Book Title: Sambodh Prakaran Part 02
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 300
________________ પરિશિષ્ટ ૨૮૯ અહીં વિશોધિકોટીનો અંશ જ તજવાનું કહ્યું, તે પણ બધો આહાર વગેરે તજી દેતાં નિર્વાહ થાય તેમ ન હોય ત્યારે, એમ સમજવું. જો નિવહ શક્ય હોય, તો શુદ્ધ-અશુદ્ધ સઘળુંય ભોજન તજી દેવું જોઈએ. તેમાં પણ જો ઘી વગેરે દુર્લભ વસ્તુ હોય, તો તે સંપૂર્ણ નહિ તજતાં અશુદ્ધ હોય તેટલું જ માત્ર તજવું. એટલો વિશેષ (વિવેક) સમજવો. કહ્યું છે કે तं चेव असंथरणे, संथरणे सव्वमवि विगिचिंति । दुलहदव्वे असढा, तत्तिअमित्तं चिअ चयंति ॥ (પ વિશુદ્ધિ -૧૬) ભાવાર્થ– “નિર્વાહ જો અશક્ય હોય, તો એ અશુદ્ધ અંશ જ તજવો અને જો નિર્વાહ શક્ય હોય, તો શુદ્ધ-અશુદ્ધ સઘળું ય તજવું, પણ તેમાં જો દુર્લભ વસ્તુ (ઘી વગેરે) હોય, તો નિષ્કપટભાવે તેમાંથી દોષિત હોય તેટલું જ તજવું.” એ પ્રમાણે ઉગમદોષો જણાવ્યા. ઉત્પાદનના દોષો પણ નીચે પ્રમાણે સોળ છે. - ૧૬ ઉત્પાદનાના દોષ - धाई दुई निमित्ते आजीव वणीमगे तिगिच्छा य । વદે મારે માથા, નોદે મ હવંતિ રસ I ૪૦૮ | पुट्विपच्छा(व)संथव, विज्जा मंते अ चुन्न जोगे अ । उप्पायणाइ दोसा, सोलसमे मूलकम्मे अ॥ ४०९ ॥ (fપાનિયુnિ) વ્યાખ્યા– ૧. ધાત્રીદોષ, ૨. દૂતિદોષ, ૩. નિમિત્તદોષ, ૪. આજીવકદોષ, ૫. વનપકદોષ, ૬. ચિકિત્સાદોષ, ૭. ક્રોધદોષ, ૮. માનદોષ, ૯. માયાદોષ અને ૧૭. લોભદોષ; એ દશ, તથા ૧૧. પૂર્વ વા પશ્ચાત્ સંસ્તવદોષ, ૧૨. વિદ્યાદોષ, ૧૩. મંત્રદોષ, ૧૪. ચૂર્ણદોષ, ૧૫. યોગદોષ અને ૧૬. મૂળકર્મદોષ; એમ ઉત્પાદનામાં સોળ દોષો લાગે છે. તેમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342