Book Title: Updeshprasad Part 3
Author(s): Vijaylakshmisuri, 
Publisher: Jain Book Depo Ahmedabad

View full book text
Previous | Next

Page 170
________________ વ્યાખ્યાન ૧૯૪] સાવદ્યવચનનું ફળ ૧૬૧ અંગને સ્પર્શીને બહાર કાઢે તો તેની શુદ્ધિ અલ્પ આલોચનાથી થાય છે. અથવા મેઘ વર્ષતો હોય તેવે સમયે કોઈ વેશ્યા ઉપાશ્રયમાં પેસી ગઈ, પછી રાત્રે પણ ત્યાંથી ગઈ નહીં. એટલે ગુરુની આજ્ઞાથી કોઈ વૃદ્ધ સાધુએ તેને સ્તંભ સાથે બાંધી લીઘી. પ્રાતઃકાલે રાજા પાસે ફરિયાદ થતાં રાજાએ ગુરુને પૂછ્યું, એટલે ગુરુએ કહ્યું–‘રાજન્! સપ્તાંગલક્ષ્મીથી ભરેલા રાજાના ભંડારમાં ચોર પેસે તો તેને રાજા બંઘન વગેરે કરે કે નહીં? તેવી રીતે અમારા શિષ્યો તે જ્ઞાનાદિ રત્નના ભંડાર છે તેનું હરણ કરવાને માટે આવેલ આ વેશ્યાને અમે બાંધી લીઘી હતી.’ તે સાંભળી સત્ય ન્યાય જોઈ રાજા ખુશી થયો અને અત્યંત સંતોષ પામ્યો. ઉપર પ્રમાણે ઉત્સર્ગ અપવાદના છયે ભાંગા ચિત્તમાં અવધારી—વિચારીને બોલવું. તે વિષે પ્રાકૃતરૂપમાળામાં કહ્યું છે કે ‘‘આ પ્રમાણે છ ભાંગા હોવાથી કોઈ મુનિને આક૨ી ભીડમાં નારીનો પ્રસંગ થઈ ગયો તો તે આલોયણ લેવાથી છૂટશે, પણ જો તેનું સ્થાપન કરશે તો અનંત સંસાર વધારશે.’’ જો કે પ્રવચનમાં ઉત્સર્ગ-અપવાદને વિષે અનેકાંતની સ્થાપના છે, તથાપિ મૈથુનસેવન વગેરે તો એકાંતે નિષિદ્ધ કરેલું છે, તેથી તેમાં અપવાદનું સ્થાપન કરવાથી સૂત્રનું ઉલ્લંઘન થાય અને ઉન્માર્ગ પ્રગટ થાય છે. તેથી જિનાજ્ઞાનો ભંગ થતાં અનંતસંસારીપણું પ્રાપ્ત થાય છે. વળી જે પોતાના હીન આચાર વગેરે દોષ ગોપવવા માટે જિનાગમની અનેક યુક્તિઓ લઈને પોતાનું પાપ ગોપવે છે અને પોતાના ગુણ પ્રગટ કરે છે તે માયાવી ઉપર કહેલા સાવદ્યાચાર્યની જેમ બહુલસંસારી જ થાય છે. જે મુનિ ચૈત્યક્રિયામાં પાપ છે એમ કહે છે તે અનંતસંસારી થાય છે, કારણ કે તે ઉત્સૂત્રવચન છે. જુઓ, સાવદ્યાચાર્યે તીર્થંકરનામકર્મનાં દળી ઉપાર્જન કરેલ તે પણ નાશ પામ્યાં. આવું ઉત્સૂત્ર પ્રરૂપણાનું તાંડવ છે.’’ G વ્યાખ્યાન ૧૯૫ નવકારમંત્રનું ફળ હવે નવકાર ગણવાનો કાળ અને તેનું ફળ કહે છે- तुर्ये यामे त्रियामाया, ब्राह्मे मुहूर्ते कृतोद्यमः । मुंचेन्निद्रां सुधीः पंचपरमेष्ठिस्तुतिं पठेत् ॥ १ ॥ ભાવાર્થ “રાત્રિના ચોથા પહોરે બ્રાહ્મમુહૂર્તમાં (ચાર ઘડી રાત્રિ બાકી હોય તે વખતે) સદ્ગુદ્ધિવાળા પુરુષે ઊઠવાનો ઉદ્યમ કરી નિદ્રા છોડી દેવી અને પંચપરમેષ્ઠીની સ્તુતિ કરવી.’’ ભાગ ૩–૧૧ Jain Education International ભાવાર્થ એવો છે કે નિદ્રાના વશપણાથી કદી રાત્રિના ચોથે પહોરે ઊઠી ન શકાય તો પંદર મુહૂર્તની રાત્રિમાં જઘન્યપણે ચૌદમા બ્રાહ્મમુહૂર્તમાં તો ઊઠવું જ. પછી શય્યાનાં વસ્ત્ર તજી દઈ બીજાં શુદ્ધ વસ્ત્ર પહેરવાં. પછી પવિત્ર ભૂમિ ઉપર ઊભા રહી અથવા બેસી વા પદ્માસન કરી શ્રાવકે ઈશાનદિશા તરફ રહીને જાપ કરવો. જાપના ત્રણ પ્રકાર છે : ૧ ઉત્કૃષ્ટ, ૨ મધ્યમ અને ૩ જધન્ય. તેમાં પદ્માદિ વિધિ વડે કરવામાં આવે તે ઉત્કૃષ્ટ છે અને જપમાળાથી કરવામાં આવે તે મધ્યમ છે. પદ્માદિ વિધિ આ પ્રમાણે—ચિત્તની એકાગ્રતા થવાને માટે હૃદયમાં અષ્ટદળ કમળ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226