SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ 240 ઉત્તરજઝયર - 21048 ચિન્તન કરે. કાયોત્સર્ગ પૂર્ણ કરીને ગુરુને વંદના કરી અનુક્રમે દિવસના અતિચારોની આલોચના કરે. પ્રતિક્રમણ કરીને, નિઃશલ્ય થઈને ગુરુને વંદના કરે. ત્યાર પછી બધાં દુઃખોથી મુક્ત કરનાર કાયોત્સર્ગ કરે. કાયોત્સર્ગ પૂરું કરી ગુરુને વંદના કરે પછી સ્તુતિમંગળ કરીને કાળનું પ્રતિલેખન કરે. 1 [1049-1054] રાત્રિના કૃત્ય તેમજ પ્રતિક્રમણ - પ્રથમ પહોરમાં સ્વાધ્યાય, બીજામાં ધ્યાન, ત્રીજામાં ઊંઘ અને ચોથામાં ફરી સ્વાધ્યાય કરે. ચોથા પહોરમાં કાળનું પ્રતિલેખન કરીને અસંત વ્યક્તિઓને ન જગાડતા સ્વાધ્યાય કરે. ચોથા પહોરના ચોથા ભાગમાં ગુરુને વંદના કરી કાળનું પ્રતિક્રમણ કરીને કાળનું પ્રતિલેખન કરે. કાયોત્સર્ગનો સમય થતાં સર્વ દુઃખોથી મુક્ત કરનાર કાયોત્સર્ગ કરે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ સંબંધી, રાત્રિ સંબંધી અતિચારોનું અનુક્રમે ચિન્તન કરે. કાયોત્સર્ગ પૂરું કરી ગુરુને વંદના કરી, ફરી અનુક્રમે રાત્રિ સંબંધી અતિચારોની આલોચના કરે. ૧૦પપ-૧૦૫] પ્રતિક્રમણ કરી, નિશલ્ય થઈને ગુરુને વંદના કરે. ત્યાર પછી બધાં દુઃખથી મુક્ત કરનાર કાયોત્સર્ગ કરે. કાયોત્સર્ગમાં ચિન્તન કરે કે “હું આજે કર્યું તપ સ્વીકારું ?" કાયોત્સર્ગ પૂરું કરી ગુરુને વંદના કરે. ત્યાર પછી યથોચિત તપનો સ્વીકાર કરી સિદ્ધોની સ્તુતિ કરે. [1058] સંક્ષેપમાં આ સમાચારી કહી છે. એનું આચરણ કરીને ઘણા જીવ સંસાર-સાગર તરી ગયા છે. - એમ હું કહું છું. અધ્યયન-૨૬-ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ | (અધ્યયન-૨૭ખલુંકીય [1059] ગર્ગ કુલમાં જન્મેલા ગાગ્ય મુનિ વૃદ્ધ, ગણધર અને વિશારદ હતા. ગુણવાન, ગણિભાવમાં સ્થિત અને સમાધિમાં ચિત્તને જોડનાર હતા. [1060 ગાડું ખેંચનાર સારો બળદ જેમ સારી રીતે જંગલને પાર કરે છે. તેવી જ રીતે યોગસંયમમાં સંલગ્ન મુનિ સંસાર પાર કરે છે. [૧૦૬૧-૧૦૬પ જે ખલુંક (દુષ્ટ) બળદ જોડે છે તે તેમને મારે છે અને દુઃખ ભોગવે છે. અસમાધિનો અનુભવ કરે છે. છેવટે તેની ચાબુક પણ તૂટી જાય છે. તે ગુસ્સે થયેલો વાહક કોઈની પૂંછડી કાપી નાંખે તો કોઈને વારેવારે પરોણી ઘોંચે, તે બળદોમાંથી કોઈ સૂઈ જાય છે. કોઈ કુદે છે, કોઈ ઊછળે છે. તો કોઈ દુષ્ટ ગાયની પાછળ દોડે છે. કોઈ માયાવી બળદ માથું ઊંધું ઘાલીને-જમીન પર બેસી જાય છે. કોઈ ગુસ્સે થઈને ખોટે રસ્તે ચાલ્યો જાય છે. કોઈ મરેલા જેવો પડી રહે છે. તો કોઈ જોરથી દોડવા માંડે છે. કોઈ દુષ્ટ દોર તોડી નાંખે છે. દુદન્ત બની ધુંસરી તોડી નાંખે છે. અને સુંસું અવાજ કરતો ગાડુ છોડી ભાગી જાય છે. 1066-1069 અયોગ્ય બળદ જેમ વાહન તોડી નાંખે છે, તેમ જ ધીરજ વિનાના શિષ્યોને ધર્મસાધનામાં જોડતાં, તેઓ પણ તેને ફગાવી દે છે. કોઈ ઐશ્વર્યનું અભિમાન કરે છે, કોઈ રસનું અભિમાન કરે છે, કોઈ સુખનું અભિમાન કરે છે, તો કોઈ લાંબો વખત ગુસ્સો કરે છે. કોઈ ભિક્ષાચરીમાં આળસ કરે છે, કોઈ અપમાનથી ડરે છે, તો કોઈ હઠીલા છે, કારણસર ગુરુ કોઈ વાર કોઈને અનુશાસિત કરે છે તો તે વચ્ચે બોલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005107
Book TitleAgam Deep 43 Uttarazzayanam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages103
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy