Book Title: Yakshraj Shree Manibhadradev
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 790
________________ તપાગચ્છાધિષ્ઠાયક દેવદેવીઓ છે એમ હું નિશ્ચિતપણે માનું છું. દેવદેવીઓ સહાય કરી શકે છે અને કરે છે એવી મને પૂરી શ્રદ્ધા છે. મને પોતાને એવા કેટલાક અનુભવો થયા છે. જીવોની શુભાશુભ કર્મ અનુસાર ગતિ અને દેવદેવીઓની સહાય એ બંનેનો મેળ કેવી રીતે બેસે એ વિષયને સૂક્ષ્મ દૃષ્ટિથી જો સમજવામાં ન આવે તો ગેરસમજ થવાનો સંભવ છે. 774: સ્વર્ગ જેવું કંઈ છે કે નહિ, દેવદેવીઓ–દેવતાઓ છે કે નહિ એ વિષે ભગવાન મહાવીર સ્વામીના સાતમા ગણધર શ્રી મૌર્યપુત્રને શંકા થઈ હતી અને ભગવાને એમની શંકાનું સમાધાન કરાવ્યું હતું. એથી શ્રી મૌર્યપુત્રને પ્રતીતિ થઈ હતી કે સ્વર્ગ છે અને દેવતાઓ પણ છે. 'ગણધરવાદ' ગ્રંથ જોઈ જવાથી આ વાતની ખાતરી થશે. મનુષ્ય, તિર્યંચ, નારકી અને દેવતા એ ચાર ગતિમાં મનુષ્યગતિ શ્રેષ્ઠ છે. દેવગતિમાં ઉદ્દભવતાંની સાથે દેવોને અવધિજ્ઞાન હોય છે. દેવોને વૈક્રિય શરીર હોય છે અને વૈક્રિય લબ્ધિ હોય છે. એ વડે તેઓ ઝડપથી ગતિ કરી શકે છે, અદશ્ય થઈ શકે છે, વિવિધ પ્રકારનાં રૂપ ધારણ કરી શકે છે અને ચમત્કારિક રીતે સહાય પણ કરે છે. એટલે અંશે દેવગતિમાં મનુષ્યગતિ કરતાં વિશેષતા રહેલી છે; પરંતુ દેવગતિમાં ત્યાગવૈરાગ્ય નથી. કેવળજ્ઞાન પામી મોક્ષગતિ પ્રાપ્ત કરવાનું ફકત મનુષ્યગતિમાં જ શક્ય છે. એ દષ્ટિએ મનુષ્યગતિ દેવગતિ કરતાં ચડિયાતી છે. એટલે જ દેવો પણ માનવભવને ઝંખે છે. તીર્થંકર પરમાત્માની ભક્તિ નિષ્કામ હોવી જોઈએ. એમાં અભિલાષા માત્ર મોક્ષની હોવી જોઈએ. એમના જેવું વિશુદ્ધ આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવાની લગની લાગવી જોઈએ. તીર્થંકર પરમાત્માની ભક્તિ પુણ્યબંધનું કારણ પણ બની શકે છે અને કર્મનિર્જરાનું કારણ પણ બની શકે છે. કેવી રીતે એ ભક્તિ થાય છે એના ઉપર એનો આધાર રહે છે. તીર્થંકર પરમાત્માનાં યક્ષ-યક્ષિણીની આરાધના મુખ્યત્વે સકામ પ્રકારની હોય છે. એમની સહાય પણ અધ્યાત્મસાધના માટે, મોક્ષમાર્ગના પુરુષાર્થ માટે, જ્ઞાનોપાસના માટે માગી શકાય છે. તીર્થંકર પરમાત્માનાં યક્ષ-યક્ષિણી ઉપરાંત અન્ય દેવદેવીઓની ભક્તિ પણ થાય છે. વર્તમાન કાળમાં શ્રી માણિભદ્રવીર (દિગંબરોમાં માનભદ્ર પણ બોલાય છે) શ્રી ભૈરવજી, શ્રી ઘંટાકર્ણવીર વગેરેની ભક્તિ થાય છે. દેવતાઓ અસંખ્ય છે. એમાં કયા દેવતા સમિકતી છે અને કયા મિથ્યાત્વી છે એનો વિવાદ વખતોવખત થાય છે અને એથી ઘણા જીવો મૂંઝાય છે. આવા વિવાદોમાં અંતિમ નિર્ણય તો સર્વજ્ઞ ભગવંત સિવાય કોણ આપી શકે ? એટલે જ્યાં ભક્તનું મન ડામાડોળ રહે ત્યાં તેને બહુ લાભ થાય નહિ. એના કરતાં તો 'હે દેવ ! તમે સમિકતી છો, એવું શ્રદ્ધાપૂર્વક માનીને હું તમારી આરાધના કરું છું. મારા અજ્ઞાનને લીધે જો કોઈ દોષ થતો હોય તો તે માટે ક્ષમા પ્રાર્થુ છું '—આવા ભાવ સાથે જો કોઈ ભકિત કરે તો તેને લાભ થવાનો સંભવ છે. સામાન્ય લોકોને ઇષ્ટવિયોગ અને અનિષ્ટ યોગના દુઃખમાંથી મુક્ત થઈ, ઇષ્ટયોગ અને અનિષ્ટવિયોગનું સુખ મેળવવું હોય છે. ઐહિક જીવનમાં કર્મનો ક્રૂર વિપાક જીવને જ્યારે લાચાર કરી મૂકે છે ત્યારે તે દેવદેવીની સહાય માટે દોડે એ સ્વાભાવિક છે. શું જૈન ધર્મ કે શું અન્ય ધર્મ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860