Book Title: Puchhata Nar Pandita
Author(s): Kavin Shah
Publisher: Kusum K Shah Bilimora

View full book text
Previous | Next

Page 435
________________ રંજનબેન મહાવીર સ્વામીના દીક્ષા બાદના છ સંકલ્પો. (૧) તીર્થકર કે કેવળી ક્યારેય કોઈની કૃપામદદથી થયા નથી, થશે પણ નહીં. દરેકે પોતપોતાની કર્મફળ જાતે જ ભોગવવા પડે છે. (૨) જે સ્થાને અન્ય કોઈને પણ અણગમો થાય ત્યાં ન રહેવું. (૩) જ્યાં રહેવું ત્યાં સદા ધ્યાનમગ્ન જ રહેવું અને તેને અનુકૂળ જગા શોધવી. (૪) અને ત્યાં પણ પ્રાયઃ મોન અવસ્થામાં જ રહેવું. (૫) કર પાત્ર વડે જ ભોજન કરવું. (૬) ગૃહસ્થની ખુશામત કરવી નહીં. ૨૩. ભાવ પ્રતિક્રમણનું તાળું ખોલો | ‘ભાવ પ્રતિક્રમણનું તાળું ખોલો' પુસ્તકના સંપાદક વિદ્વાન મુનિવર્ય શ્રી દિવ્યકીર્તિ વિજયજી અને પુણ્યકીર્તિ વિજયજી છે. તેમાં પ્રતિક્રમણની પવિત્ર ક્રિયા વિશેના વિવિધ પ્રશ્નોત્તરોનો સમાવેશ થાય છે. સમગ્ર પુસ્તકમાં પ્રગટ થયેલા વિચારો આવશ્યક ક્રિયા કરનાર ચતુર્વિધ સંઘને માટે દ્રવ્ય ક્રિયામાંથી ભાવ ક્રિયામાં એકરૂપ થવા માટે શાસ્ત્રીય માર્ગદર્શન પૂરું પાડે છે. ક્રિયાની જડતા માનનારાઓને માટે આ પ્રશ્નોત્તર તેની વિશિષ્ટતા દર્શાવીને જ્ઞાનક્રિયા વ્યાં મોક્ષ ના સૂત્રને યથોચિત ગણાવે છે. નમૂના રૂપે કેટલાંક પ્રશ્નો અત્રે નોંધવામાં આવ્યા છે. ૧૦૭૨ પ્રશ્ન ગુરૂ સમક્ષ પ્રતિક્રમણ કરવાનો હેતુ શું છે? ઉત્તર ગુરૂ સાક્ષીએ કરેલું અનુષ્ઠાન વધારે દ્રઢ થાય છે. ગુરૂના અભાવે સ્થાપનાચાર્યની સાક્ષીએ પ્રતિક્રમણ કરવું જોઈએ. જગતમાં સસારિક વ્યવહાર નિશ્ચલ ગણાય છે. ન્યાય ૪૦૮) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470