________________
૨૪૦ .
સંબોધ પ્રકરણ
સચિની જેમ આત્મામાં તે તે અનુષ્ઠાન કરવાની રુચિરૂપ “આજ્ઞારુચિસમકિતને પ્રગટાવે છે. કહ્યું પણ છે કે
गुरुपारतंतनाणं, सद्दहणं एयसंगयं चेव । एत्तो उ चरित्तीणं मासतुसाईण निद्दिद्वं ॥१॥
(પંચાશ, -૦૭) ભાવાર્થ– “ગુરુપરતંત્રતા જ જ્ઞાન અને શ્રદ્ધા છે, કારણ કેગુરુ આજ્ઞાનું પાલન એ જ જ્ઞાનનું ફળ છે, એ જ જ્ઞાનની સફળતા છે; શ્રદ્ધા પણ તેવા જ્ઞાનની સહચરી છે; માટે જ વિશિષ્ટ જ્ઞાન વિનાના (અતિ જડ) માષતુષ વગેરેને તેઓ ગુરુને સમર્પિત થયેલા હોવાથી જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્ર ત્રણેય કહ્યાં છે. વાસ્તવમાં તેવો જીવો ગુરુઆજ્ઞાનો પાલક હોવાથી ગુરુના જ્ઞાનદર્શનનું ફળ તેને મળે જ છે.”
અર્થાતુ-જો જ્ઞાનરહિત જીવ પણ ગુરૂઆશામાં વિશ્વાસ રાખી તેમના વચનને અનુસરે, તો તેને જ્ઞાન અને દર્શન પ્રગટે છે, એમ કેવળ આજ્ઞાની રુચિથી અનુષ્ઠાન કરનારા જીવમાં પણ પરિણામે તે વિષયનું જ્ઞાન-શ્રદ્ધા પ્રગટે છે, માટે તેને આજ્ઞારુચિ-સમ્યક્ત્વ કહ્યું છે. અહીં દેશથી રાગ-દ્વેષમુક્ત છદ્મસ્થ ગુરુનું વચન પણ સર્વથા રાગ-દ્વેષમુક્ત થયેલા કેવલી ભગવાનના વચનને અનુસારે હોય છે, જેથી તેમાં પણ અપ્રમાણિકપણાની શંકા થવાનું કારણ નહિ હોવાથી તે દરેક વિષયમાં સત્યની રુચિ કરાવનારું બને છે; માટે ગુરુ આજ્ઞાને અનુસરનારા આત્મામાં ગુરુ આજ્ઞાથી તે તે અનુષ્ઠાનની જે રુચિ પ્રગટે, તે આજ્ઞારુચિ-સમ્યક્ત્વ સમજવું.
(૪) સૂત્રરુચિ-સૂત્રોને ભણવાથી-પુનઃ પુનઃ અભ્યાસ કરવાથી પ્રગટ થતા જ્ઞાન દ્વારા ગોવિંદાચાર્યની જેમ જીવમાં જીવાજીવાદિ પદાર્થોના યથાર્થપણાની શ્રદ્ધા પ્રગટે, તે ‘સૂત્રરુચિ-સમકિત સમજવું. વારંવાર એક પદાર્થનું સ્મરણ કરવાથી તેના સંસ્કારો દઢ બને, તેમ વારંવાર અધ્યયનપઠન-પાઠન કરવાથી જ્ઞાન પણ સંશયરહિત દઢ બને છે. આવી સૂત્રજ્ઞાનથી પ્રગટેલી દઢ સચિને “સૂત્રરુચિ-સમકિત કહેવાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org