Book Title: Tapasya ane Nigraha
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Parivar Prakashan Sahakari Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 159
________________ કોટ્ટાનું ધમતર! ૧૪૫ કરવા જાય કે તરત લોકોને મન તે જુલમગાર બની રહે છે. ઉપરાંત, એ બધા પ્રાકૃતજનોના વહેમોથી પર થવું હોય, તો તેમને સમજવા પ્રયત્ન કરવો અને તેમને વેઠી લેવા, એ જ એકમાત્ર માર્ગ છે.” પછી થોડું હાંફી લઈ તથા થોડું ખાંસી લઈ, તેણે પોતાના મંત્રીને ખભે હાથ મૂકી તેને લખાવ્યું – બેટા, નોંધ કર કે, ખ્રિસ્તીઓના કેટલાક પંથોમાં વેશ્યાઓને ઉપાડી જવી અને થાંભલાઓ ઉપર વસવાટ કરવો, એ પ્રશંસનીય ગણાય છે. તું એમ પણ ઉમેરી શકે છે કે, આ બધા આચારો લિંગપૂજાના પ્રતીક છે. પરંતુ એ મુદ્દા ઉપર આપણે એ તપસ્વીને જ પૂછપરછ કરી લઈએ.” એમ કહી તેણે પૅફશિયસ તરફ મોં ઊંચું કરીને તેને પૂછ્યું, “કેમ, પૅકનુશિયસ, તું એક વખત મારો મહેમાન બન્યો હતો એ તને યાદ હશે. તો હું પૂછું તેનો જવાબ આપ – તું આ સ્તંભ ઉપર શા માટે ચડ્યો છે, તથા ત્યાં જ શા માટે રહે છે? તારા મનમાં આ સ્તંભ કોઈ લિંગપૂજાનું પ્રતીક છે?” પેક્નશિયસે કોટ્ટાને મૂર્તિપૂજક ગણી કાઢી, તેને કશો જવાબ ન આપ્યો; પણ તેના શિષ્ય પંડિત ફલેવિયને કોટ્ટાને કહ્યું, “માનનીય મહેરબાન, આ પવિત્ર પુરુષ આખી દુનિયાનાં પાપો પોતાની ઉપર ખેંચી લે છે તથા અનેકના રોગો મટાડે છે.” કોટ્ટાએ તરત ડોકું ધુણાવીને પોતાના વૈદ્યને સંબોધીને કહ્યું, “જ્યુપિટરના સોગંદ, વૈદ્યરાજ! તમારા ધંધામાં આ તો તમારો કોઈ પ્રબળ હરીફ ઊભો થયો લાગે છે!” વૈદ્ય જવાબ આપ્યો, “અમુક રોગો મારા કરતાં એ વધુ સારી રીતે મટાડી શકતો હશે એ શક્ય છે. દાખલા તરીકે, વાઇ-મૃગીનો રોગ. એ રોગનું મુખ્ય કારણ માનસિક હોઈ, આવા સાંકડા થાંભલા ઉપર રહેતા સાધુ, જરૂર, એ રોગીઓના નબળા મન ઉપર, ખલબત્તા સાથે ફરતા મારા જેવા કરતાં, વધુ તીવ્ર પ્રભાવ પાડી શકે. ત -૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194