SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ઈશ્વર કે થાઈ ? ૧ પૅનુશિયસ માટેની આવી કારમી ભવિષ્યવાણી સાંભળીને તેના ઍન્ટિનો મઠના સાધુઓ ચિંતાભર્યા પ્રશ્નાર્થક ચહેરે સંત ઍન્થની તરફ જોવા લાગ્યા. તે જોઈ સંત ઍન્થનીએ તાકીદના સૂરે કહ્યું – પરમાત્માએ તેમનો છેવટનો ચુકાદો આપી દીધો છે; કશી ફરિયાદ કર્યા વિના તેની સમક્ષ માથું ઝુકાવો !” tr પરંતુ પૅનુશિયસના માથા પર વીજળી પડી હોય તેમ તે જડસડ થઈ ગયો : તે હવે આસપાસનું કશું દેખી કે સાંભળી શકતો નહોતો. તેના કાનમાં એક જ અવાજ રણકતો હતો: “થાઈ મરવાની તૈયારીમાં છે!” આજ સુધી આ વિચાર તેને કદી આવ્યો ન હતો! વીસ વર્ષથી મોતનું ચિંતન કર્યા કરતા આ સાધુને એ સૂઝયું જ ન હતું કે, એક દિવસ થાઈ પણ મૃત્યુ પામશે! “થાઈ મરવાની તૈયારીમાં છે! ખરેખર થાઈ આ પૃથ્વી ઉપરથી ચાલી જવાની હોય, તો પછી આ સૂર્ય, આ ફૂલ, આ ગ્રંથો – અરે આખી સૃષ્ટિ બાકી રહે તેનું શું પ્રયોજન?” અચાનક છલાંગ મારીને તે કૂદ્યો અને દોડવા લાગ્યો. તે કઈ તરફ વેગે દોડતો જતો હતો? તેને એવો કશો ખ્યાલ ન હતો; પરંતુ તેના પગ, અંત:સ્ફુરણાના દોર્યા, સીધા નાઈલ નદી તરફ જ ઊપડયા હતા. Jain Education International ૧૬૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004993
Book TitleTapasya ane Nigraha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1966
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, C000, & C020
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy