Book Title: Prastavana Sangraha
Author(s): Yashodevsuri
Publisher: Muktikamal Jain Mohanmala

View full book text
Previous | Next

Page 13
________________ બહુમુખી પ્રતિભાવંતનું sonત્ય લેખનકાર્ય ડૉ. રમણલાલ સી. શાહ ? પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી યશોદેવસૂરીશ્વરજી મહારાજ સાહેબ (પૂર્વનામ મુનિશ્રી યશોવિજયજી)ના પ્રસ્તાવના સંગ્રહ નામના આ ગ્રંથશિરોમણિને આવકારતાં હું અત્યંત હર્ષ અનુભવું છું. પૂજ્ય આચાર્ય મહારાજશ્રીએ પોતાના દીર્ઘ જીવનકાળ દરમિયાન લખેલી ભિન્ન ભિન્ન ગ્રંથોની સિત્તેરથી વધુ પ્રસ્તાવનાઓનો આ સંગ્રહ છે. આઠસો પાનાંનો આ દળદાર ગ્રંથ રૂપરંગાદિ ક્લેવરની દૃષ્ટિએ નૂતન છે, પણ એમાં આપવામાં આવેલી સામગ્રી જૂની પણ મૂલ્યવાન અને સાચવવા જેવી છે, કાળ વીતતાં આ ગ્રંથનું ક્લેવર જૂનું થશે, પણ એમાં આપેલી સત્ત્વશીલ સામગ્રી તો નવા જેવી જ અને મૂલ્યવાન રહેશે. પૂજ્ય આચાર્ય ભગવંતે આ પુસ્તકની સંક્ષિપ્ત પ્રસ્તાવના લખવાનું મને કહ્યું તે ગમ્યું છે, તે એટલા માટે કે એમનો પહેલવહેલો પરિચય મને પ્રસ્તાવનાના નિમિત્તે જ થયો હતો. તે ઉપાધ્યાય શ્રી યશોવિજયજીના ‘જંબૂસ્વામી રાસ'ના મારા સંપાદન માટે વિ. સં. ૧૯૧૭ (ઇ. ? સન્ ૧૯૬૧)માં એમણે પુરોવચન લખી આપ્યું હતું. એ વર્ષોમાં મહારાજશ્રીએ ‘ઉપાધ્યાય શ્રી યશોવિજય સ્મૃતિગ્રંથ' તૈયાર કર્યો હતો અને શ્રી યશોવિજયજીની કૃતિઓનું સંપાદન-પ્રકાશન તેઓ કરતા અને કરાવતા હતા. વસ્તુતઃ ‘જંબૂસ્વામી રાસ'નું સંપાદનકાર્ય એમની ભલામણથી જ સુરતના શેઠ નગીનભાઈ મંછુભાઈ સાહિત્યોદ્ધાર ફંડ તરફથી મને સોપવામાં આવ્યું હતું અને તે માટે પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે સ્વહસ્તે લખેલી “જંબૂસ્વામી રાસ'ની હસ્તપ્રત એમણે મને મેળવી આપી હતી. આ ગ્રંથમાં પહેલી પ્રસ્તાવના ઈ. સન્ ૧૯૩૯ની છે અને છેલ્લી પ્રસ્તાવના ઈ. સન ૨૦૦૦ની છે. એકસઠ વર્ષના ગાળામાં, પોતાના સંખ્યાબંધ સ્વતંત્ર ગ્રંથોના લેખન-પ્રકાશનની સાથે, પ્રસ્તાવનાઓનું આટલું બધું વિપુલ લેખનકાર્ય થઈ શક્યું એ પોતાનાં આરાધ્ય દેવીઓમાતા સરસ્વતીદેવી અને માતા પદ્માવતીદેવીની કૃપા વગર ન થઈ શકે. જીવનની ઉત્તરાવસ્થામાં શક્તિઓ જ્યારે ક્ષીણ થવા લાગે ત્યારે તો આશ્ચર્ય થાય કે આટલું બધું લેખનકાર્ય શું પોતે * કર્યું હશે! આજે એવું લખવું હોય તો ન લખાય. પૂજ્ય આચાર્ય ભગવંતને બાલ્યવયમાં દીક્ષા { લીધી ત્યારથી જ એમના ગુરુ ભગવંતો પ. પૂ. આ. શ્રી મોહનસૂરીશ્વરજી મ., પ. પૂ. આ. શ્રી પ્રતાપસૂરીશ્વરજી મ. અને પ. પૂ. આ. શ્રી ધર્મસૂરીશ્વરજી મ.ની સતત કૃપા મળતાં રડી , હતી. એથી જ એમની બહુમુખી પ્રતિભાનું યશોવલ ઘડતર થયું હતું. પૂ. આચાર્યશ્રીજીની પ્રતિભા બહુમુખી છે. એમની બહુશ્રુતતાનાં દર્શન જેમ એમના ગ્રંથોમાં

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 850