________________
જૈનધર્મ મનાતો, પરંતુ માદ્ધોના પિટક ગ્રંથોમાં–માજ અને માજિaiાણ આદિમાં જૈનધર્મ અને મહાવીરના સંબંધમાં મળેલી હકીકતો તેમજ બીજા કેટલાંક પ્રમાણેથી હવે વિદ્વાનોને સ્પષ્ટ જાહેર કરવુ પડયું છે કે “ જૈનધર્મ એક પ્રાચીન અને સ્વતંત્ર ધર્મ છે. ”
જર્મનના સુપ્રસિદ્ધ ડે. હર્મન જેકેબી સ્પષ્ટ કહે છે
“ I have come to conclusion that Jain religion is an extremely ancient religion independent of other faiths. It is of great importance in studying the ancient philosophy and religious doctrines of India. ”
અર્થાત “ હું નિર્ણય ઉપર આવી ગયો છું કે “જૈનધર્મ અત્યન્ત પ્રાચીન અને અન્ય ધર્મોથી પૃથક એક સ્વતંત્ર ધર્મ છે એટલા માટે હિંદુસ્તાનનાં પ્રાચીન તત્ત્વજ્ઞાન અને ધાર્મિક જીવન જાણવા માટે તે અયન ઉપયોગી છે. ”
જનધની પ્રાચીનતાના સંબંધમાં મારે આ પ્રસંગે એટલા માટે આટલે ઉલ્લેખ કરવો પડે છે કે ભારતવર્ષનાં પ્રાચીન દર્શનેમાં જ એક એવું વિશેષ તત્વ રહેલું છે કે જે આધુનિક વિચારની વિચારસૃષ્ટિમાં નથી જોવાતું અને તેટલા માટે મારે એ અનુરાધ અસ્થાને નહિંજ લેખાય કે ભારતવર્ષના જ નહિ, દુનિયાના વિદ્વાનોએ જૈનદશનમાં બતાવેલ તત્ત્વજ્ઞાનને પણ ખાસ અભ્યાસ કરવો જોઈએ છે.
જન તત્ત્વજ્ઞાન,
સજનો ! આ પ્રસંગે એ બતાવવાની તક લઉં છું કેShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com