Book Title: Shrimad Rajchandra Prerak Prasango
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 130
________________ શ્રીમદ્ અને લઘુરાજ સ્વામી હતા. સુરતમાં વેદાંતના જાણકાર ઘણા ભાઈઓ હતા, તે તેમના સમાગમમાં આવવાથી અને વેદાંતના વિશેષ વાચનથી શ્રી દેવકરણજી પોતાને પરમાત્મા માનવા લાગ્યા. તે વાત મેં પરમકૃપાળુદેવને નિવેદન કરી એટલે એકાંતવાદમાં ન તણાઈ જવા માટે દેવકરણજીને “ઉત્તરાધ્યયન' આદિ જૈનસૂત્રોનું પુનરાવલોકન કરવા સૂચવ્યું. (વચનામૃત પત્રાંક પ૮૮) મારા ઉપર લખી દેવકરણજીને ઠેકાણે લાવવા માટે ઉપદેશ આપ્યો છે. આવા પ્રસંગોમાં માથે ગુરુ હોય તો ગુરુકૃપાથી જીવ બચી શકે છે; નહીં તો પોતાને પોતાના દોષો સૂઝતા નથી અને દોષોને ગુણ માની દોષોમાં જીવ મગ્ન રહે છે. સ્વચ્છેદથી કરે તે બધું અભિમાના અહીં સુરતમાં દેવકરણજી અમારી સાથે ધ્યાન કરતા, માળા ફેરવતા અને વ્યાખ્યાન કરતા. વ્યાખ્યાન સાંભળી શ્રોતાઓના મનમાં પ્રેમ આવવાથી નીચે આવી મને જણાવતા કે આજે તો દેવકરણજી મહારાજે વ્યાખ્યાન બહુ સારું વાંચ્યું; આવી પ્રશંસા શ્રોતાવર્ગના મુખથી સાંભળી, દેવકરણજી ઉપરથી નીચે આવે ત્યારે હું કહેતો કે આજે વિશેષ અભિમાન કર્યું. અને ધ્યાન કરી રહ્યા પછી હું કહેતો કે તમે તરંગ કરો છો. દેવકરણજી કંઈ ઉત્તર આપતા નહીં. પણ પરમકૃપાળુદેવ સુરત પઘારેલા ત્યારે મુનિઓ પાસે આવ્યા. તે વખતે દેવકરણજીએ પ્રશ્ન પૂછ્યો કે “મહારાજશ્રી મને વ્યાખ્યાન આપી આવું ત્યારે અભિમાન કર્યું કહે છે, અને ધ્યાન કરું છું તેને તરંગરૂપ કહે છે તો શું વીતરાગ પ્રભુ એમનું કરેલું સ્વીકારે અને અમારું ન સ્વીકારે એવા પક્ષપાતવાળા હશે?” પરમકૃપાળુદેવે શાંતિથી કહ્યું : “સ્વચ્છેદથી જે જે કરવામાં આવે છે તે સઘળું અભિમાન જ છે, અસત્ સાધન છે. અને સદ્ગુરુની આજ્ઞાથી જે કરવામાં આવે છે તે કલ્યાણકારી, ઘર્મરૂપ સત્ સાઘન છે.” આથી પ્રથમ હું જે વાત કહેતો હતો તે દેવકરણજીને સત્ય લાગી. મને પરમકૃપાળુદેવના વચનામૃત વાંચવાની ઇચ્છા થવાથી શ્રી અંબાલાલભાઈએ પરમકૃપાળુદેવને પૂછાવી એક હસ્તલિખિત પુસ્તક મોકલ્યું. સુરત ચાતુર્માસ પૂર્ણ થયે અમે શેષકાળ નિર્ગમન કરવા કઠોર ક્ષેત્રે રહ્યા હતા. ત્યાં શ્રી લલ્લુજીએ સં.૧૯૫૧માં સત્તર ઉપવાસ કર્યા હતા. જીવનકળા પૃ.૧૭૫) આત્મજ્ઞાન મેળવવું હોય તો વિનય નમસ્કાર કરવા પડે સંવત્ ૧૯૫૧માં પણ પરમકૃપાળુદેવનો સમાગમ કઠોરમાં અમને થયો. તેઓશ્રી કઠોર ઉપાશ્રયના મેડા ઉપરના ભાગમાં જ ઊતર્યા હતા. તેથી ઉપર જતાં પહેલાં મેં દેવકરણજીને કહ્યું કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની ઇચ્છા હોય તો વિનય નમસ્કાર આદિ કરવા પડે. દેવકરણજીએ કહ્યું કે “આપણે બે મુનિઓ જ જઈએ તો હું નમસ્કારાદિ કરીશ.” તેથી ચતુરલાલજીને નીચે રાખી અમે બન્ને ઉપર ગયા. અને વિનય નમસ્કારાદિ કરી પરમકૃપાળુદેવના ચરણકમળ પાસે બેઠા. કૃપાળુદેવે અમોને ઉત્તમ બોઘરૂપી પ્રસાદીથી તૃત કર્યા. પરમકૃપાળુ દેવના સમાગમથી ચતુરલાલજી પણ બુઝયા તે વખતે નીચે રહેલા શ્રી ચતુરલાલજી મુનિને વિચાર થયો કે લાવને દાદરમાં જઈને જોઉં તો ખરો કે તે શું કરે છે? એમ ઘારી દાદરમાં જઈને ગુપ્ત રીતે ડોકિયું કરી જોયું તો બન્ને મુનિઓ નમસ્કાર કરતા

Loading...

Page Navigation
1 ... 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236