________________
નાખે અને સંઘને એ પાયે નાખવાને રડાને તથા વિધિને જે ખર્ચ લાગે, તે પણ એમણે આપે.
શ્રી વર્ધમાન તપને પાયે નાખ્યા પછી નિપાણીમાં પૂ. મુનિ પુંગવ (હાલ પન્યાસજી) શ્રી ભદ્રંકરવિજયજી મ. ની નિશ્રામાં શ્રી ઉપધાન તપ થતાં દ-તુભાઈએ સજોડે એ તપમાં પ્રવેશ કર્યો. તેમાં પણ પતિ-પત્નીએ આયંબિલ જ કર્યા; પણ પાછળથી દતુભાઈને ખબર પડી એટલે તેમણે તે અડ્ડમના પારણે આયંબિલ કરવા માંડયાં અને એમ એ ઉપાધાનમાં તેમણે ૩૦ ઉપવાસ અને ૧૭ આયંબિલ કર્યા.
આ પછી બીજું ઉપધાન દતુભાઈએ અને તેમનાં ધર્મપત્નીએ કહાપુરમાં પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજની પવિત્ર અને તારક નિશ્રામાં કર્યું. આ ઉપધાન પણ આયંબિલ તપથી જ કર્યું. આયંબિલ તપમાં પણ એમણે ૩ર કવલ આહારને નિયમ અખંડપણે જાળવ્યો. આ ઉપધાનમાંથી દતુભાઈ નીકળ્યા, ત્યારે એમના શરીરનું વજન ઘટયું નહતું પણ બે રતલ વધવા પામ્યું હતું.
એજ ચતુર્માસ દરમ્યાનમાં શ્રી પર્યુષણ મહાપર્વ આવતાં, દતુભાઈએ પૂ. આચાર્યદેવશ્રીની નિશ્રામાં કેલ્હાપુરમાં ૧૬ ઉપવાસને તપ કર્યો હતે.
પૂ. ગુરુદેવશ્રીના શ્રીમુખે એકવાર દ-તુભાઈએ એક પુણ્યશાલીએ લાગટ છ મહિના આયંબિલને તપ કર્યાનું સાંભળ્યું, એટલે એમને પણ એ લાગટ તપ કરવાનું મન થઈ ગયું. શ્રી વર્ધમાન તપની નવ ઓળી તે થઈ હતી, એટલે તા. ૨૭-૩-૧૯૩૯ થી દ-તુભાઈએ અને તેમનાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com