Book Title: Samyag Darshan
Author(s): Ramchandrasuri
Publisher: Jain Pravachan Pracharak Trust

View full book text
Previous | Next

Page 499
________________ ૪૮૦] સમ્યગુર્શન-૨ સ્થિર કરે તેનું નામ સ્થિરીકરણ. કોઈપણ આત્માને ધર્મમાં સ્થિર કરવા જેટલું બને એટલું કરવું, પરંતુ કેઈ ખસી જાય, ચલવિચલ. થઈ જાય, એવા શબ્દપ્રચાગ પણ ન કરવા જોઈએ. ધર્મ લેવા આવનારને ધર્મની કઠિનતા જરૂર સમજાવાય પણ તે એવી રીતે સમજાવાય કે જેથી એ આત્મા ધર્મથી જરા પણ પરાભુખ ન બને. સંયમ લેઢાના ચણા ચાવવા જેવું છે, તલવારની ધાર પર ચાલવા જેવું છે, રેતીના કેળિયા ભરવા જેવું છે–આવાં શાસ્ત્રીય વચને પણ. આવનારને તરત જ–સંયમની સમુખ બનાવ્યા વિના જ જે કહેવામાં આવે તે એ કહેનાર ખરેખર “સ્થિરીકરણ” નામના છઠ્ઠા દર્શનાચારને પાલક નહિ પણ ભંજક ગણાય. શ્રી શ્રેણિક મહારાજા પાસે આવીને જ્યારે શ્રી શાલિભદ્રજીની માતા કહે છે કે-“મહારાજા ! મારે શાલિભદ્ર સંયમ લે છે” ત્યારે શ્રેણિક મહારાજા આશ્ચર્ય પૂર્વક કહે છે-કે એ એક દિવસ જે શાલિભદ્ર મારા ખેાળામાં માત્ર જરાવાર બેસવાથી પણ અકળાઈ ગયે હતું, મારા શ્વાસે છુવાસની ગરમી પણ ખમી શક ન હતું, એટલા માત્રમાં જે પસીનાથી રેબઝેબ થઈ ગયું હતું અને આંખમાં પાણી આવી ગયાં હતાં તે શાલિભદ્ર સંયમ લે છે ? કે પુણ્યશાળી !” મા કહે છે કે-“હા મહારાજ ! તે જ શાલિભદ્ર. પણ આજે હવે તે, તે શાલિભદ્ર રહ્યો નથી. આજને શાલિભદ્ર જુદો છે. શ્રી શ્રેણિક મહારાજા વિચારે છે કે-આ ભેગી, આલેકમાં પણ દેવતાઈ સુખ ભોગવનાર, સંચમ લેવાને તૈયાર થયે છે એ શ્રી જિનેશ્વરદેવના શાસનની બલિહારી છે. માતાને કહે છે કે- પધારો ! એને દીક્ષા મહોત્સવ તમારે નહીં, પણ મારે કરવાનો છે. બધી સામગ્રી તૈયાર કરવા માટે હું હુકમ કરું છું. તમારી પેઠે જ હું આવું છું.' - મેટે શિક્ષાપાઠ - શ્રી શ્રેણિક મહારાજા તરત શાલિભદ્રજીની પાસે ગયા. ત્યાં જઈને એમ ન કહ્યું કે-આ શું? તારા જેવા સુકમળથી ચારિત્ર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540