________________
ઈશ્વર કે થાઈ ?
૧
પૅનુશિયસ માટેની આવી કારમી ભવિષ્યવાણી સાંભળીને તેના ઍન્ટિનો મઠના સાધુઓ ચિંતાભર્યા પ્રશ્નાર્થક ચહેરે સંત ઍન્થની તરફ જોવા લાગ્યા. તે જોઈ સંત ઍન્થનીએ તાકીદના સૂરે કહ્યું – પરમાત્માએ તેમનો છેવટનો ચુકાદો આપી દીધો છે; કશી ફરિયાદ કર્યા વિના તેની સમક્ષ માથું ઝુકાવો !”
tr
પરંતુ પૅનુશિયસના માથા પર વીજળી પડી હોય તેમ તે જડસડ થઈ ગયો : તે હવે આસપાસનું કશું દેખી કે સાંભળી શકતો નહોતો. તેના કાનમાં એક જ અવાજ રણકતો હતો: “થાઈ મરવાની તૈયારીમાં છે!”
આજ સુધી આ વિચાર તેને કદી આવ્યો ન હતો! વીસ વર્ષથી મોતનું ચિંતન કર્યા કરતા આ સાધુને એ સૂઝયું જ ન હતું કે, એક દિવસ થાઈ પણ મૃત્યુ પામશે!
“થાઈ મરવાની તૈયારીમાં છે! ખરેખર થાઈ આ પૃથ્વી ઉપરથી ચાલી જવાની હોય, તો પછી આ સૂર્ય, આ ફૂલ, આ ગ્રંથો – અરે આખી સૃષ્ટિ બાકી રહે તેનું શું પ્રયોજન?” અચાનક છલાંગ મારીને તે કૂદ્યો અને દોડવા લાગ્યો.
તે કઈ તરફ વેગે દોડતો જતો હતો? તેને એવો કશો ખ્યાલ ન હતો; પરંતુ તેના પગ, અંત:સ્ફુરણાના દોર્યા, સીધા નાઈલ નદી તરફ જ ઊપડયા હતા.
Jain Education International
૧૬૭
For Private & Personal Use Only
www.jainelibrary.org