Book Title: Shrimad Rajchandra Prerak Prasango
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 76
________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો થતો. તે વખતે ઓફિસમાં સ્વતંત્રપણે મારે કામ કરવામાં આવતું હોવાથી શ્રીમદ્ભુને ગાદી તકિયાની જુદી બેઠક સાથે તેમને અનુકૂળ પડતા કાગળ ક્લમ વગેરે સંજોગો કરી આપી તેમના કામમાં અડચણ ન પડે તેવી ગોઠવણ કરી હતી. ઓફિસમાં બેઠા અનેક પુસ્તકો અને ગ્રંથોનું અવલોકન તેઓશ્રી કરતા. તેમજ કવિતા વગેરે લખાણનું કામ પણ કરતા હતા. પર શૂરાતનવાળી કવિતાઓની રચના તેઓએ એક વખત પ્રવીણસાગર ગ્રંથ વાંચતા રજપૂતોના શુરાતન વિષેની કેટલીક કવિતાઓ ઝાક ઝમકવાળી બનાવી. તથા બીજી પણ કેટલીક કવિતાઓ તેમણે વીરરસની બનાવી હતી. તેમાંથી એક ગાથા નીચે પ્રમાણે છે :— “ઢાલ ઢલકતી ઝબક ઝળકતી, લઈ ચળકતી કર કરવાલ, ખરેખરા ખૂંદે રણમાં ત્યાં, મૂછ મલકતી, જગતું ભાલ; વેરીને ઘેરી લેતા ઝટ, ભરતભૂમિના જય ભડવીર, અરે ! અરેરે ! આજ ગયા ક્યાં? રઢિયાળા એવા રણધીર." શ્રીમદ્ પાસે સૂત્રનું શ્રવણ મારા પિતાશ્રી પોપટભાઈને સૂત્રોનો શોખ હોવાથી શ્રીમદ્ પાસે તેઓ સૂત્ર સાંભળવા અમુક ટાઈમ નક્કી કરી વખતોવખત શ્રવણ કરતા. તેથી એમને ઘણો સંતોષ થયો હતો. અમે પિતાપુત્રનો તેમના પ્રત્યેનો ઠ વધતો ને વધતો જતો હોવાથી અમારે ત્યાં વખતોવખત જમવાનું તથા સૂવા બેસવાનું પણ રાખવામાં આવતું. સમજી શકીએ એવી શૈલીમાં ‘મોક્ષમાળા'નું સર્જન એક વખત જમવા બેઠા ત્યારે અમુક શાકમાં મીઠું છે કે અમુક મોળું છે કે અમુક શાકમાં મીઠું નથી વિગેરે નજરે જોઈ કથી આપ્યું હતું. એવા અનેક દાખલા અમારા પરિચયમાં જોવામાં આવેલ. મેં એક વખત વિનંતી કરી કે અમો સૂત્રમાં સમજી શકતા નથી; તો અમો સમજી શકીએ એવી શૈલીના સૂત્રના સારરૂપ પુસ્તકો રચી અમારાથી વાંચી મનન થાય તેવા પ્રગટ કરવા કૃપા કરો. તે અરજ ઉપરથી એકથી ચાર પુસ્તકો રચી તૈયાર કરવા પોતાનો ઈરાદો જણાવ્યો. પુસ્તકો છપાવવા માટે પૈસાની મોટી રકમ જોઈએ તે માટે અમારા વડીલ મુરબ્બી શ્રી કિરતચંદ વખતચંદના ધર્મપત્ની માણેકબાઈ અને અમારા મોટાભાઈ ચત્રભુજભાઈએ મળી ગોઠવણ કરવાથી ‘મોક્ષમાળા’નામનું પહેલું પુસ્તક બહાર પાડ્યું હતું, 'સાક્ષાત્ સરસ્વતી'નું પ્રકાશન આવી અગાધ બુદ્ધિના સંજોગો જોઈ મારી ઇચ્છા તેમની વિદ્વતાની પ્રખ્યાતિ કરવા ઉત્કંઠા થવાથી ‘સાક્ષાત્ સરસ્વતી’ નામનું પુસ્તક સંવત્ ૧૯૪૩ની સાલમાં મેં બહાર પાડ્યું. જે ઉપરથી અન્ય ધર્મના અનુયાયી તેમજ સ્વધર્મવાળાએ તે પુસ્તકને અતિશયોક્તિવાળું ગણી અમને પરિષહ દેવામાં બાકી રાખી નહોતી પણ છેવટે જેમ જેમ તેમને શ્રીમદ્ભુનો પરિચય થયો, તેમ તેમ ખાત્રી થઈ હતી. આત્માને સુધારવા રાગદ્વેષ વગેરે ઘટાડવાનો ઉપદેશ એક વખત અત્રે ઉપાશ્રયથી પ્રતિક્રમણ કરી તેમની પાસે ગયો ત્યારે કહે કે તમે પ્રતિક્રમણ કરી

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236