Book Title: Yatidincharya Vachna 1
Author(s): Abhaysagar
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 198
________________ માટે ડહાપણ કરે છે. પ્રતિક્રમણ ઊભાં-ઊભાં યથાયોગ્ય મુદ્રાઓ-આસનોમાં કરવાનું વિધાન-આજ્ઞા છે. પરમાત્માની આજ્ઞામાં જ ધર્મ છે. આજ્ઞામાં તર્ક જ ન હોય, બુદ્ધિ ના હોય તેનું નામ સમર્પણ. ભગવાનની આજ્ઞાને તુંહીં, તુંહી...' કરીને સ્વીકારવાનો ભાવ, એનું નામ શરણાગતિ છે. આજ્ઞા પ્રમાણો પૂંજવા પ્રમાર્જવા છતાં કદાચ કોઇ જીવ મરી જાય, તો એટલું પ્રાયશ્ચિત્ત ન આવે. અને જીવ ન મરે છતાં પૂંજવા પ્રમાર્જવાનો ઉપયોગ ન હોય, તો તેથી વધુ પ્રાયશ્ચિત્ત આવે. અહીં આજ્ઞા-મર્યાદાનો અનાદર છે. જ્ઞાની ભગવંતોએ જ્ઞાનથી જે વસ્તુ-સામાચારી સ્થિર કરી હોય, તેને મર્યાદાપૂર્વક કરવાથી મોહનીય કર્મ ઢીલું પડે છે. ક્રિયામાં જયણા હોય, પણ ક્રિયા તો બંધ જ ન કરાય ! વિકૃત પણ ન જ કરાય. ભલે આપણા બુદ્ધિકોણથી તર્ક કરીએ. આપણી બુદ્ધિથી પદાર્થો-વિધિને ઓળખવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ અનંત જ્ઞાનીઓના જ્ઞાનમાં જે ક્રિયાથી કર્મક્ષય છે, એમાં એક દિવશ પણ ઢીલાશ ન જ કરાય. સહેજ ફાટેલા કપડામાં હાથ ભરાય, પછી એ આખું કપડું ફાટી જાય ! તેમ આત્મામાં જરાક પ્રમાદની શરૂઆત થાય અને દૂર ન કરે, તો એ પ્રમાદ વધતાં-વધતાં દાવાનળ બની જાય. અને આત્માને ભ્રમિત કરી દે. માટે જ્ઞાનીઓ સાવધાન કરે છે કે ક્યાંયથીયે આવીને પ્રમાદ આત્મામાં બેસી ન જાય. શંકા-કુશંકાના માધ્યમે આજ્ઞાને વિચારીએ તો શ્રદ્ધા ન ટકે. પરિણામે પ્રમાદ પ્રવેશે, માટે તર્ક ન કરાય. પ્રમાદના પરિહાર માટે સર્વ ક્રિયા છે. ગુર્વાજ્ઞા મુજબ કાપ-ગોચરી-પાણી, ભક્તિ વગેરે કરવાનું છે દિવસની પ્રવૃત્તિમાં ભિન્ન-ભિન્ન પ્રકાર છે. પણ રાત્રે તો સ્થવિર વગેરે દરેક માટે એકજ આજ્ઞા, સૂર્ય અડધો ડૂબે ત્યારે માંડલા કરવાના અને તરત જ પ્રતિક્રમણ કરવાનું. તે પછી સ્વાધ્યાય માંડલી થાય. સ્વાધ્યાય પછી પોરિસી અને છેલ્લે સંથારો કરવાનો. સ્વાધ્યાય એકલા ન ફાવે તો બે સાધુ સ્વાધ્યાય કરે. જેથી નિદ્રા-પ્રમાદ પણ ન આવે. આજે સામાચારીનું જ્ઞાન ઘટતું જાય છે. સ્વાધ્યાય પછી સમય થતાં પોરિસિ ભણાવે. બહુપડિપુત્રા પોરિસી' એટલે ? ગીતાર્થ સાધુ નક્ષત્ર જોઈને આવ્યા છતાં ગુરુ મહારાજને નિવેદન કરે છે. 'વેદ = મોટે ભાગે = લગભગ પોરસી સમય પ્રાપ્ત થઈ ગયો છે.” આથી એ ઓ = ગુરુ મ. સ્વજ્ઞાનથી અનુમાને નક્કી કરે. પછી બધા સાધુ પોરિસી ભણાવેક્રિયાઓ સમયસર કરવાની છે. પ્રતિક્રમણ મોડું થાય તો અતિચાર લાગે. પણ એમાં ય નિર્વસ પરિણામ થાય તો અનાચાર થાય. આજ્ઞાને શિરોમાન્ય કરવાની વૃત્તિ જોઇએ. વાચના-૨૫ -- Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226