Book Title: Tap ane Tapasvi
Author(s): Divya Darshan Karyalay
Publisher: Divya Darshan Karyalay

View full book text
Previous | Next

Page 17
________________ કરે આવા પ્રકારના ધર્મથી શાક્યપુત્ર એટલે ગૌતમ બુદ્ધ મુક્તિ જોઈ હતી. તાત્પર્ય કે બૌદ્ધ ધર્મમાં કાયદંડ એટલે શારીરિક તપશ્ચર્યા પર ભાર ન હોવાથી તેનું પરિ ણામ ભયંકર શિથિલાચારમાં આવ્યું હતું અને એ તે એક નાનું બાળક પણ સમજી શકે એવી વાત છે કે જ્યાં ભયંકર શિથિલાચાર વ્યાપે, ત્યાં મુક્તિ તે દૂર રહી, પણ સદ્ગતિના ચે સાંસા જ હોય! તેથી જ શાસ્ત્રકાર ભગવંતે કહ્યું છે કે – 'तपांसि तन्याद् द्विविधानि नित्य, मुखे कद्वन्यायतिसुन्दराणि । निघ्नन्ति तान्येव कुकर्मराशि, रसायनानीव दुरामयान् यत् ॥' શરૂઆતમાં કડવાં પણ પરિણામે સુંદર એવાં બાહ્ય અને અભ્યન્તર બન્ને પ્રકારનાં તપ હંમેશાં કરવાં; કારણ કે રસાયણ જેમ દુષ્ટ રેગોનો નાશ કરે છે, તેમ આ તપ કુકમના ઢગલાને અર્થાત્ પાપસમૂહને સમૂળોછેદ કરે છે. પ્રકારનું બાહ્ય ત૫ –બાહ્ય તપ છ પ્રકારનું છે. [૧] અનશન, [૨] ઊદરિકા, [૩] વૃત્તિસંક્ષેપ, [૪] રસત્યાગ, [૫] કાયકલેશ અને [૬] સંલીનતા. અનશનને અર્થ અશનને ત્યાગ અર્થાત ઉપવાસ, આયંબિલ, એકાશન આદિ, ભગવાન શ્રી મહાવીરદેવે પોતાનાં ભારે કર્મો ખપાવવા માટે સાધનાકાળના ૧૨ વર્ષ, ૬ માસ અને ૧૫ દિવસમાં અર્થાત લગભગ ૪૫૦૦ દિવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52