________________ 263 ઉત્તરાયણ- 341423 ભાગ કરતાં વધારે ત્રણસાગર છે. તેજે લેગ્યાની જઘન્યસ્થિતિ અન્તર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટસ્થિતિ પલ્યોપમના અસંખ્યાત ભાગથી વધારે બેસાગર છે. પાલેશ્યાની જઘન્યસ્થિતિ અત્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટસ્થિતિ એકમુહૂર્ત અધિક દસસાગર છે. શુક્લ લેશ્યાની જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટસ્થિતિ મુહૂર્ત અધિક તેત્રીસ સાગર છે. ગતિની અપેક્ષા વિના આ વેશ્યાઓની ઓધસામાન્ય સ્થિતિ છે. હવે ચાર ગતિની અપેક્ષાએ લેશ્યાઓની સ્થિતિનું વર્ણન કરું છું. [1423-1225] કાપોતલેશ્યાની જઘન્યસ્થિતિ દસ હજાર વર્ષ ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગથી વધારે ત્રણસાગર છે. નીલલેશ્યાની જઘન્યસ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગથી વધારે ત્રણસાગર ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગથી અધિક દસસાગર છે. કૃષ્ણલેશ્યાની જઘન્યસ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગથી વધારે દસસાગર ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગર છે. [1426] નૈરયિક જીવોની લેશ્યાની સ્થિતિનું આ વર્ણન કર્યું. હવે તિર્યંચ. મનુષ્ય અને દેવોની લેશ્યાની સ્થિતિનું વર્ણન કરીશ. [૧૪ર૭-૧૪૨૮] કેવળ-શુક્લ લેશ્યા સિવાય મનુષ્ય અને તિચિની જેટલી લેશ્યાઓ છે તે બધાની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અત્તમુહૂતુ છે. શુકલ લેગ્યાની જધન્યસ્થિતિ અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ નવ વર્ષ જૂનું એક કરોડ પૂર્વ છે. [1429] આ મનુષ્ય અને તિર્યંચની વેશ્યાઓની સ્થિતિનું વર્ણન કર્યું. આગળ હવે દેવોની વેશ્યાઓની સ્થિતિનું વર્ણન કરીશ. [1430] કૃષ્ણ વેશ્યાની જઘન્ય સ્થિતિ દસ હજાર વર્ષ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ છે. [1431] કૃષ્ણલેશ્યાની ઉત્કૃષ્ટસ્થિતિ થી એકસમય અધિક નીલ લેગ્યાની જઘન્યસ્થિતિ છે ઉત્કૃસ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગથી અધિક છે. [1432) નીલલેશ્યાની ઉત્કૃસ્થિતિથી એક સમયઅધિક કાપોત લેગ્યાની જઘન્યસ્થિતિ છે અને પલ્યોપમના અસંખ્યાતમાભાગથી અધિક ઉત્કૃષ્ટ સ્થિતિ છે. [૧૪૩૩-૧૪૩પ એથી આગળ ભવનપતિ, વ્યન્તર, જ્યોતિષ્ક, અને વૈમાનિક દેવોની તેજલેશ્યાની સ્થિતિનું નિરુપણ કરીશ. તેજલેશ્યાની જઘન્યસ્થિતિ એક પલ્યોપમ છે અને ઉત્કૃષ્ટસ્થિતિ પલ્યોપમતા અસંખ્યાતમાં ભાગથી અધિક બે સાગર છે. તેજલેશ્યાની જઘન્યસ્થિતિ દસ હજાર વર્ષની છે અને ઉત્કૃષ્ટસ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગથી અધિક બેસાગર છે. [13] તેજોલેશ્યાની જે ઉત્કૃષ્ટ સ્થિતિ છે તેથી એક સમય અધિક પદ્મ લેશ્યાની જઘન્ય સ્થિતિ છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક મુહૂર્તથી અધિક દસ સાગર છે. [1437] જે પાલેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ છે તેથી એક સમય અધિક શુકલ લેશ્યાની જઘન્યસ્થિતિ છે અને ઉત્કૃષ્ટસ્થિતિ એક મુહૂર્તથી અધિક તેત્રીસ સાગર છે. [1438-1439] કૃષ્ણ નીલ અને કાપોત-આ ત્રણે અધર્મ વેશ્યા છે. આ ત્રણેથી જીવ અનેક વાર દુગતિ પામે છે. તેજોલેશ્યા, પદ્મલેશ્યા અને શુક્લલેશ્યા-આ ત્રણે ધર્મ લેશ્યા છે. આ ત્રણેથી જીવ અનેક વાર સુગતિ પામે છે. [1440-1442) પ્રથમ સમયમાં પરિણત બધી લેશ્યાઓથી કોઈ પણ જીવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org