Book Title: Siddha Hemchandra Shabdanushasanam Part 01
Author(s): Jagdishbhai
Publisher: Jagdishbhai

View full book text
Previous | Next

Page 375
________________ ૩૪૦ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ પૂર્વપક્ષ :- સમુદાય અનર્થક છે માટે સમુદાયમાં નામસંજ્ઞાનો પ્રસંગ આવવાનો નથી. પરંતુ આ માન્યતા બરાબર નથી. તમે એ રીતે પણ સમુદાયમાં નામસંજ્ઞાનો નિષેધ થાય છે એવું કહી શકશો નહીં. લોકમાં અવયવના ધર્મોનો પણ સમુદાયમાં વ્યવહાર કરાતો જોવાય છે. લોકમાં એવું કહેવાય છે કે, આ નગર ધનવાનું છે. આ નગર ગાયોવાળું છે. ખરેખર તો આવા સ્થળોમાં નગરમાં બધા જ ધનવાનો હોતા નથી તેમજ બધા જ લોકો ગાયોવાળા પણ હોતા નથી. કેટલાક લોકો જ ધનવાનો હોય છે અને કેટલાક લોકો જ ગાયોવાળા હોય છે. છતાં પણ એવા લોકોની અપેક્ષાએ સમુદાય સ્વરૂપ આખા નગરને પણ ધનવાનું અથવા ગાયોવાળું કહેવામાં આવે છે. વળી, લોકમાં અવયવ જ અર્થવાનું હોય છે અને સમુદાય તો અર્થવાનું હોતો જ નથી. લોકો ધનવાનું હોઈ શકે પરંતુ નગર ક્યારેય પણ ધનવાનું હોઈ શકતું નથી. આથી અવયવનો અર્થ માનીને જ સમુદાય સ્વરૂપ નગરને પણ ધનવાનું માનવામાં આવે છે. એ જ પ્રમાણે અહીં તામિનિ વગેરે સમુદાયમાં પૃથ– પૃથ– પદો અર્થવાનું છે અને અવયવના ધર્મથી જ જો સમુદાયમાં વ્યવહાર થાય તો રશ ટ્રામિનિ સ્વરૂપ સમુદાય પણ અર્થવાનું કહેવાશે. આથી જ અર્થવાનું એવા સમુદાયની નામસંજ્ઞા થાય જ છે. (शन्या०) नैवम्-लोके चावयवा एवार्थवन्तो न समुदायाः, अतश्चावयवा एवार्थवन्तो न समुदायाः-यस्य तद् द्रव्यं भवति स तेन कार्यं करोति; यस्य च ता गावो भवन्ति स तासां क्षीरं घृतमुपभुङ्क्ते अन्येन तद् द्रष्टुमप्यशक्यम् । का तीयं वाचोयुक्तिः "आढ्यमिदं नगरम्, गोमदिदं नगरम् ?' । एषैषा वाचोयुक्तिः (एषा या वाचोयुक्तिः, सैषा एतत्प्रमाणा इत्यर्थः) लोकेऽवयवधर्मस्य समुदाये उपचारो मुख्याभावाद्, इह तु मुख्येऽर्थे संभवत्युपचरितकल्पनायां प्रमाणाभावः । अथवा नात्राप्यवयवधर्मेण समुदायव्यपदेशः, किं तर्हि ? दंण्ड्यादिवद् यौगिको व्यपदेशः, आढ्याः सन्त्यस्मिन्निति अभ्रादित्वादकारे आढ्यमिदम्, गोमन्तोऽस्मिन् सन्तीति “પૂત રૂં” [૭.૨.૧૬] તિ રૂfખ પૃષોદ્રાવિત્વાન્ તસ્કૃ િવે વિટું પ્રયો: I गौत्रिकादिसिद्ध्यर्थं च 'अतः' इति तत्र योगविभाग आश्रयितव्यः, गवां समूहो गोत्रा, साऽस्मिन्नस्तीति गौत्रिकम् ।। અનુવાદ - ઉત્તરપક્ષ :- લોક દષ્ટાંતથી પણ એવું જ જણાય છે કે, અવયવો અર્થવાનું હોય છે. પરંતુ સમુદાય અર્થવાનું હોતો નથી. જેનું જે ધન હોય છે તે ધનથી તે વ્યક્તિનું જ કાર્ય થાય છે. બીજી કોઈ વ્યક્તિનું કાર્ય થઈ શકતું નથી. આથી નગર એ ધન સંબંધી કાર્ય કરી શકતું નથી. વળી જેની પાસે ગયો હોય છે તે જ દૂધ અને ઘી મેળવી શકે છે. પરંતુ બીજા કોઈ તો ગાય અને દૂધને દોહી શકતાં પણ નથી. હવે સમુદાય સ્વરૂપ જે નગર છે એને કાંઈ ગાયના

Loading...

Page Navigation
1 ... 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412