Book Title: Purvaseva Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 56
________________ પૂર્વસેવાદ્વાત્રિંશિકા/બ્લોક-૧૮ ૩૭ पौर्णमास्यां पंञ्चदश कवलाः कृष्णे च पक्षे हापयेत् हीनं कुर्यात् एकैकं कवलं ततो भुञ्जीत न अमावास्यायां तस्यां सकलकवलक्षयात्, एष चान्द्रायणः चन्द्रेण वृद्धिभाजा क्षयभाजा च सहेयते गम्यते यत्तच्चन्द्रायणं तस्यायं વિધિ:-પ્રજાર કૃતિ | ટીકાર્ય ઃ एकैकं કૃતિ II એક એક ગ્રાસ=કવલ શુક્લપક્ષમાં વધારે-એકમથી માંડીને યાવત્ પૂનમમાં ૧૫ કવલ આહાર ગ્રહણ કરે, અને કૃષ્ણપક્ષમાં હીત કરે–એક એક કવલ હીન કરે. ત્યારપછી અમાવાસ્યામાં ભોજન કરે નહિ; કેમ કે તેમાં=અમાવાસ્યામાં સકલ કવલનો ક્ષય છે–એક એક કોળિયાના હાસથી અમાવાસ્યામાં સર્વ કોળિયાનો ક્ષય છે. આ ચાંદ્રાયણ, વૃદ્ધિભાજ એવા ચંદ્રની સાથે અને ક્ષયભાજ એવા ચંદ્રની સાથે જે જાય છે=જે જણાય છે, તે ચંદ્રાયણ. તેની આ કરણપ્રકારક વિધિ છે. ‘કૃતિ’ શબ્દ ચાંદ્રાયણ તપની વિધિની સમાપ્તિ માટે છે. ।।૧૮।। ભાવાર્થ: ..... આદિધાર્મિક જીવો તપ, ત્યાગ પ્રત્યેની રુચિવાળા હોય છે, અને તેઓ જે લૌકિક એવું ચાંદ્રાયણ તપ કરે છે, તેની વિધિ આ પ્રમાણે છે ચંદ્ર શુક્લપક્ષમાં વૃદ્ધિ પામે છે, તેથી ચંદ્રની વૃદ્ધિને સામે રાખીને ચાંદ્રાયણ તપ કરનારા આદિધાર્મિક જીવો એક એક કવલની વૃદ્ધિથી એકાસણું કરે છે. તેમાં શુક્લપક્ષના એકમમાં એક કોળિયાથી એકાસણું કરે, અને બીજ-ત્રીજ આદિના ક્રમથી એક એક કવલની વૃદ્ધિ કરે અને પૂર્ણિમાના દિને પંદર કવલથી એકાસણું કરે, અને કૃષ્ણપક્ષમાં એક એક કવલ ઘટાડે, તેથી કૃષ્ણપક્ષની એકમના ૧૪ કવલ ગ્રહણ કરે, અને કૃષ્ણપક્ષની બીજ-ત્રીજ આદિના ક્રમથી એક એક કવલ ઘટાડવાથી કૃષ્ણપક્ષની ચૌદશના એક કવલની પ્રાપ્તિ થાય, અને અમાવાસ્યામાં સર્વ કવલનો ક્ષય થવાથી ઉપવાસ કરે. આ પ્રકારની ચાંદ્રાયણ તપની વિધિ છે. [૧૮] Jain Education International And For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104