Book Title: Purvaseva Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 91
________________ પૂર્વસેવાદ્વાચિંશિકા/શ્લોક-૩૦ ટીકાર્ચ - પ્રત્યાવર્ત ..... કુપત્તી | પ્રતિ આવર્તકપ્રતિ પુદ્ગલપરાવર્ત, આનોર યોગ્યતાનો કર્મબંધની યોગ્યતાનો, વ્યય પણ છેઃઅપગમ પણ છે; કેમ કે દોષોના ક્રમહાસ વગર ભવ્યની મુક્તિગમત આદિની અનુપપત્તિ છે. તેના અલ્પપણામાં યોગ્યતાના અલ્પપણામાં કર્મબંધની યોગ્યતાના અલ્પપણામાં, આનો મુક્તિઅદ્વેષનો સંભવ છે ઉપપત્તિ છે. તે શ્લોકના પૂર્વાર્ધમાં જે કહેવાયું તે, યોગબિન્દુમાં કહેવાયું છે. અને આ રીતે યોગબિન્દુની પૂર્વગાથામાં કહ્યું એ પ્રકારે કર્મબંધની યોગ્યતા હોતે છતે, યોગ્યતાનો અપગમ પણ સુનીતિથી પ્રતિઆવર્ત રહેલો જ છે. મલના અલ્પપણામાં ભાવશુદ્ધિ પણ નિશ્ચિત છે.” [૧] આનાથી પણ=મુક્તિઅદ્વેષથી પણ, શ્રેયની શ્રેણી છે કુશલ અનુબંધની સંતતિ છે=સંસારના ઉચ્છેદને અનુકૂળ આત્મકલ્યાણની પરંપરાની પ્રાપ્તિ છે. વળી, મુક્તિરાગથી તેની ઉપપત્તિમાં કુશલ ફળની સંતતિની પ્રાપ્તિમાં શું કહેવું ? અર્થાત્ અવશ્ય કુશલ ફળની સંતતિની પ્રાપ્તિ છે. ll૩૦ || “વ્યયોપિ=3પ1મોડપિ'માં ‘પથી એ કહેવું છે કે પ્રતિ પુદ્ગલપરાવર્ત કર્મબંધની યોગ્યતા તો છે, પરંતુ યોગ્યતાનો અપગમ પણ=વ્યય પણ, સુનીતિથી છે. ‘મતોડપિ' અને “મુનત્યપાપ'માં ‘પ'થી એ કહેવું છે કે મુક્તિના રાગથી તો કલ્યાણની પરંપરા છે, પરંતુ મુક્તિના અષથી પણ કલ્યાણની પરંપરા છે. ભાવાર્થ - આત્મા અનાદિનો છે અને કર્મબંધની યોગ્યતારૂપ ભાવમલ પણ આત્મામાં અનાદિથી છે અને ભવ્ય જીવોનાં ભાવમલનો પ્રતિ પુદ્ગલપરાવર્તમાં અપગમ પણ થાય છે. ત્યાં જિજ્ઞાસા થાય કે પ્રત્યેક પુદ્ગલપરાવર્તમાં કર્મબંધની યોગ્યતાનો અપગમ થાય છે, તે કઈ રીતે નક્કી થાય ? તેથી ગંથકારશ્રી યુક્તિ આપે છે કે ભવ્ય જીવો મોક્ષમાં જાય છે અને મોક્ષને અનુકૂળ એવા ગુણસ્થાનકની પ્રાપ્તિ કરે છે, તે સર્વ તો સંગત થાય કે આત્મામાં રહેલા કર્મબંધની યોગ્યતારૂપ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગરૂપ દોષોનો ક્રમસર હ્રાસ થતો હોય. અર્થાત્ દૂર દૂરના પુદ્ગલપરાવર્તમાં જે જે દોષો હતા તે દરેક પુદ્ગલપરાવર્તમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104