Book Title: Passportni Pankhe Part 2
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 221
________________ २०४ પાસપોર્ટની પાંખે -- ઉત્તરાલેખન ‘તમારા નસીબમાં હશે તો મળશે જ, તમે વધારે નસીબદાર હશો તો તમને બે વાર સહેલગાહ કરવા મળશે.' કંટનના જવાબથી વાતાવરણમાં રમૂજ પ્રસરી ગઈ. એણે કહ્યું, “હવે હું મારું કામ સંભાળું છું. સુઝાન તમને વહેલ વિષે માહિતી આપશે.' સુઝાને કહ્યું, ‘વહેલને દુનિયામાં બધા લોકો માછલી તરીકે ઓળખે છે અને એમ બનવું સ્વાભાવિક છે, કારણ કે હલને આકાર માછલી જેવો જ છે. તેનો આહાર પણ એના જેવો છે અને તે ચોવીસ કલાક પાણીમાં રહે છે. એનું સમગ્ર જીવન પાણીમાં વીતે છે અને પાણી બહાર ત જીવી શકતી નથી, પરંતુ પ્રાણીશાસ્ત્રીઓ હેલને માછલી ગણતા નથી. વહેલ સસ્તન (Mammal) પ્રકારનું પ્રાણી છે. વહેલ ઈંડાં મૂકતી નથી, પણ પાણીમાં જ બચ્ચાને જન્મ આપે છે. એક પ્રસૂતિ વખતે એક જ બચ્ચે જન્મે છે. બચ્યું માને ધાવે છે અને મારું થાય છે. બચ્ચે સરેરાશ રોજનું અડધો ટન દૂધ ધાવે છે એટલે રોજનું સરેરાશ અટલું મોટું થતું જાય છે. સ્થળચર, ખેચર અને જળચર એવી સમગ્ર જીવસૃષ્ટિમાં મોટામાં મોટું વિદ્યમાન પ્રાણી હોય તો તે વહેલ છે. પ્રાગૈતિહાસિક કાળનું એક મોટામાં મોટું પ્રાણી તે ડાયનાસોર્સ હતું, પરંતુ તે પણ વ્હેલ કરતાં અડધાથી ઓછા કદનું અને અડધાથી ઓછા વજનનું હતું. ડાયનાસોર્સનું વધુમાં વધુ વજન પચાસ ટનનું મનાય છે. જ્યારે વહેલનું વજન સો ટનથી વધારે હોઈ શકે છે અને હેલની લંબાઈ પણ સો ફૂટથી વધારે હોઈ શકે છે. સ્થળચર પ્રાણીઓમાં ડાયનાસોર્સ મોટામાં મોટું એટલે આખું હરતું ફરતું નજરે જોઈ શકાય. વહેલનું તેમ નથી. વહેલ પણ પ્રાગૈતિહાસિક કાળનું જ પ્રાણી છે, પણ તે જળચર છે એટલે હજુ જીવતું જોવા મળે છે. સ્થળચર અને ખેચર પ્રાણીઓને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જેટલી અનુકૂળતા હોય છે તેના કરતાં જળચરને વધારે હોય છે.' અત્યારે જમીન ઉપર આપણને મોટામાં મોટા પ્રાણી તરીકે હાથી જોવા મળે છે.' કોઈક વચ્ચે કહ્યું. હા, પણ વહેલ આગળ હાથી જાણે કે નાનું બચ્ચું જ છે. હેલની ફક્ત જીભ જ હાથીના કદ કરતાં મોટી હોય છે. હાથીનું વજન ત્રણચાર ટનનું હોય છે, વ્હેલનું સો ટનથી વધારે. વહેલ ઘસડાઈને કિનારે મરેલી પડી હોય અથવા શિકારીઓ મારીને અને ખેંચી લાવ્યા હોય તે વખતે વ્હેલ જોઈ હોય તો લાગે કે જાણે મોટો રાક્ષસ (Monster) ન હોય !' મારાથી રહેવાયું નહિ. મેં કહ્યું, “એવી હેલ મેં નજરે જોઈ છે.” 'વાહ ! તો તો તમને એનો ખ્યાલ આવી શકશે', સુઝાને આગળ કહ્યું, 'હેલ માછલી નહિ, પણ પ્રાણી છે, કારણ કે એની બીજી એક લાક્ષણિકતા એ છે કે તે ચોવીસ કલાક પાણીમાં રહેતી હોવા છતાં શ્વાસ લેવા માટે એને પાણીની બહાર આવવું પડે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282