. દિક્ષિત થયા પછી અનુતપ્ત થઈને તપના પ્રભાવની ઈચ્છા ન કરે. ઈન્દ્રિયરૂપી ચોરોના વશીભૂત જીવ અનેક પ્રકારના અપરિમિત વિકારો પામે છે. વિકારો આવ્યા પછી મોહરૂપ મહાસાગરમાં ડુબાડવા માટે વિષયાસેવન તેમ જ હિંસાદિ અનેક પ્રયોજન ઉપસ્થિત થાય છે ત્યારે તે સુખાભિલાષી રાગી વ્યક્તિ દુઃખથી મુક્ત થવા પ્રયત્ન કરે છે. [૧૩પ૧-૧૩પ૨] ઇન્દ્રિયોના શબ્દ વિગેરે જેટલા વિષયો છે, તે બધાં જ વિરક્ત વ્યક્તિના મનમાં મનોજ્ઞતા અથવા અમનોજ્ઞતા ઉત્પન્ન કરતા નથી. પોતાના જ સંકલ્પ વિકલ્પ બધા દોષોનું કારણ છે, ઇન્દ્રિયોના વિષય નહી. એવો જે સંકલ્પ કરે છે, તેના મનમાં સમતા જાગે છે અને તેનાથી તેની કામગુણોની તૃષ્ણા ક્ષીણ થાય છે. [૧૩પ૩-૧૩પ૪] તે કૃતકૃત્ય વીતરાગ આત્મા ક્ષણભરમાં જ્ઞાનાવરણનો ક્ષય કરે છે. દર્શનના આવરણોને દૂર કરે છે અને અન્તરાય કમને દૂર કરે છે. ત્યાર પછી તે બધું જાણે છે, દેખે છે. તથા મોહ અને અન્તરાય રહિત બને છે. નિરાશ્રવ અને શુદ્ધ થાય છે, ધ્યાન સમાધિ સંપન્ન બને છે. આયુષ્યનો ક્ષય થતાં મોક્ષ પામે છે.
Page #88
--------------------------------------------------------------------------
________________ અધ્યયન- 32 259 [૧૩પપી જે જીવને સદા બાધા-પીડા આપે છે તે બધાં દુઃખોથી તેમ જ દીર્ઘકાલિન કમાંથી મુક્ત બને છે ત્યારે તે પ્રશસ્ત, અત્યન્ત સુખી તથા કૃતાર્થ બને છે. [135] અનાદિ કાળથી ઉત્પન્ન થતાં માર્ગ છે. બધાં દુઃખથી મુક્તિનો આ તેને સમ્યક પ્રકારે સ્વીકારીને જીવ ક્રમશઃ અત્યન્ત સુખી થાય છે. - એમ હું કહું છું. અધ્યયન-૩ર-ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ (અધ્યયન-૩૩-કર્મપ્રકૃતિ [1358] હું આનુપૂર્વીના ક્રમે આઠ કમનું વર્ણ કરીશ. જેમનાથી બંધાયેલો આ જીવ સંસારમાં પરિવર્તન-પરિભ્રમણ કરે છે, [૧૩પ૯-૧૩૬૦ જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, મોહ તથા આયુ કર્મ. નામ, ગોત્ર અને અન્તરાય કર્મ, એમ ટૂંકમાં આઠ કર્મ છે. [૧૩૬૧]જ્ઞાનાવરણકર્મના પાંચ પ્રકાર છેઃ શ્રુતજ્ઞાનાવરણ, આભિનિબોધિકજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ, મનો-જ્ઞાનાવરણ અને કેવળજ્ઞાનાવરણ. [1362-1363] નિદ્રા, પ્રચલા, નિદ્રાનિદ્રા, પ્રચલા-પ્રચલા, અને પાંચમી સત્યાનગૃદ્ધિ- ચક્ષુ-દર્શનાવરણ, અચક્ષુ-દર્શનાવરણ, અવધિદર્શનાવરણ, અને કેવળદર્શનાવરણ. આ નવ દર્શનાવરણ કર્મના ભેદ છે. f1364] વેદનીય કર્મના બે પ્રકાર છે. સાત વેદનીય અને અસાત વેદનીય, સાત અને અસાત વેદનીયના અનેક પ્રકાર છે. [1365] મોહનીય કર્મના બે ભેદ છે. દર્શન-મોહનીય અને ચારિત્ર-મોહનીય. દર્શન-મોહનીયના ત્રણ અને ચારિત્ર-મોહનીયના બે પ્રકાર છે. સમ્યકત્વ, મિથ્યાત્વ અને મિશ્ર આ ત્રણ દર્શન-મોહનીયની પ્રકૃતિઓ છે. ચારિત્ર-મોહનીયના બે ભેદ છે ? કષાય-મોહનીય અને નોકષાય-મોહનીય. કષાય-મોહનીય કર્મના 16 પ્રકાર છે. નોકષાય-મોહનીય કર્મના સાત અથવા નવ પ્રકાર છે. [1369 આયુકર્મના ચાર ભેદ નૈરયિક તિર્ય મનુષ્ય અને દેવ આયુ. [137] નામ કર્મના બે પ્રકાર છેઃ શુભ નામ અને અશુભ નામ. શુભ નામના અનેક પ્રકાર છે તેમજ અશુભના પણ અનેક ભેદ છે. [1371] ગોત્ર કર્મના બે ભેદ છેઃ ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્ર, આ બંનેના આઠ આઠ પ્રકાર છે. [1372] સંક્ષેપમાં અન્તરાય કર્મના પાંચ પ્રકારે છે. દાનાન્તરાય, લાભાન્તરાય, ભોગાન્તરાય, ઉપભોગાન્તરાય અને વીર્યન્તરાય. [1373] આ કર્મની મૂળ પ્રકૃતિઓ અને ઉત્તર પ્રવૃતિઓ કહી છે. હવે પછી તેમના પ્રદેશાગ્ર-દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ સાંભળો. [1774-1375] એક સમયમાં ગ્રાહ્ય-બદ્ધ થનાર બધાં કમોંના પ્રદેશાગ્રકમપુદ્ગલરૂપ દ્રવ્ય અનન્તા હોય છે. તે ગ્રન્ધિસત્વોથી અનન્ત ગુણ વધારે અને સિદ્ધોના અનન્તમાં ભાગ જેટલા હોય છે. બધા જીવો માટે સંગ્રહ-કરવા જેવાં કર્મપુદ્ગલો છએ દિશાઓમાં-આત્માથી અશયેલા-આખા આકાશ પ્રદેશમાં છે. તે બધાં કર્મ-પુદ્ગલ બંધને સમયે આત્માના બધા પ્રદેશ સાથે બદ્ધ થાય છે.
Page #89
--------------------------------------------------------------------------
________________ 26o ઉત્તર ઝયણ- 33137 [1376-1377] ઉત્કૃષ્ટ સ્થિતિ તીસ કોટિ કોટિ (સાગરોપમની) છે અને જઘન્ય સ્થિતિ અત્તમુહૂર્તની છે. બે આવરણીય કર્મ અથતિ જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય તથા વેદનીય અને અન્તરાય કર્મની. આ ઉપર્યુક્ત સ્થિતિ કહી છે. [1378-1380 મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ 70 કોટિ કોટિ સાગરોપમ છે અને જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્તની છે. આયુકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ 33 સાગરોપમ છે અને જઘન્ય સ્થિતિ અત્તમુહૂર્ત છે. નામ અને ગોત્રકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કોટિ કોટિ સાગર સમાન છે અને જઘન્ય સ્થિતિ આઠ મુહૂર્ત છે. [૧૩૮૧-૧૩૮૨)સિદ્ધોના અનન્તભાગ જેટલાં કર્મોના અનુભાગ છે. બધા. અનુભાગોના પ્રદેશ પરિણામ બધા ભવ્ય અને અભવ્ય જીવોથી અતિક્રાન્ત છે, અધિક છે. તેથી આ કર્મોના અનુભાગોને સમજીને બુદ્ધિમાન સાધક એમનો સંવર અને ક્ષય કરવાનો પ્રયત્ન કરે. - એમ હું કહું છું. અધ્યયનન-૩૩-ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ ! (અધ્યયન-૩૪- ધ્યયન) [1383-1384] હું આનુપૂર્વના ક્રમ પ્રમાણે લેશ્યાધ્યયનનું વર્ણન કરીશ. મારા પાસેથી તમે છએ લેશ્યાના અનુભાવ-રસ વિશેષને સાંભળો. વેશ્યાઓનાં નામ, વર્ણ, રસ, ગબ્ધ, સ્પર્શ, પરિણામ, લક્ષણ, સ્થાન, સ્થિતિ, ગતિ અને આયુષ્ય વિશે સાંભળો. [1385 ક્રમશઃ વેશ્યાઓના નામ આ નીચે પ્રમાણે છે. કૃષ્ણ, નીલ, કાપો, તેજસ, પ, અને શુકલ.. [1386-1391) કૃષ્ણ વેશ્યાનો વર્ણ સ્નિગ્ધ અથતિ સજલ મેઘ, મહિષ શૃંગ, અરિષ્ટક, ખંજન, અંજન, અને નેત્રતારિકા જેવો કાળો હોય છે. નીલ લેશ્યાનો વર્ણ નીલ અશોક વૃક્ષ, ચાસ પક્ષીની પાંખ, અને સ્નિગ્ધ વૈડૂર્ય મણિ જેવો નીલ હોય છે. કાપોત લેયાનો વર્ણ-અળસીના ફૂલ, કોયલની પાંખ, અને કબૂતરની ડોકના રંગ જેવો કાંઈક કાળી અને લાલ મિશ્રિત હોય છે. તેજલેશ્યાનો વર્ણ હિંગલ ધાતુ-ગેરુ, ઉદયમાન તરણ સૂર્ય પોપટની ચાંચ, ધવાની જ્યોત જેવો લાલ હોય છે. પદ્મ લેશ્યાનો વર્ણ હરતાલ અને હળદરના ટુકડા જેવો તથા શણ અને અસનના ફૂલ જેવો પીળો હોય છે. શુક્લ લેશ્યાનો વર્ણ શંખ, અંક કુન્દ પુષ્પ, દૂધની ધાર, ચાંદીના હાર જેવો સફેદ હોય છે. [1392-1397 કડવી તુમડી, લીમડો, તેમજ કડવી રોહિણીનો રસ જેટલો કડવો હોય છે, તેથી અનન્તગણો કડવો કષ્ણ લેશ્યાનો રસ છે. ત્રિકટુ અને ગજપીપળનો. રસ જેટલો તીખો હોય છે તેથી અનન્ત ગણો વધુ તીખો નીલ લેગ્યાનો રસ છે. કાચી કેરી અને કાચી કપિત્થનો રસ જેટલો ખાટો હોય છે તેથી અનન્ત ગણો ખાટો કાપોત લેશ્યાનો રસ છે. પાકી કેરી અને પાકા કપિત્થનો રસ જેટલો ખટમીઠો હોય છે તેથી અનન્ત ગણો. ખટમીઠો નેજો લેશ્યાનો રસ છે. ઉત્તમ શરાબ. ફૂલોનો બનેલો. અનેક પ્રકારનો દારૂ, મધુ, તેમજ સરકાનો રસ જેટલો ખાટો -કસેલો હોય છે તેથી અનન્ત ગણો વધુ ખાટોકસાલો પવા લેગ્યાનો રસ હોય છે. ખજૂર, દ્રાક્ષ, ક્ષીર, ખાંડ અને સાકર, જેટલો મીઠાં હોય તેથી અનન્ત ગણો વધુ મીઠો શુક્લ લેશ્યાનો રસ છે. [1398-1399) ગાય, કુતરાં, અને સાપના શબની દુર્ગધ કરતાં અનન્તગણી
Page #90
--------------------------------------------------------------------------
________________ અધ્યયન- 34 261 દુર્ગધ ત્રણે અપ્રશસ્ત વેશ્યાઓની હોય છે. સુગન્ધિત પુષ્પ અને વટાતાં સુગંધિત પદાથોની સુગંધ કરતાં અનન્ત સુગન્ધ ત્રણે પ્રશસ્ત લેશ્યાઓન છે. [1400-1401] કરવત, ગાયની જીભ અને શાકવૃક્ષના પાનના કર્કશ સ્પર્શ કરતાં પણ અનન્ત ગણો કર્કશ સ્પર્શ ત્રણે અપ્રશસ્ત લેશ્યાઓનો છે, બૂર, નવનીત, અને શિરીષના ફૂલના કોમળ સ્પર્શ કરતાં પણ અનન્ત ગણો કોમલ સ્પર્શ ત્રણે પ્રશસ્ત લેશ્યાઓનો છે. [1402] લેશ્યાઓના 3-9-27-81 કે 243 પરિણામો હોય છે. [143-1404] જે માણસ પાંચ આશ્રવમાં પ્રવૃત્ત છે, ત્રણ ગુપ્તિઓમાં અગુપ્ત છે, પકાયમાં અવિરત છે, તીવ્ર આરંભ-હિંસા આદિમાં સંલગ્ન છે, ક્ષુદ્ર છે, સાહસી અથતિ અવિવેકી છે- નિઃશંક પરિણામી છે, નૃશંસ છે, અજિતેન્દ્રિય છે, આ બધા યોગોવાળો હોય તો કૃષ્ણ લેગ્યામાં પરિણત છે. ૧૪૦પ-૧૪૦૬] જે ઈર્ષ્યાળુ છે, અમર્ષ-દુરાગ્રહી, અતપસ્વી છે, અજ્ઞાની છે, માયાવી છે, લાહીન છે, વિષયાસક્ત છે, દ્વેષી છે, ધૂર્ત છે, પ્રમાદી છે, રસલોલુપ છે, સુખ શોધનાર છે. જે આરંભથી અવિરત છે, ક્ષુદ્ર છે, દુuહસી છે- આ યોગોથી યુક્ત માણસ નીલ લેગ્યામાં પરિણત થાય છે. [1407-1408] જે માણસ વક્ર છે, વાણી, આચારમાં કપટ કરે છે, સરળ નથી. પ્રતિકુંચક છે-પોતાના દોષ છૂપાવનાર છે, ઓપધિક છે-બધે છળ કરે છે. મિઆદ્રષ્ટિ અને અનાર્ય છે. જે ઉમ્રાસક છે-ગંદી મશ્કરી કરનાર, દુર્વચન બોલનાર, ચોર, ઈર્ષાળુ છે આ બધા યોગવાળો કાપોત લેશ્યામાં પરિણત છે. [1409-1410] જે નમ્ર છે, અચંચળ છે, માયારહિત છે, કૂતુહલ વિનાનો છે, વિનયમાં નિપુણ, દાન્ત, યોગવાળો છે-સ્વાધ્યાય વગેરે સમાધિયુક્ત છે, ઉપધાન કરનાર છે. પ્રિયધમ છે, વૃઢધમ છે, પાપભીરૂ છે, હિતૈષી છે, આ બધા યોગવાળો. તેજલેગ્યામાં પરિણત છે. [1411-1412] ક્રોધ, માન, માયા અને લોભ જેના અત્યન્ત અલ્પ છે, જે પ્રશાન્ત ચિત્તવાળો છે, પોતાના આત્માનું દમન કરે છે, યોગવાન છે, ઉપધાન કરનાર છે. જે મિતભાષી છે, ઉપશાન્ત છે, જિતેન્દ્રિય છે, આ બધા યોગવાળો પાલેશ્યામાં પરિણત હોય છે. [1413-1414] આર્ય અને રૌદ્ર ધ્યાનને ત્યાગી જે ધર્મ અને શુક્લ ધ્યાનમાં લીન છે, જે પ્રશાન્તચિત્ત, દાન્ત, છે, પાંચ સમિતિઓથી યુક્ત અને ત્રણ ગુતિઓથી ગુપ્ત છે- સરાગ હોય કે વીતરાગ, પણ જે ઉપશાન્ત છે, જિતેન્દ્રિય છે. આ બધા. યોગોવાળો શુક્લ લેગ્યામાં પરિણત હોય છે. [1415] અસંખ્ય અવસર્પિણી અને ઉત્સર્પિણી કાળના જેટલા સમય હોય, અસંખ્ય લોકોના જેટલા આકાશપ્રદેશો હોય તેટલા જ વેશ્યાના સ્થાન હોય છે. [1416-1422] કૃષ્ણ લેશ્યાની જઘન્ય સ્થિત મુહૂતધિ છે, અને ઉત્કૃષ્ટસ્થિતિ એક મુહૂર્ત અધિક તેત્રીસસાગર છે. નીલ વેશ્યાની જઘન્યસ્થિતિ અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટસ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગથી વધારે દસસાગર છે. કાપોતલેશ્યાની જઘન્યસ્થિતિ અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટસ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમાં
Page #91
--------------------------------------------------------------------------
________________ 263 ઉત્તરાયણ- 341423 ભાગ કરતાં વધારે ત્રણસાગર છે. તેજે લેગ્યાની જઘન્યસ્થિતિ અન્તર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટસ્થિતિ પલ્યોપમના અસંખ્યાત ભાગથી વધારે બેસાગર છે. પાલેશ્યાની જઘન્યસ્થિતિ અત્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટસ્થિતિ એકમુહૂર્ત અધિક દસસાગર છે. શુક્લ લેશ્યાની જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટસ્થિતિ મુહૂર્ત અધિક તેત્રીસ સાગર છે. ગતિની અપેક્ષા વિના આ વેશ્યાઓની ઓધસામાન્ય સ્થિતિ છે. હવે ચાર ગતિની અપેક્ષાએ લેશ્યાઓની સ્થિતિનું વર્ણન કરું છું. [1423-1225] કાપોતલેશ્યાની જઘન્યસ્થિતિ દસ હજાર વર્ષ ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગથી વધારે ત્રણસાગર છે. નીલલેશ્યાની જઘન્યસ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગથી વધારે ત્રણસાગર ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગથી અધિક દસસાગર છે. કૃષ્ણલેશ્યાની જઘન્યસ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગથી વધારે દસસાગર ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગર છે. [1426] નૈરયિક જીવોની લેશ્યાની સ્થિતિનું આ વર્ણન કર્યું. હવે તિર્યંચ. મનુષ્ય અને દેવોની લેશ્યાની સ્થિતિનું વર્ણન કરીશ. [૧૪ર૭-૧૪૨૮] કેવળ-શુક્લ લેશ્યા સિવાય મનુષ્ય અને તિચિની જેટલી લેશ્યાઓ છે તે બધાની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અત્તમુહૂતુ છે. શુકલ લેગ્યાની જધન્યસ્થિતિ અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ નવ વર્ષ જૂનું એક કરોડ પૂર્વ છે. [1429] આ મનુષ્ય અને તિર્યંચની વેશ્યાઓની સ્થિતિનું વર્ણન કર્યું. આગળ હવે દેવોની વેશ્યાઓની સ્થિતિનું વર્ણન કરીશ. [1430] કૃષ્ણ વેશ્યાની જઘન્ય સ્થિતિ દસ હજાર વર્ષ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ છે. [1431] કૃષ્ણલેશ્યાની ઉત્કૃષ્ટસ્થિતિ થી એકસમય અધિક નીલ લેગ્યાની જઘન્યસ્થિતિ છે ઉત્કૃસ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગથી અધિક છે. [1432) નીલલેશ્યાની ઉત્કૃસ્થિતિથી એક સમયઅધિક કાપોત લેગ્યાની જઘન્યસ્થિતિ છે અને પલ્યોપમના અસંખ્યાતમાભાગથી અધિક ઉત્કૃષ્ટ સ્થિતિ છે. [૧૪૩૩-૧૪૩પ એથી આગળ ભવનપતિ, વ્યન્તર, જ્યોતિષ્ક, અને વૈમાનિક દેવોની તેજલેશ્યાની સ્થિતિનું નિરુપણ કરીશ. તેજલેશ્યાની જઘન્યસ્થિતિ એક પલ્યોપમ છે અને ઉત્કૃષ્ટસ્થિતિ પલ્યોપમતા અસંખ્યાતમાં ભાગથી અધિક બે સાગર છે. તેજલેશ્યાની જઘન્યસ્થિતિ દસ હજાર વર્ષની છે અને ઉત્કૃષ્ટસ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગથી અધિક બેસાગર છે. [13] તેજોલેશ્યાની જે ઉત્કૃષ્ટ સ્થિતિ છે તેથી એક સમય અધિક પદ્મ લેશ્યાની જઘન્ય સ્થિતિ છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક મુહૂર્તથી અધિક દસ સાગર છે. [1437] જે પાલેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ છે તેથી એક સમય અધિક શુકલ લેશ્યાની જઘન્યસ્થિતિ છે અને ઉત્કૃષ્ટસ્થિતિ એક મુહૂર્તથી અધિક તેત્રીસ સાગર છે. [1438-1439] કૃષ્ણ નીલ અને કાપોત-આ ત્રણે અધર્મ વેશ્યા છે. આ ત્રણેથી જીવ અનેક વાર દુગતિ પામે છે. તેજોલેશ્યા, પદ્મલેશ્યા અને શુક્લલેશ્યા-આ ત્રણે ધર્મ લેશ્યા છે. આ ત્રણેથી જીવ અનેક વાર સુગતિ પામે છે. [1440-1442) પ્રથમ સમયમાં પરિણત બધી લેશ્યાઓથી કોઈ પણ જીવ
Page #92
--------------------------------------------------------------------------
________________ અધ્યયન - 34 બીજા ભવમાં ઉત્પન્ન નથી થતો. અન્તિમ સમયમાં પરિણત બધી વેશ્યાઓથી કોઈ પણ જીવ બીજા ભવમાં ઉત્પન્ન થતો નથી. વેશ્યાઓની પરિણતિ થતાં અન્તર્મુહૂર્ત વ્યતીત થઈ જાય અને જ્યારે અન્તર્મુહૂર્ત બાકી રહે તે વખતે જીવ પરલોકમાં જાય છે. [ 13] તેથી લેશ્યાઓના અનુભાગ જાણીને અપ્રશસ્ત લેશ્યાઓનો પરિત્યાગ કરી પ્રશસ્તલેશ્યાઓમાં રહેવું જોઈએ. -એમ હું કહું છું. અધ્યયન-૩૪-ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ ! (અધ્યયન-૩પ અનગારમાર્ગગતિ [1444] જેનું આચરણ કરીને ભિક્ષુ દુઃખોનો નાશ કરે છે, એવો જ્ઞાનીઓએ ઉપદેશેલો માર્ગ મારી પાસેથી એકાગ્ર મને સાંભળો. [1445] ઘરવાસનો પરિત્યાગ કરીને પ્રવૃજિત થયેલ મુનિ આ યોગોને જાણે, જેમાં માણસો બંધાય છે તથા આસક્ત થાય છે.. [1446] સંયત ભિક્ષુ હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મચર્ય, ઇચ્છા-કામ (અપ્રાપ્ત વસ્તુની ઇચ્છા) અને લોભથી દૂર રહે. [1447- 19] મનોહર ચિત્રોવાળ, માળા અને ગંધથી સુવાસિત, દરવાજા તેમજ સફેદ ચંદરવાવાળા આવાચિત્તાકર્ષક સ્થાનની મનમાં ઈચ્છા પણ ન કરે. કામરાગ વધારનાર આ પ્રકારના ઉપાશ્રયમાં ઇન્દ્રિયોનો વિરોધ કરવો ભિક્ષુ માટે દુષ્કર છે. તેથી એકાકી ભિક્ષુ સ્મશાનમાં શૂન્ય ઘરમાં, વૃક્ષની નીચે. તથા પરત પ્રતિરિક્તએકાન્ત સ્થાનમાં રહેવાની અભિરૂચિ રાખે. [૧૪પ૦-૧૪૫૧] પરમ સંયત ભિક્ષુ, પ્રાસુક, અનાબાધ, સ્ત્રીઓના ઉપદ્રવથી રહિત સ્થાનમાં રહેવાનો સંકલ્પ કરે. ભિક્ષુ પોતે ઘર ન બનાવે, બીજા પાસે બનાવડાવે પણ નહીં. કારણ ઘર-કામના સમારંભમાં પ્રાણિઓનો વધ જોવામાં આવે છે. [૧પ-૧૫૫] ત્રસ અને સ્થાવર તથા સૂક્ષ્મ અને સ્કૂલ જીવોનો વધ થાય છે. તેથી સંયત-ભિક્ષ. ગૃહ-કર્મના સમારંભનો ત્યાગ કરે. તેવી જ રીતે ભક્તપાન પકાવવા તેમજ પકાવડાવવામાં હિંસા છે તેથી પ્રાણીઓ અને ભૂતોની દયા માટે પોતે પકાવે નહીં અને બીજા પાસે પકાવડાવે નહીં. ભક્ત અને પાનના પકાવવામાં પાણી, ધાન્ય, પૃથ્વી અને લાકડાને આશ્રયે રહેલ જીવોનો વધ થાય છે. તેથી ભિલું પકાવે નહીં. અગ્નિ જેવું બીજું શસ્ત્ર નથી. તે બધી રીતે પ્રાણીનાશક તેજ ધારવાળો છે. ઘણા પ્રાણીઓનો વિનાશ કરનાર છે. તેથી ભિક્ષુ, અગ્નિ ન જલાવે. [1456-1458] કયવિક્રયથી વિરક્ત ભિક્ષુ સોનું અને માટીને સમાન સમજીને સોના ચાંદીની મનથી પણ ઈચ્છા ન કરે. વસ્તુને ખરીદનાર ગ્રાહક હોય છે વેચનાર વણિક- હોય છે, તેથી ક્રયવિક્રયમાં સાધુ પ્રવૃત્ત થાય નહીં. ભિક્ષા–વૃત્તિથી ભિક્ષુએ ભિક્ષા કરવી. ક્રયવિક્રયથી નહીં. ખરીદ-વેચાણ મોટો દોષ છે. ભિક્ષાવૃત્તિ સુખાવહ [1459-1460] મુનિ શ્રત પ્રમાણે અનિન્દ્રિત અને સામુદાયિક ઉંછ (અનેક ઘરોથી થોડા થોડા આહાર)ની એષણા કરે, તે લાભ અને અલાભમાં સંતુષ્ટ રહીને પિંડપાત-ભિક્ષાચર્યા કરે.અલોલુપ, રસમાં અનાસક્ત, રસનેન્દ્રિયનો વિજેતા,
Page #93
--------------------------------------------------------------------------
________________ 264 ઉતારઝયશં- ૩પ/૧૪૧ અમૂચ્છિત મહામુનિ યાપનાર્થ-જીવન-નિવહિ માટે જ ખાય, રસ માટે નહીં. [1461] મુનિ અર્ચના રચના પૂજા, ઋદ્ધિ, સત્કાર અને સમ્માનની મનથી પણ ઈચ્છા ન કરે. [142 મુનિ શુક્લ અથતુ વિશુદ્ધ આત્મધ્યાનમાં લીન રહે. નિદાનરહિત અને અકિંચન રહે. જીવન પર્યત શરીરની આસક્તિ છોડીને વિચરે. [14] અન્તિમ કાળધર્મ ઉપસ્થિત થતાં મુનિ આહારનો ત્યાગ કરીને, મનુષ્ય શરીર છોડીને દુઃખોથી મુક્ત પ્રભુ બને છે. [1464] નિર્મળ, નિરહંકાર, વીતરાગ અને અનાશ્રવ, મુનિ કેવળ-જ્ઞાન પ્રાપ્ત કરીને શાશ્વત પરિનિર્વાણ પ્રાપ્ત કરે છે. - એમ હું કહું છું. અધ્યયન-૩૫-ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ (અધ્યયન-૩-જીવાજીવ વિભક્તિ [1465] જીવ અને અજીવનો મારાથી વિભાગ એકાગ્ર મને સાંભળો, જે જાણીને ભિક્ષુ સમ્યક પ્રકારે સંયમમાં યત્નશીલ બને છે. [1466] આ લોક જીવ અને અજીવમય છે. જ્યાં અજીવનો એક ભાગ કેવળ આકાશ છે તે અલોક કહેવાય છે. [147 દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી જીવની અને અજીવની પ્રરૂપણા થાય છે, f14681 અજીવ બે પ્રકારના છે. રૂપી અને અરૂપી. અરૂપીના દસ પ્રકાર છે અને રૂપીના ચાર પ્રકાર છે. [14 9-1470] ધમસ્તિકાય, તેનો દેશ અને પ્રદેશ. અધમસ્તિકાય અને તેનો દેશ તથા પ્રદેશ. આકાશાસ્તિકય, તેનો દેશ તથા પ્રદેશ, અને એક અદ્ધ સમય (કાળ) આ દસ ભેદ અરૂપી અજીવ છે. [1471 ધર્મ અને અધર્મ બન્ને લોક-પ્રમાણ છે. આકાશ લોક અને અલોકમાં વ્યાપ્ત છે. કાળ કેવળ સમય ક્ષેત્ર (મનુષ્યક્ષેત્રોમાં જ છે. [1472) ધર્મ, અધમ, આકાશ-આ ત્રણે દ્રવ્ય અનાદિ, અપર્યવસિત-અનન્ત અને સર્વ કાલ નિત્ય છે. [1473 પ્રવાહની અપેક્ષાએ સમય પણ અનાદિ અનન્ત છે. આદેશ અથતિ પ્રતિનિયત વ્યક્તિ રૂપ એક એક ક્ષણની અપેક્ષાએ સાદિ-સાત્ત છે. [1474-147] રૂપી દ્રવ્યના ચાર ભેદ. સ્કન્ધ, સ્કન્ધ-દેશ, સ્કન્ધ, પ્રદેશ અને પરમાણું. પરમાણુઓ એક થતાં સ્કન્ધ થાય છે. સ્કન્ધ અલગ થતાં પરમાણુઓ થાય છે. આ દ્રવ્યની અપેક્ષાએ છે. ક્ષેત્રની અપેક્ષાએ સ્કન્ધાદિ લોકના એક દેશથી સપૂર્ણ લોક સુધીમાં ભાજ્ય છે- આગળ સ્કન્ધ અને પરમાણુના કાળની દ્રષ્ટિએ ચાર ભેદ સ્કન્ધ આદિ પ્રવાહની દ્રષ્ટિએ અનાદિ અનન્ત છે અને સ્થિતિ ની દ્રષ્ટિએ સાન્ત છે. | [1477] રૂપી અજીવો-પુદ્ગલ દ્રવ્યોની સ્થિતિ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળની કહી છે. [1478] રૂપી અજીવોનો અન્તર (પોતાના પૂર્વાહિત સ્થળેથી શ્રુત થઈ ફરી પાછા ત્યાં આવવાનો કાળ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અનન્ત કાલ છે.
Page #94
--------------------------------------------------------------------------
________________ 265 - અધ્યયન-૩૬ [1479-1485 વર્ણ, ગબ્ધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની દ્રષ્ટિએ સ્કન્ધાદિનું પરિણામ પાંચ પ્રકારનું છે. જે સ્કન્ધ આદિ પુદ્ગલ વર્ણથી પરિણત છે, તે પાંચ પ્રકારનાં છેઃ કૃષ્ણ, નીલ, લોહિત, રક્ત, હારિદ્ર-પીત અને શુક્લ. જે પુગલ ગંધથી પરિણત છે તે બે પ્રકારના છે- સુરભિગંધ પરિણત, દુરભિગંધ પરિણત. જે રસથી પરિણત છે, તેના પાંચ પ્રકાર છે- તિક્ત, કટુ, કષાય, અસ્ત અને મધુર પરિણત. જે મુદ્દગલ સ્પર્શથી પરિણત છે, તેના આઠ પ્રકારે છે-કર્કશ, મૃદુ, ગુરુ લઘુ- શીત, ઉષસ, સ્નિગ્ધ, રુક્ષ, આમ આ સ્પર્શથી પરિણત પુદ્ગલ કહ્યા છે. સંસ્થાનથી પરિણત પુગલ પાંચ પ્રકારના છેઃ પરિમંડલ, વૃત્ત, ત્રિકોણ) (ચતુષ્કોણ) અને આયત-દઘ. [148-1490 વર્ષે કષણ પગલ, ગબ્ધ, રસ, સ્પર્શ અને સંસ્થાનથી ભાજ્ય. છે અથતિ અનેક વિકલ્પોવાળો છે. વર્ષે નીલ, રક્ત, પીત...શુલ પુગલ, ગન્ધ, રસ, સ્પર્શ અને સંસ્થાનથી ભાજ્ય છે. [1491-1492] સુગન્ધિત કે દુર્ગંધિત,.. પુદ્ગલ વર્ણ, રસ, સ્પર્શ અને સંસ્થાનથી ભાજ્ય છે. [143-1497] જે રસમાં તિક્ત છે તે વર્ણ, ગન્ધ, સ્પર્શ અને સંસ્થાનથી ભાજ્ય છે. એ જ રીતે જે રસમાં કટ.... કષાયેલ....ખાટો,... મધુર છે તે વર્ણ, ગંધ, સ્પર્શ અને સંસ્થાનથી ભાજ્ય છે. [1498-1505] જે પુદ્ગલ સ્પર્શથી કર્કશ છે તે વર્ણ, ગંધ, રસ અને સંસ્થાનથી ભાજ્ય છે. એ જ રીતે જે પુદ્ગલ સ્પર્શથી મૃદુ... ગુરુ,..લઘુ શીત.... ઉષ્ણ. સ્નિગ્ધ, રુક્ષ છે તે વર્ણ, ગંધ, રસ, અને સંસ્થાનથી ભાજ્ય છે. [150-1510] જે પુદ્ગલ સંસ્થાનથી પરિમંડલ છે તે વર્ણ, ગન્ધરસ અને સ્પર્શથી ભાજ્ય છે. એ જ રીતે જે પુદ્ગલ સંસ્થાનથી વૃત્ત... ત્રિકોણ, ચતુષ્કોણ.... દીર્ઘ છે તે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી ભાજ્ય છે. [1511] આ સંક્ષેપમાં અજીવ વિભાગનું નિરૂપણ કર્યું. હવે ક્રમશઃ જીવ વિભાગનું નિરૂપણ કરીશ. [૧પ૧૨] જીવના બે પ્રકાર-સંસારી અને સિદ્ધ. સિદ્ધ અનેક પ્રકારના છે. તે હું કહું છું, સાંભળો. [1513 સ્ત્રીલિંગસિદ્ધ, પુલિંગસિદ્ધ, નપુંસકલિંગસિદ્ધ અને સ્વલિંગસિદ્ધ, અલિંગસિદ્ધ, તથા ગૃહિલિંગ સિદ્ધ. [1514] ઉત્કૃષ્ટ, જઘન્ય અને મધ્યમ અવગાહનાથી તેમજ ઉદ્ગલોકમાં, તિર્યક લોકમાં એવું સમુદ્ર અને બીજા જળાશયોમાં જીવ સિદ્ધ થાય છે. [1515-1518] એક સમયમાં દસ નપુંસક, વીસ સ્ત્રીઓ અને એકસો આઠ પુરુષ સિદ્ધ થઈ શકે છે. એક સમયમાં ગૃહસ્થ લિગમાં ચાર, અન્ય લિંગમાં દસ, સ્વલિંગમાં એકસો આઠ જીવ સિદ્ધ થઈ શકે છે. એક સમયમાં ઉત્કૃષ્ટ અવાહામાં બે જઘન્ય અવગાહનામાં ચાર અને મધ્યમ અવગાહનામાં એકસો આઠ જીવ સિદ્ધ થઈ શકે છે. એક સમયમાં ઉર્ધ્વલોકમાં ચાર, સમુદ્રમાં બે, જળાશયમાં ત્રણ, અધોલોકમાં વીસ, તિય લોકમાં એકસો આઠ જીવ સિદ્ધ થઈ શકે છે. [૧પ૧૯-૧૫૨૦] સિદ્ધ ક્યાં રોકાય છે? ક્યાં પ્રતિષ્ઠા થાય છે? ક્યાં શરીર છોડે
Page #95
--------------------------------------------------------------------------
________________ 266 ઉત્તરાયણે-૩૬૧પ૧ છે? અને ક્યાં જઇને સિદ્ધ થાય છે ? સિદ્ધ અલોકમાં રોકાય છે. લોકના અગ્રભાગમાં પ્રતિષ્ઠિત છે. મનુષ્ય લોકમાં શરીર છોડીને લોકના અગ્રભાગમાં જઈને સિદ્ધ થાય છે. [૧૫૨૧-૧પ૨૭ સવથિસિદ્ધ વિમાનથી બાર યોજન ઉપર ઈષતુ- પ્રભારી નામની પૃથ્વી છે, તે છત્રાકાર છે. તે પિસ્તાલીસ લાખ યોજન લાંબી છે. પહોળી પણ તેટલી જ છે. તેનો ઘેરાવો તેના કરતાં ત્રણ ગણો છે. તે વચમાં આઠ યોજન પૂલ છે. ક્રમશઃ પાતળી થતાં થતાં અન્ને માખીની પાંખ કરતાં પણ વધુ પાતળી થઈ જાય છે. તે પૃથ્વી અર્જુન અથતુ શ્વેત સ્વર્ણમયી છે. સ્વભાવે નિર્મળ છે અને ઊલટી છત્રી જેવા આકારની છે, એમ જિનવરોએ કહ્યું છે. તે શંખ, એકરત્ન અને કુન્દના ફૂલ જેવી શ્વેત છે, નિર્મળ અને શુભ છે. આ સીતા નામની ઈષતુ પ્રાભાઇ પૃથ્વીથી એક યોજન ઉપર લોકનો અન્ત છે. તે યોજન ઉપરનો જે કોસ છે, તે કોસના છઠ્ઠા ભાગમાં સિદ્ધની અવગાહના થાય છે. ભવપ્રપંચ રહિત, મહાભાગ, પરમગતિ સિદ્ધિને પામેલ સિદ્ધ ત્યાં અગ્રભાગમાં સ્થિત છે. [૧પ૨૮] અન્તિમ ભવમાં જેની જેટલી ઊંચાઈ હોય છે તેથી વિભાગહીન સિદ્ધોની અવગાહના થાય છે. [૧પ૨૯-૧૫૩૧] એકની અપેક્ષાએ સિદ્ધ સાદિ અનંત છે અને બહુત્વની દ્રષ્ટિએ સિદ્ધ અનાદિ અનન્ત છે. તેઓ અરૂપ છે, સઘન છે, જ્ઞાન દર્શનયુક્ત છે. તેમને નિરૂપમ સુખ મળે છે. જેની તુલના ન થઈ શકે. જ્ઞાન દર્શનયુક્ત, સંસાર પાર પહોંચેલા, પરમ ગતિ સિદ્ધિ મેળવેલ તેઓ બધા સિદ્ધ લોકના એક દેશમાં સ્થિત છે. [૧પ૩ર-૧પ૩૩] સંસારી જીવ બે પ્રકારના છે: ત્રસ અને સ્થાવર, સ્થાવરના ત્રણ પ્રકાર છે. પૃથ્વી, જલ, અને વનસ્પતિ- તેના ભેદો મારાથી સાંભળો. [૧પ૩૪-૧પ૪૧] પૃથ્વીકાય જીવના બે પ્રકાર :- સૂક્ષ્મ અને બાદરઃ ફરી બંનેના પયપ્તિ અને અપર્યાપ્ત-બબ્બે પ્રકાર છે. સ્થૂલ પર્યાપ્ત પૃથ્વીકાય જીવોના બે પ્રકાર - મૃદુ અને કઠોર. મૃદુના સાત ભેદ છે. કૃષ્ણ, નીલ, રક્ત, પીત, જેત, પાંડુ, ભૂરી માટી અને પનક-(અત્યન્ત સૂક્ષ્મ રજ.) કઠોર પૃથ્વીના છત્રીસ પ્રકાર છે. શુદ્ધ પૃથ્વી, શર્કરાકાંકરાવાળી, રેતાળ, પત્થરવાળી, શિલા, લવણ, ઊસ-(ક્ષારરૂપ.) ખારી માટી, લોઢું, તામ્બે, ત્રપુક-, કાચ, ચાંદી, સોનું, વજ-હીરા. હરિતાલ, હિંગુલ, મનસિલ, સમ્યક અંજન, પ્રવાળ, - મૂગા, અબરક, અભ્રબાલુક, અબરકવાળી રેતી અને વિવિધ મણિ પણ સ્થૂલ પૃથ્વી કાયની અન્દર સમાય છે. ગોમેદક, રુચક, અંક, સ્ફટિક, લોહિતાક્ષ, મરકત, મારગ, ભુજમોચક, ઈન્દ્રનીલ. ચંદન, ગેરુ, હંસગર્ભ, પુલક, ગત્વિક, ચન્દ્રપ્રભ, વૈડૂર્ય, જલકાન્ત, અને સૂર્યકાન્ત. આ કઠોર પૃથ્વીકાયના 36 ભેદ છે. સૂક્ષ્મ પૃથ્વીકાયના જીવો એક જ પ્રકારના છે. તેથી તેના અનેક ભેદ નથી. તે ભેદરહિત છે. [૧૫૪રી સૂક્ષ્મ પૃથ્વીકાયના જીવ સંપૂર્ણ લોકમાં અને સ્થૂલ પૃથ્વીકાયના જીવ લોકના એક દેશ-ભાગમાં છે. હવે ચાર પ્રકારના પૃથ્વી કાયિક જીવોના કાળવિભાગનું કથન કરીશ. [1543-1547] પૃથ્વીકાયિક જીવ પ્રવાહની અપેક્ષાએ અનાદિ અનંત છે અને સ્થિતિથી સાદિયાન્ત છે. તેમની બાવીસ હજાર વર્ષની ઉત્કૃષ્ટ અને અન્તર્મુહૂર્તની જઘન્ય આયુ-સ્થિતિ છે. તેમની અસંખ્યાત કાળની ઉત્કૃષ્ટ અને અન્તર્મુહૂર્ત જઘન્ય
Page #96
--------------------------------------------------------------------------
________________ અધ્યયન - 36 267 કાયસ્થિતિ છે. પૃથ્વીકાયને ન છોડતાં નિરન્તર પૃથ્વીકાયમાં જ ઉત્પન્ન થતાં રહેવું કાયસ્થિતિ છે. પૃથ્વી શરીરને એક વાર છોડીને પાછા પૃથ્વી શરીરમાં ઉત્પન્ન થવાના વચ્ચેનો સમય જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનન્ત કાલ છે. વર્ણ, ગબ્ધ, રસ, સ્પર્શ અને સંસ્થાનના આદેશથી (અપેક્ષાએ) તે પૃથ્વીના હજારો ભેદ છે. [૧૫૪૮-૧પપ૦] અપ્લાય જીવના બે ભેદ છેઃ સૂક્ષ્મ અને સ્કૂલ. ફરી બન્નેના પર્યાપ્ત અને અપયત બબ્બે ભેદ છે, પૂલ પર્યાપ્ત અષ્કાય જીવોના પાંચ ભેદ છે. શુદ્ધોદક, ઝાકળ.-ભીની જગામાં ઉત્પન્ન થનાર જલ,મહિકા-ધુમ્મસ સૂક્ષ્મ અપ્લાયના જીવ એક પ્રકારના છે. તેના ભેદ નથી. સૂક્ષ્મ અષ્કાયના જીવ સંપૂર્ણ લોકમાં અને સ્કૂલ અષ્કાયના જીવ લોકના એક ભાગમાં છે. [૧પપ૧-૧પપ૪] અપ્લાયિક જીવ પ્રવાહની દ્રષ્ટિએ અનાદિ અનન્ત છે અને સ્થિતિની અપેક્ષાએ આદિ અન્તવાળા છે. તેમની સાતહજાર વર્ષની ઉત્કૃષ્ટ અને અન્તર્મુહૂર્તની જઘન્ય આયુરસ્થિતિ છે. તેમની અસંખ્યાતકાળની ઉત્કૃષ્ટ અને અન્તર્મુહૂર્તની જઘન્ય કાયસ્થિતિ છે. અપ્લાયને નહિ છોડીને નિરન્તર અપ્લાયમાં જ પેદા થવું એ કાયસ્થિતિ છે. અપકાય છોડીને ફરી અપ્લાયમાં ઉત્પન્ન થવાનું અત્તર, જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનન્ત કાળનો છે. [૧૫પપ વર્ણ, ગબ્ધ, સ્પર્શ, સંસ્થાનની અપેક્ષાએ અષ્કાયના હજારો ભેદ છે. ૧૫૫૬૧૫૩]વનસ્પતિ કાયના જીવોના બે ભેદ છે-સૂક્ષ્મ અને સ્કૂલ. ફરી બંનેના પયપ્તિ અને અપર્યાપ્ત બળે ભેદ છે. ભૂલ પર્યાપ્ત વનસ્તપિકાય જીવોના બે ભેદ છે : સાધારણ શરીર અને પ્રત્યેક શરીર. પ્રત્યેક શરીર વનસ્પતિના જીવ અનેક પ્રકારના છે. વૃક્ષ, ગુચ્છ-ગુલ્મ- લતા-વલ્લી-પર્વજ- કુહણ-ભૂમિસ્ફોટ, કુકરમુરા-છત્રી વગેરે. ઔષધિ-ઘાસ અને હરિતકાય આ બધા પ્રત્યેક શરીરી છે, એમ જાણવું. સાધારણ શરીર અનેક પ્રકારના છે-આલુક, મૂળ- છંગર-આદુ હિરિલીકંદ, સિરિલીકંદ, સિસ્ટિરિલીકંદ, જાવઈકંદ-કદલી કંદ,-કાંદો, લસણ, કંદલ, કુસુમ્બક. લોઢી, સ્નિહુ કુહક, કૃષ્ણ, વજકંદ અને સૂરણકંદ. અશ્વકરણી, સિહકણ, મસૂઢી અને હરિદ્વા વગેરે અનેક પ્રકારના જમીનમાં થનાર કંદ છે. [1564-1565] સૂક્ષ્મ વનસ્પતિકાયના જીવ એક જ પ્રકારના છે. તેના ભેદ નથી. સૂક્ષ્મ વનસ્પતિ કાયના જીવ સંપૂર્ણ લોકમાં અને સ્કૂલ વનસ્પતિ કાયના જીવ લોકના એક ભાગમાં વ્યાપ્ત છે. તેઓ પ્રવાહની દ્રષ્ટિએ અનાદિ અનન્ત છે અને સ્થિતિની દ્રષ્ટિએ સાદિ સાન્ત છે. [15-1568] તેમની દસ હજાર વર્ષની ઉત્કૃષ્ટ અને અન્તર્મુહૂર્તની જઘન્ય આયુ-સ્થિતિ છે. તેમની અનન્ત કાલની ઉત્કૃષ્ટ અને અન્તર્મુહૂર્તની જઘન્ય કાય-સ્થિતિ છે. વનસ્પતિનું શરીર ન છોડીને નિરન્તર વનસ્પતિના શરીરમાં ઉત્પન્ન થવું કાયસ્થિતિ છે. વનસ્પતિનું કાય છોડી ફરી વનસ્પતિ થવામાં જે ગાળો હોય છે તે જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાલનો છે. [1569 વર્ણ, ગબ્ધ, રસ, સ્પર્શ, સંસ્થાનથી વનસ્પતિકાયના હજારો ભેદ છે. 1570] આમ સંક્ષેપમાં ત્રણ પ્રકારના સ્થાવર જીવોનું નિરૂપણ કર્યું. હવે ક્રમશઃ ત્રણ પ્રકારના ત્રસ જીવોનું વર્ણન કરીશ.
Page #97
--------------------------------------------------------------------------
________________ 268 ઉત્તરઝય- 361571 [૧પ૭૧] તેજસુ વાયુ અને ઉદાર-ત્રણ ત્રસકાયના ભેદ છે. તે સાંભળો. [૧પ૭૨-૧૫૭૬] તેજકાય જીવ બે પ્રકારના છે- સૂક્ષ્મ અને સ્કૂલ.તે બંનેના બબ્બે પ્રકાર છે-પર્યાપ્ત અને અપર્યાપ્ત. સ્થૂલ પયપ્તિ તેજસકાય જીવોના અનેક પ્રકાર છે-અંગાર, મુમુર- અગ્નિ, અચિ. દીપશિખા, જ્વાલા- તથા ઉલ્કા, વિદ્યુતું આદિ, સૂક્ષ્મ તેજસ્કાયના જીવો સંપૂર્ણ લોકમાં અને સ્કૂલ તેજસ્કાયના જીવ લોકના એક ભાગમાં છે. આ પછી ચાર પ્રકારથી તેજસ્કાય જીવોના કાલવિભાગ વિશે કહીશ. તે પ્રવાહની દ્રષ્ટિએ અનાદિ અનન્ત છે અને સ્થિતિની દ્રષ્ટિએ સાદિ સાત્ત છે. [1577-1579] તેજસ્કાયની આયુ-સ્થિતિ ઉત્કૃષ્ટ ત્રણ અહોરાત્રની છે અને જઘન્ય અનતમુહૂર્તની છે. તેજસ્કાયની કાયસ્થિતિ ઉત્કૃષ્ટ અસંખ્યાત કાલની છે અને જધન્ય અન્તર્મુહૂર્તની છે. તેજસનું શરીર છોડ્યા વગર નિરન્તર તેજસ શરીરમાં પેદા થવાને કાયસ્થિતિ કહે છે. તેજસના શરીરને છોડીને ફરી તેજસ શરીર ધારણ કરવા સુધીનો વચલો ગાળો જધન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનન્ત કાળનો છે. [1580 વર્ણ, ગબ્ધ, રસ, સ્પર્શ, સંસ્થાનથી તેજસકાયના હજારો ભેદ છે. [૧પ૮૧-૧૫૮૩] -વાયુકાય જીવના બે ભેદ સૂક્ષ્મ અને સ્કૂલ. ફરી તે બંનેના પર્યાપ્ત અને અપર્યાપ્ત બે બે ભેદ પૂલ પર્યાપ્ત વાયુકાય જીવોના પાંચ પ્રકાર. ઉત્કાલિકા, મંડલિકા, ઘનવાત. ગુંજાવાત અને શુદ્ધાવાત. સંવતંકવાત, આદિ બીજા પણ અનેક ભેદ છે. સૂક્ષ્મ વાયુકાયના જીવ એક પ્રકારના છે. તેમના ભેદ નથી. [1584-1588] સૂક્ષ્મ વાયુકાયના જીવ સંપૂર્ણ લોકમાં અને સ્કૂલ વાયુકાયના જીવ લોકના એક ભાગમાં વ્યાપ્ત છે. આ કહ્યા પછી ચાર પ્રકારથી વાયુકાયિક જીવોના. કાળવિભાગનું કથન કરીશ. તેઓ પ્રવાહની અપેક્ષાએ અનાદિ અનન્ત છે. અને સ્થિતિએ સાદિ સાન્ત છે. તેમની ઉત્કૃષ્ટ આયુ-સ્થિતિ ત્રણ હજાર વર્ષ છે. અને જઘન્ય અન્તર્મુહૂર્તની છે. તેમની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અસંખ્યાત કાળની અને જઘન્ય અન્તમુહૂર્તની છે. વાયુકાય છોડ્યા વગર ફરી-ફરી વાયુ શરીર ધારણ કરે તે કાયસ્થિતિ છે. વાયુ કામ છોડીને ફરી વાયુકામાં જન્મે તે વચ્ચેનો ગાળો જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનન્ત કાળનો છે. [158 વર્ણ, ગબ્ધ, રસ, સ્પર્શ, સંસ્થાનથી વાયુકાયના હજારો ભેદ છે. [૧પ૯૦ ઉદારત્રસના ચારભેદ કન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય. [૧પ૯૧-૧૫૯૫ કીન્દ્રિય જીવના બે ભેદ છે. પર્યાપ્ત આ અપર્યાપ્ત. તે તમે સાંભળો. કૃમિ, સૌમંગળ, અળસીયાં, માતૃવાહક, વાસીમુખ, સીપ, શંખ શંખનકપલ્લોય, અણુલ્લક, વરાટક-કોડી, જરો, જાલક અને ચંદનિયું વગેરે. અનેક પ્રકારના દ્વીન્દ્રિય જીવ છે. તે લોકના એક ભાગમાં છે. આખા લોકમાં નથી. પ્રવાહની અપેક્ષાએ તેઓ અનાદિ અનન્ત છે અને સ્થિતિએ સાદિ સાત્ત છે. [૧પ૯૬-૧પ૯૯] તેમની ઉત્કૃષ્ટ આયુરસ્થિતિ બાર વર્ષ છે અને જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્ત છે. તેમની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અસંખ્યાત કાળની અને જઘન્ય અન્તર્મુહૂર્તની છે. દ્વીન્દ્રિય કાયાને નહિ છોડી નિરન્તર દ્વિત્રિયમાં જ ઉત્પન્ન થવું તે કાયસ્થિતિ છે. દ્વીન્દ્રિય શરીર છોડી ફરી હીન્દ્રિયમાં ઉત્પન્ન થતાં સુધીનો ગાળો જઘન્ય અમૂહૂર્ત છે અને ઉત્કૃષ્ટ અનનકાળ છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને
Page #98
--------------------------------------------------------------------------
________________ 269 અધ્યયન - 36 સંસ્થાનની દ્રષ્ટિએ તેમના હજારો ભેદ છે. [1600-104] તેઈન્દ્રિય ત્રસ તેના બે ભેદ છે. પર્યાપ્ત અને અપયત, તે તમે સાંભળો. કંથવો, કીડી, માંકડ, મકડી, ઊધઈ, તૃણાહારક, કાષ્ઠાહારક, માલુક, પત્રાહારક- કપાસ્થિભિંજક, તિન્દુક ત્રપુષમિંજક, શતાવરી, ગુમ્મી-કાનખજુરો, ઈન્દ્રકાયિક. ઈન્દ્રગોપ. ઈત્યાદિ ત્રીન્દ્રિયજીવ અનેક પ્રકારના છે. તે લોકના એક ભાગમાં છે, બધે નહીં. પ્રવાહની રીતે તે અનાદિ અનન્ત છે. સ્થિતિએ સાદિ સાત્ત છે. [૧૬૦પ-૧૬૦૮] તેમની આયુસ્થિતિ ઉત્કૃષ્ટ 49 દિવસ છે. અને જઘન્ય અન્તર્મુહૂર્ત છે. તેમની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અસંખ્યાત કાળ અને જઘન્ય અન્તર્મુહૂર્ત છે. ત્રિીન્દ્રિય શરીરને ન છોડીને નિરન્તર ત્રીન્દ્રિય શરીરમાં જ જન્મનું કાયસ્થિતિ છે. ત્રીન્દ્રિય શરીર છોડીને ફરી ત્રીન્દ્રિય શરીરમાં ઉત્પન્ન થવાનો ગાળો જઘન્ય અત્તમૂહર્ત છે અને ઉત્કૃષ્ટ અનન્તકાળ છે. વર્ણ, ગબ્ધ, રસ, અને સ્પર્શ સંસ્થાનની અપેક્ષાએ તેમના હજારો ભેદ છે. f1609-1614] ચતુરિન્દ્રિય ત્રસના બે ભેદ છે. પર્યાપ્તિ અને અપયપ્તિ. તેના ભેદ તમે સાંભળો. અધેિકા, પોત્તિકા, માંખ, મચ્છર, મશક, ભ્રમર, કીડ, પતંગિયાં, માંકડ, કંકુણ. કુક્કડ, ઍગિરિટી, નન્દાવર્ત. વીંછી, ડોલ, ભૃગરીટક, વિરલી, અક્ષિવેધક- અક્ષિલ, માગધ, અક્ષિરોડક, વિચિત્રસ ચિત્તપત્રક, ઓહિંજલિયા, જલકારી, નીચક, તત્તવક- વગેરે ચતુરિન્દ્રિયના અનેક પ્રકાર છે. તે લોકના એક ભાગમાં છે. આખા લોકમાં નહીં. પ્રવાહની દૃષ્ટિએ તેઓ અનાદિ અનન્ત છે. સ્થિતિએ સાદિ સાન્ત છે. [1615-1618] તેમની ઉત્કૃષ્ટ આયુરસ્થિતિ છ મહિના અને જઘન્ય અન્તર્મુહૂર્ત છે. તેમની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સંખ્યાત કાળ અને જઘન્ય અન્તર્મુહૂર્ત છે. ચતુરિન્દ્રિય શરીર ન છોડતાં નિરન્તર ચતુરિન્દ્રિય શરીરમાં જ પેદા થાય તે સ્થિતિને કાયસ્થિતિ કહે છે. ચતુરિન્દ્રિય શરીર છોડી પુનઃ તેજ શરીર ગ્રહણ કરવા સુધીનો. ગાળો જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનન્ત કાળ છે. વર્ણ, ગબ્ધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાએ તેમના હજાર્યો ભેદ છે. [1619) પંચેન્દ્રિય ત્રસ-તેના ચાર ભેદ છેઃ નૈરયિક, તિયચ, મનુષ્ય અને દેવ. [1620-123] નરયિક જીવ સાત પ્રકારના રત્નાભા, શર્કરાભા, બાલુકાભા. પકાભા, ધૂમાભા, તમwભા અને તમસ્તમાં, આમ સાત પૃથ્વીઓમાં ઉત્પન્ન થનાર નૈરયિક સાત પ્રકારના છે. તેઓ લોકના એક ભાગમાં વ્યાપ્ત છે. આના પછી નરયિક જીવના ચાર પ્રકારથી કાલવિભાગનું વર્ણન કરીશ. તેઓ પ્રવાહે અનાદિ અનન્ત છે. સ્થિતિએ સાદિ સાત્ત છે. [૧૬૨૪-૧૬૩૦]પહેલીપૃથ્વીમાં નૈયરિક જીવોની આયુરસ્થિતિ જઘન્ય દસ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ એકસાગરોપમની છે. બીજીગૃથ્વીમાં ઉત્કૃષ્ટ આય ત્રણ સાગરોપમ અને જઘન્ય એકસાગરોપમ છે. ત્રીજીપૃથ્વીમાં આયુસ્થિતિ ઉત્કૃષ્ટ સાત સાગરોપમ, જઘન્ય ત્રણસાગરોપમ ચોથીપૃથ્વીમાં આયુસ્થિતિ ઉત્કૃષ્ટ દસ સાગરોપમ અને જઘન્ય સાતસાગરોપમ પાંચમીપૃથ્વીમાં ઉત્કૃષ્ટઆયુ 17 સાગરોપમ જઘન્ય દસસાગરોપમ. છઠ્ઠીપૃથ્વીમાં ઉત્કૃષ્ટ આયુ 22 સાગરોપમ જઘન્ય 17 સાગરોપમ . સાતમીપૃથ્વીમાં ઉત્કૃષ્ટ આયુ 33 સાગરોપમ જઘન્ય 22 સાગરોપમ છે.
Page #99
--------------------------------------------------------------------------
________________ 270 ઉત્તર -36131 [ 131-1633 નૈરયિક જીવોની આયુસ્થિતિ –જેટલી જ જઘન્ય અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ છે. નૈરયિક શરીર છોડી ફરી એ જ શરીર ધારણ કરતાં સુધીનો ગાળો જધન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનન્તકાલ છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની દ્રષ્ટિએ તેમના હજારો ભેદ છે. [134-135 પંચેન્દ્રિય તિર્યંચ ભેદ બે H સમૂચ્છિમ તિર્યંચ અને ગર્ભજ તિયચ. એ બંનેના ફરી જલચર, સ્થલચર અને ખેચર એમ ત્રણ ભેદ તે સાંભળો. [1636-1642) જલચર પાંચ પ્રકારના છેઃ મત્સ, કાચબો, ગ્રાહ, મગર અને સુસુમાર. તેઓ લોકના એક ભાગમાં વ્યાપ્ત છે, બધે નહીં. આ પછી તેમના ચાર પ્રકારના કાલવિભાગ વિશે કહીશ. તેઓ પ્રવાહે અનાદિ અનન્ત છે સ્થિતિથી સાદિ સાન્ત છે. જલચરોની ઉત્કૃષ્ટઆયુસ્થિતિ એક કરોડ પૂર્વની જઘન્ય અન્તર્મુહૂર્તની જલચરોની કાયસ્થિતિ ઉત્કૃષ્ટ એકકરોડ પૂર્વ જઘન્ય અન્તર્મુહૂર્તની છે. જલચરનું શરીર છોડી ફરી તેજ શરીરમાં ઉત્પન્ન થવા વચ્ચેનો બળો જઘન્ય અન્તર્મુહૂર્ત છે ઉત્કૃષ્ટ અનન્તકળ છે. વર્ણ, ગબ્ધ, રસ, સ્પર્શ, સંસ્થાનની દ્રષ્ટિએ તેમના હજારો ભેદ છે, 1643-151] એના બે ભેદ-ચતુષ્પદ અને પરિસર્ષ ચતુષ્પદના ચાર પ્રકાર, તે સાંભળો H એક ખુર-ઘોડો, દ્વિખુર-બળદ વગેરે, ગંડીપદ હાથી વગેરે અને સનખપદસિંહ વગેરે. પરિસર્પ બે પ્રકારના છે, ભુજ પરિસર્પ-ઘો વગેરે, ઉરપરિસર્પ-સપદિ, આ. બંનેના અનેક પ્રકાર છે. તેઓ લોકના એક ભાગમાં વ્યાપ્ત છે. સંપૂર્ણ લોકમાં નહીં. આ પછી સ્થલચર જીવોનો ચાર પ્રકારે કાલવિભાગ વર્ણવીશ. તેઓ પ્રવાહે અનાદિ અનન્ત છે. સ્થિતિએ સાદિ સાન્ત છે. તેમની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ ત્રણ પલ્યોપમ છે. અને જઘન્ય અન્તર્મુહૂર્ત છે. ઉત્કૃષ્ટથી પૃથક્વ (બેથી નવ કરોડ પૂર્વ અધિક ત્રણ પલ્યોપમ, જઘન્યથી અન્તર્મુહૂર્ત- સ્થલચર જીવોની કાયસ્થિતિ છે. અને તેમનું અત્તર જઘન્ય અન્તર્મુહૂર્વ અને ઉત્કૃષ્ટ અનન્તકાળ છે. વર્ણ, ગબ્ધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાએ તેમના હજારો ભેદ છે. [1650-1657 ખેચર ત્રસ-ના ચાર પ્રકાર-ચપક્ષી, લોમ,પક્ષી, સમુદ્રગ. પક્ષી, અને વિતતપક્ષી. તેઓ લોકના એક ભાગમાં વ્યાપ્ત છે. બધે નથી. આ પછી ચાર પ્રકારથી ખેચર જીવોના કાળવિભાગનું કથન કરીશ. પ્રવાહની અપેક્ષાએ તેઓ અનાદિ અનન્ત છે. સ્થિતિ સાદિ સાત્ત છે. તેમની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ પલ્યોપમનો અસંખ્યાત ભાગ અને જઘન્ય અન્તર્મુહૂર્ત છે. ઉત્કટતાથી પથર્વ કરોડ પૂર્વ અધિક પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અને જઘન્ય અન્તર્મુહૂર્ત * આ કાય સ્થિતિ છે. અને તેમનું અંતર જઘન્ય અન્તર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનન્ત કાળ છે. વર્ણ, ગન્ધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાએ તેના હજારો ભેદ છે. [1658-166] મનુષ્ય બે પ્રકારે છે : સંમૂર્છાિમ, અને ગર્ભાવક્રાન્તિકગભત્પન્ન. અકર્મભૂમિક, કર્મભૂમિક, અન્તદ્વીપક, આ ત્રણ ભેદ ગભૉત્પનના છે. કર્મભૂમિકના પંદર, અકર્મભૂમિકના ત્રીસ અને અન્તર્દીપકના 28 ભેદ છે. સંમૂર્છાિમના પણ એટલા જ ભેદ છે. તે બધા લોકના એક ભાગમાં વ્યાપ્ત છે. પ્રવાહની દૃષ્ટિએ તેઓ અનાદિ અનન્ત છે. સ્થિતિથી સાદિ સાત્ત છે. મનુષ્યોની. આયુ-સ્થિતિ ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ અને જઘન્ય અત્તમૂહૂર્ત છે. ઉત્કૃષ્ટ પૃથક્વ કરોડ પૂર્વ અધિક
Page #100
--------------------------------------------------------------------------
________________ અધ્યયન - 36 271 ત્રણ પલ્યોપમ, જઘન્ય અન્તર્મુહૂર્ત- મનુષ્યોની કાય સ્થિતિ છે. તેમનું અંતર જઘન્ય અન્તર્મુહૂર્ત છે, ઉત્કૃષ્ટ અનન્તકાળનું છે. વર્ણ ગબ્ધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાએ તેમના હજારો ભેદ છે. [1667-1668] દેવ ત્રસના ભવનાવાસી, વ્યન્તર જ્યોતિષ્ક અને વૈમાનિક, આ ચાર ભેદ છે. ભવનવાસી દેવના દસ, વ્યન્તરના આઠ, જ્યોતિષ્કના પાંચ અને વૈમાનિક દેવના બે ભેદ છે. [ 19-1671] અસુર, નાગ, સુપર્ણ, વિદ્યુત, અગ્નિ, દ્વીપ, ઉદધિ, દિફ, વાયુ, અને નિતકુમાર એ દસ ભવનવાસી દેવ છે. પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિંશ, મહોર, ગન્ધર્વ આ આઠ વત્તર દેવ છે. ચન્દ્ર, સૂર્ય, નક્ષત્ર, ગ્રહ અને તારા, આ પાંચ જ્યોતિષ્ક દેવ છે. આ દિશાવિચારી અથતુિ મેરુ પર્વતની પ્રદક્ષિણા કરતાં ભ્રમણ કરનાર જ્યોતિષ્ક દેવ છે. [1672-1679] વૈમાનિક દેવના બે ભેદ છે : કલ્પોપગ-અને કલ્પાતીત. કલ્પોપગ દેવના બાર પ્રકાર છે. સૌધર્મ, ઈશાન, સનકુમાર, મહેન્દ્ર, બ્રહ્મલોક, લાન્તક- મહાશુક, સહસ્ત્રાર, આનત, પ્રાણત, આરણ, અને અતુત-આ કલ્પોપગ દેવ છે. કલ્પાતીત દેવોના બે ભેદ છે. રૈવેયક અને અનુત્તર. ગ્રેવેયકના નવ પ્રકાર છે. અધિસ્તન-અધસ્તન, અધિસ્તન-મધ્યમ, અધિસ્તન-ઉપરિતન, મધ્યમ અધિસ્તનમધ્યમ-મધ્યમ, મધ્યમ-ઉપરિતન, ઉપરિયન-અધતન, ઉપરિતન-મધ્યમ. અને ઉપરિતન-ઉપરિતન, આ નવ સૈવેયક છે. વિજય, વૈજયન્ત, જયંતુ, અપરાજિત- અને સવથસિદ્ધ-આ પાંચ અનુત્તર દેવ છે. આ રીતે વૈમાનિક દેવ અનેક પ્રકારના છે. તે બધા લોકના એક ભાગમાં વ્યાપ્ત છે. હવે ચાર પ્રકારે તેમના કાળવિભાગમનું કથન કરીશ. તેઓ પ્રવાહની દ્રષ્ટિએ અનાદિ અનન્ત છે અને સ્થિતિએ સાદિ સાત્ત છે. [1682-1684] ભવનવાસી દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ કિંચિત્ અધિક એક સાગરોપમ અને જઘન્યસ્થિતિ દસહજાર વર્ષની છે. વ્યન્તર દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ એક પલ્યોપમની અને જઘન્ય દસહજાર વર્ષની છે. જ્યોતિષ્ક દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ એક લાખ વર્ષથી અધિક એક પલ્યોપમ ને જઘન્ય પલ્યોપમનો આઠમો ભાગ છે. [1685-196 સૌધર્મદિવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ બે સાગરોપમ જઘન્ય એકપલ્યોપમ. ઈશાનદેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ સાધિક બે સાગરોપમ, જઘન્ય સાધિક પલ્યોપમ. સનકુમાર દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ, સાગરોપમ જઘન્ય બેસાગરોપમ. મહેન્દ્રકુમાર દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ સાધિક -7- સાગરોપમ અને જઘન્યસ્થિતી સાધિક બે સાગરોપમ છે. બ્રહ્મલોકદેવોની ઉત્કૃષ્ટઆયુસ્થિતિ દસસાગરોપમ, જઘન્ય 7 સાગરોપમ છે. લાન્તકદેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ 14 સાગરોપમ, જઘન્ય 10 સાગરોપમ છે. મહાશુક્ર દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ 17 સાગરોપમ અને જઘન્ય 14 સાગરોપમ છે. સહસ્ત્રાર દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ 18 સાગરોપમ અને જધન્ય 17 સાગરોપમ છે. આનત દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ 19 સાગરોપમ અને જઘન્ય 18 સાગરોપમ છે. પ્રાણતની દેવીની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ 20 સાગરોપમ અને જઘન્ય 10 સાગરોપમ છે. આરણ દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ 21
Page #101
--------------------------------------------------------------------------
________________ 272 ઉત્તરજઝયણ- 361697 સાગરોપમ અને જઘન્ય 20 સાગરોપમ છઠે. અય્યત દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ 22 સાગરોપમ અને જઘન્ય 21 સાગરોપમ છે. [1697-1705] પ્રથમ રૈવેયક દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ 23 સાગરોપમ અને જઘન્ય 22 સાગરોપમ છે. દ્વિતીય સૈવેયક દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ 24 સાગરોપમ અને જઘન્ય ર૩ સાગરોપમ છે. તૃતીય શૈવેયક દેવોની ઉતકૃષ્ટ આયુસ્થિતિ 25 સાગરોપમ અને જઘન્ય 24 સાગરોપમ છે. ચતુર્થ રૈવેયક દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ 26 સાગરોપમ અને જઘન્ય 25 સાગરોપમ છે. પંચમ રૈવેયક દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ 27 સાગરોપમ અને જઘન્ય 26 સાગરોપમ છે. છઠ્ઠા રૈવેયક દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ 28 સાગરોપમ અને જઘન્ય 27 સાગરોપમ છે. સાતમા શૈવેયક દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ 29 સાગરોપમ છે. જધન્ય 28 સાગરોપમ.આઠમા સૈવેયક દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ 30 સાગરોપમ અને જઘન્ય 29 સાગરોપમ છે. નવમા સૈવેયક દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ 31 સાગરોપમ અને જઘન્ય 30 સાગરોપમ છે. [1306-1707 વિજય. વૈજયંત, જયંત, અપરાજિતદેવોની ઉત્કૃષ્ટ આયુ સ્થિતિ 33 સાગરોપમ જઘન્ય સ્થિતિ 31 સાગરોપમ છે. મહાવિમાન સર્વાર્થસિદ્ધના દેવોની અજઘન્ય અનુષ્કષ્ટ આયુસ્થિતિ તેત્રીસ સાગરોપમની છે. 1710] દેવોની પૂર્વ કથિત જે આયુસ્થિતિ છે તે જ તેમની જઘન્ય અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ છે. દેવશરીર છોડીને ફરી દેવશરીરમાં ઉત્પન્ન થવાનો ગાળો જઘન્ય અન્તર્મહૂર્ત છે અને ઉત્કૃષ્ટ અનન્ત કાલનો છે. વર્ણ, ગબ્ધ, રસ, સ્પર્શ અને સંસ્થાનથીષ્ટિએ તેમના હજારો ભેદ છે. [1711-1712] આમ સંસારી અને સિદ્ધ જીવોની વ્યાખ્યા કરી છે. રૂપી અને અરૂપી એવા બે ભેદથી અજીવનું પણ વર્ણન કર્યું છે. જીવ અને અજીવની વ્યાખ્યા સાંભળીને અને તેમાં શ્રદ્ધા રાખીને જ્ઞાન અને ક્રિયા વગેરે બધા નયોને સમ્મત સંયમમાં મુનિએ રત રહેવું. [૧૭૧૩-૧૭૧૪ત્યાર પછી અનેક વર્ષો સુધી શ્રમયનું પાલન કરીને મુનિ અનુક્રમે આત્માની સંલેખના કરે-વિકારોને ક્ષીણ કરે. ઉત્કૃષ્ટ સંલેખના બાર વર્ષની છે. મધ્યમ એક વર્ષની અને જઘન્ય છ માસની છે. [1715-1718] પહેલા ચાર વર્ષમાં દૂધ વગેરેનો ત્યાગ કરે, બીજા ચાર વર્ષમાં વિવિધ પ્રકારનું તપ કરે. પછી બે વર્ષ સુધી એકાત્તર તપ કરે. ભોજનને દિવસેઆચાર્લી કરે. ત્યાર પછી અગિયારમે વર્ષે પહેલા છ મહિના સુધી કોઈ પણ અતિવિષ્ટ તપ ન કરે, ત્યાર પછી છ મહિના સુધી વિકૃષ્ટ તપ કરે. આ આખા વર્ષ પારણાને દિવસે આચાર્મ્સ કરે. બારમે વર્ષે એક વર્ષ સુધી કોટી સાથે આચાર્લી કરીને પછી મુનિ પક્ષ અથવા એક માસનું અનશન કરે. [1719] કાદપ, આભિયોગી, કિલ્બિષિકી, મોહી અને આસુરી ભાવનાઓ દુર્ગતિ કરનાર છે. આ મૃત્યુ વખતે સંયમની વિરાધના કરે છે. [1720-1721] જે મરતી વખતે મિથ્યાદર્શનમાં અનુરક્ત છે, નિદનયુક્ત અને હિંસક છે, તેમને બોધિ બહુ દુર્લભ છે. જે સમ્યગ્દર્શનમાં અનુરક્ત છે, નિદાન
Page #102
--------------------------------------------------------------------------
________________ અધ્યયન - 36 273 રહિત છે, શુક્લ લેશ્યામાં અવગાઢ-પ્રવિષ્ટ છે, તેમને બોધિ સુલભ હોય છે. [1722] જે મરતી સમય મિથ્યાદર્શનમાં અનુરક્ત છે, નિદાન સહિત છે, કૃષ્ણ લેશ્યામાં અવગાઢ છે તેમને બોધિ બહુ દુર્લભ છે. [1723-1724] જે જિન વચનમાં અનુરક્ત છે, જે જિન વચનોનું ભાવપૂર્વક આચરણ કરે છે, તે નિર્મલ અને શગાદિથી અસંકિલ્સ થઇને પરીત સંસારી થાય છે. જે જીવ જિનવચનથી અપરિચિત છે તે બિચારા અનેક વાર બાલ-મરણ તથા અકાળમરણથી મરતા રહે છે. [૧૭૨પ જે અનેક શાસ્ત્રોના જાણકાર, આલોચના કરનારાને સમાધિ (ચિત્તસ્વાથ્યો ઉત્પન્ન કરનાર અને ગુણગ્રાહી હોય છે તેઓ એ જ કારણે આલોચના. સાંભળવા યોગ્ય બને છે. [173-1729] જે કન્દપ-કામ કથા કરે છે, કૌત્કચ્ય-હાસ્યોત્પાદક કુચેષ્ટાઓ. કરે છે તથા શીલ, સ્વભાવ, હાસ્ય અને વિકથાથી બીજાને હસાવે છે, તે કાંદપ ભાવનાનું આચરણ કરે છે. જે સુખ, ઘી આદિ રસ અને સમૃદ્ધિ માટે મંત્ર યોગ અને ભૂતિ (ભસ્મ વગેરે) કર્મનો પ્રયોગ કરે છે, તે આભિયોગી ભાવનાનું આચરણ કરે છે. જે જ્ઞાનની, કેવળજ્ઞાનીની, ધર્માચાર્યની, સંઘની તથા સાધુની અવર્ણનિન્દા કરે છે, તે માયાવી કિલ્બિષિકી ભાવનાનું આચરણ કરે છે. જે નિરન્તર ક્રોધ વધારે છે, અને. નિમિત્તવિદ્યાનો પ્રયોગ કરે છે તે આ કારણોથી આસુરી ભાવનાનું આચરણ કરે છે. [1730] જે શસ્ત્રથી, વિષ ખાવાથી, અથવા અગ્નિમાં બળીને તથા પાણીમાં ડૂબીને આત્મહત્યા કરે છે, જે સાધ્વાચારથી વિરુદ્ધ-ભાસ્ક-ઉપકરણ રાખે છે, તે અનેક જન્મ-મરણનું બંધન કરે છે. [1731] આમ ભવ્યજીવોને અભિપ્રેત છત્રીસ ઉત્તરાધ્યયનોને- પ્રકટ કરી બુદ્ધ, જ્ઞાતવંશીય ભગવાન મહાવીર નિવણ પામ્યા. - એમ હું કહું છું. | અધ્યયન-૩૬-ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ | 43| ઉત્તરઝયણ-ગુર્જરછાયાપૂર્ણ ચોથું મૂળસૂત્ર ગુર્જરછાયાપૂર્ણ 18
Page #103
--------------------------------------------------------------------------
________________ ॐ नमो अभिनव नाणस्स 杀案卷 આ આગમ સંપુટના મુખ્ય દ્રવ્યસહાયક સમ્યગુ ઋતાનુરાગી શ્રમણોપાસિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ સપરિવાર, વડોદરા આગમ દીપ પ્રકાશન