Book Title: Puchhata Nar Pandita
Author(s): Kavin Shah
Publisher: Kusum K Shah Bilimora

View full book text
Previous | Next

Page 423
________________ કાયર, પશુ, માનવ, દેવ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર, અથિર, વીર, છિલ્લર, અગાધ, તપ, જપ, સંજમ, ચોર અને સાધુ કોને કહીએ? જગતમાં અતિ દુર્જય (દુ:ખે જીતી શકાય) એવું શું છે? અધિક કપટ ક્યાં છે? તેમજ નીચ, ઊંચ અને ઉત્તમ કોણ છે? અતિ આકરો અગ્નિ કયો? નિરંકુશ હાથી કયો? જગતમાં (ઉગ્ર) વિષવેલી કઈ? પ્રબળ તરંગ (મોજા) વાળો સાગર કયો? સદાય કોનાથી ડરતા રહેવું? અને વેગે જઈને કોને મળવું? વિજળી જેવી ચપળ વસ્તુ કઈ? વળી જગતમાં અચળ, સાર અને અસાર વસ્તુ કઈ છે? નરકતાર કયું છે? અંધ, બહેરો, મુંગો કોણ છે? માતા, પિતા, શત્રુ, મિત્ર, પંડિત, મૂર્ખ, સુખી, દુ:ખી અને ભયરહિત કોણ છે? જગમાં સહુથી મોટો ભય ક્યો છે? અતિ આકરી જરા કઈ છે? બહુ આકરી વેદના કઈ છે? અને અતિ વાંકો ઘોડો કયો છે? કલ્પવૃક્ષ, ચિંતામણિ, કામધેનુ અને ચિત્રાવેલી કોને કહીએ? દુઃખ માત્ર ટાળવાનો ખરો ઉપાય શો? કાન, આંખ, મુખ, હાથ, ભુજા, હૃદય, કંઠ અને ભાલ (લલાટ) એ દરેકનું ભૂષણ શું? જગતમાં ખોટી જાળ કઈ? પાપ, રોગ અને દુઃખના કારણે ક્યાં? જગતમાં પવિત્ર અને અપવિત્ર વસ્તુ કઈ? અમૃત અને વિષ કયું? સંગ અને કુસંગ કયો? પતંગનો રંગ કયો અને મજીઠી રંગ કયો? આ સર્વ પ્રશ્નસમુદાય કહ્યો હવે તેના ઉત્તર અનુક્રમે કહે છે દેવ શ્રી અરિહંત નિરાગી, દયા મૂળ શુચિ ધર્મ સોભાગી; હિત ઉપદેશ ગુરૂ સુસાદ્ય, જે ધારત ગુણ અગમ અગાધ ૧// ઉદાસીનતા સુખ જગમાંહી, જન્મ મરણ સમદુઃખ કોઈ નાંહી; આત્મબોધ જ્ઞાન હિતકાર, પ્રબલ અજ્ઞાન ભ્રમણ સંસાર Tીરા ચિત્તનિરોધ તે ઉત્તમ ધ્યાન, ધ્યેય વિતરાગી ભગવાન; ધ્યાતા તાસ મુમુક્ષુ બખાન, જે જિનમત તત્વારથ જાન ||૩|| (૩૬) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470