Book Title: Samyag Darshan
Author(s): Ramchandrasuri
Publisher: Jain Pravachan Pracharak Trust

View full book text
Previous | Next

Page 7
________________ સમ્યગ્રદર્શનની ભવ્યતાનું પણ જ્ઞાન જોઈએ અને આવેલ સમ્યગૂદશનને સ્થિર કરવાનું પણ જ્ઞાન જોઈએ. સ્થિર સમ્યગદર્શનને નિર્મળ બનાવવાનું પણ જ્ઞાન જોઈએ અને એને મલિન બનાવનારા નું પણ જ્ઞાન જોઈએ અને આવા સમ્યગદર્શનને પામેલા, નહિ પામેલા અને સમ્યગ્દર્શનને પામી તેને વમી ગયેલા આત્માની સ્થિતિનું પણ જ્ઞાન જોઈએ. આ રીતે સમ્યગદર્શનને સ્પર્શતી અનેક વસ્તુઓનું જ્ઞાન મેળવવા માટે આ “સમ્યગ્દર્શન” પુસ્તક અત્યંત ઉપકારક બનશે એવું આ લેખકનું નમ્ર મંતવ્ય છે. પુસ્તકની ભાષા અત્યંત સરળ છે. એમાં રજુ કરાયેલા ગહન પદાર્થોની છણાવટ એવી સુંદર અને સરળ શિલીમાં કરવામાં આવી છે કે–તે સામાન્ય મતિવાળા કે વિશેષ મતિ ધરાવતા સૌ કઈ જિજ્ઞાસુઓ માટે એક સરખું ઉપકારક બનશે તેમાં શંકા નથી. આ ગ્રંથમાં આત્માની ગાઢ મિથ્યાત્વયુક્ત અવસ્થાથી માંડીને નિર્મળ સમ્યગુદનયુક્ત પ્રત્યેક અવસ્થાઓનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું હેઈને તેમાં મિથ્યાત્વ, તેના પ્રકારે, મિથ્યાદષ્ટિપણાની અવસ્થા, મિથ્યાષ્ટિ આત્માના વિકલ્પ તેમજ સમ્યક્ત્વ, તેના પ્રકાર, સમ્યગૃષ્ટિના સુવિકલ્પ આદિ અનેક વિષયોને આવરી લેવામાં આવ્યા છે. એ જ રીતે કુદેવ–કુગુરુ–દુધર્મનું સ્વરૂપ, તેની અપકારકતા તેમજ સુદેવ–સુગુ—સુધર્મનું સ્વરૂપ અને તેની ઉપકારકતાનું પણ સુંદર રીતે વર્ણન કરવામાં આવ્યું છે. આ ગ્રંથરત્નનું મહત્વ જેમ તેમાં વર્ણવાયેલા અનુપમ વિષયને આભારી છે, તેમાં તેનું મહત્વ જે મહાપુરુષની અમૃતસમી ઉપદેશધારાનું એ સર્જન છે, તે પરમપ્રભાવક પૂજ્યપાદ પ્રવચનકારશ્રીજીની પ્રતિભાસંપન્ન છણાવટને પણ એટલું જ આભારી છે. એ ઉપદેશધારાની અમીવર્ષા કરનારા છે પૂજ્યપાદ ગચ્છાધિપતિ, વ્યાખ્યાન વાચસ્પતિ, આચાર્ય ભગવંત, શ્રીમદ્વિજયરામચન્દ્રસૂરી. Aવરજી મહારાજા કે જેઓ જૈનશાસનના વર્તમાન યુગના Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 540