SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ 246 ઉત્તરાયણ- 291141 (મન-વચન-કાયાની ક્રિયાની નિવૃત્તિ) મળે છે. અક્રિય થવાથી તે સિદ્ધ થાય છે. બુદ્ધ થાય છે. મુક્ત થાય છે. પરિનિર્વાણ પામે છે. અને બધાં દુઃખોનો અત્ત કરે છે. [1142] ભત્તે ! સુખશાતાથી અથત વૈષયિક સુખોની ઈચ્છાના નિવારણથી જીવને શું મળે છે? સુખ-શાતાથી વિષયો તરફ અનાસક્તભાવ રહે છે. અનુત્સુકતાથી જીવ અનુકંપાવાળો, પ્રશાન્ત, શોકરહિત બનીને ચારિત્ર-મોહનીય કર્મનો ક્ષય કરે છે. [1143 ભન્ત ! અપ્રતિબદ્ધતાથી જીવને શું મળે છે? અપ્રતિબદ્ધતાથી જીવ નિરસંગ બને છે. નિઃસંગ થવાથી જીવ એકાકી-આત્મનિષ્ઠ બને છે, એકાગ્રચિત્ત હોય છે. દિવસ રાત, સદા સર્વત્ર વિરક્ત અને અપ્રતિત થઈને વિચરે છે. [114 હે ભગવાન! વિવિત શયનાસનથી જીવને શું મળે છે? વિવિક્ત શાયનાસનથી જીવ, ચારિત્રરક્ષા કરે ચારિત્ર-રક્ષાથી વિવિક્તહારી વૃઢચારિત્રી, એકાન્તપ્રિય, મોક્ષ ભાવયુક્ત જીવ આઠ પ્રકારના કમની ગ્રજિનું નિર્જરણ-ક્ષય કરે છે. 1145] ભક્ત ! વિનિવર્ધનાથી જીવને શું મળે છે? વિનિવર્ધનાથી-મન અને ઇન્દ્રિયોને વિષયોથી દૂર રાખવાની સાધનાથી જીવ પાપકર્મ ન કરવા તત્પર રહે છે. પૂર્વબદ્ધ કમની નિર્જરાથી કર્મોને નિવૃત્ત કરે છે. ત્યાર પછી ચાર અંતવાળા સંસારઅટવીને જલ્દી જ પાર કરે છે. [1146] ભન્ત ! સંભોગના પ્રત્યાખ્યાનથી જીવને શું મળે છે? સંભોગ (એકબીજા સાથે ભોજન વગેરેના સંપર્કીના પ્રત્યાખ્યાનથી પરાવલંબનથી નિરાલંબ થાય છે. નિરાલંબ થવાથી તેના બધા પ્રયત્નો આવતાઈ (મોક્ષાથી બને છે. પોતે મેળવેલા લાભથી સંતુષ્ટ થાય છે. બીજાના લાભનો ઉપભોગ નથી કરતો. તેની કલ્પના નથી. અભિલાષા કરતો નથી. બીજાના લાભનું આસ્વાદન, કલ્પના, સ્પૃહા, પ્રાર્થના અને અભિલાષા ન કરનાર બીજા સુખશય્યાને પ્રાપ્ત કરીને વિહાર કરે છે. | [1147 ભજો ! ઉપધિના પ્રત્યાખ્યાનથી જીવને શું મળે છે ? ઉપધિના પ્રત્યાખ્યાનથી જીવ નિર્વિધ્યું સ્વાધ્યાય કરે છે. ઉપધિરહિત જીવ આકાંક્ષા મુક્ત થઈને ઉપધિના અભાવમાં કલેશ પામતો નથી. [1448] ભને ! આહારના પ્રત્યાખ્યાનથી જીવને શું મળે છે ? આહારના પ્રત્યાખ્યાનથી જીવ જીવનની આશંસા કામનાના પ્રયત્નને વિચ્છિન્ન કરે છે. જીવનની કામનાના પ્રયત્ન છોડીને તે આહારના અભાવમાં પણ કલેશ પામતો નથી. _f1449] ભત્તે ! કષાયના પ્રત્યાખ્યાનથી જીવને શું મળે છે? કષાયના પ્રત્યાખ્યાનથી વિતરાગભાવ થાય છે. વીતરાગભાવથી જીવ સુખ-દુઃખમાં સમાન બને છે. [1150] ભગવત્ત ! યોગના પ્રત્યાખ્યાનથી જીવને શું મળે છે ? મન-વચનકાયવિષયક યોગ-વ્યાપારના પ્રત્યાખ્યાનથી અયોગત્વ પામે છે. અયોગી જીવ નવાં કર્મોનો બંધ કરતો નથી અને પૂર્વબદ્ધ કમની નિર્જરા કરે છે. [1151] ભત્તે ! શરીરના પ્રત્યાખ્યાનથી જીવને શું મળે છે ? શરીરના પ્રત્યાખ્યાનથી જીવ સિદ્ધોના વિશિષ્ટ ગુણ પ્રાપ્ત કરે છે. તે ગુણો યુક્ત જીવ લોકાગ્રમાં પહોંચીને પરમ સુખ પામે છે. [1152] ભત્તે ! સહાય પ્રત્યાખ્યાનથી જીવને શું મળે છે ? સહાયતાના પ્રત્યાખ્યાનથી જીવ એકીભાવ પામેછે. એકીભાવ પામેલ સાધક એકાગ્રતાની ભાવના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005107
Book TitleAgam Deep 43 Uttarazzayanam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages103
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy