Book Title: Pistalis Agam Mahapujan Vidhi Author(s): Dipratnasagar, Deepratnasagar Publisher: Agam Shrut Prakashan View full book textPage 4
________________ [૨] (શ્રી જિન-આગમ પૂજન પૂર્વે તેનો મંડપ તૈયાર કરાવવા ) ૦ સર્વ પ્રથમ ૪૫-આગમના છોડ (ચંદરવો-તોરણ-jઠીયા) તૈયાર રાખવા. ૦ છોડ બાંધવા દોરી, ધાતુનોવાયર, ખીલી, હથોડી, સેફ્ટીપીન વગેરે સામગ્રી તૈયાર રાખવી. અથવા મંડપ સર્વીસવાળા નક્કી કરવા. ૦ જો મંડપ હોય તો તેમાં અથવા ઉપાશ્રય કે હોલની દીવાલો ઉપર ક્રમ ૧ થી પ છોડ બાંધવા માટેની વ્યવસ્થા કરવી. ૦ આ મહાપૂજન બે દિવસોમાં ભણાવાય છે. તેથી એક તરફ ૧ થી ૨૩ આગમના છોડ બાંધવા - - વચ્ચે ત્રિગડું ગોઠવવું - - બીજી તરફ ૨૪ થી ૪૫ આગમના છોડ બાંધવા. ૦ દરેક છોડની નીચે તે-તે છોડનું નામ સ્પષ્ટ રીતે વાંચી શકાય તેવી બનેઈમ પ્લેટ” તૈયાર કરી ગોઠવવી. ૦ જમીનથી લગભગ અઢી ફુટ ઊંચા એવા ટેબલોને છોડની નીચે લાઈનસર ગોઠવવા -- તેના ઉપર સફેદ કાપડ ફીટ કરાવવું. ૦ દરેક છોડની નીચે -- ટેબલ ઉપર એક-એક સાપડો મુકવો અને તેના ઉપર ૫ આગમનો રૂમાલ મુકવો. જ્યારે એક-એક આગમનું પૂજન થાય ત્યારે તે ગોઠવેલા સાપડા ઉપર પરમ પવિત્ર એવા એક-એક આગમને પધરાવતા જવું. ૦ સાપડાથી આગળના ભાગમાં એક-એક થાળી ગોઠવવી. એ રીતે ૧થી ૫ મોટી થાળી પહેલેથી જ મૂકાવી દેવી. ૦ ૫ નંદાવર્ત સાથીયા થઈ શકે તેટલા ચોખા પહેલેથી સાફ કરાવી રાખવા, - આ સાફ કરેલા ચોખાના પાંચ સરખા ભાગ કરવા. - ૧ ભાગ ચોખા સફેદ રાખવા, ૧ - ભાગને લાલ રંગના કરવા, ૧ ભાગને પીળા રંગના કરવા, ૧ ભાગને લીલા રંગનો કરવા. અને ૧ - ભાગને કાળા રંગના કરવા. આ રીતે સફેદ વગેરે પાંચ વર્ણવાળા ચોખા તૈયાર થઈ ગયા પછી સફેદ-લાલ-પીળો-લીલો-કાળો એ ક્રમમાં દરેક થાળીમાં નંદાવર્ત સાથીયા પહેલેથી જ તૈયાર કરી રાખવા. જેથી આગમનું પૂજન થતું જાય તેમ તેમ તે-તે થાળીમાં ફળનૈવેદ્ય વગેરે મૂકી શકાય. ૦ જો આગમની ઓળખ આપતા પટ્ટ વગેરે તૈયાર હોય તો ટેબલની ધારથી જમીન તરફ લટકાવવા આટલી તૈયારી કરવાથી જિન આગમ-પૂજન મંડપ તૈયાર થશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 68