Book Title: Yog Vivek Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 37
________________ અર્થ ઉપર જણાવ્યો છે. અહીં બત્રીશીના સાશ્ર... વગેરે પાઠના સ્થાને યોગબિન્દુમાં લાવ... વગેરે પાઠ છે. _I૧૯-૧૮ આ રીતે સા2વ અને અનાથવ સ્વરૂપે યોગના બે પ્રકારનું વર્ણન કરીને હવે શાસ્ત્રીય રીતે યોગનું અધિકારિત્વ અને અનધિકારિત્વ સ્વરૂપે યોગના બે પ્રકાર જણાવવાની ભાવનાથી કહેવાય છેशास्त्रेणाधीयते चायं, नासिधैर्गोत्रयोगिनाम् ।.. सिद्धेर्निष्पन्नयोगस्य, नोद्देशः पश्यकस्य यत् ॥१९-१९॥ “ગોત્રયોગીઓને યોગથી સાધ્ય એવા ફળની સિદ્ધિ થતી ન હોવાથી યોગનાં શાસ્ત્રો વડે યોગનું અધ્યયન થતું નથી. તેમ જ નિષ્પન્નયોગીઓને ફળની સિદ્િધ થયેલી હોવાથી એ રીતે યોગનું અધ્યયન થતું નથી, કારણ કે જેઓએ જાણવાયોગ્ય જાણી લીધું છે તેમને ઉપદેશ હોતો નથી.”આ પ્રમાણે ઓગણીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે જેઓ ગોત્રમાત્રથી જ યોગી છે, પરન્તુ યોગની સાથે જેમને કશો જ સંબંધ નથી-એવા યોગીઓને ગોવયોગી કહેવાય છે. આવા માત્ર ગોત્રના કારણે યોગી થયેલા જીવો, તેમનું મન મલિન હોવાથી, યોગથી સાધ્ય એવા ફળને પ્રાપ્ત કરી શક્તા નથી. તેથી તેવા પ્રકારની ફળની અસિદ્ધિધના કારણે યોગશાસ્ત્રથી યોગનું અધ્યયન તેમને કરાવાતું નથી. જેમને ફળ મળવાનું નથી તેમને સાધન

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58