________________
સ્વરૂપ વિજ્ઞાન, એના વિષયની વિચારણા સ્વરૂપ ઊહ, અસ ્ વિચારણાના પરિત્યાગ સ્વરૂપ અપોહ અને પારમાર્થિક સ્વરૂપની પ્રતિપત્તિસ્વરૂપ તત્ત્વનો અભિનિવેશ : આ આઠ બુદ્ધિગુણો છે.
એનું સ્વરૂપ અન્યત્ર ‘યોગદૃષ્ટિ એક પરિશીલન' વગેરે સ્થાને વર્ણવ્યું છે. ઈચ્છાદિ ચાર ચમોનું સ્વરૂપ હવે પછી વર્ણવાશે. (જુઓ શ્લો.નં. ૨૬-૨૭). ૧૯-૨૩૫॥
પ્રવૃત્તચક્રયોગીનું સ્વરૂપ જ વર્ણવાય છે— आद्यावञ्चकयोगाप्त्या, तदन्यद्वयलाभिनः । एतेऽधिकारिणो योगप्रयोगस्येति तद्विदः || १९ - २४॥
‘“પહેલા અવગ્નયોગની પ્રાપ્તિ થવાના કારણે બીજા અને ત્રીજા અવચૂક્યોગના અવશ્યલાભવાળા આ પ્રવૃત્તચક્રયોગીઓ યોગની પ્રવૃત્તિના અધિકારી છે-એમ યોગના જાણકારો કહે છે.’-આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે અવશ્ચયોગ ત્રણ પ્રકારનો છે. એમાંના પ્રથમ યોગાવખ્યયોગની પ્રાપ્તિ પ્રવૃત્તચક્રયોગીને થયેલી હોય છે. તેના કારણે ચોક્કસ જ તેમને બીજા અને ત્રીજા ક્રિયાવચ્ચક અને ફ્લાવચક યોગની પ્રાપ્તિ થવાની હોય છે. કારણ કે પ્રવૃત્તચક્રયોગીને થયેલી યોગાવચકયોગની પ્રાપ્તિ ચોક્કસ જ ક્રિયાવત્ચક અને ફ્લાવત્ચક યોગની પ્રાપ્તિને કરાવનારી હોય છે. તેથી વાસ્તવિક રીતે પ્રવૃત્તચક્રયોગીને ક્રિયાવચ્ચક અને ફ્લાવત્ચક : આ બે યોગની પ્રાપ્તિ થયેલી
(૩૭) T