Book Title: Siddha Hemchandra Shabdanushasanam Part 01
Author(s): Jagdishbhai
Publisher: Jagdishbhai

View full book text
Previous | Next

Page 409
________________ ૩૭૪ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ આલંબન લેવામાં આવે છે તે સ્ત્રી, પુરુષ, નપુંસક વગેરે લિંગ કહેવાય છે. આથી સર્વનામ જેમાં સ્થિત છે તે “સર્વનામસ્થાન” કહેવાય છે. આથી, ‘શિ’ સિવાયનાં અન્ય સ્વાદિ વિભક્તિના સ્વરથી શરૂ થતાં પ્રત્યયો સર્વનામસ્થાન સંજ્ઞાવાળા થશે નહીં. અહીં ખરેખર ‘તેન કમિન સર્વનામસ્થાન ર તિકૃતિ’ આવવું જોઈએ, છતાં અહીં ‘સર્વનામ ન તિષ્ઠતિ' લખ્યું છે. આ પ્રયોગ પણ સાચો જ છે. કારણ કે કોઈક સ્થાનમાં એકદેશની નિવૃત્તિ થવાથી પણ સંપૂર્ણ શબ્દનો જ બોધ થાય છે. આથી સર્વનામ શબ્દ ઉપરથી પણ સર્વનામસ્થાનનો જ બોધ થશે. જ્યાં સર્વનામસ્થાનસંજ્ઞા નથી રહેતી તેવાં પ્રત્યયોથી (પુલિંગ, સ્ત્રીલિંગમાં સિદ્ધહેમ પરિભાષા પ્રમાણે અઘુટુ પ્રત્યયો તેમજ નપુંસકમાં પણ અઘુટું સ્વરાદિ પ્રત્યયો) “ઉપલેષ:' પ્રયોગમાં “નો અભાવ સિદ્ધ થાય છે. પાણિનીજીએ સર્વનામસ્થાનસંજ્ઞાથી ભિન્નની “”સંજ્ઞા કરી છે. ‘૩૫+સતિ (ભૂતસામાન્યમાં). હવે ‘ઉપ+ વસ્' (૩/૨/૧૦૭) સૂત્રથી “ તિનો ‘વસ્' થાય છે. હવે, “વચ્ચેનોસામ્' (૭/૨/૬૭) સૂત્રથી ‘’ના આગમની પ્રાપ્તિ હતી, છતાં પણ વો: સંપ્રસારણમ્' (૬/૪/૧૩૧) સૂત્રથી ‘વસ્તાતિ' નિમિત્તનો અભાવ થયે છતે અત્યારે પણ ‘’ થતો નથી. એ લોકો માને છે કે ભવિષ્યમાં જેના નિમિત્તનો અભાવ થવાનો છે એવા કાર્યને પ્રથમથી જ ન કરવાં એ વધારે સારું છે. જે પ્રમાણે ‘પદ્વપક્ષનન’ ન્યાય પ્રમાણે પહેલાં કીચડમાં ખરાબ થઈને પછી સાફ કરવાને બદલે કાદવનો સ્પર્શ ન કરવો એ વધારે સારું છે. હવે ‘૩૫+સર્વત્' આ અવસ્થામાં ‘ગત પદHÀડનાશક્તિટિ (૬/૪/૧૨૦) સૂત્રથી ‘સનાં ‘'નો ઈ' થવાથી ‘૩૫+સે+વ+{ તથા વસો: સંપ્રસારણમ્' (૬/૪/૧૩૧) સૂત્રથી ‘વણ'નો ‘મ્' થતાં ‘ઉપસેલુષ:' રૂપની સિદ્ધિ થશે. આ પ્રમાણે ‘પs:' રૂપની સિદ્ધિ કરવા માટે પાણિનીજીએ સર્વનામસ્થાન સંજ્ઞા જેવી મોટી સંજ્ઞા કરવી પડી અને આ મોટી સંજ્ઞા કરીને પણ પાણિનીજીએ ‘મતવ્હી: પગનીયા:' ન્યાયનો સહારો (જ્યાં બહિરંગ શાસ્ત્રો દ્વારા આગળ જતાં અંતરંગ શાસ્ત્રોના નિમિત્તના વિનાશની સંભાવના હોય ત્યાં અંતરંગ શાસ્ત્ર પ્રવૃત્તિવાળું થતું નથી.) તો લેવો જ પડ્યો છે. આમ, મોટી સંજ્ઞા કરવા દ્વારા ન્યાય વગર ‘૩પસેતુષ:' રૂપની સિદ્ધિ પાણિનીજી કરી શક્યા નથી. જયારે પૂ. આચાર્યભગવંતશ્રી હેમચંદ્રસૂરીશ્વરજીએ ઘુટુ એ પ્રમાણે લઘુસંજ્ઞા કરીને પણ “ઉપસેતુષ:' રૂપની સિદ્ધિ કરી છે. અને પૂજય હેમચંદ્રાચાર્યને તો વ્યંજનાદિ સ્વરૂપ માનીને ‘’નો આગમ થયો હતો તે ‘વસ્' પ્રત્યયનો ‘૩૬' આદેશ થતાં વ્યંજનાદિ નિમિત્તનો અભાવ થવાથી સ્વયં જ નિવર્તન પામે છે. (નિમિત્તમ નૈમિત્તિક્ષ્ય મા સમાવ:) જેમ છત્રને કારણે છાયાની પ્રાપ્તિ થઈ હોય એ છત્ર દૂર થતાં દૂર થાય છે તેમ અહીં પણ “નાં અભાવ માટે સમજવું.

Loading...

Page Navigation
1 ... 407 408 409 410 411 412