Book Title: Suvas 1942 04 Pustak 04 Ank 12
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 8
________________ ૪૧૨ - સુવાસ: એપ્રિલ ૧૯૪૨ અને સાધુતાનો દંભ આચરતા ભ્રષ્ટ સંસારીઓની સંખ્યા વધી પડી. ને પરદેશી વિજેતાઓને પોતાની સલામતીના વિષયમાં પરાજિત પ્રજાને આ કાયરતાપેષક દંભ વિશેષ લાભદાયી હોઈ તેમણે તેને આડકતરું પ્રોત્સાહન આપ્યું. . કેટલાક તત્વવિવેચકે આ દેવ જેન અને બંદ્ધ ધર્મ પર ઢળે છે. પણ તે સુઘટિત નથી. જૈન ધર્મને અશય વણશ્રમ-વ્યવસ્થા ને સાંસારિક કર્તવ્યને શિથિલ બનાવવાનો નથી પણ વર્ણાશ્રમનાં અભેદ્ય બંધનેએ જે જડતા પ્રગટાવેલી તે દૂર કરીને એ બંધનને નવેસરથી સુંદર, સહ્ય ને સુઘટિત બનાવવાનો છે. પુનર્જન્મ અને પ્રતિક્રમ બંને તોની રૂએ જગતમાં દરેક માનવી સમાન કેટિનાં નથી અવતરતાં. કોઈને આત્મા વધારે વિકસિત હોય, તો કોઈ પ્રાથમિક દશામાં હોય. વધારે વિકસિત આત્માને જે વર્ણ કે આશ્રમના બંધનમાં જકડી રાખવામાં આવે તો તે રૂંધાઈ જાય. ત્રેતાયુગ કે જયારે એ બંધનેની વ્યવસ્થા જાળવનારા મહર્ષિ અને નૃપતિઓ હયાત હતા ત્યારે પણ શુદ્ર કુળમાં જંબુક સમે મહાત્મા જન્મ અને શ્રી. રામચંદ્રજીને એને વધ કરવો પડશે, ત્યારે કલિયુગમાં શું? જયારે આત્માઓની કક્ષા વધુ ને વધુ વિભિન્ન થતી જાય છે, સ્ત્રીઓના ચારિત્રમાં શૈથિલ્ય કર્યું છે, પુરુષમાં જવાબદારીનું તત્ત્વ ઘટયું છે, ત્યારે પ્રજાએ ધાર્યા પ્રમાણે શી રીતે અવતરે? યુદ્ધપ્રધાન ક્ષત્રિયકુલમાં પ્રેમ-ભકિતની પ્રતિમા સમી મીરાંબાઈ જન્મે એમાં દેષ કેને? સાંસારિક જવાબદારીઓથી ભરેલા ક્ષત્રિય, વૈશ્ય કે શુદ્રકુલમાં ત્યાગ અને ભકિત–પ્રધાન પ્રજા અવતરે ને તેને વર્ણ અને આશ્રમના બંધનમાં જે રૂંધી રાખવામાં આવે તે તેમના સહવાસથી એ વર્ણ અને આશ્રમમાં ઊલટી વધારે શિથિલતા પ્રવેશે. એ શિથિલતા દૂર કરવાને જ જૈન દુવિધ ધર્મ છે : જેને આત્મા સંસારપ્રિય હોય તે સંસાર પ્રત્યેની ફરજો બજાવે, ને જેનો આત્મા સંસાર સાથે સુમેળ ન ખાઈ શકતા હોય ત સ સારી છોડી દે, પણ વર્તમાન હિંદી પ્રજામાં શુદ્ધ હિંદુ, જૈદ્ધ અને જેન-ત્રણ આર્ય ધર્મનાં મૂળભૂત તનું વિકૃત સ્વરૂપ જ પ્રવેશી ગયું છે. છેલ્લાં એક હજાર વર્ષ થયાં પરદેશી આક્રમણકર્તાઓ અને તેમના વિચક્ષણ રાજનીતિ એ ભારતીય ધર્મોનાં મૂળભૂત તને પિષણના નામે એવું ઝેર પાયું છે કે કાયરતા ને સાધુતાને દંભજ પ્રજાનાં લક્ષણ બની રહ્યાં છે. એ લક્ષણોના આશ્રયે ઊછરેલી પ્રજાને જેન કે બોદ્ધ ધર્મ અનુસાર સંસારતો નથી અને હિંદુ ધર્મ અનુસાર સંસારને આનુષંગિક ફરજ પાળવી પણ નથી. મેહ છે સંસાર પર, અને એની સિદ્ધિને માટે આગળ ધરી છે સાધુધર્મ; સાધ્ય સંસાર ને સાધનમાં સાધુતાને દંભ: પાયે પાણીને ને ઉપર મકાન ચણવું છે પત્થરને. પરંતુ આજના વિશ્વવ્યાપી જીવન–સંગ્રામમાં ભારતીય પ્રજાએ જે જીવવું હોય તે હવે તેણે સાધુતાના દંભને તજી દઈ સત્ય રૂપમાં ઝળહળવું જ જોઈએ. શુદ્રવર્ગમાં જન્મ અને ગૃહસ્થાશ્રમની વાં છતાં શંબુકે જ્યારે બ્રાહ્મણ-વર્ગ અને સંન્યસ્તાશ્રમની ક્રિયાઓ આચરી ત્યારે શ્રી રામે તેને સ્વર્ગમાં વળા. આજે એટલા કડક ન બની શકાય તે પણ પ્રજામાંથી જેને સંન્યાસી બનવું હિંય એમને સંસારની ફરજોમાંથી મુકત કરીને ગિરિયું જેમાં વળાવી દેવા જોઈએ. પણ જેને માલ, મિલકત, સ્ત્રી, સંતાન, ભૂમિ, સંસાર વગેરે પ્રિય હેય તેણે સંસાર–ધર્મને સમજવો જોઈએ; અને એનું પાલન કરવું જ જોઈએ. સંસારનું રક્ષણ સ્વર્ગવાસી ઈશ્વર કે વનવાસી સંન્યાસી નથી કરી શકતા. જમદગ્નિને આભા ગમે તેટલે મેટા હશે, પણ કાર્તવીર્યને દૂર રાખવાને તે પરશુરામની ફરશે જોઈએ. તેમ સંસારના રક્ષણ માટે તે ક્ષત્રિયની તલવાર, વૈશ્યની તિજોરી ને શુદ્રનું હળ જોઈએ—અને એ ત્રણેને સ્વધર્મમાં દઢ સખનાર ને અંધર્મીઓને પરલકનો પત્થ દાખવનાર વણિક સમા બ્રાહ્મણ-શ્રેષ્ઠની બુદ્ધિ જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36