Book Title: Updeshprasad Part 3
Author(s): Vijaylakshmisuri, 
Publisher: Jain Book Depo Ahmedabad

View full book text
Previous | Next

Page 197
________________ ૧૮૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ [સ્તંભ ૧૪ અદત્ત ગ્રહણ કરતા નથી, તથાપિ તે અદત્તાદાનના ત્યાગવાળા ન કહેવાય. ન કહેવાય. કૃત્રિમ, અકૃત્રિમ નપુંસક એવા તિર્યંચ ને મનુષ્ય મૈથુન સેવે નહીં, તથાપિ તે બ્રહ્મચારી ન કહેવાય અને પશુ, દરિદ્રી વગેરે વિશેષ ઘનવસ્ત્રાદિકના અભાવવાળા હોવા છતાં તે કાંઈ નિગ્રંથ ન કહેવાય. તેઓ કાંઈ વિરતિનું ફળ પ્રાપ્ત કરતા નથી. તેવી રીતે એકેંદ્રિય જીવને પણ સમ્યકત્વાદિના અભાવથી અવિરત જાણવા. કહ્યું છે કે “એકેંદ્રિયને બીજું સાસ્વાદન ગુણઠાણું પણ ન હોય.” એવી જ રીતે વિકલેંદ્રિય અને સંમૂર્ણિમ પંચંદ્રિય વગેરે જીવોમાં પણ અવિરતિપણું જાણવું, કારણ કે ત્યાં સાસ્વાદન ગુણઠાણું હોય છે પણ તે ગુણઠાણાની સ્થિતિ ઉત્કૃષ્ટ માત્ર છ આવલિકા સુઘીની જ છે. હિંસા-હવે એકેંદ્રિય જીવોમાં કાંઈક વિશેષ હિંસાદિ આસ્રવ છે તે દર્શાવે છે–વૃક્ષપ્રમુખ પોતપોતાના આહાર તરીકે જળ, પવન વગેરે સચિત્ત વસ્તુને ગ્રહણ કરે છે, તેથી તેમને જળ અને પવનની વિરાઘના સ્પષ્ટપણે છે. કહ્યું છે કે “જ્યાં જળ હોય ત્યાં વનસ્પતિ હોય, જ્યાં વનસ્પતિ હોય ત્યાં અગ્નિ હોય અને તેઉકાય, વાયુકાય તો સંઘાતે જ હોય છે અને ત્રસજીવ પ્રત્યક્ષ હોય છે.” વનસ્પતિ વગેરેને પણ આહાર ગ્રહણ કરવામાં સૂક્ષ્મ વૃત્તિએ વિરાઘના રહેલી છે અને બાદરવૃત્તિ વડે તો કેટલાક કંથેર, બોરડી વગેરે વૃક્ષ મરુદેવાદિકના જીવની જેમ કદલી વગેરેને હણે છે. થોર વગેરે વૃક્ષો પોતાનાં મૂળના ક્ષાર તથા કટુરસ વગેરેથી પૃથ્વીકાય વગેરે છ કાયની હિંસા કરે છે. કીડામાર તથા કિંપાક વગેરે ફળો મનુષ્ય તથા પશુપ્રમુખને મારે છે. ભેડાગારી વગેરેનાં વૃક્ષો મનુષ્યને ઉચ્ચાટન કરે છે. કેટલીક વનસ્પતિ મનુષ્યને પશુ કરે છે ને પશુને મનુષ્ય કરે છે. વાંસ ને શર વગેરે વૃક્ષો ઘનુષ્ય ને બાણરૂપે થઈ ઘણા જીવોને મારે છે. ઘનુષ્યપ્રમુખના જીવોને ઉત્સર્ગથી અવિરત પરિણામ હોવાને લીધે તેના અચેતન થયેલા શરીર વગેરેથી પણ બંધ થાય છે. જિનપૂજાને યોગ્ય પુષ્પ, ફળ તથા આભૂષણ વગેરેના તથા મુનિના પાત્રરૂપે થયેલા પદાર્થના જીવને તેનું શરીર ઉત્તમ સાઘનરૂપ થયા છતાં પુણ્યબંઘ થતો નથી, કારણ કે તેના હેતુરૂપ વિવેકનો અભાવ છે. એવી રીતે મહારંભની પ્રવૃત્તિના હેતુરૂપ ગાડાં, હળ વગેરે જે જીવોનાં શરીરોથી થયાં હોય તે જીવોને હિંસાના હેતુરૂપ જાણી લેવાં. આ પ્રમાણે હિંસા બતાવી. હવે અસત્યાદિ ઘટાવે છે– અસત્ય-એકેંદ્રિયાદિ જીવોને સત્ય અધ્યવસાયનો અભાવ હોવાથી અસત્ય લાગે છે. વળી તે લોકોને અસત્ય બોલાવવાના હેતુરૂપ થાય છે, તેથી પણ તેને અસત્યનું પાપ લાગતું જોવામાં આવે છે. જેમ કેટલીક ઔષધિને યોગે સત્ય ને અસત્ય પણ બોલાય છે. જેવી રીતે કાજલી વગેરેમાં કન્યા વગેરે અસત્ય બોલે છે તે પ્રમાણે સમજવું. તેમ જ મોહનવલ્લી વગેરે મોહ ઉત્પન્ન કરીને લોકોને વિપરીત માર્ગ વગેરે બતાવે છે; ઇત્યાદિ અનેક રીતે અસત્યનો પ્રકાર કહેલો છે. અદત્તાદાન–હવે અદત્તાદાન ઘટાવે છે–વૃક્ષઆશ્રયી સર્વે જીવો સચિત્ત આહાર ગ્રહણ કરે છે. તે આહારમાં રહેલા જીવો સંબંધી જીવાદર લાગે છે. વળી વનસ્પતિમાં બીજાના અદત્તાદાનનું ( ૧ અપર્યાપ્તાવસ્થામાં હોય છે, પરંતુ અલ્પકાલીન હોવાથી તે વિવસ્યું નથી. ર મરુદેવા માતાનો જીવ નિગોદમાંથી નીકળી પ્રત્યેક વનસ્પતિકાયમાં કેળના વૃક્ષમાં ઉત્પન્ન થયો હતો. ત્યાં સમીપે રહેલા કંથેરના વૃક્ષના કાંટા વારંવાર ભોંકાવાથી થતી વેદના સમ્યગૂ ભાવે સહન કરવાથી અકામ નિર્જરા વડે મનુષ્યપણાને પામ્યો ને તે જ ભવમાં મોક્ષે ગયો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226