Book Title: Updeshprasad Part 3
Author(s): Vijaylakshmisuri, 
Publisher: Jain Book Depo Ahmedabad

View full book text
Previous | Next

Page 160
________________ વ્યાખ્યાન ૧૯૨] દેવદ્રવ્ય ભક્ષણના દોષ - ૧૫૧ થઈ વિચારવા લાગ્યો કે “અહો! આણે છળ કરીને મારું સર્વસ્વ લઈ લીધું, હવે તે યુદ્ધ કરવા સજ્જ થયેલી છે, તેથી હાલ પાછો મારે નગરે જઈ સજ્જ થઈને ફરી આવું.” આમ નિશ્ચય કરી રાજા પોતાને નગરે ગયો અને ફરી તૈયારી કરીને તે નગરીને મોટા સૈન્ય વડે ઘેરી લીધી. તે સમયે મૃગાવતીએ ચિંતવ્યું કે “આ સમયે જો શ્રી વિરપ્રભુ અહીં પઘારે તો સારું.” તેના પુણ્યબળથી શ્રી વિરપ્રભુ તે જ અરસામાં ત્યાં પધાર્યા. મૃગાવતી મહાન સમૃદ્ધિ સહિત ભગવાનને વાંદવા ગઈ. ત્યાં ચંડપ્રદ્યોત પણ આવ્યો. તે અવસરે અનુકૂળ વખત જોઈ મૃગાવતીએ પોતાના પુત્રને ચંડપ્રદ્યોતના ખોળામાં સોંપી, તેની તેને જ ભલામણ કરી પોતે પ્રભુ પાસે દીક્ષા લીધી અને તે જ ભવે કેવળજ્ઞાન પામીને મુક્તિપદને પ્રાપ્ત થઈ. આ દૃષ્ટાંતમાં પાછળની કથા તો પ્રસંગોચિત લખવામાં આવી છે. બાકી અહીં તો તેના પ્રારંભના ભાગ ઉપરથી એટલી જ શિખામણ લેવાની છે કે “યક્ષ દુષ્ટ હતો, પણ વિધિ વડે પૂજવાથી પ્રસન્ન થયો હતો. તેથી પૂજ્ય સર્વજ્ઞ પ્રભુએ માન્ય કરેલો અત્યંત શુદ્ધ વિધિ જ જિનપૂજાને વિષે જોડવો.” વ્યાખ્યાન ૧૨. દેવદ્રવ્ય ભક્ષણના દોષ હવે દેવદ્રવ્ય ઓળવવાથી જે દોષ લાગે છે તે કહે છે अक्षतादिकद्रव्यस्य, भक्षको दुःखमाप्नुयात् । तत्ततो यत्नतो रक्ष्यं, देवद्रव्यं विवेकिना ॥१॥ ભાવાર્થ-“અક્ષત વગેરે દેવદ્રવ્યને ભક્ષણ કરનારા દુઃખ પામે છે, તેથી વિવેકી પુરુષોએ દેવદ્રવ્યનું યત્નથી રક્ષણ કરવું.” આનો સ્પષ્ટાર્થ નીચેની શુભંકર શ્રેષ્ઠીની કથાથી જાણવો. શુભંકર શ્રેષ્ઠીની કથા કાંચનપુર નામના નગરમાં શુભંકર નામે એક ઘનાઢ્ય શ્રેષ્ઠી વસતો હતો. તે નિત્ય જિનપૂજા અને ગુરુવંદના કરતો હતો. એક વખતે તે જિનમૂર્તિ આગળ નમીને ઊભો રહ્યો. તે સમયે કોઈ દેવતાએ ભગવંતની આગળ દિવ્ય અક્ષતના ત્રણ ઢગલા પૂર્વે કરી રાખેલા તે તેના જોવામાં આવ્યા. તે રાંધ્યા વગરના છતાં અત્યંત સુગંધ આપતા હતા. તે જોઈને જીભના સ્વાદને વશ થયેલા શુભંકર શેઠે પોતાને ઘેરથી તેનાથી ત્રગણા બીજા ચોખા મંગાવીને ત્યાં મૂક્યા અને તે દિવ્ય ચોખા પોતાને ઘેર લઈ જઈ તેની ખીર કરાવી. તે વખતે તેની સુગંઘ સર્વત્ર પ્રસરી રહી. તેવામાં કોઈ માસક્ષપણી સક્રિયાવાન મુનિ તે શ્રેષ્ઠીને ઘેર ભિક્ષા માટે આવી ચડ્યા. શ્રેષ્ઠીએ તે ખીરમાંથી થોડી તેમને વહોરાવી. મુનિ પરમાર્થ જાણ્યા સિવાય તે ક્ષીર ઝોળીમાં લઈ આગળ ચાલ્યા. તે મુનિ સુડતાળીશ દોષથી રહિત એવા આહારને લેનારા હોવાથી શુદ્ધ ઉદરવાળા હતા, પરંતુ આ અયોગ્ય આહારની સુગંઘ માત્ર ગ્રહણ કરવાથી તે મુનિ વિચારવા લાગ્યા કે–“અહો! આ શ્રેષ્ઠીનો અવતાર અમારાથી શ્રેષ્ઠ છે; કારણ કે તે આવું અતિ મનોહર ભોજન યથેચ્છપણે નિત્ય ખાય છે. અનુચિત આહારના ગંઘમાત્રથી મુનિનું ચારિત્રધ્યાન દૂર ચાલ્યું ગયું, તેથી આવું દુર્ગાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226