Book Title: Siddha Hemchandra Shabdanushasanam Part 01
Author(s): Jagdishbhai
Publisher: Jagdishbhai

View full book text
Previous | Next

Page 382
________________ સૂ૦ ૧-૧-૨૭ ३४७ “વ” નામની વ્યક્તિવડે બોલાયેલ “જ” શબ્દ અનુકરણ” સ્વરૂપ છે. હવે,. આ “વ” નામની વ્યક્તિવડે બોલાયેલ અનુકરણવાચક “” શબ્દની નામસંજ્ઞા થાય કે કેમ ? એવી શંકાનાં સમાધાન માટે “આચાર્ય ભગવંતે” બ્રહવૃત્તિમાં પંક્તિઓ લખી છે કે જ્યારે અનુકાર્ય અને અનુકરણવાચક શબ્દોમાં સ્યાદ્વાદનાં આશ્રયવડે અભેદ વિવક્ષા કરવામાં આવે ત્યારે અર્થવાનપણાંનો અભાવ થવાથી નામસંજ્ઞા થતી નથી. દા.ત. “વ” નામની વ્યક્તિ “જો તિ ૩યમ્ દુ" એ પ્રમાણે “ક” નામની વ્યક્તિને કહી રહી છે, ત્યારે અનુકરણવાચક એવાં “જો" શબ્દને નામસંજ્ઞા થતી નથી. ઉત્તરપક્ષ - આ સંદર્ભમાં અમે કહીએ છીએ કે, શક્તિની વિકલતાથી બોલાયેલાં એવો “” શબ્દ ખરેખર અશુદ્ધ છે અને એ અશુદ્ધ શબ્દનું અનુકરણ પણ અશુદ્ધ જ છે. અહીં અનુકાર્ય અને અનુકરણ વચ્ચે અભેદની વિવક્ષા હોવાથી શક્તિની વિકલતાથી બોલાયેલો “ો' શબ્દ જે અનુકાર્ય સવરૂપ છે અને તે જો અશુદ્ધ હોય તો તેની સાથે જ અભેદપણે રહેલ હોય એવો અનુકરણવાચક “” શબ્દ પણ અશુદ્ધ જ છે. અનુકાર્યમાં જો અર્થવાનપણાંનો અભાવ થાય (અનુકાર્ય સ્વરૂપ “જો" શબ્દ અશુદ્ધ હોવાથી) તો અનુકરણવાચક શબ્દમાં પણ અર્થવાનપણાંનો અભાવ થશે. આ સંજોગોમાં અનુકરણવાચક નામોની નામસંજ્ઞા થશે નહીં. પૂર્વપક્ષ:- જો અનુકાર્ય સ્વરૂપ “” શબ્દ અશુદ્ધ છે તો પછી એ અશુદ્ધ એવા “” શબ્દથી સાસ્ના, ખૂરાં, ખાંધ, પૂછડું વગેરેવાળો સાચો ગાય પદાર્થ કેવી રીતે જણાય છે? તથા અશુદ્ધ એવા “” શબ્દથી પણ શુદ્ધ “જ” શબ્દનો અર્થ જણાતો હોય તો અનુકાર્યમાં અર્થવાનપણાંનો અભાવ કેવી રીતે થાય? અને અનુકાર્ય સ્વરૂપ “જો શબ્દમાં જો અર્થવાનુપણાનો અભાવ ન થાય તો અનુકરણ સ્વરૂપ “જો” શબ્દમાં પણ અર્થવાનપણાંનો અભાવ કેવી રીતે થાય? જેથી અનુકરણવાચક શબ્દમાં તમે નામસંજ્ઞાનો અભાવ કહો છો. (श०न्या० ) सत्यम्-असाधुशब्दादर्थप्रतीतिः साधुशब्दद्वारेण, न साक्षात् । तथाहि-असाधुशब्दः श्रूयमाणः साधुशब्दस्य स्मारयन्नर्थप्रतीति जनयति, नह्यसाधुशब्दस्य विशिष्टेऽर्थे संकेतोऽस्ति, न चासंकेतितः शब्दोऽर्थं प्रतिपादयति, अतिप्रसङ्गाद् इति कथं तेनाभिन्नस्यानुकरणस्यार्थवत्त्वम् ? । ઉત્તરપક્ષ - અસાધુ એવા અનુકાર્ય સ્વરૂપ “જો" શબ્દથી જે શુદ્ધ અર્થની પ્રતીતિ થાય છે. એ સાધુ શબ્દ દ્વારા જ થાય છે, પરંતુ સાક્ષાત્ અશુદ્ધ શબ્દથી અર્થની પ્રતીતિ થતી નથી, તેની પ્રક્રિયા આ પ્રમાણે છે. જ્યારે અસાધુ શબ્દ સંભળાય છે ત્યારે એ અસાધુ શબ્દ, સાધુ શબ્દનું સ્મરણ કરાવે છે અને એ સાધુ શબ્દ દ્વારા જે અર્થ જણાય છે એ અર્થને અશુદ્ધ શબ્દનો અર્થ

Loading...

Page Navigation
1 ... 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412