Book Title: Siddha Hemchandra Shabdanushasanam Part 01
Author(s): Jagdishbhai
Publisher: Jagdishbhai

Previous | Next

Page 391
________________ ૩પ૬ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ પદસંજ્ઞા પણ થાત નહીં. માટે નામસંજ્ઞા અર્થવાપણાના અભાવમાં ન થાય તો કોઈ આપત્તિ નથી જ. પૂર્વપક્ષ :- નામસંજ્ઞા હોતે છતે પણ એકત્વ વગેરેના અભાવમાં દ્રિનો અભાવ થાય છે, એ પ્રમાણે કહેવું નહીં. કારણ કે નાના પ્રથમ (૨૨/૩૧) સૂત્રમાં આટલો વિભાગ કરવાથી જ નક્કી થાય છે કે માત્ર નામસંજ્ઞાથી પણ સ્થાત્રિ વગેરે વિભક્તિઓ થશે જ, અને અહીં તો અને નિ ઉપસર્ગમાં અર્થવાનુપણું ન થવાથી નામસંજ્ઞાના અભાવમાં વ્યક્તિ વિભક્તિનો અભાવ થાય જ છે. (श०न्या०) तथेदमपि न वाच्यम्-आचार्यप्रवृत्तेरनर्थकानामप्येषां भवत्यर्थवत्कृतम्, यदयम्-अधिपर्योरनर्थकयोः “गतार्थाधिपरि०" [३.१.१.] इति समाससंज्ञानिषेधार्थं गत्युपसर्गसंज्ञानिषेधं शास्ति इति । અનુવાદઃ- ઉત્તરપક્ષ:- ધાતો પૂજ્ઞાર્થ-સ્વત-તાથધર.. [૩/૨/૨] સૂત્રથી અનર્થક એવા ધ અને પરિની ઉપસર્ગસંજ્ઞાનો નિષેધ આચાર્ય ભગવંતે કર્યો છે. તેમજ પછીના સૂત્રથી ગતિસંજ્ઞાનો નિષેધ કર્યો છે. એ નિષેધ એ માટે જ કર્યો છે કે અનર્થક એવા ધ અને પરિ અર્થવાળા પહેલા હતા અને અર્થવાળા હોવાથી ઉપસર્ગ વગેરે સંજ્ઞાઓની પ્રાપ્તિ થતી હતી. ધ : અને પરિનું વર્જન કર્યું છે એ જ જણાવે છે કે તેઓનું અર્થવાપણું પહેલાં તો હતું જ. આમ, “ધ” અને “ર” ઉપસર્ગનું અર્થવાપણું તો હતું જ. આ અર્થવાનું એવા તે બંનેની ઉપસર્ગસંજ્ઞાનો નિષેધ (૩/૧/૧) સૂત્રમાં કર્યો. નિષેધ કરવાથી બંને ઉપસર્ગો અનર્થક થયા, અનર્થક થયા માટે ઉપસર્ગસંજ્ઞા ન પડી અને ઉપસર્ગસંજ્ઞા ન થવાથી ગતિસંજ્ઞા પણ ન થઈ તથા ગતિસંજ્ઞા ન થવાથી ગતિ તપુરુષ સમાસ પણ થશે નહીં. આમ, અર્થવાનું હોય તો જ તેઓને અનર્થક કરવા માટે કોઈ પુરૂષાર્થ કરવો પડે તે આચાર્ય ભગવંતશ્રીની (૩/૧/૧) સૂત્રની પ્રવૃત્તિથી જણાય છે. પૂર્વપક્ષ - આ પ્રમાણે કહેવા યોગ્ય નથી. આ પ્રમાણે શા માટે કહેવા યોગ્ય નથી? એના અનુસંધાનમાં “ચંદ્રયમ્ ધારનર્થો....” પંક્તિઓ લખી છે. ખરેખર “ધ” અને “" પહેલાં અર્થવાળા હતા અને તેનો નિષેધ કરવા દ્વારા અનર્થક થયા એને માટે (૩/૧/૧) સૂત્ર છે જ નહિ. ખરેખર તો “ધ” અને “રિ' બંને ઉપસર્ગો અનર્થક જ છે. હવે અનર્થક એવા આ બે ઉપસર્ગોની ગતિસંજ્ઞા થઈ જાય તથા ગતિસંજ્ઞા થાય તો “તિવવજેતપુરુષ:” (૩/૧/ ૪૨) સૂત્રથી ગતિ તપુરુષ સમાસ થાત, પરંતુ આ પ્રમાણે ગતિ તપુરુષ સમાસ કરવો નથી. હવે જો ગતિ તપુરુષ સમાસ ન કરવો હોય તો એ બંનેમાં ગતિસંજ્ઞાનો નિષેધ કરવો પડે તથા ગતિસંજ્ઞાનો નિષેધ કરવો હોય તો ઉપસર્ગસંજ્ઞાનો નિષેધ કરવો પડે. આમ અનર્થક એવા આ

Loading...

Page Navigation
1 ... 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412