Book Title: Puchhata Nar Pandita
Author(s): Kavin Shah
Publisher: Kusum K Shah Bilimora

View full book text
Previous | Next

Page 440
________________ ત્રીજે ખામણે પોતે ગુરૂ પ્રત્યે નિવેદન કરવાના હેતુથી અભુષ્ટિઠઓહં સૂત્ર કહે . ચોથે ખામણે જે શિક્ષા ગ્રહણ કરી છે તે સંબંધી ઉપકાર અને બહુમાન ઈચ્છતો અહમ વિ પુવ્વાંઈ સૂત્ર કહે. આ ચારે પાક્ષિક ખામણાંમાં દરેક ખામણાંની અંતે અનુક્રમે (૧) તુબ્સેહિંસમં (૨) અહમં વિ વૃંદામિ ચેઈયાઈ (૩) આયિરય સંતિઅં, (૪) તિથ્થારગ પારગ્ન હોહ એ ચાર વચનો અનુક્રમે ગુરૂમહારાજ કહે અને શિષ્ય દરેક વખતે ઈચ્છે કહે અને સર્વને અંતે ઈચ્છામો અણુસહિઁ કહે શ્રાવક શ્રાવિકા ગુરૂ નિશ્રા વિના પ્રતિક્રમણ કરતા હોય તો ચાર ખમાસમણ દઈ દરેક વખતે ખામણાં બોલવાનાં સ્થાને નવકાર ગણે. ૨૪. બ્રહ્મ સૂત્ર – શાંકર ભાષ્ય A શ્રીમદ્ શંકરાચાર્ય વિરચિત શાંકરભાષ્યમાં જીવ, શીવ અને જગત વિશેના પ્રશ્નોનું સૂત્રાત્મક શૈલીમાં નિરૂપણ કર્યુ છે તે ઉ૫૨થી ખ્યાલ આવે છે કે તત્ત્વજ્ઞાનના વિષયમાં આ પ્રકારની શૈલી વિવિધ ધર્મોમાં પ્રચલિત છે. અહીં નમૂનારૂપે પ્રશ્નોત્તરની માહિતી મૂળ ગ્રંથમાંથી નોંધવામાં આવી છે. ઉત્તર ૧૦૮૭ પ્રશ્ન જેમ અચેતન ક્ષીર એ વાછડાનું પોષણ થાય એ માટે આપોઆપ જ પ્રવૃત્ત થાય છે, અને જેમ અચેતન પાણી એ લોકનું કલ્યાણ ક૨વા આપોઆપ જ વહે છે તેમ અચેતન પ્રધાન એ પુરૂષોની જરૂર પૂરી પાડવા આપોઆપ જ પ્રવૃત થશે? આ તમારો મત બરોબર નથી, કારણ કે બંને પક્ષને સંમત એવા જે ૨થ વગેરે અચેતન પદાર્થો, તેમાં પ્રવૃત્તિ નજરે પડતી Jain Education International 2010_03 ૪૧૩ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470