Book Title: Purvaseva Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 75
________________ પ૬ પૂર્વસેવાદ્વાચિંશિકા/શ્લોક-૨૬-૨૭ તેઓને મોક્ષ પ્રત્યે રાગ પણ થતો નથી, અને જેઓનો સહજમલ લેશ પણ અલ્પ થયો નથી, તેઓમાં ગાઢતર વિપર્યાસ દોષ વર્તે છે. આવા જીવોને ભોગ પ્રત્યે ગાઢ આકર્ષણ છે, તેથી તેવા જીવોને ભોગસામગ્રી વગરના મોક્ષનું વર્ણન સાંભળીને મોક્ષ પ્રત્યે દ્વેષ થાય છે અને જેઓનો તે પ્રકારનો સહજમલ અલ્પ થયો છે, તેઓને મુક્તિ પ્રત્યે દ્વેષ થતો નથી. ૨૬ અવતરણિકા : શ્લોક-૨૬માં કહ્યું કે સહજમલના અલ્પપણાને કારણે ભવનો અનુત્કટ રાગ થાય છે, અને ભવના અનુત્કટ રાગના કારણે મુક્તિનો અદ્વેષ પ્રગટે છે. તેથી હવે સહજમલ શું છે ? અને તે સહજમલતા અલ્પપણાથી ભવનો અનુત્કટ રાગ કેમ થાય છે ? તે બતાવવા અર્થે કહે છે – શ્લોક : मलस्तु योग्यता योगकषायाख्यात्मनो मता । अन्यथाऽतिप्रसङ्गः स्याज्जीवत्वस्याविशेषतः ।।२७।। અન્વયાર્થ : મનડુ વળી મલ, ગાત્મનઃ=આત્માની યોષવાધ્યાયોગ્યતા મતિયોગકષાયરૂપ યોગ્યતા કહેવાઈ છે. અન્યથા-કર્મબંધની યોગ્યતારૂપ મલ ન સ્વીકારવામાં આવે તો, નીવર્તસ્યાવિશેષતઃ=જીવત્વનો અવિશેષ હોવાથી= સંસારી જીવોમાં અને સિદ્ધના જીવોમાં જીવત્વનો અવિશેષ હોવાથી, તિપ્રસા ચા=અતિપ્રસંગ થાય=સિદ્ધના જીવોમાં કર્મબંધની પ્રાપ્તિરૂપ અતિપ્રસંગ થાય. ૨૭ના શ્લોકાર્ય : વળી, મલ આત્માની યોગકષાયરૂપ યોગ્યતા કહેવાઈ છે. અન્યથાર કર્મબંધની યોગ્યતારૂપ મલ ન સ્વીકારવામાં આવે તો જીવત્વનો અવિશેષ હોવાથી=સંસારી જીવોમાં અને સિદ્ધના જીવોમાં જીવત્વનો અવિશેષ હોવાથી, અતિપ્રસંગ થાયરસિદ્ધના જીવોમાં કર્મબંધની પ્રાતિરૂપ અતિપ્રસંગ થાય. ર૭ી. અc Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104