Book Title: Parmamand Kutark Samiksha
Author(s): Vijaybhadrasuri, Jainakvijay
Publisher: Bhogilal Karamchand Shah

View full book text
Previous | Next

Page 41
________________ ૨૨ ઠીક નિણત થઇ શકતી નથી. પરિણામ એ આવે છે કે સ્વર્ગની માફક મેક્ષ પણ એક નાશવંત પદાર્થ ઠરે છે. પરંતુ ઉપરના બે પદાર્થો બે શક્તિયોની વિદ્યમાનતા માનવાથી આ બધી અડચણ દૂર થઈ જાય છે. આ અધર્માસ્તિકાયના પણ સ્કધ, દેશ અને પ્રદેશ એ ત્રણ ભેદ માનેલા છે. ૩ આકાશાસ્તિકાય–આ પણ એક અરૂપી પદાર્થ છે. જીવ અને પુગલને અવકાશ આપવો, એ એનું કામ છે. આ આકાશપદાર્થ લોક અને અલેક બનેમાં છે. આના પણ સ્કધાદિ પૂર્વોકત ત્રણ ભેદો છે. ૪ પુદગલારિતકાય–પરમાણુથી લઇ કરીને યાવત સ્કૂલ કે અતિસ્થલ-તમામ રૂપી પદાર્થો પુદ્ગલ છે. આના સ્કધ, ૨ દેશ, ૩ પ્રદેશ અને ૪ પરમાણુ-એમ ચાર ભેદો છે. પ્રદેશ અને પરમાણમાં ખાસ વિશેષ અંતર નથી. જે નિર્વિભાગ ભાગ, બીજા ભાગની સાથે મળી રહે, તે પ્રદેશ છે, અને તે જ નિર્વિભાગ ભાગ, જૂદો હોય તે તે પરખ કહેવાય છે. ૫ જીવાસ્તિકાય–જવાસ્તિકાયનું લક્ષણ આ છે. यः कर्ता कर्मभेदानां भोक्ता कर्मफलस्य च । संसर्ता परिनिर्वाता स ह्यात्मा नान्यलक्षणः ।। કર્મોને કરનાર, કર્મના ફલોને ભોગવનાર, કમનુસાર શુભાશુભ ગતિમાં જનાર અને સમ્યક્ જ્ઞાનાદિના કારણે કર્મના સમૂહને નાશ કરનાર આત્મા-જીવ છે. જીવનું આથી બીજું કોઈ સ્વરૂપ નથી. ઉપરના પાંચ દ્રવ્યોમાં દરેકની સાથે “ ગણિત શબ્દ જોડવામાં આવ્યા છે. એને અર્થ એ છે કે, રિત લેવા, અને હાથ-પૂ. જેમાં પ્રદેશોને સમુહ હોય તે અસ્તિકાય. ધર્મ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52