________________ અધ્યયન - 36 271 ત્રણ પલ્યોપમ, જઘન્ય અન્તર્મુહૂર્ત- મનુષ્યોની કાય સ્થિતિ છે. તેમનું અંતર જઘન્ય અન્તર્મુહૂર્ત છે, ઉત્કૃષ્ટ અનન્તકાળનું છે. વર્ણ ગબ્ધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાએ તેમના હજારો ભેદ છે. [1667-1668] દેવ ત્રસના ભવનાવાસી, વ્યન્તર જ્યોતિષ્ક અને વૈમાનિક, આ ચાર ભેદ છે. ભવનવાસી દેવના દસ, વ્યન્તરના આઠ, જ્યોતિષ્કના પાંચ અને વૈમાનિક દેવના બે ભેદ છે. [ 19-1671] અસુર, નાગ, સુપર્ણ, વિદ્યુત, અગ્નિ, દ્વીપ, ઉદધિ, દિફ, વાયુ, અને નિતકુમાર એ દસ ભવનવાસી દેવ છે. પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિંશ, મહોર, ગન્ધર્વ આ આઠ વત્તર દેવ છે. ચન્દ્ર, સૂર્ય, નક્ષત્ર, ગ્રહ અને તારા, આ પાંચ જ્યોતિષ્ક દેવ છે. આ દિશાવિચારી અથતુિ મેરુ પર્વતની પ્રદક્ષિણા કરતાં ભ્રમણ કરનાર જ્યોતિષ્ક દેવ છે. [1672-1679] વૈમાનિક દેવના બે ભેદ છે : કલ્પોપગ-અને કલ્પાતીત. કલ્પોપગ દેવના બાર પ્રકાર છે. સૌધર્મ, ઈશાન, સનકુમાર, મહેન્દ્ર, બ્રહ્મલોક, લાન્તક- મહાશુક, સહસ્ત્રાર, આનત, પ્રાણત, આરણ, અને અતુત-આ કલ્પોપગ દેવ છે. કલ્પાતીત દેવોના બે ભેદ છે. રૈવેયક અને અનુત્તર. ગ્રેવેયકના નવ પ્રકાર છે. અધિસ્તન-અધસ્તન, અધિસ્તન-મધ્યમ, અધિસ્તન-ઉપરિતન, મધ્યમ અધિસ્તનમધ્યમ-મધ્યમ, મધ્યમ-ઉપરિતન, ઉપરિયન-અધતન, ઉપરિતન-મધ્યમ. અને ઉપરિતન-ઉપરિતન, આ નવ સૈવેયક છે. વિજય, વૈજયન્ત, જયંતુ, અપરાજિત- અને સવથસિદ્ધ-આ પાંચ અનુત્તર દેવ છે. આ રીતે વૈમાનિક દેવ અનેક પ્રકારના છે. તે બધા લોકના એક ભાગમાં વ્યાપ્ત છે. હવે ચાર પ્રકારે તેમના કાળવિભાગમનું કથન કરીશ. તેઓ પ્રવાહની દ્રષ્ટિએ અનાદિ અનન્ત છે અને સ્થિતિએ સાદિ સાત્ત છે. [1682-1684] ભવનવાસી દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ કિંચિત્ અધિક એક સાગરોપમ અને જઘન્યસ્થિતિ દસહજાર વર્ષની છે. વ્યન્તર દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ એક પલ્યોપમની અને જઘન્ય દસહજાર વર્ષની છે. જ્યોતિષ્ક દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ એક લાખ વર્ષથી અધિક એક પલ્યોપમ ને જઘન્ય પલ્યોપમનો આઠમો ભાગ છે. [1685-196 સૌધર્મદિવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ બે સાગરોપમ જઘન્ય એકપલ્યોપમ. ઈશાનદેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ સાધિક બે સાગરોપમ, જઘન્ય સાધિક પલ્યોપમ. સનકુમાર દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ, સાગરોપમ જઘન્ય બેસાગરોપમ. મહેન્દ્રકુમાર દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ સાધિક -7- સાગરોપમ અને જઘન્યસ્થિતી સાધિક બે સાગરોપમ છે. બ્રહ્મલોકદેવોની ઉત્કૃષ્ટઆયુસ્થિતિ દસસાગરોપમ, જઘન્ય 7 સાગરોપમ છે. લાન્તકદેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ 14 સાગરોપમ, જઘન્ય 10 સાગરોપમ છે. મહાશુક્ર દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ 17 સાગરોપમ અને જઘન્ય 14 સાગરોપમ છે. સહસ્ત્રાર દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ 18 સાગરોપમ અને જધન્ય 17 સાગરોપમ છે. આનત દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ 19 સાગરોપમ અને જઘન્ય 18 સાગરોપમ છે. પ્રાણતની દેવીની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ 20 સાગરોપમ અને જઘન્ય 10 સાગરોપમ છે. આરણ દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ 21 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org